Book Title: Navtattva Part 02
Author(s): Vijayravishekharsuri
Publisher: Prabhaben Mangaljibhai Shah Mahuwawala

View full book text
Previous | Next

Page 309
________________ બાહુબલીની જેમ આત્મા પુરુષાર્થ કરવા મંડી પડશે. આ વાતનો જો વિચાર કરીશું તો આપણને પ્રમાદ પુરુષાર્થ કરવા મંડી પડશે. આ વાતનો જો વિચાર કરીશું તો આપણને પ્રમાદ બરાબર સમજાશે અને સ્વભાવ ને સ્વરૂપનો નિર્ણય થાય તો થશે કે અધધધ આટલો પ્રમાદ હું કરું છું? ને પછી પોતાના આત્મા પર દયાનો પરિણામ આવશેને કરુણાનો ધોધ જે બહાર વરી રહ્યો છે તે પછી આત્મામાં વહેશે. મોક્ષમાર્ગના પથિક બનવું છે. અનંતની મુસાફરી કરવી છે તો અનંતને સમજ્યા વિના અનંતની મુસાફરી નહીં થઈ શકે. પુદ્ગલની ગતિને રોકવા જેમ કાયાતીત થવાની જરૂર છે, કાઉસ્સગ્નમાં રહેવાનું છે. તેમ ઈન્દ્રિયાતીત થવા માટે ઈન્દ્રિયો દ્વારા જ્ઞાન પરિણામ શુદ્ધ કરવાના છે. જે વર્તમાનમાં મોહના પરિણામ ચાલે છે. તેના કારણે કષાયના પરિણામ ચાલે છે, એ ઈન્દ્રિયને તેના વિષયો પ્રાપ્ત થતા માત્ર શેય બનવાને બદલે વિષયરૂપ બની કષાયની વૃદ્ધિ કરનારા બને અને તે આત્માનો પરિણામ નથી. આ પરિણામ જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી ઈન્દ્રિયોની સહાય લઈને ઈન્દ્ર બનવાને બદલે પુદ્ગલો તરફ આત્માને છોડીને, પુદ્ગલભાવથી પુષ્ટ બની સંસારભ્રમણ વધારે. ઈન્દ્ર એ આત્મા છે જેમ ઈન્દ્રને ૮ પટ્ટરાણી છે તેમ આત્માને પણ પાંચ ગુણ રુપી રમા (ઈન્દ્રાણિઓ) છે. તેમાં નિરંતર રમવાનું છે. સિધ્ધાળમાં રમા નયા સિદ્ધો પાંચ ગુણ રુપી રમા-પત્તીઓમાં સદા રમે છે. આ અપી એવી પાંચ ગુણ પત્નીઓ છે તેને છોડીને, પુદ્ગલને ભોગવવા જવાનું છે? પોતાના ઘરને છોડીને પારકાના ઘરમાં અર્થાત્ વિષયોના ઘરમાં જવાનું? જ્યાં કષાયની પુષ્ટી થાય એટલે સતત આત્માની ભાવ હિંસા થાય. અર્થે ગુણઠાણું એ આત્માના પોતાના સ્થાનમાં આવવાની શરૂઆત કહેવાય. ત્યાં આવે એટલે આત્માના હિતની રુચિરૂપે શરૂઆત થાય. પર સ્થાનમાં આત્માનું અહિત છે. આપણે આપણા સ્થાનમાં આવ્યા છીએ તેનો નિર્ણય કઈ રીતે થાય? આત્મા સ્વિાયના તમામ સંયોગો-સંબંધોથી જુદા થવાનું મન થાય અને પર ઘરમાં જ જતાં પોતાના ઘરમાં જ એને રહેવું ગમે. ચિનો પરિણામ ફરી જાય એટલે પુગલભોગની રુચિના પરિણામને સ્વગુણોના ભોગમાં ફેરવવો તે જ સમ્યગ્દર્શન. આ ભૂમિકામાં આવીએ પછી જ આગળની ભૂમિકાઓ સફળ બને તે વિના તે સફળ પણ નહીં બને અને તેની માટે જ તત્ત્વના પરિચયની વ્યવસ્થા આજ્ઞા પ્રથમ મૂકી. તેની માટે જીવાદિ નવતત્ત્વને નહીં જાણો ત્યાં સુધી સમ્યકત્વ નહીં પ્રગટે. 292 | નવ તત્ત્વ

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338