Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 177
________________ હરિવર્ષ રમ્યકવર્ષ, દેવમુરૂ અને ઉત્તરકુરૂ આ અકર્મભૂમિના મનુષ્ય નપુંસકોની તથા અંતરદ્વીપના મનુષ્ય નપુંસકેની પણ સમજવી. અને તે જઘન્ય અને ઉત્કૃષ્ટ અને પ્રકારથી સમજવી. સૂ૦૧ આ પ્રમાણે નપુંસકોની ભવસ્થિતિ પ્રગટ કરીને હવે સૂત્રકાર તેમની કાયસ્થિતિનું કથન કરે છે.–“ujણા જે મને ! ગjત્ત વાઢવો રિચ હોઈ ઈત્યાદિ ટીકાર્ચ–ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે–“Tyag કરે છે ભગવાન નપુંસક જે પિતાના નપુંસકભાવનો પરિત્યાગ ન કરે તે તે ક્યાં સુધી ત્યાગ નથી કરતા? તે કેટલાકાળ સુધી નપુંસક અવસ્થામાં રહી શકે છે? એ વાત પહેલાં પ્રકટ કરી દીધેલ છે—કે ભવસ્થિતિ અને કાયસ્થિતિના ભેદથી સ્થિતિ બે પ્રકારની હોય છે. કેઈપણ જન્મ પામીને તેમાં જઘન્ય અને ઉત્કૃષ્ટપણાથી જીવ જેટલા કાળ સુધી જીવતા રહે છે તે ભવસ્થિતિ છે. તથા વચમાં કોઈ બીજી જાતમાં જન્મધારણ કર્યા વિના કેઈ એક જ જાતિમાં અર્થાત્ પર્યાયમાં લાગઠ જન્મ ધારણ કરતાં રહેવું એ કાયસ્થિતિ છે. આ સ્થિતિને લઈને અહિયાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવો પ્રશ્ન કર્યો છે કે– હે ભગવદ્ નપુંસકે જે લાગઠ નપુંસક અવસ્થાવાળા જ થતા રહે છે તે કયાં સુધી નપુંસક અવસ્થાવાળા થતા રહે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે- જોગમા! વાવ માં ૩ોળ તારો” હે ગૌતમ! નપુંસકેની કાયસ્થિતિ જ ઘન્યથી એક સમયની છે, અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણુ-અને તકાળની છે. આ કથનનું તાત્પર્ય એ છે કે—કઈ જીવ ઉપશમ શ્રેણી પર આરૂઢ થાય અને ત્યાં તેણે નપુંસકવેદને ઉપશમ કરી દીધું અને પછી તે ત્યાંથી પતિત થાય ત્યારે તેને નપુંસકવેદને ઉદય થઈ ગયો અને તે ઉદય તેને ઓછામાં ઓછો એક સમય સુધી રહે અને પછી તેનું મરણ થઈ જાય છે તે આ સ્થિતિમાં મરીને દેવગતિમાં દેવ પણાથી ઉત્પન્ન થઈ જાય છે ત્યાં ઉત્પન્ન થયા પછી તેને પુરૂષ વેદને ઉદય થઈ જાય. અહિયાં જે ઉત્કૃષ્ટપણાથી વનસ્પતિકાળ પ્રમાણે તેને કાળ કહ્યો છે, તે આવલિકાના અસંખ્યાતમાં ભાગમાં સમયની જેટલી રાશી હોય એટલા પ્રમાણ અસખ્યાત પુદ્ગલ પરાવર્ત રૂપ છે. તેમાં અનંતઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી સમાપ્ત થઈ જાય છે. હવે સૂત્રકાર સામાન્યપણાથી નરયિક નપુંસકેની કાયસ્થિતિનું કથન કરે છે. - આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે –“જેરા નjauri મરે ” હે ભગવન્! નરયિક નપુંસકેની કાય સ્થિતિ કેટલાકાળની છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે –“ોય !somvi વારસદૃાડું તેરીd સાવોવમા”હે ગૌતમ! નરયિક નપુંસકેની કાયસ્થિતિ જઘન્યથી તે દસ હજાર વર્ષની છે અને ઉત્કૃષ્ટથી તેત્રીસ જીવાભિગમસૂત્ર ૧૬૬

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204