Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 6
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 225
________________ તત્વશાસ્ત્ર: પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ દંડાકાર આત્મપ્રદેશ ફેલાવવામાં આવે છે. તેની સીમા લંબાઈની અપેક્ષાએ છે. (૮) આહારક સમુઘાતમાં– જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગ, ઉત્કૃષ્ટ એક દિશામાં સંખ્યાતા યોજન; આ સીમા પણ દંડ કાઢવાની અપેક્ષાએ છે. (૯) ક્વલી સમુદ્ધાતમાં સંપૂર્ણ લોક પ્રમાણ આત્મપ્રદેશોની અવગાહના હોય છે. (૧૦) આ સમુઘાતોથી છોડેલા પુદ્ગલ લોકમાં પ્રસરિત થાય છે. તેનાથી જે જીવોની વિરાધના થાય છે, તેને કિલામના (દુઃખ) પહોંચે છે, તેની ક્રિયા સમુદ્યાત કરનારા જીવને લાગે છે. તે ક્રિયાઓ પાંચ છે– ૧. કાયિકી, ૨. અધિકરણિકી, ૩. પ્રાષિકી, ૪. પરિતાપનિકી, ૫. પ્રાણાતિપાતિકી. તેનું વિવરણ બાવીસમા ક્રિયાપદમાં કરવામાં આવ્યું છે. આ પાંચમાંથી પણ કોઈ જીવને ત્રણ, કોઈને ચાર અને કોઈને પાંચ ક્રિયા લાગે છે. તે જીવોને સમુદ્યાત ગત જીવોથી અથવા અન્ય જીવથી ૩-૪ અથવા પાંચ ક્રિયા પોતાની પ્રવૃત્તિ અનુસાર લાગી શકે છે. (૧૧) નરયિકોનો મરણ સમુદ્યાત જઘન્ય સાધિક હજાર યોજન હોય છે અને ઉત્કૃષ્ટ અસંખ્ય યોજન હોય છે. જઘન્ય પાતાલ કળશોમાં જન્મવાની અપેક્ષાએ હોય છે. (૧૨) એકેન્દ્રિયમાં મરણ સમુદ્યાતમાં ઉત્કૃષ્ટ ચાર સમય આત્મપ્રદેશોને પરિલક્ષિત ક્ષેત્ર વ્યાપ્ત કરવામાં લાગે છે. બાકી ૧૯ દંડકમાં ઉત્કૃષ્ટ ત્રણ સમય જ લાગે છે. (૧૩) વૈક્રિય સમુદ્યાત વાયુકાયમાં જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ છે બાકી બધામાં જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગ છે. નારકી અને વાયુકાયને વૈક્રિય એક દિશામાં હોય છે બાકી બધાને દિશા વિદિશામાં પણ હોય છે. (૧૪) તેજસ સમુદઘાત બધાની જઘન્ય અંગલના અસંખ્યાતમાં ભાગની હોય છે. તિર્યંચમાં એક દિશામાં હોય છે. મનુષ્ય-દેવમાં દિશા-વિદિશામાં પણ હોય છે. (૧૫) વૈક્રિય, તૈજસ અને આહારક સમુદ્યાતમાં ૧-૨-૩સમયમાં આત્મપ્રદેશોથી જેટલા ક્ષેત્ર વ્યાપ્ત કરીને પુદ્ગલ ગ્રહણ નિસ્સરણ થાય છે તેટલા ક્ષેત્ર પ્રમાણ અવગાહના અને તેટલા સમયનો કાલ અહીં આ પ્રકરણમાં બતાવેલ છે. પરંતુ આ ક્રિયાની પછી રૂપ આદિ બનાવવામાં આવે છે તેમજ જે ક્રિયા કરવામાં આવે છે તે રૂપોની અથવા ક્રિયાની અવગાહના આદિ અથવા સ્થિતિ આદિ બતાવેલ નથી. તેનાથી પણ સ્પષ્ટ થાય છે કે આત્મપ્રદેશોને અવગાહિત ક્ષેત્રથી બહાર નીકળવાની પ્રક્રિયાને મુખ્યરૂપથી સમુદ્યાત માનવામાં આવે છે. સમુઘાતોનું હાર્દ - ૧. વેદનીય સમુદ્દઘાતમાં– રોગ વેદના આદિ કષ્ટોમાંવિશેષ પીડિત અવસ્થામાં આત્મપ્રદેશોનું દુઃખજન્ય સ્પંદન થાય છે. તેમાં વેદનીય કર્મનો તીવ્ર ઉદય અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258