________________
૧૦૪
| મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
અને સ્થળચર જુગલિયા તિર્યંચમાં બે દષ્ટિ.
૧૫ કર્મભૂમિમાં ત્રણ દષ્ટિ, ૩૦ અકર્મ ભૂમિમાં બે દષ્ટિ, અંતર્દીપોમાં એક મિથ્યાષ્ટિ, સંમૂર્છાિમ મનુષ્યમાં એક મિથ્યાષ્ટિ.
સિદ્ધોમાં એક(ક્ષાયિક) સમ્યગ્દષ્ટિ. નોંધ – એક સમયમાં એક જીવને એક જ દષ્ટિ હોય છે.
'વીસમુંઃ અંતક્રિયા પદ
મોક્ષાધિકાર:
ચોવીસ દંડકોમાંથી એક મનુષ્યમાં જ મોક્ષે જવાની યોગ્યતા છે બીજા કોઈ પણ ભવમાંથી જીવ મોક્ષે જઈ શકતો નથી.
ભવિષ્યકાળમાં મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા બધા દંડકના જીવોને હોય છે. તેઉકાય. વાયકાય. ત્રણ વિકલેન્દ્રિય, પાંચમી. છઠ્ઠી. સાતમી નરકના જીવો સીધા મનુષ્ય બનીને મોક્ષમાં જઈ શકતા નથી. પરંપરાથી અર્થાત્ એક બે ભવ ક્યાંક કરીને મનુષ્ય બનીને મોક્ષમાં જઈ શકે છે. તેને પરંપર અંતક્રિયા કહે છે.
૧થી૪ નરક, પૃથ્વી પાણી વનસ્પતિ, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, ભવનપતિ આદિ ૧૩ દંડકના જીવ અનંતર મનુષ્યભવથી મુક્ત થઈ શકે છે. અનંતરાગતોની મુક્ત સંખ્યા - જઘન્ય ૧-૨-૩ છે. ઉત્કૃષ્ટ આ પ્રકારે છેએક સમયમાં દસ- ત્રણ નરક, ભવનપતિ-વ્યંતર-જ્યોતિષી દેવ, તિર્યંચ (પંચેન્દ્રિય), તિર્યંચાણી અને મનુષ્યના નીકળેલા. એક સમયમાં વસ– મનુષ્યાણી, વૈમાનિક દેવી, જ્યોતિષી દેવીના નીકળેલા. એક સમયમાં પાંચ- ભવનપતિ દેવી, વ્યંતર દેવીના નીકળેલા. એક સમયમાં – વનસ્પતિના નીકળેલા. એક સમયમાં ૪– ચોથી નરક, પૃથ્વી, પાણીના નીકળેલા. ઉત્પત્તિ તેમજ ઉપલબ્ધિઃ(૧) કેટલાક નૈરયિક જીવ તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં કોઈને ધર્મશ્રવણ, બોધિ (ધર્મ પ્રાપ્તિ) શ્રદ્ધા, મતિ-શ્રુતજ્ઞાન, વ્રત પ્રત્યાખ્યાન, અવધિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે; સંયમ અને મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી.
કેટલાક નૈરયિક જીવ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેમાંથી કોઈને ઉપર કહેલ ધર્મ શ્રવણ આદિ તેમજ સંયમ, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેમજ અંતમાં મુક્તિ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org