________________
૧૦
મંગલાચરણ
ગૃહસ્થ વિવાહનો સંબંધ જોડે, ત્યાઆદ પાપભીરુતા, સુપ્રસિદ્ધ દેશાચારનું પાલન, કોઈને પણ અવર્ણવાદ ન બોલવા આદિ ઉત્તરોત્તર પાંત્રીસે ગુણ ઉપર વિશદ વિવેચન મારા અલ્પ - ક્ષયોપશમાનુસાર કરેલ છે. પુસ્તકમાં માર્ગાનુસારી ગુણોના વિવેચન સાથે દ્રવ્યાનુયોગ અને ક્યાંક ક્યાંક વિષયોની પુષ્ટિ માટે કથાનુયોગનો પણ ઉલ્લેખ કર્યો છે. પુસ્તકના આલેખન વખતે એ પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે કે કોઈ વિદાન આ પુસ્તક હાથમાં લે તો તેને પણ નિરાશા ન મળવી જોઈએ. નિશ્ચય, વ્યવહાર, જ્ઞાન, ક્રિયા, પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય, ઉપયોગ ધારા, યોગધારા, શુદ્ધ નિશ્ચય ધર્મ શૈલેશીને અંત્ય સમયે હોય છે આવા બધા તાત્વિક વિષયો ઉપર પણ વિસ્તૃત વિવેચન મારી અલ્પ શક્તિ અનુસાર કર્યું છે. નિશ્ચય, વ્યવહાર અંગેના એકાંતવાદનું નિરસન કરવામાં આવ્યું છે. મોક્ષમાર્ગમાં નિશ્ચય અને વ્યવહાર બન્નેની સંપૂર્ણ જરૂર છે એ વાત પર વિશદ વિવેચન કરવામાં આવ્યું છે. પુણ્યાનુબંધી પુણ્યની અને દાન શીલાદિ શુભ અનુષાનોની સંપૂર્ણ ઉપાદેયતા ઠરાવવામાં આવી છે. આત્મા ફકત ભાવ જ કરે પરનું આત્મા કાંઈ ન કરે તેવું એકાંતવાદ ઊભું કરનારાઓને સચોટ રદિયા આપવામાં આવ્યા છે. કઈ અપેક્ષાએ આત્મા સ્વ-ભાવનો કર્તા છે અને કયા નયની અપેક્ષાએ આઠ કમોંનો કર્તા છે એ બધા વિભાગે નયવાદની દૃષ્ટિએ સમજાવવામાં આવ્યા છે.
- છેલે પરિશિષ્ટમાં ધ્યાનયોગનો વિષય લીધેલો છે. ધ્યાનયોગના વિષય પર વિષદ છણાવટ કરી છે જે મુમુક્ષુઓને