________________
શ્રી કુલક સમુચ્ચય. पावं करेसि किच्छेण धम्मं सुक्खेहि नो पुणो । पमाएणं अणंतेणं कहं होसि न याणिमो ।।२८।। जहा पयर्टेति अणज्जकज्जे, तहा विनिच्छं मणसावि नूणं । तहा खणेगंजइ धम्मकज्जे, ता दुक्खिओ होइ न कोइ लोए ।।२९।। जेणं सुलद्धेण दुहाई दूरं, वयंति आयंति सुहाई नूणं । रे जीव एयंमि गुणालयंमि, जिणिदधम्ममि कहं पमाओ ।।३०।। हाहा महापमायस्स सव्वमेयं वियंभियं । न सुणंति न पिच्छंति कन्नदिठ्ठीजुयाविजं ।।३१।। सेणावई मोहनिवस्स एसो सुहाण जं विग्घकरो दुरप्पा । महारिऊ सव्वजियाण एसो अहो हु कळूति महापमाओ ।।३२।। एवं वियाणिऊणं मुंच पमायं सयावि रे जीव । પવિદિસિ ને સમ્મનિપજ્યસેવાનં સ્મારૂ રૂા.
તું કષ્ટ સહન કરીને પણ પાપ કરે છે અને સુખીપણામાં પણ ધર્મ કરતો નથી, તેથી હે જીવ ! અનંતા પ્રમાદથી તારું શું થશે તે હું જાણતો નથી. (કહી શકતો નથી.) |ીર૮/
જેવી રીતે જીવો અનાર્ય-પાપકાર્યમાં પ્રવૃત્તિ કરે છે તેવી રીતે નિચ્ચે મનથી પણ શુભ કાર્યમાં પ્રવૃત્તિ કરતા નથી, તે એક ક્ષણ માત્ર પણ જો ધર્મકાર્યમાં તેવી પ્રવૃત્તિ કરે તો આ લોકમાં કોઈ પણ જીવ દુ:ખી ન થાય. ર૯ /
જે પ્રાપ્ત થવાથી દુ:ખો દૂર જાય છે અને સુખો નજીક આવે છે, જે જીવ ! એવા ગુણાલય-ગુણના સ્થાનરુપ જિનેન્દ્રધર્મમાં શા માટે પ્રમાદ કરે છે ? | ૩૦ ||
હા હા ! મહાપ્રસાદનું આ સર્વ વિઘૂંભિત છે કે જેથી કાન અને નેત્ર હોવા છતાં પણ આ જીવ સાંભળતો નથી અને જોતો પણ નથી. [૩૧TI
મહાપ્રમાદ એ મોહરાજાનો સેનાપતિ છે, સુખીજનોને ધર્મમાં વિદ્ધ કરનારો દુરાત્મા છે, સર્વ જીવોનો એ મહાન શત્રુ છે. અહો એ મહાકષ્ટકારી હકીકત છે. T૩૨TI
આ પ્રમાણે જાણીને હે જીવ ! તું સદાને માટે પ્રમાદનો ત્યાગ કરી દે કે જેથી જિનચરણની સેવાનું રમ્ય એવું સમ્યગુ ફળ પામે-પ્રાપ્ત કરે. ||૩૩ //