________________
નામસ્થાપનાવ્યમાવતતન્યાસ: (૧-૬).
(તત્ત્વાર્થ સૂત્ર) કોઈપણ વસ્તુની સંપૂર્ણ વિચારણા કરવી હોય તો તે ચાર નિક્ષેપાથી થાય અને તે દ્વારા કરાયેલી વસ્તુવિચારણા વડે વસ્તુનો વિશાળ બોધ થાય. અહીં પુદ્ગલપરાવર્તરૂપ કાળની ચાર પ્રકાર વડે વિચારણા કરવાથી તે વિશે વિશાળ અને ગંભીર બોધ થાય. • ચાર પ્રકારે પુદગલ પરાવર્ત કાળ : કાળ, ક્ષેત્ર, દ્રવ્ય અને ભાવ ઉત્તરોત્તર સૂક્ષ્મ-સૂમ છે.
વ્યવહાર કાળઃ પુલ દ્રવ્યના ક્રિયાત્મક ક્રમિક અનિત્ય ભાવને જ વ્યવહાર કાળ કહેવાય છે. કાળ તો યથાર્થ પરિવર્તન રૂપ છે. તેથી તે પુદ્ગલ પરાવર્તનાદિ નામે કહેવાય છે. સિદ્ધોને કાળ નથી. સૈકાલિક ઐક્ય છે. જેનું ભાવિ તેને ભય, તેનું ભ્રમણ છે. ભ્રમણનો અંત એટલે કાળનો અંત. ૧. કાળ પુગલ પરાવર્તકાળ અવસર્પિણી કાળના પહેલા આરાના પ્રથમ સમયે
કોઈ જીવનું મરણ થાય અને પછી તે ફરી બીજા સમયે મરણ પામે તો તે કાળની ગણતરીમાં ગણાય તેવું કદી બની શકે નહીં કારણ કે કોઈપણ જીવનું જઘન્ય આયુષ્ય અસંખ્ય સમય એક આવલિકા તે પ્રમાણે રપ૬ આવલિકા પ્રમાણ ઓછામાં ઓછું હોય. આથી તે જીવ જયારે અવસર્પિણીના પ્રથમ સમયે ૧ જન્મ તા ૨ જી સમયે મૃત્યુ ન જ પામે તેથી સમજી કાળ અને ઉત્સર્પિણી પસાર થયા પછી ફરી અવસર્પિણી કાળના પ્રથમ આરાના બીજા સમયે મરણ કરીને તે કાળને સ્પેશે તો તે કાળ તેની ગણતરીમાં આવે અને આવી રીતે ક્રમસર અવસર્પિણીના બધા જ સમયોને અને ઉત્સર્પિણીના બધા સમયોને એક જીવ મરણ કરીને સ્પર્શે ત્યારે એક સૂક્ષ્મકાળ પુદ્ગલ પરાવર્તકાળ પસાર થાય અને ક્રમ વિના જો અવસર્પિણી અને ઉત્સર્પિણીના બધા સમયોને જીવ મરણ કરીને સ્પેશે ત્યારે તે બાદર પુદ્ગલ પરાવર્તકાળ કહેવાય. તેનો કોઈ ઉપયોગ નથી. આ કાળ પુદ્ગલ પરાવર્તકાળની વિચારણા કરવા વડે જિનવચન પર અપૂર્વ શ્રદ્ધા થાય અને જિનવચન નિર્વેદ-સંવેગાદિનું કારણ બને.
तं किंपि नत्थि ठाणं, लोए वालग्गकोडिमित्तंपि। जत्थ न जीवा बहुसो, सुहदुक्ख परंपरा पत्ता ॥२४॥
| (વેરાગ્ય શતક) અજીવ તત્ત્વ 71