Page #1
--------------------------------------------------------------------------
________________
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા વિરચિત
પૂર્વસેવાદ્વાત્રિંશિકા
(૪)
શબ્દશઃ વિવેચન
બારમી બત્રીશી
વિવેચક : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
Page #2
--------------------------------------------------------------------------
________________
મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા વિરચિત દ્વાત્રિંશદ્વાત્રિંશિકા અંતર્ગત
પૂર્વસેવાદ્વાત્રિંશિકા
શબ્દશઃ વિવેચન
* મૂળ ગ્રંથકાર તથા ટીકાકાર * લઘુહરિભદ્રસૂરિ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા
• આશીર્વાદદાતા
વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. ૫. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા
ષગ્દર્શનવેત્તા, પ્રાવચનિકપ્રતિભાધારક સ્વ. પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન ૫. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા
* વિવેચનકાર મૂ
પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
→ સંકલન ૦ સ્મિતા ડી. કોઠારી
* પ્રકાશક
गीतार्थ, गंगा,
૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.
Page #3
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન
વિવેચનકાર છે પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વીર સં. ૨૫૩૫ જ વિ. સં. ૨૦૬૫ આવૃત્તિ : પ્રથમ જ નકલ ઃ ૩૦૦
મૂલ્ય : રૂ. ૬૫-૦૦
પર આર્થિક સહયોગ - | શ્રી પરમઆનંદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ,
વીતરાગ સોસાયટી, પાલડી, અમદાવાદ.
આ રકમ જ્ઞાનખાતામાંથી આવેલ છે.
: મુખ્ય પ્રાપ્તિસ્થાન :
કાતા , જિ
૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્લેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.
* મુદ્રક
નવરંગ પ્રિન્ટર્સ આસ્ટોડીયા, અમદાવાદ-૧. ફોન: (મો.) ૯૪૨૮૫૦૦૪૮૧ (ઘર) ૨૬૬૧૪૬૦૩
Page #4
--------------------------------------------------------------------------
________________
* અમદાવાદ :
ગીતાર્થ ગંગા
૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. * (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૯૧૧૪૭૧
: પ્રાપ્તિસ્થાન :
* મુંબઈ :
શ્રી નિકુંજભાઈ આર. ભંડારી વિષ્ણુ મહલ, ત્રીજે માળે,
ગરવારે પેવેલીયનની સામે, ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૨૦. (૦૨૨) ૨૨૮૧૪૦૪૮
શ્રી લલિતભાઈ ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, જવાહરલાલ નહેરુ રોડ, સર્વોદય પાર્શ્વનાથનગર,
જૈન દેરાસર પાછળ, મુલુંડ (વે), મુંબઈ-૮૦. * (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૬૦૩૦
* સુરત ઃ ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ,
બાબુ નિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. * (૦૨૬૧) ૩૨૨૮૬૨૩
* BANGALORE :
Shri Vimalchandji
C/o. J. NEMKUMAR & COMPANY Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-53. (080) (0) 22875262, (R) 22259925
શ્રી નટવરભાઈ એમ.શાહ(આફ્રિકાવાળા) ફ્લેટ નં. ૫૦૧, બ્લોક-એ, રિદ્ધિવિનાયક ટાવર, વિજયનગર રેલ્વે ક્રોસિંગની પાસે, નારણપુરા,
અમદાવાદ-૧૩,
* (૦૭૯) ૨૭૪૭૮૫૧૨
શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨/૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જ્વેલર્સની ઉપર, મલાડ (ઈ.), મુંબઈ-૪૦૦૦૯૭. * (૦૨૨) ૩૨૪૩૮૪૩૪ (મો.)૯૩૨૨૨૬૪૮૫૧
* જામનગર :
શ્રી ઉદયભાઈ શાહ
C/o. મહાવીર અગરબત્તી વર્કસ
C-9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે,
જામનગર-૩૬૧૦૦૧.
* (૦૨૮૮) ૨૬૭૮૫૧૩
* રાજકોટ :
શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા,
રાજકોટ-૩૬૦૦૦૧. - (૦૨૮૧) ૨૨૩૩૧૨૦
Page #5
--------------------------------------------------------------------------
________________
છે. પ્રકાશકીય - “ગીતાર્થ ગંગા"નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થભૂત તત્વોનાં રહસ્યોનું તય, વિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાગી બોધમાં સહાય મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે, ઘણાં સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યાં છે, અનેક શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સો સોને યોગ્ય કાર્યો સંભાળી રહ્યાં છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમ્યાન શ્રી સંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવક-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ સાહેબનાં તથા પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં જુદા જુદા વિષયો પરનાં અપાયેલાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચતો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ શ્રી સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટ નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચનોનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મુખ્ય લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દૃષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગત કારણે ઉપર્યુક્ત વિનંતી લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે.
તત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યમ્ જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત –
૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.
ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા
સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
ગીતાર્થ ગંગાના પ્રકાશનો
પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા (મોટા પંડિત મ. સા.)ના વ્યાખ્યાનના પુસ્તકો
૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર
પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા (પંડિત મ. સા.)ના વ્યાખ્યાનના તેમજ લેખિત સંપાદિત પુસ્તકો ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો ૨. ચોગદષ્ટિસમુચ્ચય ૩. કર્મવાદ કર્ણિકા ૪. સગતિ તમારા હાથમાં ! પ. દર્શનાચાર ૬. શાસન સ્થાપના ૭. અનેકાંતવાદ ૮. પ્રશ્નોત્તરી ૯. ચિત્તવૃત્તિ ૧૦. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૧. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૨. ભાગવતી પ્રવ્રજ્યા પરિચય ૧૩. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૪. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિનય, સિદ્ધિ, વિનિયોગ) १५. जैनशासन स्थापना ૧૬. વિત્તવૃત્તિ ૧૭. શ્રાવેલ્ડ રે વાર વ્રત કર્વ વિદ્યત્વે ૧૮. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૧૯. પ્રશ્નોત્તરી
Page #7
--------------------------------------------------------------------------
________________
૨૦. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૨૧. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ ૨૨. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? ૨૩. નિનશાસન સ્વતંત્ર ધર્મ યા સંપ્રદાય ? 28. Is Jaina Order Independent Religion or Denomination ? 24. Status of religion in modern Nation State theory ૨૬. ગૃહજિનાલય મહામંગલકારી ૨૭. શ્રી ઉપધાન માર્ગોપદેશિકા
4
2 संपादक :- प. पू. गणिवर्य श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार
ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી
૧. શ્રી સમેતશિખરજીની સંવેદના
સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ ૨. શ્રી નવપદ આરાધના વિધિ
સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ ૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!! (ગુજ.) સંકલનકર્તાઃ ધર્મતીર્થ રક્ષા સમિતિ ૪. સ્વતંત્ર ભારત મેં ઘર્મ પરતંત્ર !!!! (હિન્દી) સંકલનકર્તા: ધર્મતીર્થ રક્ષા સમિતિ ૫. Right to Freedom of Religion !!!!! સંકલનકર્તાઃ ધર્મતીર્થ રક્ષા સમિતિ
(અંગ્રેજી) ૬. રક્ષાધર્મ' અભિયાન (ગુજ.).
સંકલનકર્તાઃ ધર્મતીર્થ રક્ષા સમિતિ ૭. “Rakshadharma' Abhiyaan (અંગ્રેજી) સંકલનકર્તાઃ ધર્મતીર્થ રક્ષા સમિતિ
ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો
Rછે.
૧. ધર્મતીર્થ ભાગ-૧
૨. ધર્મતીર્થ ભાગ-૨
Page #8
--------------------------------------------------------------------------
________________
છે કે
ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત ae as
વિવેચનના ગ્રંથો
-
વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
જ
૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. ફૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્વાબિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાચિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્વાચિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન ૨૬. સાધુસામય્યદ્વાચિંશિકા-૬ શબ્દશઃ વિવેચન ૨૭. ભિક્ષદ્વાચિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાદ્વાચિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચન
Page #9
--------------------------------------------------------------------------
________________
૨૯. યોગદષ્ટિની સજ્ઝાય શબ્દશઃ વિવેચન
૩૦. કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન
૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન
૩૪. જિનમહત્ત્વદ્વાત્રિંશિકા-૪ શબ્દશઃ વિવેચન
૩૫. સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચન
૩૬. યોગલક્ષણદ્વાત્રિંશિકા-૧૦ શબ્દશઃ વિવેચન ૩૭. મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ૩૮. અપુનબંધકદ્વાત્રિંશિકા-૧૪ શબ્દશઃ વિવેચન ૩૯. યોગદૃષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪૦. યોગદૃષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૧. યોગદૃષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૩. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૪. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન ૪૫. દેવપુરુષકારદ્વાત્રિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચન ૪૬. તારાદિત્રયદ્વાત્રિંશિકા-૨૨ શબ્દશઃ વિવેચન ૪૭. કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ૪૮. સદૃષ્ટિદ્વાત્રિંશિકા-૨૪ શબ્દશઃ વિવેચન ૪૯. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫૦. માર્ગદ્વાત્રિંશિકા-૩ શબ્દશઃ વિવેચન ૫૧. દેશનાદ્વાત્રિંશિકા-૨ શબ્દશઃ વિવેચન ૫૨. જિનભક્તિદ્વાત્રિંશિકા-૫ શબ્દશઃ વિવેચન ૫૩. યોગાવતારદ્વાત્રિંશિકા-૨૦ શબ્દશઃ વિવેચન ૫૪. યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા-૨૬ શબ્દશઃ વિવેચન ૫૫. સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા-૩૨ શબ્દશઃ વિવેચન
Page #10
--------------------------------------------------------------------------
________________
‘દ્વાત્રિંશદ્વાત્રિંશિકા' ગ્રંથની ૧૨મી ‘પૂર્વસેવાદ્વાત્રિંશિકા'ના પદાર્થોની સંકલના
વિદ્યાસાધક વિદ્યાને સાધવા માટેનો પ્રારંભ કરતાં પૂર્વે જે પૂર્વભૂમિકાની પ્રવૃત્તિ કરે તે વિદ્યાસિદ્ધિ માટેની પૂર્વસેવા છે. તેમ મોક્ષની સિદ્ધિ અર્થે અધ્યાત્મ આદિ યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરનારા સાધકો અધ્યાત્મ આદિ યોગમાર્ગના પ્રારંભ પૂર્વે તેની ઉચિત ભૂમિકા સંપાદન કરવા અર્થે જે પ્રવૃત્તિ કરે તે યોગમાર્ગની પૂર્વસેવા કહેવાય.
યોગમાર્ગનો પ્રારંભ અધ્યાત્મથી થાય છે. તેથી પાંચમા ગુણસ્થાનકે રહેલા શ્રાવકથી યોગમાર્ગનો પ્રારંભ શાસ્ત્રથી સ્વીકારાય છે, તેની પૂર્વેની ચાર દૃષ્ટિમાં રહેલા અને અવિરત સમ્યગ્દષ્ટિ જીવો જે કાંઈ ધર્મની પ્રવૃત્તિ કરે છે, તે સર્વને પૂર્વસેવારૂપે સ્વીકારાય છે. આથી યોગબિન્દુમાં અપુનર્બંધકની યમ-નિયમની આચરણાને પણ પૂર્વસેવારૂપે સ્વીકારે છે.
