________________
અટવાઈ જાય છે. મૂળતત્ત્વને જાણો તો સર્વજ્ઞના વચન પર પ્રિતી થયા વિના ન રહે. માર્ગમાં લેશ માત્ર ખામી નથી. ખામી છે આપણી કે જિનાજ્ઞા ને તત્ત્વ સ્વરૂપે સમજીને સ્વીકાર કરતા નથી. જિનવચન છે પરનો સંયોગ દુઃખરૂપ છે. તેથી સર્વ પર સંયોગના સદા ત્યાગ વિના અનંત સુખમય મોક્ષની પ્રાપ્તિ થવાની નથી. આ મોક્ષ માર્ગની આરાધનામાં ઉપયોગ, ભાવના, પરિણામ,
અધ્યવસાય આ ચાર વાત સમજવી જરૂરી. ૨) ઉપયોગઃ આત્માના પાંચ ગુણ છે – જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય.
જ્ઞાન પરિણામની સાથે વીર્ય પરિણામ ભેગું થાય ત્યારે જ્ઞાન પરિણામ પોતાનું કાર્ય કરતો થાય. શેયને જાણવાનું જે કાર્ય થાય છે તે કઈ શક્તિ કરે છે? તે જ્ઞાન ગુણ કરે છે અને આત્મ વીર્ય એમાં સહાય કરે છે. આત્મ વીર્ય જો સહાય ન કરે તો જ્ઞાન ગુણ પોતાનું કાર્ય ન કરી શકે. જેમ બેટરીમાં સેલ છે પણ એના બટનને દબાવવાથી શક્તિ પ્રવૃત્ત થાય છે તે પ્રકાશ થાય છે તેમ જ્ઞાન પોતાનું કાર્ય જે બોધ રૂપ થાય છે તે ઉપયોગ. પ્રતિમાની તરફ દષ્ટિ છે પણ વિચારથી ઘરમાં પહોંચી ગયા તો ઉપયોગ પ્રતિમા તરફથી ખસીને ઘરમાં ગયો. ક્રિયા કરતી વખતે આપણે પ્રણિધાન કરીએ છીએ, પ્રતિજ્ઞા કરીએ છીએ પણ ફરી ભટકી જઈએ છીએ- પ્રતિજ્ઞાનો ભંગ કરીએ છીએ. ચૈત્યવંદન કરતાં જે સૂત્ર છે તેમાં ઉપયોગ રહેવો જોઈએ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ચૈત્યવંદન કરું? ચૈત્યવંદન કરવાનું પ્રણિધાન - પ્રતિજ્ઞા કરી. ગુરુ કહે “કરેહ ‘ઈચ્છે' કહીને આપણે સ્વીકાર્યું, આમ છતાં સૂત્ર બોલતા ગયા ને ઉપયોગ સૂત્રમાં અને સૂત્રના અર્થમાં રહેવાના બદલે બીજે ચાલ્યો ગયો તો તેનું ફળ કાંઈ પણ ન મળે. ઉપયોગના ૪ પ્રકાર: અશુભ અને શુભ, અશુદ્ધ અને શુદ્ધ. (અ) અશુભ : જ્ઞાનમાં જેટલા અંશે મિથ્યાત્વ અપ્રશસ્ત કષાય, અશુભ લેગ્યા
ભળે તેટલા અંશે ઉપયોગ અશુભ બને છે. (બ) શુભ મિથ્યાત્વની હાજરી છે પણ પ્રવૃત્તિ પરોપકારાદિની છે તો તે વ્યવહાર
ઉપયોગ શુભ બને છે પણ આશય મોક્ષનો ન હોય અર્થાત્ સંસાર સુખ
પ્રાપ્તિનો હોય તો નિશ્ચયથી ઉપયોગ અશુદ્ધ છે. 9) અશુદ્ધઃ મિથ્યાત્વની હાજરીમાં તીવ્ર અપ્રશસ્ત કષાય અને તીવ્ર અશુભ 94 | નવ તત્ત્વ