Book Title: Ashok Charit
Author(s): R R Devdutta
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 295
________________ ૨૭૩ પીગળાવવું” થાય છે. અશોકના છઠ્ઠા મુખ્ય શિલાલેખમાં અને સાતમા મુખ્ય સ્તંભલેખમાં ઉપરને અર્થ વધારે બંધબેસે છે. આથી કરીને અહીં "નિતિને અર્થ “રદબાતલ કરવું તે કરી શકાય છે. આ ફકરાના પૂર્ણાથને માટે જુઓ પૃ. ૫૭ અને આગળ. ૪. બુહલર સાહેબે “મહાભારત”ના “ શાંતિપર્વ એમાંથી રા ' ને લગતા પ્લેકે (અધ્યાય ૫૮,લક ૧૩-૧૬) ઊતાર્યા છે તે દેખીતી રીતે બહસ્પતિકૃત “ અર્થશાસ્ત્ર”માંથી આપવામાં આવેલા છે. તેમાં સર્વ રાજાઓને પરિશ્રમ” કરવાનું કહેવામાં આવેલું છે. કૌટિલ્યકૃત અર્થશાસ્ત્ર”માં પણ એમ જ કહેલું છે.(પૃ. ૩૯). [ 9 ] ભાષાંતર દેવોને લાડકે પ્રિયદર્શી રાજા ઈચ્છે છે કે, સર્વ પાષડે સર્વત્ર વસે; કારણ કે, તેઓ બધા જ સંયમ અને ભાવશુદ્ધિ ઇચ્છે છે. પરંતુ લોકે વિવિધ છંદના અને રાગના હોય છે. તેઓ (પિતાની ફરજ ) પૂર્ણશે અગર અલ્પાંશે અદા કરશે. પણ જે મનુષ્યને આત્મસંયમ, ભાવશુદ્ધિ, (કૃતજ્ઞતા અને ભક્તિ) નથી તે પુષ્કળ દાન કરતા હોય તે પણ ખરેખર નીચ મનુષ્ય છે. ટીકા ૧. આ શિલાલેખનું છેવટનું વાક્ય સમજતાં જરા મુશ્કેલી નડે છે. નવા અથવા “નિ શબ્દને અર્થ અને તેની શક્તિ બરાબર સમજાય તે જ એ વાક્ય બરાબર સમજી શકાય તેમ છે. બુલર સાહેબે તેને અર્થ આમ કર્યો છે –“પણ જે નીચ મનુષ્યને માટે પુષ્કળ દાન પણ અશક્ય છે તેની બાબતમાં આત્મસંયમ, ભાવશુદ્ધિ, કૃતજ્ઞતા અને દઢભક્તિ પ્રશંસનીય છે. પરંતુ આ અર્થ ટકી રહી શકતો નથી. તેનું પહેલું કારણ તો એ કે, “નિરા' શબ્દને અથ નીચ નથી થતું પણ “નીચ મનુષ્ય” ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350