પ્રસ્તુત બત્રીશીમાં અપુનર્બંધક અવસ્થામાં વર્તતા જીવો પ્રારંભિક કક્ષાની મોક્ષને અનુકૂળ જે ઉચિત પ્રવૃત્તિ કરે તેને પૂર્વસેવા તરીકે ગ્રહણ કરીને તેના ચાર ભેદો શ્લોક-૧માં બતાવે છે.
(૧) ગુરુદેવાદિનું પૂજન,
(૨) સદાચાર,
(૩) તપ, અને
(૪) મુક્તિઅદ્વેષ.
શ્લોક-૧માં ચાર પ્રકારની પૂર્વસેવા બતાવ્યા પછી ‘ગુરુ’ શબ્દથી કોને ગ્રહણ કરવાના છે, તે શ્લોક-૨માં બતાવેલ છે, તેમનું પૂજન શ્લોક-૩માં બતાવેલ છે અને તેમનું પૂજન કરનારાએ કેવું ઉચિત વર્તન કરવું જોઈએ ? તે શ્લોક-૪-૫માં બતાવેલ છે.
અહીં ગુરુવર્ગ તરીકે માતા-પિતા, કલાચાર્ય, તેના જ્ઞાતિજનો અને ધર્મઉપદેશ આપનારા પુરુષોનું ગ્રહણ કરેલ છે, અને તેઓ સાથે કેવું ઉચિત વર્તન કરવું
Page #11
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાત્રિંશિકા/સંકલના
જોઈએ, તેનું વર્ણન શ્લોક-૩ થી ૫માં કરેલ છે. ધર્માદિ પુરુષાર્થનો બાધ થતો હોય ત્યારે તેમની આજ્ઞાનું પાલન વિવેકપૂર્વક ગૌણ કરીને ધર્માદિ પુરુષાર્થ સાધવા જોઈએ તેમ કહેલ છે.
૨
ગુરુનું પૂજન બતાવ્યા પછી દેવનું પૂજન કેવી રીતે કરવું જોઈએ તે શ્લોક-૬માં બતાવેલ છે.
વળી, આદ્યભૂમિકાવાળા જીવોને મધ્યસ્થ બુદ્ધિ વિકસાવવા અર્થે જ્યાં સુધી દેવતાવિશેષનો બોધ ન થાય ત્યાં સુધી ગુણવાનની ભક્તિ કરવાનો પરિણામ થાય અને અવિચારક રીતે સ્વ અભિમત એવા દેવ પ્રત્યેના પક્ષપાતનો પરિણામ ન થાય. તે માટે સર્વ દેવોને નમસ્કાર કરવાનું વિધાન શ્લોક-૭માં કરેલ છે.
વળી, સર્વ દેવોને નમસ્કાર કરવાથી આદ્યભૂમિકાવાળા જીવોને કઈ રીતે લાભ થાય છે, તેનું સ્પષ્ટીકરણ શ્લોક-૮માં બતાવેલ છે.
જોકે બધા દેવો મોક્ષમાર્ગને બતાવનાર નથી, તેથી બધાને સમાન રીતે નમસ્કાર કરવાનું કઈ રીતે ઉચિત ગણાય ? તેવી શંકા કરીને શ્લોક-૯માં સ્પષ્ટતા કરી કે આદિધાર્મિક જીવોને વિશેષથી આ ૨ીતે જ માર્ગપ્રાપ્તિરૂપ ફળની પ્રાપ્તિ થાય છે.
વળી, સર્વ દેવોને નમસ્કાર કરતાં કરતાં અરિહંત આદિ દેવો જ વિશેષ ગુણવાળા છે, અન્ય નહિ; તેવો નિર્ણય થાય ત્યારે અન્ય દેવો પ્રત્યે દ્વેષનો ત્યાગ કરીને, અરિહંતની ઉપાસના કરવી જોઈએ, એમ શ્લોક-૧૦માં બતાવેલ છે.
અન્ય દેવો પ્રત્યે દ્વેષના વર્જનનું કહેવાથી એ ફલિત થાય કે કોઈપણ દર્શનમાં રહેનાર જીવો હીન ગુણવાળા હોય કે કોઈપણ દર્શનના દેવો ભગવાન જેવા વિશિષ્ટ ગુણવાળા ન હોય, તેઓ પ્રત્યે દ્વેષ કરવાથી મહાપાપની પ્રાપ્તિ થાય છે. માટે સ્વદર્શન પ્રત્યે અવિચારક રાગ અને અન્ય દર્શન પ્રત્યે દ્વેષ જેઓ ધરાવે છે, તેઓ તત્ત્વના પક્ષપાતી નથી; પરંતુ કષાયને પરવશ છે. માટે તત્ત્વના પક્ષપાતી જીવોએ કોઈપણ દર્શનમાં રહેલા હીનગુણવાળા હોય તોપણ તેઓ પ્રત્યે દ્વેષ કરવો ઉચિત નથી.
Page #12
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/સંકલના
વળી, શ્લોક-૧માં ચાર પ્રકારની પૂર્વસેવા બતાવતાં ગુરુદેવાદિ પૂજનરૂપ પ્રથમ પૂર્વસેવાનો ભેદ બતાવ્યો. તેમાં ગુરુદેવાદિના પૂજનમાં આદિ પદથી કોને ગ્રહણ કરવાના છે, તે બતાવવા અર્થે શ્લોક-૧૧માં બતાવ્યું, કે પાત્રમાં અને દીનાદિ વર્ગમાં પોષ્યવર્ગના અવિરોધથી દાન આપવું તે પણ પૂજનીય એવા સુપાત્રની ભક્તિના અંગરૂપ છે, અને તેથી શ્લોક-૧૨માં પૂજનીય એવા લિંગીઓનું સ્વરૂપ બતાવ્યું અને દિનાદિ વર્ગનું સ્વરૂપ બતાવ્યું.
શ્લોક-૧૨ સુધીમાં પ્રથમ પૂર્વસેવાનું સ્વરૂપ બતાવ્યા પછી સદાચારરૂપ બીજી પૂર્વસેવા બતાવે છે. તેમાં શ્લોક-૧૩ અને ૧૪માં આદિધાર્મિકના સદાચારોનું વિશેષ સ્વરૂપ બતાવે છે. ત્યારપછી શ્લોક-૧૭થી ૨૧ સુધી આદિધાર્મિકને કરવા યોગ્ય તપનું સ્વરૂપ બતાવેલ છે.
શ્લોક-૨૨ થી ૩૨ સુધી મુક્તિઅદ્વેષનું સ્વરૂપ બતાવેલ છે અને મુક્તિઅષનું સ્વરૂપ બતાવતાં મોક્ષ ભોગસંક્લેશથી રહિત કર્મક્ષયરૂપ છે, તેમ બતાવેલ છે. મોક્ષ સર્વ સંક્લેશરહિત આત્માની સુખમય અવસ્થારૂપ છે, આમ છતાં દૃઢ અજ્ઞાનને કારણે મોક્ષ ભોગસામગ્રી વગરનો હોવાથી સુખરૂપ નથી, એવો બોધ થવાથી જીવને મુક્તિનો દ્વેષ થાય છે.
વળી, જેઓને ભવનાં ભૌતિક સુખો પ્રત્યે અત્યંત રાગ છે, તેઓને મોક્ષમાં ભોગસુખનો અભાવ હોવાથી મોક્ષ અસાર જણાય છે તેથી મોક્ષ પ્રત્યે દ્વેષ વર્તે છે અને મોક્ષ પ્રત્યે દ્વેષ હોવાને કારણે મોક્ષને અસાર કહેનારા અર્ધવિચારક લોકોનાં વચનો ગ્રંથકારે શ્લોક-૨૪-૨૫માં બતાવેલ છે અને મોક્ષ પ્રત્યેનો દ્વેષ જીવ માટે અત્યંત અનર્થકારી છે અને જે જીવોનો સહજમલ અલ્પ થયો છે, તેઓને ભવ પ્રત્યે અનુત્કટ રાગ વર્તે છે. તેથી મોક્ષ પ્રત્યે અદ્વેષ વર્તે છે. આ રીતે મોક્ષના અષનું સ્વરૂપ બતાવ્યા પછી જિજ્ઞાસા થાય કે સહજમલ અલ્પ થવાના કારણે મુક્તિઅદ્વેષ પ્રગટે છે તો તે સહજમલ શું છે ? તેથી આત્મામાં કર્મબંધની યોગ્યતારૂપ યોગ અને કષાયરૂપ સહજમલ છે, તે શ્લોક-૨૭માં બતાવેલ છે.
વળી, આ સહજમલ ન સ્વીકારીએ તો મુક્ત આત્મા અને સંસારી આત્મામાં કોઈ ભેદની પ્રાપ્તિ ન થાય, અને સંસારી આત્માની જેમ મુક્ત આત્મામાં પણ કર્મબંધની પ્રાપ્તિ થાય. એ પ્રકારે શ્લોક-૨૭માં યુક્તિથી સ્થાપન કરેલ છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્ધાત્રિશિકા/સંકલના ત્યાં જિજ્ઞાસા થાય કે સંસારી જીવો કર્મબંધવાળા છે અને મુક્ત જીવો કમરહિત છે. તેથી સંસારી જીવોને કર્મબંધ થાય છે, મુક્ત જીવોને કર્મબંધ થતો નથી, તેમ સ્વીકારીએ અને સહજમલ ન સ્વીકારીએ તો શું વાંધો ? તેનું યુક્તિથી સમાધાન કરતાં શ્લોક-૨૮માં સ્થાપન કર્યું કે જો મુક્ત આત્મામાં કર્મબંધની યોગ્યતાનો ક્ષય ન થયો હોય તો મુક્ત આત્માને પણ કર્મબંધની પ્રાપ્તિ થાય. તેથી નક્કી થાય છે કે સંસારી જીવોમાં કર્મબંધની યોગ્યતાનો ક્ષય થયો નથી, માટે સંસારી જીવો કર્મ બાંધે છે. તેથી એ ફલિત થાય કે સંસારી જીવો કર્મવાળા છે, એટલા માત્રથી કર્મ બાંધતા નથી, પરંતુ સિદ્ધના જીવો કરતાં કર્મબંધની યોગ્યતારૂપ વિલક્ષણ પરિણામવાળા પણ છે, માટે કર્મ બાંધે છે, અને સિદ્ધના જીવો કર્મથી બંધાયેલા નથી અને કર્મબંધને અનુકૂળ એવી યોગ્યતાવાળા પણ નથી, માટે સિદ્ધના જીવો કર્મ બાંધતા નથી.
વળી, સંસારી જીવોમાં કર્મબંધને અનુકૂળ એવી યોગ્યતારૂપ ભાવમલ છે. તેને અન્ય દર્શનકારો દિક્ષા આદિ શબ્દથી કહે છે. તે શ્લોક-૨૯માં બતાવેલ છે. તેથી સંસારનું કારણ માત્ર કર્મનો બંધ નથી, પરંતુ કર્મબંધની યોગ્યતા પણ છે, એ કથન સર્વ દર્શનકારો ભિન્ન ભિન્ન શબ્દથી માને છે, તેમ સિદ્ધ થાય છે.
વળી, આ કર્મબંધની યોગ્યતારૂપ ભાવમલ ભવ્ય જીવોને દૂર દૂરના પુદ્ગલ પરાવર્તમાં ઘણો હોય છે અને પ્રતિ પુદ્ગલ પરાવર્તમાં તેનો કંઈક હ્રાસ થાય છે, અને યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બને તેટલા પ્રમાણમાં ભાવમલની અલ્પતા થાય છે ત્યારે જીવ ચરમાવર્તમાં આવે છે તેમ કહેવાય છે; અને તે ભાવમલની અલ્પતાને કારણે મુક્તિઅદ્વેષ પ્રગટે છે અને ક્રમે કરીને સામગ્રી મળતાં મુક્તિરાગ પ્રગટે છે, અને તે મુક્તિનો રાગ ઉત્કર્ષને પામતો મુક્તિના ઉપાયોમાં પ્રવૃત્તિ કરાવીને સંસારના ઉચ્છેદનું કારણ બને છે.
