________________
તરીકે, ઠંડીને સુખ તરીકે સ્વીકારવા રૂપ ભ્રમ ઊભો કરી માનસિક સુખ-દુઃખનો આત્માને ભાગી બનાવે છે અને ચારિત્રમોહ જ્યારે ગરમી-ઠંડીનો સંયોગ શરીર સાથે થાય ત્યારે તે પોતાને સુખનું કે દુઃખનું સેવન કરી રહ્યો છે એવો અનુભવ કરાવે. આથી સુખના સેવનમાં જીવ ભ્રમાત્મક આનંદ અનુભવતો તેની અનુમોદના દ્વારા અનુબંધ કર્મ બાંધે અને દુઃખ અનુભવી રહ્યા રૂપ પોતાનો પાપોદય માને. તેમાં નિમિત્તના કારણને પ્રધાન માની તેની નિંદા-ટીકા, અરતિ કરવારૂપષ ધારણ કરી અનુબંધ કર્મ બાંધે.
બીજું એક કારણ બીજી ઈન્દ્રિયોને પોતાનું જ્ઞાન કરવા અતિ મર્યાદા રૂપ સાધન છે. સાંભળવા માટે કાન બે, જોવા માટે આંખ બે, સુંઘવા માટે નાક પણ બે, સ્વાદ પારખવા જીભ એક છે. જ્યારે ૮ સ્પર્શને જાણવા આખા શરીરમાં વ્યાપ્ત સ્પર્શેન્દ્રિય અંદર અને બહારથી તે પોતાના વિષયનો અનુભવ કરી શકે છે. તેથી શીત-ઉષ્ણાદિનું સતત જ્ઞાન થયા કરે. તે પુદ્ગલો આખા વાતાવરણમાં બધે વ્યાપ્ત હોય એટલે આખો દિવસ તેનો સતત અનુભવ થાય અને મોહના ઉદયે જીવને સુખ દુઃખની ભ્રાંતિ થયા કરે. આથી સ્પર્શનેન્દ્રિયના આઠ વિષયોથી આત્માને મુક્ત થવું અને પોતાના સમતા સુખનો અનુભવ કરવો અતિ દુષ્કરમાં દુષ્કર કાર્ય છે. વળી સ્પર્શનેન્દ્રિય જીવને એકેન્દ્રિયાદિ સર્વ ભવોમાં પ્રાપ્ત થાય અને મન સિવાયના અસંજ્ઞી સંમૂર્છાિમ ભવોમાં તો મિથ્યાત્વની ગાઢવાસના નિયમા હોય તેથી તે તેના વિષયોને સુખરૂપે માની વિષય ભોગવવાના ગાઢ સંસ્કાર પડ્યા. તેથી મનુષ્યાદિ ભવમાં મન મળ્યા પછી ઈન્દ્રિયના સુખોને દુઃખરૂપે માનવું પણ દુષ્કર થાય તો પછી છોડવા તો કેટલા દુષ્કર થાય તે સમજી શકાય છે. - જિનશાસન વિષય સુખને દુઃખરૂપે કહે છે પર લક્ષણ તે દુખ કહીએ નિજ વસતે સુખ લહીએ. આત્માના ગુણ સિવાય આત્માને કયાંય સુખનો અનુભવ થઈ શકે નહીં. આથી આત્મા સિવાય સર્વ બાહ્ય પુદ્ગલ સંયોગ વડે આત્માને દુઃખ જ મળે. સંયોગમૂલા જીવેણ, પત્તા દુઃખ પરંપરા. પર સંયોગરૂપ સંસારથી જ જીવને દુઃખની પરંપરાની પ્રાપ્તિ થઈ છે. • લોકમાં ચાર પ્રકારના સુખ મનાય છે?
લોકે ચતુર્નેિહાર્યેષુ, સુખશબ્દ પ્રયુજ્યd, વિષયે વેદના ભાવે, વિપાકેમોક્ષ એવ ચારપા.
(તસ્વાર્થ સૂત્રકારિકા)
અજીવ તત્વ | 249