________________
બીજાથી મળતા દુઃખમાં અનાભોગથી પણ દ્વેષના સંસ્કારો પાડ્યા. શરીર સુખનો રાગનતોડવામાં આવેતો દુઃખનોદ્વેષ ઊભો થાય. પુગલની સાથે રહેવાની ઈચ્છા તે સંસાર, પુદ્ગલના સંગથી છૂટવાની સાધના તે મોક્ષમાર્ગ. જેમકે કંડરિકનો આત્મા ખાવાના સુખમાં આસકત બની ગયો અને એક દિવસમાં ૭ મી નરકની મુસાફરી કરી. મરિચીના આત્માએ શરીરના કષ્ટો ન ગમતા સાધુ વેશ છોડી ત્રિદંડી વેશ લીધો અને અંતે શરીરસુખ માટે વૈયાવચ્ચી શિષ્યની ઈચ્છાને કારણે ઉસૂત્રની પ્રરૂપણા કરીને કોડાકોડી સંસાર વધાર્યો. પુદ્ગલનો સંયોગ એક માત્ર સંસાર છે.
ધર્માસ્તિકાયાદિ બીજા દ્રવ્યોનો સંયોગ આત્મા માટે સંસારરૂપ બનતો નથી કારણ તેનું સ્વરૂપ અને આત્માનું સ્વરૂપ સમાન છે જયારે પુદ્ગલનું સ્વરૂપ અને સ્વભાવ બન્ને આત્માના સ્વરૂપથી વિરૂદ્ધ છે તેમ છતાં તેનો આત્મા સાથેનો સંયોગ અનાદિથી દૂધ પાણીની જેમ એકમેક થયેલો છે તેથી પુલના સંયોગરૂપ દેહમાં જ આત્માની ભ્રાંતિ એટલે કે દેહ એ જ આત્મા છે, તે ભ્રાંતિ ઉત્પન્ન થવા વડે જીવ પુદ્ગલના સ્વભાવરૂપે વર્તવા વડે દુઃખી થાય છે. શુભાશુભ પુદ્ગલના સંયોગ થવા વડે જીવને શાતા-અશાતારૂપે પીડાનો અનુભવ થાય અને જીવ મિથ્યાત્વના ઉદયે શાતાને સુખ અને અશાતાને દુઃખરૂપ માની, શુભ પુદ્ગલના સંયોગ સુખરૂપ માની અને અશુભ પુદ્ગલના સંયોગને દુઃખરૂપ માનીને સુખીદુઃખી થવા વડે ભવભ્રમણનરકનિગોદની સફર વધારે છે. આમ અનાદિનું નિર્માણ થયેલું ભવભ્રમણ નિવારવા યુગલના સંયોગને સુખદુખ માનવા રૂપે મિથ્યાશ્રમ ટાળવા પુગલના સ્વરૂપને જાણવું જરૂરી છે. પુદ્ગલનું સ્વરૂપ ઓળખીને આત્માના હિત માટે પુલ હેય (છોડવા યોગ્ય) હોવા છતાં પુદ્ગલની જ સહાય લઈ અનાદિના તેના સંગને દૂર કરવાનો પરમ પુરુષાર્થ કરવાનો છે.
આતમરામ અનુભવ ભજે, તો પરણી માયા એ છે સારજિન વયનનો, એ છે શિવતરુ છાયા.
(પૂ. મહો. યશોવિજયજી મ.સા.) જો આત્મસુખનો અનુભવ કરવો હોય તો પરતણી માયા એટલે કે પુદ્ગલના સુખની માયા (મમતા) છોડવી પડે, તો શિવસુખનો સ્વાદ જીવ માણી શકે. આ જ જિનશાસનનો સાર છે. પુદ્ગલના સુખને છોડવા પુદ્ગલનું સ્વરૂપ સૂક્ષ્મ રીતે જાણવું અતિ જરૂરી છે. પુદ્ગલ દ્રવ્યની ઓળખ માટે મુખ્યતેના લક્ષણની વિચારણા જરૂરી છે.
અજીવ તત્ત્વ | 21