અહીં કોઈને શંકા થાય કે કલ્યાણની પરંપરાનું કારણ એવો જે મુક્તિઅદ્વેષ છે, તેને મુક્તિરાગ સ્વીકારીએ તો શું વાંધો? તેથી શ્લોક-૩૧-૩૨માં મુક્તિઅદ્વેષ મુક્તિરાગરૂપ નથી, તે યુક્તિથી સ્થાપન કરેલ છે. વળી, મુક્તિનો અદ્વેષ એક પ્રકારનો છે, જ્યારે મુક્તિનો રાગ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદથી ત્રણ
Page #14
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાત્રિંશિકા/સંકલના
૫
પ્રકારનો છે, અને મુક્તિના રાગના ત્રણ પ્રકારના ભેદથી અને મુક્તિના ઉપાયના સેવનના ભેદથી નવ પ્રકારના યોગીની પ્રાપ્તિ છે તે શ્લોક-૩૧માં વિસ્તારથી બતાવેલ છે. તેથી મુક્તિરાગવાળા યોગીના સર્વ ભેદોની પ્રાપ્તિનું સ્વરૂપ શ્લોક-૩૧માં પ્રાપ્ત થાય છે અને મુક્તિઅદ્વેષ અને મુક્તિરાગ ક્રમે કરીને મોક્ષનું કારણ છે, તે શ્લોક-૩૨માં બતાવેલ છે.
છદ્મસ્થતાને કારણે આ ગ્રંથના વિવેચનમાં વીતરાગ પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે ‘મિચ્છા મિ દુક્કડં’ માંગું છું.
વિ. સં. ૨૦૬૪, આસો સુદ-૧૦
તા. ૯-૧૦-૨૦૦૮, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭.
事
38
– પ્રવીણચંદ્ર ખીમજી મોતા
Page #15
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/સંપાદિકનું કથન
(સંપાદિકાનું કથન. લગભગ ૩૨૦ વર્ષ પૂર્વે સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં સમૃદ્ધ અને વૈવિધ્ય પૂર્ણ સાહિત્ય સર્જનને કારણે ઉપાધ્યાય યશોવિજયજીને ‘લઘુ હરિભદ્ર' કે બીજા હેમચંદ્રાચાર્ય તરીકે ઓળખવામાં આવે છે. એટલુંજ નહિ કલિકાલમાં પણ ભદ્રબાહુસ્વામી આદિશ્રુતકેવલીઓનું સ્મરણ કરાવે એવા એ મહાન શ્રતધર થયા એ રીતે પણ ઓળખવામાં આવે છે.
દ્વાáિશદ્ધાત્રિશિકા ગ્રંથની ૧૨મી બત્રીશી “યોગની પૂર્વસેવા” બત્રીશી છે. જેમ કોઈપણ ક્ષેત્રમાં પ્રારંભ પૂર્વે તેની પૂર્વભૂમિકા જરૂરી છે તેમ સાધકને યોગમાર્ગમાં પ્રવેશ કરાવવા પૂર્વે તેની ઉચિત ભૂમિકા સંપાદન કરવા યોગની પૂર્વસેવામાં પ્રવેશ કરવો જરૂરી છે. તે માટે સાધક ગુરુ-દેવાદિનું પૂજન કરે, સદાચારનું સેવન કરે, તપ કરે, અને મુક્તિનો અદ્વેષ હોય તો જ સાધક અધ્યાત્મ આદિ યોગમાર્ગના પ્રારંભ માટે અધિકારી બને છે તેનું સુંદર નિરૂપણ આ ગ્રંથમાં કરેલ છે.
ગુરુવર્ગ તરીકે માતા-પિતા, કલાચાર્ય, જ્ઞાતિજનો અને ધર્મઉપદેશકોને ગ્રહણ કરવાનાં છે અને દેવાદિના પૂજનમાં અરિહંતની ઉપાસના કરતી વખતે અન્ય દેવો પ્રત્યેના દ્વેષનો ત્યાગ કરવાનો છે. વળી, આદિધાર્મિક જીવોએ સર્વદેવોનું પૂજન કરવું જોઈએ, પાત્રમાં દાન આપવું જોઈએ અને દીનમાં પણ વિવેકપૂર્વકનું દાન આપવું જોઈએ વગેરે બાબતોનું પૂ. પ્રવિણભાઈ મોતાએ સુંદર વિવેચન કરેલ છે. વળી, આત્મા અનાદિનો છે અને અનાદિકાળથી આત્મામાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગરૂપ કર્મબંધની યોગ્યતારૂપ ભાવમલ ઘણો છે. જે દરેક પુદ્ગલ પરાવર્તમાં ઘટે છે તેમ તેમ ભવ પ્રત્યે અનુત્કટ રાગ પ્રવર્તે છે અને મોક્ષ પ્રત્યે અદ્વેષ વર્તે છે. વળી, આ મુક્તિઅદ્દેષ મુક્તિરાગરૂપ નથી તેનું યુક્તિથી સ્થાપન કરેલ છે.
આ ગ્રંથમાં સતત પ્રેરણા આપવા બદલ પૂ.સા.શ્રી. ચારુનંદિતાશ્રીજી મ.સા.નો ઉપકાર ભૂલી શકાય તેમ નથી. મુફ સંશોધન અને પદાર્થની સ્પષ્ટતા માટે જરૂરી સૂચનો આપવા બદલ પૂ. શાંતિલાલ શિવલાલ શાહનો સુંદર સહયોગ મળવા બદલ હું ધન્યતા અનુભવું છું.
ગ્રંથકારશ્રી અને વિવેચનકારશ્રીના આશયથી અને જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ જે કાંઈ લખાયું હોય તે બદલ મિચ્છા મિ દુક્કડમ્.
આ પૂર્વસેવાબત્રીશી'નું વાંચન યોગમાર્ગના પ્રારંભ પૂર્વેની પૂર્વભૂમિકામાં પણ આપણો હજુ પ્રવેશ થયો છે કે કેમ તે જાણવા માટે આપણને માર્ગદર્શક બને છે. આ પૂર્વસેવાની બત્રીશીનું સતત ચિંતન-મનન અને આચરણ આપણને સૌને શીધ્ર યોગમાર્ગમાં પ્રારંભ કરવામાં માર્ગદર્શક બને એ જ અપેક્ષા. વિ.સં. ૨૦૬૪, આસો સુદ-૧૦,
– સ્મિતા ડી. કોઠારી ગુરુવાર, ૯-૧૦-૨૦૦૮. ૧૨, બેંક ઓફ ઈન્ડિયા સોસાયટી, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦ ૦૧૩.
Page #16
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/અનુક્રમણિકા
( અનુક્રમણિકા
૪-૧
૪-૫
છે , હું
છું
બ્લિોક નં.
વિષય
પાના નં.] ૧. પૂર્વસેવાના ચાર ભેદો.
૧-૨ ૨થી ૧૨. | ગુરુદેવાદિ પૂજનરૂપ પૂર્વસેવાનું સ્વરૂપ.
૩-૨૭ ગુરુવર્ગનું સ્વરૂપ.
૩-૪ ગુરુવર્ગના પૂજનનું સ્વરૂપ. ગુરુવર્ગ સાથે કર્તવ્ય ઉચિત પ્રવૃત્તિ.
૯-૧૧ દેવોનાં પૂજનનું સ્વરૂપ.
૧૧-૧૨ આદિધાર્મિકને સર્વ દેવો ઉપાય.
૧૨-૧૪ સર્વ દેવોની ઉપાસનાથી આદિધાર્મિકને થતા લાભો. ૧૪-૧૭ સર્વ દેવોને નમસ્કાર કરવાથી આદિધાર્મિક જીવોને માર્ગની પ્રાપ્તિ.
૧૦-૨૦ દેવવિષયક વિશેષ બોધ થયા પછી ગુણાધિક એવા દેવની ઉપાસનાની વિધિ અને અન્ય દેવો પ્રત્યે દ્વેષના વર્જનની વિધિ. આદિધાર્મિકને કર્તવ્ય એવા દાનનું સ્વરૂ૫.
૨૨-૨૪ ૨. આદિધાર્મિકને આશ્રયીને પાત્ર અને અનુકંપ્યનું સ્વરૂપ.
૨૪-૨૭ ૧૩થી ૧૭. સદાચારરૂપ પૂર્વસેવાનું સ્વરૂપ.
૨૭-૩૪ ૧૭થી ૨૧. તમરૂપ પૂર્વસેવાનું સ્વરૂપ. ૨૨થી ૩૨. મુક્તિઅદ્દેષરૂપ પૂર્વસેવાનું સ્વરૂપ.
૪૫-૮૩ મોક્ષનું સ્વરૂપ અને મોક્ષમાં દ્વેષ કરવાનું કારણ. ૪પ-૪૭ મોક્ષમાં અનિષ્ટ બુદ્ધિ થવાનું કારણ.
૪૭-૫૦ મોક્ષમાં વેષને અભિવ્યક્ત કરનાર લૌકિક વચન. ૫૦-પ૨ મોક્ષમાં દ્વેષને અભિવ્યક્ત કરનાર શાસ્ત્રવચન. પર-પ૩
૨૦-૨૨
૧૧.
૩૫-૪૫
ته
૨૩.
૨૪.
૨૫.
Page #17
--------------------------------------------------------------------------
________________
૨૬.
૨૮.
૨૯.
૩૦.
પૂર્વસેવાદ્રાસિંશિકા/અનુક્રમણિકા બ્લોક . | વિષય
| પાના નં.) સહજમલની અલ્પતાને કારણે મોક્ષના અષની પ્રાપ્તિ.
પ૩-પક સહજમલનું સ્વરૂપ, સહજમલ સ્વીકારવાની યુક્તિ. |
પ૧-૭૧ સહજમલ સ્વીકારવાની અન્ય યુક્તિ.
૯૧-૯૯ સહજમલને કહેનારાં અન્ય દર્શનનાં વચનો. | ૬૯-૭૦ ભવ્ય જીવોમાં દરેક પુલપરાવર્તિમાં સહજમલનો હૃાસ. મુક્તિઅષથી અને મુક્તિરાગથી કલ્યાણની પરંપરા ૭૦-૭૩ મુક્તિરાગથી પૃથમુક્તિઅષના સ્વીકારની યુક્તિ. મુક્તિરાગને આશ્રયીને નવ પ્રકારના યોગીભેદની પ્રાપ્તિ. મુક્તિઅષમાં ભેદનો અભાવ. મુક્તિરાગ કરતાં મુક્તિઅદ્વેષથી મોક્ષની પ્રાપ્તિમાં વિલંબ.
૮૦-૮૩
૦૩-૮૦
૩૨.
Page #18
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/સંક્ષિપ્ત ટી
૧મી પૂર્વસેવાાત્રિશિકાની સંક્ષિપ્ત ટ્રી
(૧) યોગની પૂર્વસેવા
મુક્તિઅદ્વેષ
ગુરુદેવાદિનું પૂજન સદાચાર તપ
(૨) ગુરુદેવાદિ રૂપ યોગની પૂર્વસેવાનું સ્વરૂપ
ગુરુનું પૂજન
દેવનું પૂજન
સુપાત્રની ભક્તિ
દિનાદિ વર્ગની અનુકંપા
ત્રિસંધ્યનમન પુષ્પ પર્યાપાસના
વિલેપન અવર્ણનું ધૂપ અશ્રવણ, નૈિવૈદ્ય નામશ્લાઘા શોભન એવા ઉત્થાન, સ્તવન વડે આસન અર્પણ. શૌચ શ્રદ્ધાદિપૂર્વક.
