Book Title: Navtattva Part 02
Author(s): Vijayravishekharsuri
Publisher: Prabhaben Mangaljibhai Shah Mahuwawala

View full book text
Previous | Next

Page 328
________________ અવિરત સમ્યક્ દષ્ટિ ચારિત્ર કઈ રીતે?: અહીં ૪થા ગુણઠાણે સર્વવિરતિ ચારિત્રની રુચિ હોય અને અનંતાનુબંધીના ક્ષયોપશમ કે ક્ષયથી આંશિક વિરતિરૂપ અભક્ષ્ય, માંસાદિ ત્યાગ કે રાત્રિ ભોજનાદિ ન કરવારૂપ નિયમો ગ્રહણ કરી શકે પણ અણુવ્રતોનો સ્વીકાર ન કરી શકે. આમ તેનામાં સર્વવિરતિ ચારિત્ર ગ્રહણ કરવાની રુચિરૂપ પક્ષપાત પડેલો હોવાથી તેને અવશ્ય ભવિષ્યમાં ચારિત્રની પ્રાપ્તિ થશે. સર્વજીવો વિશે સમ પરિમાણ પ્રગટાવવા ક્ષમાપ્રધાનદશવિધ યતિધર્મબતાવ્યો. અર્થાત્ કષાયથી સર્વથા મુક્ત થયા વિના સર્વ જીવો વિષે સમભાવ આવી શકે નહીં. આથી ક્ષમાપ્રધાન ૧૦ પ્રકારના યતિધર્મના પાલન વડે જીવને કષાયોનો સર્વથા નાશ કરવા વડે વીતરાગ સ્વભાવ પ્રગટાવવાથી સર્વ જીવો વિષે સમદષ્ટિ પ્રગટ થાય. ૧૦) વેદ પરિણામઃ આત્મા અવેદી છે. आत्मानं वेत्त्यविज्ञानि त्रिलिंग संगतं वपुः। सम्यग्वेदी पुनस्तत्त्वं लिंग संगतिवर्जितं।। (યોપ્રદીપ) અજ્ઞાની આત્મા પોતાને ત્રણ વેદવાળો માને છે. હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું નપુંસક છું. જ્યારે સમ્યગ્રષ્ટિ આત્માતે અવેદી છે અર્થાત્ વેદની વેદના ભોગવવાના સ્વભાવવાળો નથી પણ આત્માના અનંત આનંદ ગુણોનું વેદન (અનુભવ) કરવાના સ્વભાવવાળો છે. સાતા-અસાતા વેદનીય કર્મના આવરણથી આત્માનું અવ્યાબાધ સ્વરૂપ ઢંકાવું અને ચારિત્ર વેદમોહનીયના ઉદયથી આત્માના ગુણોનું વેદન કરવાને બદલે પુદ્ગલના સંયોગ વડે દ્રવ્યભાવ વેદના વેદવાની વિભાવ અવસ્થા પ્રગટ થાય. આત્મા માત્ર વીતરાગ સ્વભાવ (આનંદ-સમસ્વભાવ) વેદવાના સ્વભાવવાળો છે તેના બદલે વિભાવ રૂપે – વેદના ભોગવવા રૂપે ત્રણ વેદ જીવને ધારણ કરવા પડે. કષાય- નોકષાય રૂપ મોહના ઉદયથી સ્વગુણમાં રમણતાને બદલે શબ્દાદિક વિષયક પુગલનો ભોગ પરિણતિ ઊભી થાય. પુરુષ વેદના ઉદયે સ્ત્રીના દેહ તરફ આકર્ષણ-લાગણીઓ ઉત્પન્ન થાય. સ્ત્રી અજીવ તત્વ | 311

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338