Book Title: Navtattva Part 02
Author(s): Vijayravishekharsuri
Publisher: Prabhaben Mangaljibhai Shah Mahuwawala
View full book text
________________
(૮) સભ્ય દર્શન પરિણામ: સમ્યમ્ દર્શન સંપૂર્ણ સત્યનો રુચિપૂર્વક સ્વીકાર કરવા રૂપ તથા સ્વાત્માના ગુણોને અનુભવવા રૂપ રુચિ પરિણામ આત્મામાં સત્તામાં રહેલો છે પણ અનાદિથી દર્શન મોહના આવરણથી તે ગુણ આવરિત થવાથી તેમાંથી વિપરીત સત્યને પૂર્ણ રૂપે સ્વીકારવા અને વિપર્યાસ રૂપે શ્રદ્ધા સ્વીકાર રૂપ તથા અભોગ્યની રુચિ થવા રૂપ મિથ્યાત્વનો પરિણામ આત્મામાં મિથ્યા મોહનીયના ઉદયથી પ્રગટ થાય તેથી સ્વાત્માથી વિમુખ અને પુદ્ગલ સ્વભાવની રુચિ પ્રગટ થાય. આથી આત્મા પોતાના શુદ્ધ સ્વભાવને ભોગવવાની રુચિને બદલે પુદ્ગલ સ્વભાવને ભોગવવાની રુચિવાળો બન્યો. હવે મિથ્યાત્વ મોહનીયનો (દર્શન મોહ) સર્વથા ક્ષય થવાથી આત્મામાં ક્ષાયિક સમ્યમ્ દર્શન ગુણ પ્રગટ થાય. આથી સદા પોતાની સત્તાગત સિદ્ધ અવસ્થાના સ્વીકાર અને સત્તાગત ગુણોને અનુભવવાની રુચિ થાય તેથી તેને હવે સંસારનો અનુબંધ ન પડે.
૯) ચારિત્ર પરિણામઃ આત્મામાં સત્તાએ યથાખ્યાત વીતરાગ ચારિત્ર સત્તામાં રહેલું છે. ચારિત્ર મોહનીયના આવરણથી તે ગુણ આવરાય અને ચારિત્ર મોહનીયના ઉદયથી આત્મા સમતા સ્વભાવથી વિપરીત રાગદ્વેષની પરિણતિવાળો હિંસક પરિણતિવાળો થાય.
હવે ચારિત્ર મોહનીયના ક્ષયોપશમથી અને ઉપશમથી ચારિત્રના જુદા જુદા ભેદો પડયા. (૧) અવિરત સમ્યગ્દષ્ટિ () ઉપશમ ચારિત્ર અને ચારિત્ર મોહનીય કર્મના સર્વથા ક્ષયથી યથાખ્યાત ચારિત્ર (નિરનિટ ચારિત્ર) ક્ષાયિક વીતરાગતા પ્રગટ થાય. સર્વ જીવો વિષે સમભાવ રૂપ, અનંત આનંદ વેદન રૂપ પરિણામ પ્રગટ થાય.
૧૦) અવેદી અનંતનું વેદના પરિણામ: આમાં અનંત સુખને વેદન કરવાનો શકિત પરિણામ છે પણ કર્મના આવરણને કારણે વેદનશકિતને બદલે વેદના શકિત દ્રવ્ય ભાવ રૂપે પ્રગટ થઈ. અવ્યાબાધ સુખ આવરાયું અને પુદ્ગલના સંયોગ રૂપે સાતા-અસાતા રૂપે વેદવાનું આવ્યું. અર્થાત્ સાતા-અસાતા દ્રવ્ય વેદના અને ચારિત્ર મોહનીયના ઉદયથી વેદની વેદના રાગાદિ પીડારૂપ ભાવ વેદના વેચવાનું ઉભું થયું.
અજીવ તત્ત્વ | 317

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338