Book Title: Ashok Charit
Author(s): R R Devdutta
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 321
________________ ૨૯૯ ૫. “વતુમતિ' (સંસ્કૃતભાષાને “વાતુ ) શબ્દ ત્રણ ઋતુઓની ગ્રીષ્મ ઋતુની તથા શરદ્દ ઋતુની અને હેમંત ઋતુની– પૂનેમને માટે વપરાએલો છે. દરેક ઋતુના પહેલા મહિનાની પૂનમને માટે તે શબ્દ વપરાય છે. તિરા નિમાર તૈષ અથવા પાસે માસની પૂનેમ છે. રથ' શબ્દ બૌદ્ધપાલિભાષાના “” શબ્દની અને જેનલેકની પ્રાકૃત ભાષાના રદ શબ્દની વચ્ચે શબ્દ છે. તે બ્રાહ્મણના પર્વને મળતો છે, અને દરેક પખવાડિયાને આઠમે અને પંદરમો દિવસ તે દર્શાવે છે. એ રીતે અશોકે આ પ૬ દિવસેએ માછલીના વધની બંધી કરેલી હતી –(૧) ત્રણ ઋતુઓના દરેક પહેલા મહિનાના અને તૈષ અથવા પિસ મહિનાના છછ દિવસે–સુદની આઠમ તથા ચૌદસ અને પૂનેમ અને વદની પ્રતિપદા અને આઠમ તથા અમાસ– મળીને કુલ ૨૪; (૨) બાકીના આઠ મહિનાના ચારચાર દિવસે દરેક પખવાડિયાની આઠમ તથા પૂનમ અને અમાસ-મળીને કુલ ૩૨. એકંદરે ૨૪+૩રપ૬ દિવસે એ માછલી વેચવાની અને મારવાની બંધી અશેકે કરી હતી. ૬. રાજાઓ વિવિધ પ્રસંગે બંધનમેણ કરે છે– એટલે કે, કેદખાનામાંના કેદીઓને મુદતના પહેલાં ટા કરે છે. ખાસ કરીને રાજાના જન્મદિવસે આમ કરવાનો રિવાજ છે. કૌટિલ્યકૃત “અર્થશાસ્ત્ર” (પૃ. ૧૪૯)માં કહ્યું છે કે, પોતાના જન્મદિવસે રાજાએ બાળકેદીઓને અને ઘરડા કેદીઓને તેમ જ રાગી કેદીઓને અને નિરાધાર કેદીઓને છોડી મુકવા જોઈએ. આ અર્થ અહીં બરાબર બંધ બેસે છે. તેનું પહેલું કારણ તો એ કે, આ સ્તંભલેખ સર્વસાધારણ વધ અટકાવવાના હેતુથી નહિ પણ મનમાન્ય અને અનાવશ્યક વધ થતું અટકાવવાના હેતુથી લખાએલે લેવાથી તમામ કેદીઓને છૂટા કરવાનું તેમાં કહેલું ન ગણું શકાય, પણ જેમને કેદમાં રાખ્યાથી મનમાની અને અનાવશ્યક ૨તા થવા પામે તે કેદીઓને જ થ્યા કરવાનું તેમાં કહેલું ગણી શકાય. તેનું બીજું કારણ એ કે, છવીસ વર્ષની મુદતમાં પચીસ પ્રસંગે બંધનમેલ કરવામાં આવેલ તેથી, અશોકના જન્મદિવસે બંધનમક્ષ થતું, એમ ગણી શકાય છે. વળી, આથી કરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350