Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 183
________________ થાય છે, “દળ હુઈ કળ તો મુત્ત” સંહરણની અપેક્ષાથી અકર્મ ભૂમિના મનુષ્ય નપુંસકેનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે, તે આ પ્રમાણે છે કે – કઈ કર્મ ભૂમિના મનુષ્ય નપુંસક કેઈના દ્વારા અકર્મભૂમિમાં હરણ કરીને લઈ જવામાં આવેલ હોય અને ત્યાં રહેવાના કારણે તે ત્યાં અકર્મભૂમિક કહેવાયા છે તે પછી કંઈ કાળ પછી તથા વિધ -તે પ્રકારની બુદ્ધિના પરાવર્તન-ફેરફારના ભાવથી તે કર્મભૂમિમાં પાછા લાવવામાં આવ્યા હોય અને ત્યાં તે એક અંતર્મુહૂર્ત કાળ સુધી રહેલ હોય અને તે પછી ફરીથી તેનું અપહરણ અકર્મભૂમિમાં થયું હોય. આ અપેક્ષાથી અહિયાં અંતમું હૂર્તને કાળ જઘન્યથી કહ્યો છે. તથા “ સેળ વતરૂ રઢિો” ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ સુધીનું અંતર કહ્યું છે. “ઇલ્વે કાવ અતીવ જત્તિ” એજ પ્રમાણેનું અંતર યાવત્ અંતરદ્વીપના મનુષ્ય નપુંસકેનું પણ સમજવું. જેવું અંતર સામાન્યપણુથી અકર્મભૂમિના મનુષ્ય નપુંસકથી કહ્યું છે. એ જ પ્રમાગેનું અંતર હૈમવત ક્ષેત્રના મનુષ્ય નપુંસકનું હૈરણ્યવત ક્ષેત્રના મનુષ્ય નપુંસકેનું. હરિવર્ષ ક્ષેત્રના મનુષ્ય નપુંસકનું, રમ્યક વષ ક્ષેત્રના મનુષ્ય નપુંસકનું દેવકરના મનુષ્ય નપુંસકનું અને ઉત્તરકુરૂના મનુષ્ય નપુંસકનું અને અંતરદ્વીપના મનુષ્ય નપુંસકેનું પણ જન્મની અપેક્ષાથી જઘન્યથી એક અંતર્મુહૂર્ત સુધીનું અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ સુધીનું સમજી લેવું, આ સૂટ ૧૪ નારક તિર્થક મનુષ્ય નપુંસકો કે અલ્પબદુત્વ કા નિરૂપણ આ પ્રમાણે સામાન્ય અને વિશેષ પ્રકારથી નપુંસકાના અંતરનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર નારક, તિર્યંચ અને મનુષ્ય નસકના અલ્પ બહુપણું કહે છે. “if i મને ! પુર સિવિલ નો નિકાઉંસ” ઇત્યાદિ. ટકાથ– ગૌતમ સ્વામીએ આ સૂત્ર દ્વારા પ્રભુને એવું પૂછયું છે કે હે ભગવન આ રયિક નપુંસકમાં, તિર્યનિક નસકમાં અને મનુષ્ય નપુંસકમાં “? તો” કેણુ કોનાથી “નાદ વિશેષાદિયા” યાવતું અ૯પ છે, કેણ કોનાથી વધારે છે, કેણુ કેના બરાબર છે? અને કણ કેનાથી વિશેષાધિક છે ? અથતુ હે ભગવન સામાન્ય પણાથી નારક તિર્યય અને મનુષ્ય નપુંસકમાં કે જેનાથી અ૫ છે? કેણ કોનાથી વધારે છે ? અને કોણ કોની બરોબર છે? અને કેણ કેનાથી વિશેષાધિક છે ? આ પ્રશ્નનના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે મા સવલ્લો વા મg૪ પુસ” હે ગૌતમ ! સૌથી ઓછા મનુષ્ય નપુંસકે છે. કેમકે- તેઓનું પ્રમાણ આકાશ શ્રેણીના અસંખ્યાત ભાગમાં જીવાભિગમસૂત્ર ૧૭૨

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204