Book Title: Navtattva Part 02
Author(s): Vijayravishekharsuri
Publisher: Prabhaben Mangaljibhai Shah Mahuwawala

View full book text
Previous | Next

Page 335
________________ હવે વેદ મોહનીયના સર્વથા ક્ષયથી ભાવવંદનાના અભાવ રૂપ અનંત આનંદનું વેદન કરવાનું અને સાતા-અસાતા કર્મના ક્ષયથી અવ્યાબાધ સુખનો આત્મા અનંતકાળ ભોકતા થાય. આ રીતે આત્માનું અનંત વેદનરૂપ પરિણામ સદા માટેહવે આત્મા પોતાના અનંત આનંદ-અનંત સુખનું વેદન સદા કરે. આ રીતે આત્માનાં પોતાના શુદ્ધ સત્તાગત ૧૦ શુદ્ધ પરિણામોને જાણીને તેને જીવનનું મુખ્ય સાધ્ય બનાવી દરેક સાધનામાં તેને પ્રગટાવવાનું લક્ષ રાખવામાં આવે તો જ સાધના સફળ થાય. તે ૧૦ પરિણામોનો નિર્ણય કરવા પુદ્ગલના જે ૧૦ પરિણામો છે તે આત્માથી ભિન્ન છે, તેનો આત્મામાં નિર્ણય થવો જોઈએ અને આત્માના સત્તાગત શુદ્ધ પરિણામો જે પુદ્ગલના સંયોગને કારણે અશુદ્ધ અને મિશ્રિત થઈ ગયા છે તેને શુદ્ધ પરિણામના આલંબન લઈ અર્થાત્ ભેદ જ્ઞાન વડે પુદ્ગલના પરિણામો અને આત્માના પરિણામોનું ભેદ જ્ઞાન કરવા વડે આત્માના પરિણામોમાં સ્થિર થઈ પુદ્ગલ પરિણામોનો ત્યાગ અને ઉદાસીન ભાવ કેળવી આત્માના પરિણામોનું શુદ્ધિકરણ કરવા વડે મનુષ્ય ભવને સફળ કરવો જોઈએ. In 318 | નવ તત્વ

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338