________________
કારણ બને. શબ્દ વર્ગણા એ પુદ્ગલ છે, એનો વ્યવહાર કરવા વડે જ્ઞાની પુરુષો કર્મ પુદ્ગલોને છોડે. અજ્ઞાની જીવો કર્મપુદ્ગલોને ગ્રહણ કરીને જ્ઞાનાવરણીયાદિ કર્મો બાંધે. જિનેશ્વર પરમાત્માના મુખારવિંદમાંથી નીકળતી જિનવાણી તેમના માટે માત્ર નિર્જરાના કારણ રૂપ બને. તેમનું તીર્થકર નામકર્મ ખપતું જાય અને જે જિનવાણી સાંભળીને જીવનમાં ઉતારે તેને પણ નિર્જરા થાય. (ર) અંધકાર : અંધકાર એ પુદ્ગલ છે. કારણ કે તેના પુદ્ગલો કાળા વર્ણવાળા,
શીતલ અને ધ્રાણેન્દ્રિયગ્રાહ્ય છે માટે ઉંદર, દીપડાઆદિપ્રાણીઓઘોર અંધકારમાં ફરતા હોય છે. અમુક ઔષધો અંધકારમાં જ બનાવવામાં આવે છે. નૈયાયિકો અંધકારને પ્રકાશના અભાવરૂપે માને છે, પણ પુદ્ગલ દ્રવ્ય તરીકે માનતા નથી.
तामसा परमाणवस्ते तेजसतया परिणमन्ते। तेजसा परमाणवस्तएव तमस्तया परिणमन्ते ॥
(ભગવતી) દિપકાદિની સામગ્રી મળતા અંધકારનાં શ્યામરૂપ પુદ્ગલો પ્રકાશરૂપે પરિણામ પામે છે. સામગ્રીના અભાવે ફરી અંધકારમય બને છે. અંધકારના પુદ્ગલો બાહ્ય દષ્ટિ આંખ પર પ્રતિબંધ કરનાર બને છે. વસ્તુ જોવાતી (દેખાતી) નથી અને આંખ પણ ઘેરાય છે અને ઉંઘ આવવા લાગે છે. યોગીઓને અંધકાર અને એકાંતમાં બાહ્ય દ્રષ્ટિનો પ્રતિબંધ થતાં આંતર દષ્ટિ સહજ ખુલવામાં અંધકાર એક સહાયક પુદ્ગલ બને છે અને તેઓનો આત્મા પરમાત્માના ધ્યાનમાં સ્થિરતા પામે છે. સંસારી આત્માઓને અંધકાર-એકાંત ભય વિહુવળતાનું કારણ બનતા સંસારીઓનું ચિત્ત અસ્થિર બને. (૩) આતપઃ સૂર્યના પ્રકાશને આતપ કહેવામાં આવે છે. તે માત્ર સૂર્યનાં વિમાનમાં રહેલા પૃથ્વીકાયના (રત્ન) જીવોને જ આતપ કર્મનો ઉદય હોવાથી તેનો સ્પર્શ શીતલ અને તેનો પ્રકાશ ઉષ્ણ તે જેમ જેમ દૂર જાય તેમ વધારે ઉષ્ણ પ્રકાશ આપે અર્થાત્ ઉષ્ણતા વધે. શ્વેતાંગે પરિણમેલા આતા શરીરમાં ગરમી કરી પરસેવો ઉત્પન્ન કરે છે. અગ્નિનો પ્રકાશ તે આતપ નથી. સૂર્યોદય વખતે આ આપ આપણને ગમે છે અને આપણે તેને વધાવીએ છીએ. લોકમાં પણ કહેવત છે કે ઉગતો સૂર્ય પૂજાય પણ તે જ સૂર્ય જેમ જેમ આગળ વધી મધ્યકાળ
અજીવ તત્વ | 37