અન્ય દર્શનના દેવો પ્રત્યે દ્વેષના વર્જનપૂર્વક,
Page #19
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/સંક્ષિપ્ત ટ્રી (૩) સદાચારરૂપનું યોગની પૂર્વસેવાનું સ્વરૂપ
યોગની પૂર્વસેવાના ગુણો ૧. સુદાક્ષિણ્ય
૧૦. અવિરુદ્ધ એવા કુલાચારાદિનું પાલન ૨. દયાળુપણું
૧૧. મિતભાષિતા ૩. દીનનો ઉદ્ધાર
૧૨. લોકનિંદિત કૃત્યોમાં અપ્રવૃત્તિ ૪. કૃતજ્ઞતા ગુણ
૧૩. પ્રધાનકાર્યમાં આગ્રહ ૫. જનાપવાદભીરૂપણું
૧૪. સવ્યય ૬. ગુણવાન પુરુષમાં રાગ ૧૧. અધ્યયનો ત્યાગ ૭. સર્વત્ર નિંદાનો ત્યાગ
૧૬. ઉચિત એવી લોકઅનુવૃત્તિ ૮. આપત્તિમાં અદીનપણું ૧૭. પ્રમાદનું વર્જન ૯. સત્યપ્રતિજ્ઞાપણું
(૪) તપરૂપ યોગની પૂર્વસેવાનું સ્વરૂપ
ચાંદ્રાયણતપ
કચ્છતા
મૃત્યુનતપ
પાપસૂદનતપ
એક માસના ઉપવાસ
મંત્રસ્મરણરૂપ મંત્રજપ બહુલ છે.
શુક્લપક્ષમાં એક સંતાપન કૃછૂતપ એક કોળિયો પાદ કચ્છતા વધારે અને સંપૂર્ણ કચ્છતા કૃષ્ણપક્ષમાં એક એક કોળિયો ઘટાડે.
(૫) મુક્તિરાગના ઉપાયનાં ભેદો
T
૧. મૃદુ ઉપાય-મૃદુ સંવેગ ૪. મૃદુ ઉપાય-મધ્ય સંવેગ ૨. મધ્ય ઉપાય-મૃદુ સંવેગ ૫. મધ્ય ઉપાય-મધ્ય સંવેગ ૩. ઉત્કૃષ્ટ ઉપાય-મૃદુ સંવેગ ૯. ઉત્કૃષ્ટ ઉપાય-મધ્ય સંવેગ
૭. મૃદુ ઉપાય-ઉત્કૃષ્ટ સંવેગ ૮. મધ્ય ઉપાય-ઉત્કૃષ્ટ સંવેગ ૯. ઉત્કૃષ્ટ ઉપાય-ઉત્કૃષ્ટ સંવેગ
Page #20
--------------------------------------------------------------------------
________________
ॐ ह्रीँ श्रीशद्धेश्वरपार्श्वनाथाय नमः ।
નમ: -
न्यायविशारद-न्यायाचार्य-श्रीमद्यशोविजयोपाध्यायविरचिता
स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका
अन्तर्गत પૂર્વસેવાáિશિol-૧૨
દસમી-અગિયારમી બત્રીશી સાથે પ્રસ્તુત “પૂર્વસેવાબત્રીશી'નો સંબંધ :
इत्थं विचारितलक्षणस्य योगस्य प्रथमोपायभूतां पूर्वसेवामाह - અર્થ -
આ રીતે=દસમી બત્રીશીમાં યોગનું લક્ષણ કર્યું અને અગિયારમી બત્રીશીમાં પાતંજલના યોગના લક્ષણ સાથે તેની વિચારણા કરી એ રીતે, વિચારણા કરાયેલા લક્ષણવાળા યોગના પ્રથમ ઉપાયભૂત પૂર્વસેવાને કહે છે–પ્રસ્તુત બત્રીશીમાં કહે છે – ભાવાર્થ :
બત્રીશી-૧૦માં ગ્રંથકારે યોગનું લક્ષણ બતાવ્યું અને તે યોગના લક્ષણથી યોગના વિશેષ સ્વરૂપનો બોધ કરાવવા અર્થે પાતંજલઋષિએ કરેલ યોગના લક્ષણ સાથે પોતાના કરાયેલા યોગના લક્ષણની ગ્રંથકારે પૂર્વની બત્રીશીમાં વિચારણા કરી. હવે તે યોગના પ્રથમ ઉપાયભૂત એવી પૂર્વસેવા શું છે, તેના સ્વરૂપને બતાવવા અર્થે કહે છે –
Page #21
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૧
શ્લોક :
पूर्वसेवा तु योगस्य गुरुदेवादिपूजनम् ।
सदाचारस्तपो मुक्त्यद्वेषश्चेति प्रकीर्तिताः ।।१।। અન્વયાર્થ :
ગુરુદેવાવિપૂનન—ગુરુદેવાદિનું પૂજન, સવાવીર =સદાચાર, તપ =તપ, ચ= અને મુવત્યષ =મુક્તિઅદ્વેષ, કૃતિ એ પ્રમાણે સુકવળી, યોજાચ પૂર્વસેવાયોગની પૂર્વસેવા પ્રવર્તિતા =કહેવાયેલી છે. [૧] શ્લોકાર્ચ -
ગુરુદેવાદિનું પૂજન, સદાચાર, તપ અને મુક્તિઅદ્વેષ, એ પ્રમાણે વળી યોગની પૂર્વસેવા કહેવાયેલી છે. [૧] ટીકા :
પૂર્વસેવા વિંતિ-સ્પષ્ટ: જારા ટીકાર્ય :
શ્લોક સ્પષ્ટ છે માટે ટીકા નથી. ભાવાર્થ :
કોઈ વિદ્યાસાધક વિદ્યાની સિદ્ધિ કરવાનો પ્રારંભ કરે તે પહેલાં તેની પૂર્વતૈયારી રૂપે પૂર્વસેવા કરે છે અને ત્યારપછી વિદ્યા સાધવા માટેનો પ્રારંભ કરે છે.
જેમ વિદ્યાસાધક વિદ્યાસિદ્ધિ માટે યત્ન કરે છે, તેમ મોક્ષનો અર્થી જીવ મોક્ષની સિદ્ધિ માટે યત્ન કરે છે. વળી વિદ્યાસિદ્ધિનો ઉપાય જેમ તે વિદ્યાની વિશિષ્ટ વિધિ છે તેમ મોક્ષસિદ્ધિનો ઉપાય યોગમાર્ગ છે. વિદ્યાસાધક વિદ્યાની સિદ્ધિ માટે જેમ વિદ્યાની વિશિષ્ટ વિધિમાં યત્ન કરે છે, તેમ મોક્ષસાધક યોગી મોક્ષની સિદ્ધિ માટે યોગમાર્ગમાં યત્ન કરે છે; અને વિદ્યાસાધક વિદ્યાની વિશિષ્ટ સિદ્ધિમાં યત્ન કરે તેની પૂર્વે પૂર્વસેવામાં યત્ન કરે છે, તેમ મોક્ષસાધક યોગી યોગમાર્ગમાં યત્ન કરે તેની પૂર્વે મોક્ષના ઉપાયભૂત યોગમાર્ગમાં યત્ન
Page #22
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૧-૨ કરવા અર્થે પૂર્વસેવામાં યત્ન કરે છે; અને વિદ્યાસાધક પૂર્વસેવાથી સંપન્ન થયા પછી વિદ્યા સાધવા માટે બેસે છે, તેમ પૂર્વસેવાના સેવનથી સાધકની ભૂમિકાથી સંપન્ન થયેલો યોગી મોક્ષને સાધવા અર્થે યોગમાર્ગમાં યત્ન કરે છે. તેથી યોગને સાધવા પૂર્વે જે કરાય તે પૂર્વસેવા છે, અને તેના ચાર ભેદો છે : (૧) ગુરુદેવાદિનું પૂજન, (૨) સદાચાર, (૩) તપ, અને (૪) મુક્તિઅદ્વેષ.
આ ચારે ભેદો ગ્રંથકાર સ્વયં આગળ વિસ્તારથી કહે છે. આવા અવતરણિકા :
પૂર્વશ્લોકમાં પૂર્વસેવાના ચાર ભેદો બતાવ્યા. તેથી હવે તે ચાર ભેદોમાંથી ગુરુદેવાદિ પૂજનરૂપ પૂર્વસેવાને બતાવવા અર્થે પૂજનના વિષયભૂત ગુરુવર્ગ કોણ છે, તે પ્રથમ બતાવે છે – શ્લોક :
माता पिता कलाचार्य एतेषां ज्ञातयस्तथा ।
वृद्धा धर्मोपदेष्टारो गुरुवर्गः सतां मतः ।।२।। અન્વયાર્ચ :
માતા પિતા નીવાર્થ =માતા, પિતા, કલાચાર્ય, તેવાં જ્ઞાતી:=એમની જ્ઞાતિઓમાતા, પિતા, કલાચાર્યની જ્ઞાતિઓ, તથા=અને વૃદ્ધાથર્મોપદાર:વૃદ્ધ એવા ધર્મના ઉપદેશ દેનારા મુતવૃદ્ધ અને વયોવૃદ્ધ એવા ધર્મના ઉપદેશ દેનારા પુસવ સતાં મત=ગુરુવર્ગ સંતોને સંમત છે. રા. શ્લોકાર્ચ -
માતા, પિતા, કલાચાર્ય, અને એમની જ્ઞાતિઓમાતા, પિતા, ક્લાચાર્યનાં જ્ઞાતિઓ અને વૃદ્ધ એવા ધર્મના ઉપદેશ દેનારા=શ્રુતવૃદ્ધ અને વયોવૃદ્ધ એવા ધર્મના ઉપદેશ દેનારા, ગુરુવર્ગ સંતોને સંમત છે. રા
Page #23
--------------------------------------------------------------------------
________________
४
ટીકા ઃ
मातेति वृद्धाः श्रुतवयोवृद्धलक्षणाः । गुरुवर्गो गौरववल्लोकसमुदायः ।। २ ।।
ટીકાર્ય ઃ
પૂર્વસેવાદ્વાત્રિંશિકા/બ્લોક-૨-૩
વૃદ્ધા.....સમુહાય:।। શ્લોકમાં બતાવેલ વૃદ્ધ અને ગુરુવર્ગનો અર્થ સ્પષ્ટ કરે છે
-
વૃદ્ધો એટલે શ્રુતવૃદ્ધ અને વયોવૃદ્ધરૂપ વૃદ્ધો. ગુરુવર્ગ એટલે ગૌરવવાળો લોકોનો સમુદાય=આદરપાત્ર એવા લોકોનો સમુદાય. IIII
ભાવાર્થ :
માતા-પિતા, કલાચાર્ય તેમજ માતા, પિતા અને કલાચાર્યના જ્ઞાતિજનો, શ્રુતવૃદ્ધ અને વયોવૃદ્ધ એવા ધર્મનો ઉપદેશ આપનારા આદર કરવા યોગ્ય એવા લોકોનો સમુદાય ગુરુવર્ગ છે. IIII
અવતરણિકા :
શ્લોક-૧માં ચાર પ્રકારની પૂર્વસેવા બતાવી. તેમાંથી પ્રથમ પ્રકારની પૂર્વસેવા ગુરુદેવાદિના પૂજનરૂપ છે તેમ કહ્યું. તેથી જિજ્ઞાસા થાય કે પૂજનના વિષયભૂત ગુરુ કોણ છે ? તેથી શ્લોક-૨માં ગુરુવર્ગ બતાવ્યો – હવે તે ગુરુવર્ગનું પૂજન શું છે ? તે બતાવે છે -
શ્લોક ઃ
पूजनं चास्य नमनं त्रिसन्ध्यं पर्युपासनम् । अवर्णाश्रवणं नामश्लाघोत्थानासनार्पणे ।।३।।
અન્વયાર્થ :
ચ અસ્ય=અને આમનું=ગુરુવર્ગનું, ત્રિપ્તસ્થ્ય નમનં=ત્રિસવ્થા તમન, પર્વપાસન=પર્યુપાસના, અવર્ણાશ્રવi=અવર્ણવાદનું અશ્રવણ, નામમ્નાયા= નામની શ્લાઘા, ઉત્થાનાસનાર્થને=ઉત્થાન અને આસનનું અર્પણ પૂનનં= પૂજન છે. ।।૩।।
Page #24
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/બ્લોક-૩ શ્લોકાર્ચ -
અને આમનું ગુરુવર્ગનું, ત્રિસંધ્યાનમન, પર્યાપાસના, અવર્ણનું અશ્રવણ-ગુરુવર્ગના અવર્ણવાદનું અશ્રવણ, નામની ગ્લાઘા, ઉત્થાન અને આસનનું અર્પણ પૂજન છે. Il3II ટીકા :
पूजनमिति-नमनं कदाचिद् द्रव्यतः तदभावेऽपि भावतो मनस्यारोपणेन, नाम्नः श्लाघा स्थानास्थानग्रहणाग्रहणाभ्यां, उत्थानासनार्पणे अभ्युत्थानासनप्रदाने आगतस्येति गम्यम् ।।३।। ટીકાર્ય :
નમનં..સીન્ા ક્યારેક દ્રવ્યથી, અને તેના અભાવમાં પણ ગુરુવર્ગના અભાવમાં પણ, ભાવથી મનમાં આરોપણ દ્વારા નમન, સ્થાનમાં ગ્રહણ અને અસ્થાનમાં અગ્રહણ દ્વારા નામની શ્લાઘા, અને ઉત્થાન અને આસન અર્પણ-સન્મુખ આવેલા એવા ગુરુવર્ય હોય ત્યારે અભ્યત્થાન કરે અને આસન અર્પણ કરે એ પૂજત છે. [૩]
કે “તાડપિ'માં ‘પિ'થી એ કહેવું છે કે ગુરુ આદિ વર્ગ પાસે હોય તો તો તેમને નમન કરે, પરંતુ કોઈક કારણે તેમનો અભાવ હોય તોપણ ભાવથી મનમાં તેમના આરોપણથી=ઉપસ્થિતિથી નમન કરે.
