________________
માંડી સંખ્યાત કે અસંખ્યાત કે અનંત પ્રદેશી પણ હોય. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એક અખંડ દ્રવ્ય તરીકે છે. જીવ
જીવ સ્વતંત્ર એક અખંડ દ્રવ્ય, પણ સંખ્યા એ ૮મે અનંત છે. પિત્તઃ આકાશક્ષેત્ર છે અને તે પોતાનામાં બધા દ્રવ્યોને સમાવી લે છે. નિત્ય નિચ્ચે કારણ કત્તા છ દ્રવ્યો નિશ્ચયથી નિત્ય છે. દ્રવ્ય તેને જ કહેવાય
જેનું અસ્તિત્વ ત્રણે કાળમાં રહે. આથી સર્વે દ્રવ્યો નિત્ય જ કહેવાય. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય આ દ્રવ્યો તો સદા એક સરખા સ્વરૂપે જ રહે છે. તેમાં કોઈ ફેરફાર થતો નથી. તેથી તે નિત્ય જ છે. તે ત્રણે દ્રવ્યો અરૂપી, અચેતન અને નિષ્ક્રિય છે. સ્કંધ પર્યાય આ પાંચ વડે નિત્ય છે. ધર્માસ્તિકાય ગતિ સહાયક રૂપે, અધર્માસ્તિકાય સ્થિર થવામાં
સહાયક રૂપે અને આકાશાસ્તિકાય અવગાહના આપવા રૂપે નિત્ય છે. ધર્માસ્તિકાયાદિ ત્રણ દ્રવ્યો દેશ-પ્રદેશ તથા અગુરુલઘુ વડે અનિત્ય છે. કઈ રીતે?
જે ધર્માસ્તિકાય અસંખ્યાતા પ્રદેશો છે તેમાં એક પ્રદેશમાં અગુરુલઘુ અસંખ્યાત છે તો બીજા પ્રદેશમાં અનંતા અગુરુલઘુ છે. ત્રીજા પ્રદેશમાં સંખ્યાતા અગુરુલઘુ છે. આમ ગુણ વધ-ઘટ રૂપ તથા જે પ્રદેશમાં અસંખ્યાતા છે ત્યાં અનંતા પણ થાય અને અનંતના સ્થાને અસંખ્યાતા પણ થાય. તે ચલાયમાન છે તથા નાશ પણ પામે. અસંખ્યાતા રૂપે નાશ પામી અનંતા રૂપે પણ ઉત્પન્ન થાય એ રીતે અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયાદી દ્રવ્યમાં ઉત્પાદ, વ્યય, સત્ ઘટે. દ્રવ્યનો અગુરુલઘુ પર્યાય છે અને તેનાથી છ પ્રકારની હાનિ-વૃદ્ધિ થાય છે. માટે જ્ઞાનાદિ ષસ્થાન પતિત છે. ૧૪ પૂર્વીઓ સૂત્રથી સમાન હોય પણ અર્થથી તેઓ ષસ્થાનવર્તી હોય.
પુદ્ગલ દ્રવ્યઃ પુદ્ગલ દ્રવ્ય રૂપી અને અચેતન છે. તેનો પરમાણુ એ અંતિમ ભાગ રૂપ, તેનો ક્યારે પણ વિનાશ નથી. આથી પરમાણુ નિત્ય છે. દરેક પરમાણુમાં ૧ વર્ણ, ૧ ગંધ, ૧ રસ અને ર વિરુદ્ધ સ્પર્શ ગુણ સદા રહેવાના. ગુણની અપેક્ષાએ તે નિત્ય છે પણ સ્કંધની અપેક્ષાએ તે અનિત્ય છે, તેમજ ગુણના તથા પર્યાયોની અપેક્ષાએ તે અનિત્ય છે. વર્ણના જે લાલ, લીલો, પીળાદિ પર્યાયો, તે અનિત્ય છે. કાળદ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે, અપેક્ષાએ અનિત્ય છે. સમયરૂપી કાળ તે સદા
અજીવ તત્ત્વ 105