________________
પણ બનવામાં મુખ્ય ભાવ પુદ્ગલ પરાવર્તકાળ છે. જ્યાં સુધી ભાવ છે ત્યાં સુધી ભવાતીત ન થવાય. અનાદિ દ્રવ્યના સંયોગ રૂપ સંસાર છૂટો ન પડે. દ્રવ્યનો ત્યાગ કરવા છતાં, કાળ પર વિજય પ્રાપ્ત કરવા છતાં જો ભાવને જીતી ભાવાતીત ન થાય તો ફરી આત્માને ભવમાં પૂરાઈ જુદા જુદા ક્ષેત્રમાં, કાળમાં પરિભ્રમણ ઊભું રહે. એક વખત સર્વથા મોહરૂપ ભાવ પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કર્યો પછી ભવસર્જક કર્મના બંધનો સદા માટે અભાવ થઈ જાય પછી ભવના સર્જક કર્મબંધ નહીં (કષાય સત્તા કે ઉદયરૂપબંધ ન હોય). કેવલી ભંગવતોને સંપૂર્ણ મોહનો ક્ષય થવાના કારણે શરીરાદિ હોવા છતાં ભાવ સર્જક કર્મનો બંધ નહીં, માત્ર એક સમયરૂપ યોગ નિમિત્ત રસહીન બંધ થાય, તરત નિર્જરા થાય. દ્રવ્ય પુગલ પરાવર્તકાળના ૭ પેટા ભેદ:
આત્માનું જોડાણ અનાદિથી કામર્ણ વર્ગણા સાથે રહ્યું છે એના કારણે પોતાના સહજ સ્વભાવ પારિણામિક ભાવ હોવા છતાં પોતાના સ્વભાવમાં પ્રમોદ પામવાને બદલે પ્રમાદરૂપ વિભાવ પ્રગટ થાય છે. હવે જ્યારે કર્મલઘુતા થાય ત્યારે આત્માને પોતાની શુદ્ધદશાનું ભાન થાય એટલે કે ચરમાવર્તકાળમાં આવ્યા થકી આત્માને પોતાની શુદ્ધ દશાનું ભાન થાય. જેમ સમુદ્રના આવર્તમાં ફસાઈ જાય તેમ ૭ પ્રકારના પુદ્ગલ વર્ગણાના આવર્તરૂપ સ્વભાવમાં વિભાવરૂપે ફસાઈ જાય (પરિભ્રમણ કર્યા કરે). આ અનાદિ આવર્તનું જોર કંઈક ઓછું થાય ત્યારે ચરમાવર્તમાં આ જીવને ભાન થાય કે હું ભમી રહ્યો છું. ૧. કાર્યણ પુદ્ગલ પરાવર્તઃ
આઠ વર્ગણામાંથી આહારક વર્ગણા છોડીને બાકીની સાત વર્ગણાનું આવર્ત આત્માને અનાદિથી છે. જીવ દરેક સમયે ૪થા અનંતથી વધારે અને પાંચમા અનંતથી ઓછી એટલી કામણ વર્ગણાઓને ગ્રહણ કરે છે. તેના કારણે સહુથી વધારે આવોં કાર્મણ વર્ગણાના કહ્યા. કાર્મણ વર્ગણા એ અતિ સૂક્ષ્મ છે. ઘણા પ્રદેશોની બનેલી છે. તેથી એક સમયે ઘણા પુદ્ગલો ગ્રહણ થાય છે તથા સર્વ ગતિમાં રહેલ સંસારી જીવો તેને ગ્રહણ કરે છે. તેથી તેનું પુદ્ગલપરાવર્ત જલદી પુરું થાય. તેને સૌથી ઓછો કાળ લાગે.
અજીવ તત્વ | 17