શ્લોકમાં કાતિય એ અધ્યાહાર છે, તે બતાવવા માટે ટીકામાં “મા તસ્ય તિ મ્િ” એમ કહેલ છે. ભાવાર્થ :
(૧) ત્રિસંધ્ય નમન :- શ્લોક-૨માં બતાવેલ ગુરુવર્ગને ત્રિસંધ્ય નમસ્કાર કરવો તે પૂજન છે, ક્યારેક તે ગુરુવર્ગ પાસે હોય તો દ્રક્રિયાથી તેમને નમસ્કાર કરે અને કોઈક તેવા કારણે ગુરુવર્ગ પાસે ન હોય તોપણ ભાવથી તેમનું સ્મરણ કરીને તેમને ત્રિસંધ્યા નમસ્કાર કરે.
(૨) પર્ફપાસના - વળી શ્લોક-રમાં બતાવેલા ગુરુવર્ય પાસે હોય તો તેઓની પર્યાપાસના કરે અર્થાત્ ઉચિત સેવા-ચાકરી કરે, એ પણ ગુરુપૂજન છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૩-૪ (૩) અવર્ણ અશ્રવણ - વળી, શ્લોક-૨માં બતાવેલ ગુરુવર્ગનો કોઈ અવર્ણવાદ કરતું હોય તો તે સાંભળે નહિ, પરંતુ તેનો નિષેધ કરે, અને નિષેધથી પણ અવર્ણવાદ કરનાર સાંભળે નહિ તો પોતે તે સ્થાન છોડીને ચાલ્યા જાય, જેથી ગુરુવર્ગ પ્રત્યેનો પોતાનો પૂજ્યભાવ હણાય નહિ.
(૪) નામશ્લાઘા - વળી, શ્લોક-૨માં બતાવેલા ગુરુવર્ગના નામની શ્લાઘા કરે અર્થાત્ ઉચિત સ્થાને તેમનું નામ ગ્રહણ કરે, અને જે સ્થાનમાં તેમનું નામ ગ્રહણ કરવાથી તેમની હીનતા થાય તેમ હોય, ત્યારે તેમનું નામ ગ્રહણ કરે નહિ. આમ કરવાથી પણ ગુરુવર્ગ પ્રત્યેનો પૂજ્યભાવ વૃદ્ધિ પામે છે.
(૫) ઉત્થાન, આસનઅર્પણ - વળી, ગુરુવર્ગમાંથી કોઈપણ સન્મુખ આવેલા હોય તો ઊભો થઈ જાય અને તેમને બેસવા માટે આસનને અર્પણ કરે, એ પ્રકારનો ઉચિત વિનય ગુરુવર્ગનું પૂજન છે.
આ પ્રકારનો ઉચિત વિનય કરવાથી વડીલો પ્રત્યેનો બહુમાનભાવ હૈયામાં સ્થિર થાય છે, જેથી અત્યંત ઉચિત પ્રવૃત્તિરૂપ યોગમાર્ગની પૂર્વભૂમિકા તૈયાર થાય છે. NII. અવતરણિકા -
પૂર્વશ્લોક-૧માં ગુરુદેવાદિ પૂજારૂપ પૂર્વસેવાનો પ્રથમ ભેદ બતાવ્યો, અને તેમાં ગુરુવર્ગનું પૂજન શું છે, તે શ્લોક-૨ અને ૩માં બતાવ્યું. હવે, ગુરુવર્ગનું પૂજન આવશ્યક છે, તેમ તેઓની સાથે અન્ય શું ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ, જેથી તેઓનું કરાયેલું પૂજન સફળ બને ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :
सर्वदा तदनिष्टेष्टत्यागोपादाननिष्ठता ।
स्वपुमर्थमनाबाध्य साराणां च निवेदनम् ।।४।। અન્વયાર્થ :
સ્વપુઅર્થમનાવાશ્ચ=સ્વપુરુષાર્થનો બાધ કર્યા વગર સર્વા=હંમેશાં તનિષ્ટચાપવાનનિષ્ઠતા તઅનિષ્ટઈષ્ટત્યાગઉપાદાનનિષ્ઠતા ગુરુવર્ગને અનિષ્ટની
Page #26
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/બ્લોક-૪ ત્યાગનિષ્ઠતા અને ગુરુવર્ગને ઇષ્ટ એવી પ્રવૃત્તિની ગ્રહણનિષ્ઠતા, ચ=અને સારાનાં નિવેદન=સાર વસ્તુનું નિવેદન=સારી વસ્તુઓનું સમર્પણ કરવું જોઈએ. સા. શ્લોકાર્ચ -
સ્વપુરુષાર્થનો બાધ કર્યા વગર હંમેશાં ગુરુવર્ગને અનિષ્ટની ત્યાગનિષ્ઠતા, અને ગુરુવર્ગને ઈષ્ટ એવી પ્રવૃત્તિની ગ્રહણનિષ્ઠતા અને સાર વસ્તુનું નિવેદન=સારી વસ્તુઓનું સમર્પણ કરવું જોઈએ. ll ll ટીકા :
सर्वदेति-स्वपुमर्थं धर्मादिकं, अबाध्य अनतिक्रम्य, यदि च तदनिष्टेभ्यो निवृत्तौ तदिष्टेषु च प्रवृत्तौ धर्मादयः पुरुषार्था बाधन्ते तदा न तदनुवृत्तिपरेण भाव्यं, किं तु पुरुषार्थाराधनपरेण, अतिदुर्लभत्वात् पुरुषार्थाराधनकालस्येत्यर्थः, साराणां-उत्कृष्टानामलङ्कारादीनां, निवेदनं समर्पणम् ।।४।। ટીકાર્ચ -
સ્વપુર્ણ ..... સમર્પણમ્ ા પોતાના ધર્માદિ પુરુષાર્થનો અતિક્રમ કર્યા વગર, સારભૂતનું ઉત્કૃષ્ટ એવા અલંકારાદિનું, નિવેદન કરવું જોઈએ ગુરુવર્ગને સમર્પણ કરવું જોઈએ એમ અવય છે. જો તેમના અનિષ્ટોથી નિવૃત્તિમાં અને તેમની ઈષ્ટવિષયક પ્રવૃત્તિમાં ધર્માદિ પુરુષાર્થો બાધ થતા હોય તો તેમના અનુવૃત્તિપર થવું જોઈએ નહિ, પરંતુ પુરુષાર્થ આરાધનાપર થવું જોઈએ; કેમ કે પુરુષાર્થ આરાધનાકાળનું અતિદુર્લભપણું છે. જો
‘ઘરમાં ‘દિ' પદથી અર્થ અને કામનું ગ્રહણ કરવું. ભાવાર્થ -
શ્લોક-રમાં બતાવેલ ગુરુવર્ગને જે ઇષ્ટ હોય તેવી પ્રવૃત્તિ હંમેશાં કરવી જોઈએ, અને જે અનિષ્ટ હોય તેવી પ્રવૃત્તિનો હંમેશાં ત્યાગ કરવો જોઈએ. આ પ્રકારનો ઉચિત વિવેક યોગમાર્ગની પૂર્વસેવારૂપ છે. આમ છતાં ગુરુવર્ગને જે અનિષ્ટ હોય તેનો ત્યાગ કરવાથી અને ગુરુવર્ગને જે ઇષ્ટ હોય તેવી પ્રવૃત્તિ કરવાથી ધર્મ, અર્થ અને કામરૂપ પુરુષાર્થનો બાધ થતો હોય, તો ગુરુવર્ગને
Page #27
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૪ અનુસરવું ઉચિત નથી, પરંતુ પુરુષાર્થની આરાધના કરવામાં તત્પર રહેવું જોઈએ; કેમ કે પુરુષાર્થની આરાધનાકાળનું અતિદુર્લભપણું છે.
વળી, પોતાની સંપત્તિમાં જે સારભૂત અલંકારાદિ છે, તે ગુરુવર્ગને સમર્પણ કરવા જોઈએ. આમ કરવાથી સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરવાને અનુકૂળ એવી જીવની પરિણતિ પ્રગટે છે, જેથી વિશેષ પ્રકારની ઉચિત પ્રવૃત્તિરૂપ યોગમાર્ગની ભૂમિકા નિષ્પન્ન થાય છે.
