________________
મિશ્રિત છે તેથી તે સુખ વાસ્તવિક આત્માના પોતાના ગુણોના વેદનરૂપ આત્માનું પોતાનું સુખ નથી પણ શાતાવેદનીયના ઉદયરૂપ-દ્રવ્ય પીડારૂપ છે અને તે સુખમાં આનંદને માનતો મોહાસકત થયેલો ભાવ પીડાને ભોગવતો જીવ દુર્ગતિનું કર્મ બાંધી પરિભ્રમણ કરનારો બને છે. જીવને દેવલોકમાં સૌથી શ્રેષ્ઠ એવા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનો સંયોગ થાય અને તેમાં આદરવાળો થાય. દેવલોકમાં રંગબેરંગી ચમકદાર આશ્ચર્યકારક એવા ઝગમગતા રત્નો જોઈ તેને જોવામાં આસકત થઈ જાય અને તેના રાગમાં રત્નોમાં ઉત્પન્ન થાય. વાવડીના રાગમાં, બગીચાના રાગમાં પાછો એકેન્દ્રિય જીવ તરીકે ઉત્પન્ન થાય. પુદ્ગલના રાગે જીવ અનંતકાળ આ રીતે સંસારમાં ભટકે છે અર્થાત્ પુદ્ગલના અલ્પ સુખના ભોગવટાના કારણે જીવ અંતે તો અનંત દુઃખ ભોગવે છે. • પગલાના ચૂ-ભાદર છ પરિણામો: ૧. સૂમ-સૂક્ષ્મ પરિણામ ઃ કાશ્મણ વર્ગણા બીજી બધી વર્ગણાથી અતિ સૂક્ષ્મ
વર્ગણા છે તે વર્ગણાનો એક પરમાણુ સૂક્ષ્મ સૂક્ષ્મ. ૨. સૂક્ષ્મઃ કાશ્મણ વર્ગણાના સ્કંધો સંખ્યાત, અસંખ્યાત અનંત કે અનંતાનંત
પરમાણું ભેગા થઈ જે સ્કંધ બને છે. સૂક્ષ્મ વર્ગણા ઈન્દ્રિયોનો વિષય ન બને. દા.ત. કાર્મણવર્ગણા, ભાષાવર્ગણા અને મનોવર્ગણા તે સૂક્ષ્મ છે. સૂત્મ-બાદર : જે વર્ગણા નેત્રથી જાણી ન શકાય, પણ નેત્ર સિવાયની ઈન્દ્રિયોથી જાણી શકાય તે સૂક્ષ્મ-બાદર કહેવાય. જેમકે વાયુ, ધ્વનિ સ્પર્શ દ્વારા. બાદર-સૂક્ષ્મઃ જે પદાર્થ ભેદન-છેદન ન થઈ શકે કે અન્યત્ર વહન ન થઈ શકે, પણ નેત્રથી દશ્યમાન હોય જેમ કે છાયા, પ્રકાશ, તડકો વગેરે બાદર સૂક્ષ્મ. આમાં બાદર પરમાણુઓ વધારે અને સૂક્ષ્મ પરમાણુઓનું પ્રમાણ ઓછું હોય તેથી તે પરમાણુ આંખોથી દેખાય છે. બાદરઃ જે છેદન-ભેદન ન થઈ શકે પણ અન્યત્ર વહન થઈ શકે. જેમકે પાણી, દૂધ, તેલ, ઘાસલેટ વિગેરે પ્રવાહી. બાદર-બાદર : અગ્નિકાય, વનસ્પતિકાય, પૃથ્વીકાયાદિ બાદર-બાદર પરિણામી છે તેથી તરત આંખોથી દશ્યમાન થાય તથા બીજી ઈન્દ્રિયોથી પણ અનુભવ થાય તથા ભેદન-છેદન થઈ શકે અને અન્યત્ર વહન થઈ શકે.
અજીવ તત્ત્વ | 31