Book Title: Manglacharan
Author(s): Bhuvanvijay
Publisher: Jain Shwetambar Murtipujak Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 14
________________ મંગલાચરણ શરૂઆતથી ઉચ્ચ સંસ્કાર મળે તેવું શિક્ષણ નહીં આપનારા માતાપિતાએ શત્રુ સમાન કહ્યા છે. જીવનમાં સંસ્કારના ઘડતર વિનાનું એકલું ભણતર તો કેટલીકવાર આશીર્વાદરૂપ નિવડવાને બદલે શ્રાપરૂપ નીવડે છે. ઘડતર વિનાના ભણતરની કિંમત પડતર માલ જેટલીએ અંકાવાની નથી. માનવી એકલા વિનય વિવેકના સંસ્કારથી શોભશે પણ સંસ્કાર વિનાના એકલા શિક્ષણથી નહીં શોભે. માર્ગાનુસારીના ગુણો જીવનમાં ઉતરવાથી અવશ્યમેવ જીવનનું ઘડતર થશે અને માનવીનું જીવન પર શ્રેયકારી બનશે. માર્ગાનુસારીના ગુણોનું આચરણ આબાલવૃદ્ધ સૌ કોઈ માટે જીવનમાં અત્યંત હિતકારી છે. માર્ગાનુસારીનો પહેલો જ ગુણ “ન્યાય સંપન્ન વિભવ” નો છે જે ધાર્મિક જીવનના મંગલાચરણ સ્વરૂપ છે. જીવનમાં નીતિ ન્યાયનું પાલન ન હોય તો ધાર્મિક જીવનમાં શી રીતે આગળ વધી શકાશે. એટલા માટે આ પુસ્તકનું નામ પણ “મંગલાચરણ રાખવામાં આવ્યું છે. નીતિ ન્યાય પાપભીરતા વગેરે ગુણોથી જ ધાર્મિક જીવનનું મંગલાચરણ થાય છે તેને અનુરૂપ જ પુસ્તકનું નામ રાખવામાં આવ્યું છે. પહેલા ગુણ ઉપર પુસ્તકમાં વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. તેની અંતર્ગત કેટલાક તાત્વિક વિષયોને પણ આવરી લેવામાં આવ્યા છે તે તો પુસ્તકના વાંચનથી આપોઆપ ખ્યાલમાં આવી જશે. બીજે ગુણ “શિષ્ટાચાર પ્રશંપકત્રીજો ગુણ જેના કુળ શીલ સમાન હોય અને અન્ય ગોત્રના હોય તેની સાથે

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 382