________________
પુદગલોના વિશેષ લક્ષણો
પુદ્ગલ દ્રવ્યને ઓળખવા માટે બે પ્રકારના લક્ષણો શાસ્ત્રમાં છે. એક સામાન્ય લક્ષણ અને બીજા વિશેષ લક્ષણ.
યુગલના સામાન્ય લક્ષણો :
વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ પુદ્ગલના સામાન્ય લક્ષણ છે અર્થાત્ પરમાણુથી માંડીને અનંત પરમાણુ પુગલ. દરેક સ્કંધોમાં આ ચાર ગુણો તો વ્યકત કે અવ્યકત રીતે તેમાં રહેલા હોય જ. જેમ આત્મામાં જ્ઞાનાદિ પાંચ લક્ષણો છે જે સૂક્ષ્મનિગોદથી માંડી સિદ્ધ સુધીના સર્વ જીવોમાં અવશ્ય હોય જ તેમ પુદ્ગલ દ્રવ્યમાં પણ આ ચાર લક્ષણો અવશ્ય હોય જ.
પુગલના વિશેષ લક્ષણો : શબ્દ, અંધકાર, આતપ, પ્રભા, છાયા, ઉદ્યોત વિગેરે બધા જ પુદ્ગલ સ્કંધોમાં હોય જ એવો નિયમ નહીં. પણ વિશેષ લક્ષણ એક પરમાણુમાં ન જ હોય, તે પરમાણુના સ્કંધરૂપ બનેલા બાદર પરિણામી પુદ્ગલ સ્કંધોમાં હોય અથવા ન પણ હોય. જો હોય તો બાદર પરિણામી પુદ્ગલ સ્કંધોમાં જ હોય, પણ સૂક્ષ્મ પરિણામી પુગલ સ્કંધોમાં તો ન જ હોય.
એજીવ તત્ત્વ | 33