________________
શિરીટવીને
ભાષાસમિતિ એષણાસમિતિ આદાનભાંડમાત્રનિક્ષેપણસમિતિ અને પારિષ્ઠાપનિકાસમિતિ એટલે પોતાના મલ મૂત્ર થ્રેક બડખા લીંટ અને બીજો દેહમલ એ બધાંને નિર્જીવ શુદ્ધ સ્થળે પઠવવા માટે રાખવામાં આવતી કાળજી. એ રીતે પાંચ સમિતિને ધારણ કરતા ભગવાન મનને બરાબર સારી રીતે પ્રવર્તાવનારા, વચનને બરાબર સારી રીતે પ્રવર્તાવનારા અને શરીરને બરાબર સારી રીતે પ્રવર્તાવનારા થયા. મનગુપ્તિ વનગુપ્તિ તથા કાયગુપ્તિને સાચવનારા થયા. એ રીતે ગુપ્તિવાળા અને જિતેંદ્રિય ભગવાન સર્વથા નિર્દોષપણે બ્રહ્મચર્યવિહારે વિચરનારા થયા. ક્રોધ વિનાના, અભિમાન વિનાના, છળકપટ વગરના અને લેભરહિત ભગવાન શાંત બન્યા, ઉપશાંત થયા. તેમના સર્વ સંતાપ દૂર થયા, તેઓ આસ્રવ વગરના, મમતા રહિત, પાસે કશા પણ પરિગ્રહ નહીં રાખનારા અકિંચન થયા, હવે તે એમની પાસે ગાંઠવાળીને સાચવવા જેવી એક પણ ચીજ રહી નથી એવા એ અંતરથી અને બહારથી છિન્નગ્રંથ થયા, જેમ કાંસાના વાસણમાં પાણી ચોંટતું નથી તેમ તેમનામાં કઈ મળ ચુંટતે નથી એવા એ નિપલેપ થયા, જેમ શંખની ઉપર કોઈ રંગ ચડતો નથી એમ એમની ઉપર રાગદ્વેષની કશી અસર પડતી નથી એવા એ ભગવાન જીવની પેઠે અપ્રતિહત-કઈ પ્રકારનો પ્રતિબંધ રાખ્યા વિના અખલિતપણે વિહરવા લાગ્યા, જેમ આકાશ બીજા કેઈ આધારની એશિયાળ રાખતું નથી તેમ ભગવાન બીજા કોઇની સહાયતાની
સં. ના. રૂ. વિ. બોરસસૂિત્ર-૧૩૬
૧૩૬
www.netary om
Jain E
ation in
For mor
e Use Only