અહીં પુરુષાર્થનો અર્થ કરતાં ‘ધર્માદ્રિ' કહેલ છે. તેથી ‘થિી અર્થપુરુષાર્થનું અને કામપુરુષાર્થનું ગ્રહણ છે. વિવેકી પુરુષ ધર્મ, અર્થ અને કામ : એ ત્રણેય પુરુષાર્થની તે રીતે જ આરાધના કરે કે જેથી પરસ્પર બાધ ન પામે. વળી, કામપુરુષાર્થ પણ અર્થપુરુષાર્થનો વ્યાઘાતક ન થાય, અને અર્થપુરુષાર્થ પણ ધર્મપુરુષાર્થનો વ્યાઘાતક ન થાય તે રીતે સેવે છે, અને ત્રણે પુરુષાર્થો ઉચિત રીતે સેવવાથી ક્રમે કરીને ધર્મપુરુષાર્થની શક્તિ અધિક અધિક થાય છે, અને જ્યારે ધર્મપુરુષાર્થ પૂર્ણ સેવવાની શક્તિ આવે ત્યારે અર્થ અને કામ પુરુષાર્થનો ત્યાગ કરીને માત્ર ધર્મપુરુષાર્થનું સેવન વિવેકી પુરુષ કરે છે.
આનાથી એ ફલિત થાય કે જે અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થ આલોક અને પરલોકના વિરોધી ન હોય, પરંતુ આલોક અને પરલોકના એકાંત હિતકારી એવા ધર્મપુરુષાર્થની પુષ્ટિના કારણ હોય, તેવા અર્થ અને કામપુરુષાર્થ વિવેકી પુરુષ સેવવા જોઈએ. આ પ્રકારના અર્થને બતાવવા માટે ધર્માદિ પુરુષાર્થને ગ્રહણ કર્યા પછી=ધર્માદિ ત્રણ પુરુષાર્થ ગ્રહણ કર્યા પછી, ટીકામાં કહ્યું કે પુરુષાર્થના આરાધનાકાળનું અતિદુર્લભપણું છે. તેથી ગુરુવર્ગનાં સર્વ વચનોનો સ્વીકાર કરવા છતાં પુરુષાર્થઆરાધનનો બાધ થતો હોય તો વિવેકપૂર્વક તેઓના વચનોનો અસ્વીકાર કરવામાં કોઈ દોષ નથી.
આનાથી એ ફલિત થાય કે જીવને માટે એકાંતે મોક્ષપુરુષાર્થ હિતકારી છે, અને મોક્ષપુરુષાર્થની પ્રાપ્તિનું અનન્ય કારણ ધર્મપુરુષાર્થ છે. વળી, ધર્મપુરુષાર્થ પૂર્ણ રીતે સેવવાની શક્તિ ન આવી હોય ત્યાં સુધી ધર્મપુરુષાર્થની વૃદ્ધિ થાય તે રીતે જે ગૃહસ્થો અર્થપુરુષાર્થ સેવે છે, તેઓ અર્થનો વ્યય ભોગાદિમાં કરે છે, તોપણ પ્રધાન રીતે ધર્મવૃદ્ધિમાં કરે છે. આથી ગૃહસ્થો પ્રાપ્ત થયેલું ધન
Page #28
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૪-૫ ભગવાનની ભક્તિ અને સુસાધુની ભક્તિમાં વાપરીને સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે. વળી, ભોગાદિમાં પણ તે રીતે પ્રવૃત્તિ કરે છે, જેથી ક્રમસર ભોગની વૃત્તિ ક્ષીણ થાય અને ધર્મ સેવવાની શક્તિ સંચિત થાય. આથી ધર્મમાં વ્યાઘાતક થાય તેવી ભોગની મનોવૃત્તિ ઊઠે અને તેનું શમન કરવામાં ન આવે તો ધર્મની પ્રવૃત્તિ પણ સમ્યફ થઈ શકે નહિ, તેથી વિવેકી પુરુષ કામપુરુષાર્થ પણ વિવેકપૂર્વક સેવે છે.
જોકે પ્રસ્તુત બત્રીશીમાં કહેલ ચાર પૂર્વસેવા મુખ્ય રીતે અપુનબંધકને હોય છે, તોપણ યોગમાર્ગનો આરંભ પાંચમા ગુણસ્થાનકે થાય છે, તેથી પાંચમા ગુણસ્થાનકની પૂર્વભૂમિકામાં રહેલ સમ્યમ્ દૃષ્ટિને પણ યથાયોગ્ય આ પૂર્વસેવા હોય છે. વળી, દેશવિરતિધર અધ્યાત્મ આદિ યોગોનું સેવન કરે છે, અને તેના અંગભૂત ગુરુદેવાદિના પૂજન કરે છે. તેથી યોગમાર્ગમાં પ્રવૃત્ત સર્વ જીવોને આશ્રયીને આ ગુરુદેવાદિ પૂજનની વિધિ છે.
વળી, સ્કૂલબોધવાળા અપનબંધક પોતાના સ્કૂલબોધ અનુસાર ધર્માદિ ત્રણ પુરુષાર્થને સેવે છે, અને સમ્યગુ દૃષ્ટિ અને દેશવિરતિ શ્રાવક પોતાના સૂક્ષ્મ બોધ અનુસાર ધર્માદિ ત્રણ પુરુષાર્થનું આરાધન કરે છે, અને તે ત્રણે પુરુષાર્થનું આરાધન કરીને અંતિમ ફળરૂપે મોક્ષને પ્રાપ્ત કરે છે. માટે કલ્યાણના અંગભૂત એવા ત્રણ પુરુષાર્થનો બાધ થતો ન હોય તો માતા-પિતા આદિ ગુરુવર્ગને જે પ્રવૃત્તિ ઇષ્ટ હોય તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ, અને જે પ્રવૃત્તિ અનિષ્ટ હોય તેવી પ્રવૃત્તિનો ત્યાગ કરવો જોઈએ, જેથી સર્વત્ર ભૂમિકા અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવાની શક્તિનો સંચય થાય. ll અવતરણિકા -
વળી, ગુરુવર્ગ વિષયક અન્ય શું ઔચિત્ય છે, જેથી તેમનું પૂજન સમ્યફ પ્રયોજનવાળું બને ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :
तद्वित्तयोजनं तीर्थे तन्मृत्यनुमतेभिया । तदासनाद्यभोगश्च तद्विम्बस्थापनार्चने ।।५।।
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૦
પૂર્વસેવા તાસિંશિકા/બ્લોક-૫ અન્વયાર્થ -
તમૃત્યુનુમિયા-તેમના મૃત્યુની અનુમતિના ભયથી, તીર્થે તીર્થમાં, તત્તિયોનનં-તેમના ધનનું યોજત કરે. તલાસનામા =તેમના આસન આદિનો અભોગ કરે =અને, સ્વસ્થાપનાર્જને તેમના બિબનું સ્થાપન, અર્ચન કરે. પા. શ્લોકાર્ચ -
તેમના મૃત્યુની અનુમતિના ભયથી તીર્થમાં તેમના ધનનું યોજન કરે, તેમના આસન આદિનો અભોગ કરે અને તેમના બિંબનું સ્થાપન, અર્ચન કરે. પII ટીકા :
तद्वित्तेति-तद्वित्तस्य गुरुवर्गालङ्कारादिद्रव्यस्य योजनं नियोगः तीर्थे देवतायतनादौ तन्मृत्यनुमतेस्तन्मरणानुमोदनाद् भिया भयेन, तत्सङ्ग्रहे तन्मरणानुमतिप्रसङ्गात् । तस्यासनादीनां-आसनशयनभोजनपात्रादीनां अभोगोऽपरिभोगः, तबिम्बस्य स्थापनार्चने विन्यासपूजे ।।५।। ટીકાર્ય :
તદિત્તશુ .... વિન્યાસપૂને છે તેમના વિતનું ગુરુવર્ગના અલંકાર આદિ દ્રવ્યનું, તીર્થમાં=દેવતા આયતનાદિમાં, યોજન કરવું-વાપરવું.
અહીં પ્રશ્ન થાય કે ગુરુવર્ગના મૃત્યુ પછી તેમનું ધન પુત્ર ગ્રહણ કરે તો શું વાંધો ? તેથી કહે છે –
તેમના મૃત્યુની અનુમતિના ભયથી–ગુરુવર્ગના મરણના અનુમોદનના ભયથી તેમનું ધન તીર્થમાં નિયોજન કરે તેમ અન્વય છે; કેમ કે તેના સંગ્રહમાંeગુરુ આદિના મૃત્યુ પછી તેમના ધનના ગ્રહણમાં તેમના મરણની અનુમતિનો પ્રસંગ છે.
તેમના આસનાદિનોકગુરુવર્ગના આસન, શયન, ભોજન-પાત્રાદિનો અભોગ કરે અર્થાત્ પોતાના ભોગમાં વાપરે નહિ, તેમના બિબનું સ્થાપન કરે અને તેની પૂજા કરે. પા.
Page #30
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાત્રિંશિકા/શ્લોક-૫-૬
ભાવાર્થ :
શ્લોક-૩માં ગુરુવર્ગનું પૂજન શું છે, તે બતાવ્યું અને તે પૂજનને સફળ કરવા માટે અન્ય શું ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ ? તે શ્લોક-૪માં બતાવ્યું. હવે ગુરુવર્ગ મૃત્યુ પામે પછી શું ઉચિત કરવું જોઈએ ? તે બતાવે છે –
ગુરુવર્ગના અલંકાર આદિ દ્રવ્યો તીર્થસ્થાનમાં વાપરે, પણ પોતે ગ્રહણ કરે નહિ; કેમ કે તેમના અલંકાર આદિ પોતે ગ્રહણ કરે તો તેની પ્રાપ્તિથી પોતાને કંઈક આનંદ થાય છે, અને તેની પ્રાપ્તિ તેમના મૃત્યુથી થયેલ છે, તેથી જો તેમના અલંકાર આદિ ગ્રહણ કરે તો તેમના મરણની અનુમોદનાનો પ્રસંગ
પ્રાપ્ત થાય.
વળી, જીવંત એવા ગુરુવર્ગ દ્વારા જે આસન, શયન કે ભોજન-પાત્રાદિનો તેઓ ઉપભોગ કરતા હતા, તેનો ઉપભોગ પુત્રાદિ ન કરે; કેમ કે તેનો ઉપભોગ કરવાથી તેમના પ્રત્યે અનાદરનો પરિણામ થાય છે.
વળી, કૃતજ્ઞતા ગુણની વૃદ્ધિ અર્થે તેમના મૃત્યુ પછી તેમના બિંબની સ્થાપના કરે અને તેમના બિંબની પૂજા કરે, જેનાથી કૃતજ્ઞતા ગુણ જીવે છે અને વૃદ્ધિ પામે છે. પા
અવતરણિકા :
શ્લોક-૧માં યોગની પૂર્વસેવાના ચાર ભેદો બતાવેલ. તેમાંથી ગુરુદેવાદિ પૂજન પ્રથમ ભેદ છે, અને તે ભેદનું વર્ણન કરતાં ગુરુના પૂજનનું વર્ણન અત્યાર સુધી કર્યું. હવે દેવોના પૂજનનું વર્ણન કરે છે—
શ્લોક :
૧૧
देवानां पूजनं ज्ञेयं शौच श्रद्धादिपूर्वकम् । પુષ્પવિનેનથૂપનૈવેદ્ય: શોમનેઃ સ્તવૈઃ ।।૬।।
અન્વયાર્થ :
શોમને: પુષ્પવિત્તેપનેધૂપનવેદ્યઃ સ્તવઃ-શોભન એવા પુષ્પ, વિલેપન, ધૂપ, નૈવેદ્ય વડે, શોભન એવા સ્તવન વડે,શૌચશ્રદ્ધાદ્દિપૂર્વ= શૌચ, શ્રદ્ધાદિપૂર્વક, લેવાનાં જૂનાં સેવં=દેવોનું પૂજન જાણવું. Ç
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૨
પૂર્વસેવાદ્વાત્રિંશિકા/બ્લોક-૬-૭
શ્લોકાર્થ :
શોભન એવાં પુષ્પ, વિલેપન, ધૂપ, નૈવેધ વડે, શોભન એવા સ્તવન વડે, શૌયશ્રદ્ધાદિપૂર્વક દેવોનું પૂજન જાણવું.
