________________
૧૫૩ પદ્ધતિ તેણે યોજી હતી. તેથી કરીને સાત્વિક તેમ જ વિસ્તૃત પરિણામે ઝપાટાબંધ આવે, એવી આશા આપણે સ્વાભાવિક રીતે રાખી શકીએ. વળી, બૌદ્ધભિક્ષુઓએ પણ ખૂબ મહેનત લઈને એ જ દિશામાં કામ કર્યું હતું, એ વાત આપણે યાદ રાખીએ તો અશકની તેમ જ તેમની સહગામી પ્રવૃત્તિને અસાધારણ ફતેહ મળેલી જોઈને આપણને નવાઈ લાગવી ન જોઈએ. એ ફતેહ કેવી રીતે મૂર્તિમંત થઈ? ઈસ્વીસનની પહેલાંના ત્રીજા સૈકાના મધ્યભાગથી માંડીને પછીથી બૌદ્ધપંથ અતિશય વિસ્તૃત પ્રદેશમાં એકદમ ફેલાતે ગયે. હિંદુસ્તાનનાં તેમ જ અફઘાનિસ્તાનનાં વિવિધ સ્થળે સ્તૂપો તેમ જ મઠ અને ગુફાઓ વગેરે ધર્માલયો ઊભાં થયાં. એ સમયમાં બૌદ્ધપંથ એટલું બધું અગ્રસ્થાન ભોગવતો હતો કે, તેણે બીજા લગભગ બધા જ ધર્મોને અંધકારમાં નાખી દીધા હતા. એ ધર્મોના સ્થાપત્યના કે સાહિત્યના થોડા જ અવશેષ આજે જડી આવે છે. પરંતુ આ બધાનું ખરેખરૂં માન તે ઈ. સ. ની ત્રીજી સદીના ફિરસ્તારૂપ બૌદ્ધરાજ અશોકને જ મળવું જોઈએ.
છઠ્ઠ પ્રકરણ
સામાજિક અને ધાર્મિક જીવન.
(અશોકની ઘર્મલિપિઓના આધારે) જે સામાજિક અને ધાર્મિક વાતાવરણમાં રહીને અશોક પિતાનું કામ કરતો હતો તે સામાજિક અને ધાર્મિક વાતાવરણનો વિચાર આપણે ન કરીએ ત્યાં સુધી અશોકના સંબંધમાં તેમ જ તેણે કરેલા કામના સંબંધમાં સ્પષ્ટ ખ્યાલ આપણને આવી શકે
નહિ. અહીં એટલું પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે, આ પ્રકરણમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com