________________
વીતરાગ - સર્વજ્ઞ પરમાત્માનું વિશેષણ છે. વિદુરથમના જેઓએ કર્મ રજ અને કષાયમલ આત્મા પરથી દૂર કર્યા છે તેઓ વીતરાગ-સર્વજ્ઞ છે.
મોક્ષ-અને સંસાર એટલે...
આત્માના જ્ઞાનાદિ સ્વસ્વભાવ અને અરૂપાદિ સ્વરૂપનું પરિપૂર્ણ મિલન તે મોક્ષ અને આત્માએ પુદ્ગલસ્વરૂપથી ઢંકાવું અને પુદ્ગલમય બનવું તથા પુદ્ગલના સ્વભાવરૂપ થવું તે સંસાર. • પૂગલનો ઉપકાર
शरीरवाङ् मन प्राणापानाः पुद्गलानाम्। (५-२०) સુર નીવિત મરણોપગ્રહો . (૨૨)
તસ્વાર્થ સૂત્ર) શરીર, વાણી (ભાષા), મન, શ્વાસોચ્છવાસ, સુખદુઃખ, જીવન (દ્રવ્ય- પ્રાણ ધારણરૂપ) અને મરણ (દ્રવ્યપ્રાણોનું વિસર્જનરૂપ) આ બધું પુદ્ગલ- વર્ગણાઓના કારણે થાય છે. અર્થાત્ આ બધુ થવામાં પુદ્ગલનો ઉપકાર છે. - શરીર = દારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ વર્ગણાથી
બને છે. - વાણી = ભાષાવર્ગણાથી બને છે. - મન = મનોવર્ગણાથી બને છે. - શ્વાસોચ્છવાસ = શ્વાસોચ્છવાસ વર્ગણાથી બને છે. - સુખ = શુભ અનુકૂળ પુગલોના સંયોગોને સુખ કહેવાય છે. - દુઃખ = અશુભ પ્રતિકૂળ પુદ્ગલોના સંયોગોને દુઃખ કહેવાય છે. - જીવન = ૧૦ દ્રવ્ય પ્રાણોનું સર્જન (પાંચ ઈન્દ્રિય + મન, વચન,
કાયા, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય) - મરણ = સર્જન થયેલા ૧૦ દ્રવ્ય પ્રાણોનું વિસર્જન તે મરણ છે.
અજીવ તત્ત્વ | 25