Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સત્તમ' ઉપયેાગદ્વાર—વિઢે થોત્તે’ નારક જીવાને સાકાર ઉપયાગ અને અનાકાર ઉપયાગ આ એ પ્રકારના ઉપયાગ હોય છે.
ઉપયાગદ્વાર સમાપ્ત,
અઢારમુ` આહારદ્વાર—“ઈત્તિ આદાત્તે” નારક જીવાના આહાર છદિશાઓમાંથી આવેલા પુદ્ગલ દ્રવ્યાના હાય છે. કેમકે નારક જીવાનું અવસ્થાન-રહેઠાણ લેાકની મધ્યમાં હાય છે. તેથી લેાક નિષ્કુટરૂપ પ્રતિબંધકના અભાવ રહે છે. તેથી તેએ છ દિશાઓમાંથી આવેલા પુદ્ગલા ને આહાર કરે છે. ‘બોસનું ડાળ પટ્ટુચ્ચું' પ્રાયઃ કારણુ ના આશ્રય કરીને તેએ વળોજાહારૂં નાવ મામાદાઽતિ' વણ થી કાળાવણું વાળા પુદ્ગલા ના આહાર કરે છે, અહિયાં યાવત્ શબ્દથી પ્રજ્ઞાપના સૂત્રના અઠયાવીસમાં આહાર પદ્મના પહેલા ઉદ્દેશાના પાઠ ગ્રહણ કરવા જોઈ એ. કે જે પાઠ ટીકામાં આપવામાં આવેલ છે. તેના અનારક જીવ વ`થી કાળા અને નીલ વણુ એમ એ વણવાળા આહારપુદ્ગલે
ગ્રહણ કરે છે. એજ રીતે ગન્ધની અપેક્ષાથી દુરભીગધ-એટલે કે દુર્ગં ધવાળા, રસની અપેક્ષાથી તીખા, કડવા સ્પર્શની અપેક્ષાથી કર્કશ, ગુરૂ શીત અને રૂક્ષ આ ચાર પ્રકારના સ્પર્શીવાળા આહારપુનૢગલે ગ્રહણ કરે છે. તે ગ્રહણ કરેલા આહાર પુદ્ગલામાં જુના વ, ગંધ રસ અને સ્પર્શના ગુણ હાય છે. તેમને ખીજા પિરણામ વાળા બનાવીને એટલેકે દૂર કરીને પિરશિત કરીને અને તેના વિધ્વંસ નાશ કરીને તેમાં બીજા અપૂર્વ વ ણુ, ગધ ગુણ, રસગુણ, અને સ્પશ ગુણાને ઉત્પન્ન કરીને પોતાના શરીરમાં અવગાહિત એવા આહાર પુદૂંગલાના સપ્રકારથી આહાર કરે છે.
!! આહારદ્વાર સમાપ્ત !!
માગણીસમુ ઉપપાતદ્વાર-‘જીવવાએ તિથિમનુદિતો' નારક જીવાના ઉપ પાત તિય 'ચામાંથી અને મનુષ્યમાંથી હાય છે. અર્થાત્ પ'ચેન્દ્રિય પર્યાપ્ત તિ``ચ મનુષ્ય માંથી તા હોય છે. પરંતુ અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા, તિય ચ મનુષ્યામાંથી થતા નથી.
॥ ઉપપાત દ્વાર સમાસ !
વીસમુ’ સ્થિતિદ્વાર– ટિર્ફ નનેળ ટૂલવાસન્નતૢલા' નારક જીવાની સ્થિતિ જઘન્યથી દસહજાર વર્ષની હોય છે અને ઉત્કૃષ્ટથી‘‘જ્ઞાનેન્દ્ર તેત્તીય જ્ઞાનોવમાૐ' તેત્રીસ સાગર - પમની હાય છે.
II સ્થિતિદ્વાર સમાસ !!
એકવીસમુ’ સમવહતદ્વાર—‘દુવિદ્યા મîત્તિ’ આ નારક જીવા મારણાન્તિક સમુદ્ઘાતથી સમવદ્યુત-થઈને પણ મરે છે. અને અસમહત થઈ ને પણ મરે છે. અર્થાત્ સમુદ્ધાત્ કરીને પણ મરે છે. અને સમુદ્ધાત્ કર્યા વિનાપણ મરે છે,
બાવીસમું ઉદ્ધૃત્તના (ચ્યવન) દ્વાર—વટ્ટા માળિયવી પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાંતિકપદમાં નારાની ઉદ્દતના જે રીતે કહેલ છે, એજ પ્રમાણે તે અહિયાં પણ સમજી લેવી. કહેવાનું તાત્પય' એ છે કે નારક પર્યાયથી નીકળી તે જીવ અસખ્યાત વની આયુષ્યવાળા, તિય``ચ અને મનુષ્યને છેડીને સંજ્ઞી પચેન્દ્રિય તિયચ અને મનુષ્યામાં
જીવાભિગમસૂત્ર
७०