Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અંતર હોવાનું જે કહેવામાં આવ્યું છે, તે આમાં “અiતાળો ફરgિraોgિી કાર યanઢાર્દૂિ રે' કાળથી અનંત ઉત્સર્પિણયો અને અવસર્પિણી થઈ જાય છે. યાવત ક્ષેત્રથી અનંત કે થઈ જાય છે. તે દેશના અર્ધ પુદ્ગલ પરાવર્ત થાય છે એ અભિપ્રાયથી કહ્યું છે. “મfriળ કાવ વિરે કાર ધરમ પ મ રેવું કથિી નાવ તરીવા” અહિયાં પહેલા યાવ૫દથી ભરત અરવત, પૂર્વ વિદેહ, અપર વિદેહના સઘળા કર્મભૂમિજ પુરૂષો અને બીજા યાવત્પદથી અકર્મભૂમિ જ હૈમવત હૈમણ્યવત વર્ષ, રમ્યક વર્ષ, દેવકુરૂ, ઉત્તરકુરૂના મનુષ્ય પુરુષ ગ્રહણ કરાયા છે. આ રીતે કર્મભૂમિના મનુષ્ય પુરુષોના પુરુષપણાનું અને અકર્મભૂમિના મનુષ્ય પુરુષોના પુરુષપણાનું અંતર પોતપોતાની સ્ત્રિના પ્રકરણમાં જે જે પ્રમાણેનું અંતર કહેવામાં આવેલ છે. તે તે પ્રકારથી સમજી લેવું જેમકે–સામાન્ય મનુષ્ય પુરુષનું અંતર ક્ષેત્રની અપેક્ષાથી જઘન્યથી અંતર્મુહૂર્તનું હોય છે. તે કેવી રીતે થાય છે ? તે પહેલા કહ્યા પ્રમાણે સમજી લેવું. ઉત્કૃષ્ટથી અનંતકાળનું વનસ્પતિ કાળ પર્યન્તનું અંતર હોય છે. કેમકે–ચારિત્ર પરિણામથી ભ્રષ્ટ થયેલા કોઈ પુરુષને એકસમય પછી ચારિત્ર પ્રાપ્તિ થવાની સંભાવના હોય છે. ઉત્કૃષ્ટથી એકદેશથી ન્યૂન અદ્ધિ પુદ્ગલ પરાવર્ત પર્યન્તનું અંતર હોય છે. એ જ પ્રમાણે વિશેષ પ્રકારની વિચારણામાં કર્મભૂમિક ભરત, અરવત, પૂર્વ વિદેહના મનુષ્ય પુરુષનું અંતર જન્મ અને ચારિત્ર આ બન્નેની અપેક્ષાથી દરેકનું અંતર પહેલા કહ્યા પ્રમાણે ક્રમથી જ ઘન્યથી અને ઉત્કૃષ્ટથી એક સમયનું તથા દેશન અપરાધ પુદ્ગલ પરાવર્ત કાળ સુધીનું છે. સામાન્ય અકર્મભૂમિના મનુષ્ય પુરુષનું અંતર જન્મની અપેક્ષાએ જઘન્યથી અંતમુહૂર્ત અધિક દસ હજાર વર્ષનું હોય છે. કેમકે–અકર્મભૂમિના મનુષ્ય પુરૂષની અવસ્થામાં મરેલાં અકર્મભૂમિજ મનુષ્ય પુરુષની જઘન્ય સ્થિતિ વાળા દેવોમાં ઉ૫ત્તિ થાય, અને પાછા ત્યાંથી વીને તે કર્મભૂમિમાં સ્ત્રીપણાથી અથવા પુરુષ પણાથી ઉત્પન્ન થઈ જાય છે. ત્યાંથી પાછા મરીને કઈ કઈની પાછી કર્મભૂમિક મનુષ્ય પુરુષ પણાથી ઉત્પત્તિ થઈ જાય છે આ અપેક્ષાથી આટલા કાળનું અંતર કહ્યું છે. કેમકે દેવભવથી ઍવીને સીધી વ્યવધાન વિના અકર્મભૂમિમાં મનુષ્ય પણાથી અથવા તિર્યકુસંજ્ઞી પંચે ન્દ્રિય પણાથી ઉત્પત્તી થઈ શકતી નથી તેથી વચમાં એકભવ કર્મભૂમિમાં જન્મ લઈને તે પછી ત્યાંથી મર્યા બાદ અકર્મ ભૂમિમાં ઉત્પન્ન થવાનું કહ્યું છે. ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળનું અંતર હોય છે. કેમકે--કોઈ પુરુષને કેઈ દેવ વિશેષ સંહરણ કરીને કર્મભૂમિમાં લઈ જવામાં આવે અને તે પછી અંતમહાઁ કાળ પછી તેની બુદ્ધિમાં પરિવર્તન થવાથી પાછા તેને અકર્મભૂમિ માં લાવીને રાખી દેવામાં આવે તે અપેક્ષાથી જઘન્ય અંતર અંતર્મુહૂર્તનું કહ્યું છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળનું અંતર હોય છે. કેમકે–આટલા કાળ પછી અકર્મ ભૂમિમાં ઉત્પત્તિની માફક સંહરણ પણ નિયમથી થાય છે. એ જ પ્રમાણે એટલે કે સામાન્ય અકર્મભૂમિના મનુષ્ય પુરુષની જેમ વિશેષ જેઓ હૈમવત, ઐરણ્યવત, હરિવર્ષ, રમ્યકવર્ષ, દેવકુરૂ,
જીવાભિગમસૂત્ર
૧૫૦