________________
-ધને = પુદ્ગલોના વિખેરવાથી જ શોષાય (છૂટા પડે પ્ર-પ્રિયન્ત = પુદ્ગલ પરમાણુ મળવાથી જે પોષાય તે संघातभेदेभ्यः उत्पद्यन्ते ॥
(-ર૬ તત્ત્વાર્થ સૂત્ર) પરમાણુના સમૂહ થવા વડે અને છૂટા થવા વડે પુદ્ગલ દ્રવ્ય (સ્કંધો) ઉત્પન્ન અને નાશ થાય. બે, ત્રણ, ચાર કે સંખ્યાત, અસંખ્યાત કે અનંત કે અનંતાનંત પરમાણુઓના ભેગા થવાથી જે બને તે અંધ કહેવાય અને તે ભેગા થયેલા પરમાણુઓ પાછા છૂટા પણ થાય. આથી એક પરમાણુ સ્વભાવ ધર્મવાળો તેના સમૂહરૂપ બનેલું સ્કંધ વિભાવ ધર્મવાળું છે, તેથી તે અનિત્ય છે. કારણ કે ભેગા થયેલા પરમાણુ અમુક સંખ્યાત કે અસંખ્યાતકાળથી અધિકકાળ ભેગા રહી શકતા નથી, પછી અવશ્ય છૂટા પડે છે. આથી તે અનિત્ય અને એક પરમાણુમાં રહેલા વર્ણ ગંધાદિનું પણ પરિવર્તન થવાનો સ્વભાવ હોવાથી તે અનિત્ય છે. આથી પુદ્ગલ સ્કંધોનું બનેલું શરીર પણ શીયત ઈતિ શરીરમ્. સતત ક્ષય પામવાના સ્વભાવવાળું છે માટે અનિત્ય છે. જયારે આત્મા શાશ્વત છે તે કદી નાશ પામતો નથી.
આમ પુદ્ગલના મુખ્ય બે સ્વભાવ નક્કી થયા-પૂરણ અને ગલન. ગ્રહણ (ધારણ) તથા વિખરણ (છૂટા) થવારૂપ અનિત્ય પુદ્ગલ સ્વભાવ છે. આત્મા પોતે અનુત્પન્ન અને સદા અક્ષય રૂપે છે. પુદ્ગલનું અધ્યાત્મ લક્ષણ પુરુષ વા જિનિ પુરુષે વાર્થને તિ પુત્રિા કર્મ પુદ્ગલ વડે જે ગળાય છે, પૂરાય છે તે આત્મા. આત્મા અનાદિથી પુદ્ગલમય બનેલો છે અર્થાત્ પુદ્ગલ આત્માને પોતાનામાં પૂરવાનું કાર્ય કરે છે અને જયારે પુરુષ (આત્મા) ને પોતાનું જ્ઞાન થઈ જાય છે પછી જાગૃત થયેલો આત્મા સર્વજ્ઞ કથિત મોક્ષમાર્ગની આરાધના વડે પુદ્ગલને ગાળે (દૂર કરે) છે અર્થાત્ જો આત્મા પોતાનો પુરુષાર્થ પુદ્ગલોને (ગાળવા) છોડવામાં તેનાથી છૂટા થવામાં પુરુષાર્થ ન કરે તો પોતે તેનાથી ગળાઈ જાય પૂરાઈ જાય (કર્મના બંધનથી બંધાઈ જાય) જો જીવે પુદ્ગલમાં (ગળાવું) પૂરાવું ન હોય તો પુગલના સ્વભાવથી વિરફત થવું જોઈએ. પુદ્ગલને પ્રયોજન વિના સેવાય કે ગ્રહણ કરાય નહીં. પુદ્ગલથી જેટલો રસ છૂટતો જાય, કષાય નબળા, પાતળા અને ક્ષય પામતા જાય તેમ આત્મા શુદ્ધ બનતો જાય. શુદ્ધ થયેલા આત્માને પુદ્ગલો ગાળી શકતા નથી.
24 | નવ તત્ત્વ