________________
અર્થાત્ તેના પ્રત્યે દુર્ભાવ અપ્રીતિ ન થાય. આત્મામોક્ષમાર્ગમાં ક્યારે આવે? જયારે વ્યવહારથી સામાયિક લે. પરિણામમાં અર્થાત્ સુખ-દુઃખ કે અનુકૂળતા કે પ્રતિકૂળતાના વિકલ્પમાં ન હોય તો નિશ્ચયથી સમતાના પરિણામમાં-મોક્ષ માર્ગમાં આવ્યો કહેવાશે. આત્માને સતત ઉપયોગ રહેવો જોઈએ કે હું કયા ભાવમાં છું. સતત આત્મ નિરીક્ષણ કરવું જોઈએ. • આત્માના હિતરૂપ મોક્ષયગ અને અહિતરૂપ સંસારર્યાગઃ
યોગ બે પ્રકારના છે. આત્મા પર સાથે જે અનાદિકાળથી જોડાયેલો છે એનાથી જેટલા અંશે છૂટો થાય તેટલા અંશે મોક્ષયોગ બને છે અને પર સાથે જે જોડાયેલો તે જ સંસાર યોગ છે. જ્યારે આત્મા સ્વભાવ સ્થિરતા રૂપ સ્વ ધ્યાનમાં આવે ત્યારે તેનું હિત થાય, તે વખતે તેને સ્વરૂપનું ભાન હોય અને સ્વભાવનું ભાન હોય. પોતાના સ્વભાવ પ્રમાણે વર્તવું તે જ હિત છે અને સ્વભાવ પ્રમાણે ન વર્તવું તે આત્માનું અહિત છે, તે જ આશ્રવ. આશ્રવ એટલે આત્મામાં કર્મનું વહેવું તે આશ્રવ. પર સાથે આત્મા જોડાયો, કર્મો આત્મામાં આવ્યા તેથી પર વસ્તુનું ગ્રહણ થયું. આ નિર્ણય કરીને આત્મા જ્ઞાનાદિ ગુણ સ્વભાવમાં જેટલા અંશે સ્થિર બને તેટલા અંશે આત્માનું હિત થાય.
આત્મજ્ઞાનની પ્રાપ્તિ અત્યંત જરૂરી અને તે માટે નવતત્ત્વ જાણવા તે જિન આજ્ઞા. ૧૪મી ગાથા પરિણામી જીવ મુત્ત દ્વારા છેએ દ્રવ્યને જાણવાની વાત છે. ૬ એ દ્રવ્યોને જાણવું એ આત્માનો સ્વભાવ છે. સર્વ શેયના જ્ઞાતા બનવું અર્થાત્ સર્વજ્ઞ થવા રૂપે સ્વભાવની પૂર્ણતા કરવાની છે અને સર્વકાએ જે પ્રમાણે જણાવ્યું તે જ રીતે આપણે પણ જાણવાનો પ્રયાસ કરવો જોઈએ. સર્વા બનવાનો માર્ગ પણ એ જ છે. સર્વજ્ઞ પ્રમાણે જાણી આત્માને તે પ્રમાણે જણાવવું પણ આપણે કાંઈક જાણીને તે આત્માને જણાવવાને બદલે જગતને જણાવીએ છીએ અને એમાં હું કંઈક જાણું છું એમ માન કષાયને પોષીને સુખાભાસ કેળવીએ છીએ. ઔદયિક ભાવથી પણ આત્મા પરના સંયોગમાં ભ્રમમાં સુખી બની શકે પરંતુ ઉદયભાવનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ કરીને વાસ્તવિક રીતે આત્મામાં સુખી બની શકાય છે. ઔદાયિકભાવ આત્મા અનાદિકાળથી સેવતો આવ્યો છે માટે તે પ્રવૃત્તિ કરવી આત્મા માટે સહજ છે માટે પર પ્રવૃત્તિ કરતા જીવને જરાય વાર લાગતી નથી. સંસારમાં તો જીવો એના માટે જ જીવી રહ્યા છે પણ ધર્મના ક્ષેત્રમાં પણ આ પ્રવૃત્તિ ચાલે છે. પરમાં
અજીવ તત્ત્વ 99