Book Title: Ashok Charit
Author(s): R R Devdutta
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 338
________________ ૩૧૬ ભાષાંતર ભિક્ષુઓને માટે અને ભિક્ષુકીઓને માટે માર્ગ કર્યો છે. સૂર્ય અને ચંદ્ર ચાલૂ રહે ત્યાં સુધી મારા પુત્ર અને પૌત્રો ચાલૂ રહે કે જેથી જે કઈ ભિક્ષુક કે ભિક્ષુકી સંધને લગ્ન કરે તેને ધોળાં કપડાં પહેરાવવામાં આવે અને (ભિક્ષુઓનો) આવાસ ન હોય તેમાં રાખવામાં આવે; કારણ કે, મારી એવી ઇચ્છા છે. શી? - કે, માર્ગે રહીને સંધ ચિરસ્થાયી થાય. અલ્લાહાબાદના થાંભલાના લેખે (ચ) કૌશાંબીને સ્તંભલેખ [ આ સ્તંભલેખમાં પણ સંઘને ભગ્ન કરનારને થતી સજાને ઉલ્લેખ થએલો છે, અને તે ઉપરના બે સ્તંભલેખેની નકલ જ છે. આ સ્તંભલેખને લગભગ બધે જ ભાગ નષ્ટ થઈ ગયું છે. એમાંથી જે નવી અને મહત્વની હકીકત મળી આવે છે તે એ જ છે કે, કૌશાંબીમાંના મહામાને ઉદ્દેશીને અશોકે કરેલો હુકમ તેમાં લેવામાં આવે છે; અને એ રીતે મૂળે તે સ્તંભલેખવાળે થાંભલે કયાં ગોઠવાયા હતા, એ એમાંથી જણાઈ આવે છે. ] (છ) રણુશાસન ભાષાંતર દેવોને લાડકાના હુકમથી સર્વત્ર મહામાત્રાને કહેવું (કે.) “અહીં બીજી દેવીનાં ગમે તે દાન હોય તે-આંબાવાડી, ફળબાગ, દાનગૃહ અથવા એ દેવીનું ગણી શકાય તેવું જે કંઈ હેય તે- સર્વ તીવરની માતા, બીજી દેવી કાવાકીનાં સમજવાં. ૧ ૧. પિતાની બીજી દેવીનાં દાનની નોંધ લઈને અશોક દેખીતી રીતે એમ કહેવા માગે છે કે, એ દેવીને દાખલો લઈને રાજકુટુંબની બીજી વ્યક્તિઓએ પણ તેનું અનુકરણ કરવું જોઈએ. જુઓ પૃ. ૧૩૪ અને આગળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350