* ‘શોધશ્રદ્ધા પૂિર્વમ્’માં ‘વિ’ પદથી ધૃતિ, ધારણા આદિનું ગ્રહણ કરવાનું છે.
ટીકા ઃ
લેવાનામિતિ- વ્ય: ||૬||
ટીકાર્ય :
શ્લોક સ્પષ્ટ છે માટે ટીકા નથી. IIFI
ભાવાર્થ :
ઉપાસ્ય એવા દેવોનું પૂજન દેહની શુદ્ધિ, ચિત્તની શુદ્ધિ અને શ્રદ્ધાદિપૂર્વક કરે, અને તે પૂજન સુંદર એવાં પુષ્પો, સુંદર એવાં ચંદન આદિ દ્રવ્યો, ઉત્તમ કોટિના ધૂપો અને દેવ આગળ ઉત્તમ કોટિના નૈવેદ્યના અર્પણથી કરે. વળી, ઉપાસ્ય એવા દેવોના ગુણોની સ્તુતિ દ્વારા પૂજન કરે.
આ રીતે ઉપાસ્ય એવા દેવોની પૂજા કરવાથી ગુણોનો પક્ષપાત થાય છે, જેથી ગુણવૃદ્ધિના ઉપાયભૂત એવા યોગમાર્ગને સેવવાની શક્તિનો સંચય થાય છે. તેથી દેવોનું પૂજન યોગમાર્ગની પૂર્વસેવા છે. કળા
અવતરણિકા :
પૂવશ્લોકમાં કહ્યું કે શૌચશ્રદ્ધાદિપૂર્વક દેવોનું પૂજન જાણવું. ત્યાં પ્રશ્ન થાય કે પૂર્વસેવામાં કયા દેવોનું પૂજન કરવું ઉચિત છે ? તેથી કહે છે
શ્લોક ઃ
अधिमुक्तिवशान्मान्या अविशेषेण वा सदा ।
अनिर्णीतविशेषाणां सर्वे देवा महात्मनाम् ।।७।।
અન્વયાર્થ :
અનિર્ણીવિશેષાળાં મહાત્મના=અનિર્ણીત વિશેષવાળા એવા મહાત્માઓને, અધિમુ િવશાત્=અધિમુક્તિના વશથી-અતિશય શ્રદ્ધા અનુસારથી, વા=
-
Page #32
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાત્રિંશિકા/બ્લોક-૭
૧૩
અથવા, અવિશેષેન્દ્ર=અવિશેષથી, સર્વે વા=સર્વ દેવો સવ માન્યા=સદા માન્ય છે=ઉપાસ્યરૂપે માન્ય છે. ।।૭।।
શ્લોકાર્થ :
અનિર્ણીત વિશેષવાળા એવા મહાત્માઓને અધિમુક્તિના વશથી= અતિશય શ્રદ્ધા અનુસારથી અથવા અવિશેષથી, સર્વ દેવો સદા માન્ય છે-ઉપાસ્યરૂપે માન્ય છે. 11૭।।
ટીકા ઃ
अधिमुक्तिति- अनिर्णीतः कुतोऽपि मतिमोहादनिश्चितो विशेषः - इतरदेवतापेक्षोऽतिशयो, यैस्तेषां महात्मनां परलोकसाधनप्रधानतया प्रशस्तात्मनां गृहिणां सर्वे देवाः सदाऽ विशेषेण= पारगतहरिहर हिरण्यगर्भादिसाधारणवृत्त्या मान्याः वा = अथवा अधिमुक्तिवशात् = अतिशयितश्रद्धानुसारेण । ।७।। ટીકાર્ય :
અનિíત: ..... શ્રદ્ધાનુસારેળ ।। કોઈપણ મતિમોહના કારણે અનિર્ણીત અર્થાત્ અનિશ્ચિત વિશેષવાળા એવા ઉપાસક મહાત્માને=“ઇતર દેવતાની અપેક્ષાએ આ દેવતામાં અતિશય ગુણો છે” એ પ્રકારનો વિશેષ જેમણે જાણ્યો નથી એવા ઉપાસક મહાત્માને અર્થાત્ પરલોકની સાધનામાં પ્રધાનપણું હોવાના કારણે પ્રશસ્ત પરિણામવાળા ગૃહસ્થને, સર્વ દેવો સદા અવિશેષથી= પારગત, હરિહર, હિરણ્યગર્ભાદિ સાધારણ વૃત્તિથી માન્ય છે=ઉપાસ્યરૂપે અભિમત છે, અથવા અધિમુક્તિના વશથી=અતિશયિત શ્રદ્ધા અનુસારથી સર્વ દેવો ઉપાસ્યરૂપે માન્ય છે, એમ અન્વય છે. IIII
ભાવાર્થ :
કોઈક રીતે કર્મના વિગમનના કારણે જેઓને પરલોક સાધવાની પ્રધાન બુદ્ધિ થઈ છે, તેઓ પ્રશસ્ત પરિણામવાળા ગૃહસ્થો છે. આમ છતાં ભિન્ન ભિન્ન દર્શનને માન્ય એવા દેવોમાંથી કયા દેવો ઇતર દેવો કરતાં અતિશય ગુણવાળા છે, તેનો નિર્ણય કરવાની સામગ્રી હજી પ્રાપ્ત થઈ ન હોવાથી કોઈપણ દર્શનને અભિમત એવા દેવોમાં પક્ષપાત કરીને કોઈ એક દેવને ઉપાસ્ય સ્વીકારે, અને
=
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૪
પૂર્વસેવાદ્વાત્રિંશિકા|શ્લોક-૭-૮
અન્ય દેવ ઉપાસ્ય નથી તેમ કહે, તો તેમનામાં મધ્યસ્થ બુદ્ધિ રહે નહિ. તેથી પ્રકૃતિભદ્રક એવા તે જીવોએ જ્યાં સુધી દેવોના વિશેષ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી, ત્યાં સુધી સર્વ દર્શનના દેવો અવિશેષથી તેમના માટે ઉપાસ્ય છે. અથવા પોતાને જે દેવ પ્રત્યે અતિશય શ્રદ્ધા હોય તેને અનુસારે તે દેવ પ્રત્યે વિશેષ ભક્તિ રાખે, તોપણ તેવા મહાત્માઓએ સર્વ દેવોને ઉપાસ્યરૂપે માન્ય કરવા જોઈએ, જેથી મધ્યસ્થ બુદ્ધિ રહે, અને તેમ કરવાથી જ તેઓની માર્ગાનુસારી બુદ્ધિ વિકસે, પરંતુ જ્યાં સુધી તે તે દર્શનના દેવોમાંથી કોઈ દેવના વિશેષ ગુણોનો નિર્ણય ન હોય ત્યાં સુધી અવિચારક રીતે પોતાને અભિમત દેવ જ ઉપાસ્ય છે, અન્ય નહિ; તેવો આગ્રહ રાખે, તો તેમનામાં મધ્યસ્થભાવ વૃદ્ધિ પામે નહિ, પરંતુ અસગ્રહથી મતિ દૂષિત બને.
વળી, અહીં કહ્યું કે કોઈપણ પ્રકારના મતિમોહથી જેમને હજી વિશેષ નિર્ણય થયો નથી, તેવા ઉપાસકોએ સર્વ દેવોની ઉપાસના કરવી જોઈએ. તેનાથી એ પ્રાપ્ત થાય કે ઉપાસ્ય દેવોમાં ખરેખર કેવા ગુણો જોઈએ, કેવા માર્ગની પ્રરૂપણા જોઈએ; તેનો વિશેષ બોધ નહિ હોવાથી અને તેઓને વિશેષ બોધ ક૨વાની સામગ્રી પ્રાપ્ત નહિ થયેલી હોવાથી, અને હજી ઉપાસ્યના તેવા વિશેષ સ્વરૂપને જાણવાને અભિમુખ જિજ્ઞાસા નહિ થયેલી હોવાથી, આવા જીવોને ઉપાસ્યના સ્વરૂપવિષયક મતિમોહ વર્તે છે; અને જ્યાં સુધી આવો મતિમોહ વિદ્યમાન હોય ત્યાં સુધી આવા જીવો ઉપાસ્યના વિશેષ સ્વરૂપને જાણી શકે નહિ. પરંતુ સર્વ દેવો સંસારથી અતીત થવાનો માર્ગ બતાવનારા છે, વળી તેઓએ સંસારથી અતીત થવાના માર્ગને સેવીને આત્મકલ્યાણ સાધ્યું છે, માટે આપણે પણ તે સર્વની ઉપાસના કરીને આત્મકલ્યાણ સાધવું જોઈએ, એવી જેમની બુદ્ધિ થઈ છે એવા જીવોએ દેવના વિશેષ સ્વરૂપની અનિર્ણીત અવસ્થામાં સર્વ દેવોની ઉપાસના કરવી જોઈએ. IIII
અવતરણિકા :
પૂર્વશ્લોકમાં કહ્યું કે દેવના વિષયમાં જેઓને વિશેષ નિર્ણય નથી, તેવા મહાત્માઓએ સર્વ દેવોની ઉપાસના કરવી જોઈએ. ત્યાં પ્રશ્ન થાય કે સર્વ દેવોની ઉપાસના કેમ કરવી જોઈએ ? તેથી કહે છે
-
Page #34
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૮
૧૫ શ્લોક :
सर्वान् देवान्नमस्यन्ति नैकं देवं समाश्रिताः ।
जितेन्द्रिया जितक्रोधा दुर्गाण्यतितरन्ति ते ।।८।। અન્વયાર્થ –
સન્ રેવા–સર્વ દેવોને, નમસ્યત્તિ નમસ્કાર કરે છે, તે રેવં એક દેવને ન સમશ્રિત =આશ્રિત નથી. નિક્રિયા નિતિોય તે જિતેન્દ્રિય, જિત ક્રોધવાળા એવા તેઓ=સર્વ દેવને નમસ્કાર કરનારા,
કુતિતરત્તિક દુર્ગનેeતરકપાતાદિ આપત્તિઓને તરે છે. ll૮ શ્લોકાર્ચ -
સર્વ દેવોને નમસ્કાર કરે છે, એક દેવને આશ્રિત નથી, જિતેન્દ્રિય અને જિતક્રોધવાળા એવા તેઓ સર્વ દેવને નમસ્કાર કરનારા, દુર્ગને નરકપાતાદિ આપત્તિઓને તરે છે. llcil ટીકા :
सर्वानिति-सर्वान् देवान् नमस्यन्ति-नमस्कुर्वते, नैकं कञ्चन देवं समाश्रिताः= स्वमत्यभिनिवेशेन प्रतिपनवन्तः, जितेन्द्रिया निगृहीतहषीकाः, जितक्रोधा= अभिभूतकोपाः दुर्गाणि नरकपातादीनि व्यसनानि अतितरन्ति=अतिक्रामन्ति ते सर्वदेवनमस्कारः ।।८।। ટીકાર્ય :
સર્વાન્ ... નમ : II સર્વ દેવોને નમસ્કાર કરે છે, કોઈ એક દેવને સમાશ્રિત નથી એવા અર્થાત્ સ્વમતિના અભિનિવેશથી સ્વીકારનારા નથી એવા, જિતેન્દ્રિય ઈન્દ્રિયો ઉપર જેમનો કાબૂ છે એવા, જિતક્રોધવાળા એવા તેઓ=સર્વદેવોને નમસ્કાર કરનારા, દુર્ગોને નરકપાતાદિ આપત્તિઓને અતિતરે છેઃઓળંગે છે. 10 ભાવાર્થ :
પૂર્વશ્લોકમાં કહ્યું કે જેઓને ઉપાસ્ય એવા દેવ વિષયક વિશેષ નિર્ણય નથી, તેવા મહાત્માઓએ બધા દેવોને નમસ્કાર કરવો જોઈએ.
