________________
અઈમુત્તા મુનિ “પણગદગ બોલ વદતા કેવલજ્ઞાન કઈ રીતે પામ્યા? કાળદ્રવ્યની વિચારણા વડે. “પણગદગ” માટી કાદવ ત્યાં પ્રાય નિગોદ સંભવે, નસ્થ રત્ન તત્થ avi અપકાયના જીવો રહેલા છે ત્યાં નિગોદના જીવો પણ રહેલા હોય. આથી અનંત જીવોની વિરાધના થાય. અઈમુત્તા મુનિએ પાત્રાની નાવ બનાવીને પાણીમાં તરતી મૂકી, બાળ ચેષ્ટા થઈ ગઈ પણ જયારે પરમાત્માએ તેમને તેમના સ્થવિર મુનિઓ પાસે ભણવા મૂકયા અને જયારે ૧૧ અંગ ભણવા વડે જીવ વિચારનું વિશેષ જ્ઞાન પ્રગટયું ત્યારે ખ્યાલ આવ્યો કે મારા આત્માએ કેવી વિરાધના કરી? સાધુ જીવનમાં જો આ પ્રમાદ થયો તો આ પૂર્વનો મારો જે અનંત ભૂતકાળ પસાર થયો, તે અનંત ભૂતકાળમાં પણ મારા આત્માએ અજ્ઞાનતામાં કેવી સતત વિરાધનાઓ કરી હશે?
ભૂતકાળના ભાવોમાં મારા જીવને નિગોદની વિરાધનાનું પણ પાપ કેટલું લાગ્યું હશે અને હજી જયાં સુધી મારા આત્માનું નિર્વાણ ન થાય ત્યાં સુધી પ્રમાદ-અજ્ઞાનને વશ જીવોની કેટલી વિરાધના થશે? આ પ્રમાણે વિરાધનાનો ઘોર પશ્ચાતાપ ઉભો થયો અને ત્યાં જ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ.
૬ દ્રવ્યોમાં કાળ દ્રવ્ય અનિત્ય છે. વર્તમાનકાળ એક સમય રૂપ છે. ભૂતકાળ અનંતાનંત છે અને ભવિષ્યકાળ અનંતાનંત છે. આથી ગૌતમ સ્વામિને પ્રભુએ વર્તમાનકાળને સાધવા કહ્યું છે સમર્થ જોયમ મા પમાયણ “ક્ષણ અહિ” ક્ષણની રક્ષા કરી જે આત્માને જાણે તે સાચો પંડિત છે અર્થાત્ જે આત્મકલ્યાણનો આકાંક્ષી છે તે આત્માના કલ્યાણ માટે કાળનો ભરોસો કરતો નથી. કાળને ભરોસે રહેલાનો કાળ કોળિયો કરે છે. હજી તો ઘણો કાળ જીવવાનું છે માટે પછી યોગ્ય સમયે આત્મા માટે આરાધના કરશું. કાળની સાથે મોહ જોડાયેલો છે, મોહ-આત્માના કલ્યાણમાં સદા વિધ્વરૂપ છે માટે જ્ઞાનીઓએ કહ્યું છે આત્મ કલ્યાણનો ભાવ જાગ્યા પછી વિલંબ કરવો નહીં.
जं कल्ले कायव्वं तं अजं चिय करेह तुरमाणा बहुविग्द्यो हु मुहुत्तो मा अवरहं पडिक्खेह ॥३॥
(વૈરાગ્યશતક)