Book Title: Kulak Samucchay
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 67
________________ શ્રી કુલક સમુચ્ચય बोहंति परं किं वा, मुणंति कालं नरा पठंति सुअं । ठाणमुअंति सयावि हु, विणाऽऽयबोहं पुण न सिद्धी ।।३९।। अवरो न निदिअव्वो, पसंसिअव्वो कया वि न हु अप्पा । समभावो कायव्वो, बोहस्स रहस्समिणमेव ।।४० ।। परसक्खित्तं भंजसु, रंजसु अप्पाणमप्पणा चेव । वज्जसु विविहकहाओ, जइ इच्छसि अप्पविन्नाणं ।।४१ ।। तं भणसु गणसु वायसु, झायसु उवइससु आयरेसु जिआ । खणमित्तमपि विअक्खण, आयारामे रमसि जेण ।।४२।। इय जाणिऊण तत्तं, गुरुवइटुं परं कुण पयत्तं । लहिउण केवलसिरिं, जेणं जयसेहरो होसि ।।४३ ।। બીજાને બોધ આપે, જ્યોતિષ વિગેરેથી કાળનું સ્વરુપ જાણે, સૂત્રો ભણે અને પોતાનું સ્થાન (ઘરબાર, દેશ) પણ સદાને માટે છોડે (સાધુ-સંન્યાસી બને), છતાં તેઓને આત્મજ્ઞાન ન થાય તો સિદ્ધિ નથી જ થતી. ૩૯ I કદાપિ પરની નિંદા ન કરવી, પોતાની પ્રશંસા ન કરવી અને સમભાવ રાખવો, આ જ આત્મબોધનું (શુદ્ધજ્ઞાનનું) રહસ્ય છે. II૪૦ જો તને આત્મવિજ્ઞાનની (આત્માને ઓળખવાની) ઇચ્છા હોય તો બીજાના સાક્ષીપણાને (બીજા મને સારો કહે છે કે ખોટો ? એ વિકલ્પો) છોડી દે, આત્માને આત્મા વડે જ રાજી કર એટલે કે તે સારો બનીને સ્વગુણો મેળવવા દ્વારા તારા આત્માને ખુશ કર અને બીજાઓની વિવિધ વિકથાઓનો ત્યાગ કરી દે. II૪૧ાા | હે જીવ ! તું તેવું ભણ, તેવું ગણ, તેવું વાંચ, તેનું ધ્યાન ધર, તેવો ઉપદેશ કર, તેવું આચર કે જેથી તે વિચક્ષણ ! તું ક્ષણમાત્ર (પ્રતિક્ષણ) પણ આત્મા રૂપી ઉદ્યાનમાં રમી શકે ! ૪૨ના આ પ્રકારે ગુરૂશ્રીએ ઉપદેશેલા તત્ત્વને જાણીને તેમાં પ્રયત્ન કર, કે જેથી કેવલશ્રી (કેવળજ્ઞાન) પામીને તું જયશેખર (આઠ કર્મનો જય કરનારો) થાય. ||૩||

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158