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૧
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૮-૯ બધા દેવોને નમસ્કાર કેમ કરવો જોઈએ ? એથી કહે છે -- જેઓ સ્વમતિના અભિનિવેશથી કોઈ એક દેવનો આશ્રય કરતા નથી, પરંતુ સર્વ દેવોની ઉપાસના કરે છે, તેઓમાં વિચાર્યા વગર ઉપાસ્યના વિષયમાં પક્ષપાત કરવાનો અભિનિવેશ નથી. વળી, પરલોકના અર્થી છે, તેથી મધ્યસ્થતાથી સર્વ દેવોની ઉપાસના કરે છે, ઇન્દ્રિયો ઉપર સંયમ રાખે છે, અસંબદ્ધ એવા ક્રોધ ઉપર સંયમ રાખે છે, ઉપલક્ષણથી અન્ય કષાયોને પણ યથાતથા પ્રવર્તાવતા નથી, તેવા ભદ્રક પ્રકૃતિવાળા જીવો સંસારના પરિભ્રમણરૂપ દુર્ગતિઓના પાતને ઓળંગે છે અર્થાત્ સર્વ દેવોને નમસ્કાર કરવા આદિની પ્રવૃત્તિ દ્વારા યોગમાર્ગની પ્રથમ ભૂમિકાને પ્રાપ્ત કરે છે, જેથી તેવા જીવો સદ્ગતિની પરંપરાને ક્રમસર પ્રાપ્ત કરે છે. III અવતરણિકા -
ननु सर्वेऽपि न मुक्तिप्रदायिन इति कथमविशेषेण नमस्करणीया इत्यत સાદું – અવતરણિકાર્ચ -
નથી શંકા કરે છે કે સર્વ પણ દેવો મુક્તિ આપનારા નથી. એથી કેવી રીતે અવિશેષથી=સમાન રીતે નમસ્કાર કરવા યોગ્ય થાય ? એથી કહે છે –
સર્વેડજિ'માં ‘મથી એ કહેવું છે કે કોઈ એક દેવ તો મુક્તિને દેનારા છે, પરંતુ સર્વ પણ મુક્તિને દેનારા નથી. ભાવાર્થ -
જે દેવો પરિપૂર્ણ યોગમાર્ગને સેવીને વીતરાગ સર્વજ્ઞ થયા છે, અને વીતરાગ થયા પછી મોક્ષમાર્ગની પ્રાપ્તિ અર્થે ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, એવા તીર્થકરો મોક્ષને આપનારા છે અર્થાત્ તેમની ઉપાસના કરવાથી અને તેમના વચન અનુસાર યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરવાથી મોક્ષરૂપ ફળ મળે છે. માટે તીર્થકરો જ મુક્તિને આપનારા છે. માટે તેઓ જ ઉપાય છે, અન્ય નહિ. આમ છતાં બધા દેવોને અવિશેષથી ઉપાસ્ય સ્વીકારીને નમસ્કાર કરવામાં આવે તો તેનાથી હિત કઈ રીતે થઈ શકે ? તેથી કહે છે --
Page #36
--------------------------------------------------------------------------
________________
पूर्वसेवादात्रिशिक्षI/PRTs-c Rels :
चारिसञ्जीविनीचारन्यायादेवं फलोदयः ।
मार्गप्रवेशरूपः स्याद्विशेषेणादिकर्मणाम् ।।९।। मन्वयार्थ :
एवंमा रीतसर्व वोन नमस्र ४२वाथी गोन मतिम रे छ मेम पूर्वश्लोमा धुं मे शत, चारिसज्जीविनीचारन्यायात्-यारिसंपनी यार व्यायथा आदिकर्मणाम्-मावाणामोने, विशेषेण विशेषयी विशेषता परिज्ञानथी मार्गप्रवेशरूपः फलोदयः स्यात् भाप्रवेश३५ नो य थाय छ. In Acोडार्थ :
આ રીતે સર્વદેવોને નમસ્કાર કરવાથી દુર્ગોને અતિક્રમણ કરે છે એમ પૂવશ્લોકમાં કહ્યું એ રીતે, ચારિસંજીવની ચાર ન્યાયથી આદિકર્મવાળા જીવોને વિશેષથી-વિશેષના પરિજ્ઞાનથી, માર્ગપ્રવેશરૂપ ફલનો ઉદય थाय छे. IIII टीst :
चारीति-चारिसञ्जीविनीचारन्यायात् प्रागुपदर्शितात् एवं सर्वदेवनमस्कारे ऽनुषङ्गत इष्टप्राप्तौ, तत एव शुभाध्यवसायविशेषात् मार्गप्रवेशरूपः शुद्धदेवभक्त्यादिलक्षणः फलोदयः स्यात् विशेषेण अनुषङ्गप्राप्तवीतरागगुणाधिक्यपरिज्ञानेन, आदिकर्मणां प्रथममेवारब्धस्थूलधर्माचाराणां । ते ह्यत्यन्तमुग्धतया कञ्चन देवताविशेषमजानाना विशेषवृत्तेरद्यापि न योग्याः, किं तु सामान्यरूपाया एवेति ।।९।। टीमार्थ :
चारिस ..... एवेति ।। मा शतपूर्वथामा धुं से शत सहयोने નમસ્કાર કરવામાં અનુષગથી ઈષ્ટની પ્રાપ્તિ થયે છતે, પૂર્વમાં બતાવેલ
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૮
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૯ ચારિસંજીવનીચારચાયથી આદિધાર્મિકોને= પ્રથમ જ આરંભ કરાયેલા શૂલધર્મના આચારવાળાઓને, વિશેષથી અનુકંગથી પ્રાપ્ત વીતરાગના ગુણોના આધિક્યના પરિજ્ઞાનથી, શુદ્ધદેવની ભજ્યાદિ લક્ષણ માર્ગપ્રવેશરૂપ ફલોદય થાય છે.
ટીકામાં કહ્યું કે આ રીતે સર્વદેવના નમસ્કારમાં અનુષંગથી ઈષ્ટની પ્રાપ્તિ થયે છતે ફલોદય થાય છે. ત્યાં પ્રશ્ન થાય કે સર્વદેવોને નમસ્કાર કરવામાં અનુષંગથી ઇષ્ટની પ્રાપ્તિ કઈ રીતે થાય ? એમાં હેતુ કહે છે –
તેનાથી જ=સર્વદેવોને નમસ્કાર કરવાથી જ, શુભ અધ્યવસાયવિશેષ થવાને કારણે=વિશેષ બોધના અભાવકાળમાં કોઈ દેવ પ્રત્યે પક્ષપાત કર્યા વગર મધ્યસ્થ બુદ્ધિથી બધાની ઉપાસના કરવારૂપ શુભ અધ્યવસાયવિશેષ થવાના કારણે, અનુષંગથી ઈષ્ટની પ્રાપ્તિ થાય છે, એમ અવય છે.
અહીં પ્રશ્ન થાય કે મોક્ષને આપનારા વીતરાગદેવ છે, અન્ય નથી; છતાં સર્વદેવને નમસ્કાર કરવાથી તેઓને શુભ અધ્યવસાય થાય છે, એમ કેમ કહ્યું ? એથી કહે છે –
અત્યંત મુગ્ધપણું હોવાને કારણે કોઈ દેવતાવિશેષને નહિ જાણતા અર્થાત્ સર્વદર્શનમાં રહેલા ઉપાસ્ય એવા દેવતાઓમાંથી કોઈ દેવતાવિશેષતા સ્વરૂપને નહિ જાણતા, તેઓ-આદિધાર્મિક જીવો વિશેષ વૃત્તિને પક્ષપાત વૃત્તિને હજુ પણ યોગ્ય નથી=પક્ષપાત વૃત્તિથી વિશેષ દેવની પૂજા કરવા માટે હજુ પણ યોગ્ય નથી, પરંતુ સામાન્યરૂપ જવૃત્તિથી દેવતાની ઉપાસના કરવા યોગ્ય છે, એથી સર્વ દેવોને નમસ્કાર કરવાથી શુભ અધ્યવસાય થાય છે, એમ અવાય છે. II ભાવાર્થ :
આદિધાર્મિક જીવો એટલે પહેલી ચાર દૃષ્ટિમાં રહેલા અને સમ્યકત્વને નહિ પામેલા જીવો, અને આવા જીવોને જ્યાં સુધી અન્ય દર્શનના ઉપાસ્ય દેવો કરતાં જૈનદર્શનના ઉપાસ્ય દેવોમાં કઈ જાતની વિશેષતા છે, તેનું જ્ઞાન ન થાય ત્યાં સુધી મધ્યસ્થ બુદ્ધિથી સર્વદેવોને નમસ્કાર કરે, તેનાથી જ તેઓને શુભઅધ્યવસાયવિશેષ થાય છે અર્થાત્ અવિચારકરૂપે કોઈ ઉપાસ્ય દેવનો
Page #38
--------------------------------------------------------------------------
________________
૧૯
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૯ પક્ષપાત કરવારૂપ અશુભ અધ્યવસાય થતો નથી; પરંતુ સર્વદેવ સંસારથી નિસ્તારનો માર્ગ બતાવનારા છે અને સ્વયં સંસારથી નિસ્તારને પામેલા છે, તેવી બુદ્ધિપૂર્વક સર્વને નમસ્કાર કરે તો બધા દેવોને નમસ્કાર કરવાના અનુષંગથી વિશિષ્ટ એવા વીતરાગદેવને પણ નમસ્કાર કરવાનું પ્રાપ્ત થાય, વળી તે તે દર્શનવાળા યોગીઓ પાસે જઈને દેવના સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા પણ થાય, અને તે રીતે બધા દેવોના સ્વરૂપને જાણવાની જિજ્ઞાસાના અનુષંગથી વીતરાગના સ્વરૂપને પણ જાણવાની જિજ્ઞાસા થાય; અને તે રીતે પ્રયત્ન કરવાથી જ્યારે અન્ય દેવો કરતાં વીતરાગના ગુણોના આધિક્યનું પરિજ્ઞાન થાય, ત્યારે તેઓને આ જ દેવ ખરેખર, ભક્તિપાત્ર છે તેવું જ્ઞાન થાય છે. તેથી શુદ્ધ એવા વીતરાગદેવની ભક્તિ આદિરૂપ માર્ગમાં તેઓનો પ્રવેશ થાય છે, જેથી શુદ્ધ માર્ગની પ્રાપ્તિરૂપ ફળની પ્રાપ્તિ થાય છે.
અહીં જિજ્ઞાસા થાય કે આદિધાર્મિક જીવો પ્રથમથી જ વીતરાગમાત્રને નમસ્કાર કરે અને અન્ય દેવોને નમસ્કાર ન કરે તો શું વાંધો ? તેથી કહે છે -
આદિધાર્મિક જીવો દેવતાના સ્વરૂપના બોધના વિષયમાં અત્યંત મુગ્ધ છે અર્થાત્ ઉપાસ્ય દેવનું પારમાર્થિક સ્વરૂપ કેવું હોવું જોઈએ, અને ઉપાસ્ય દેવોથી બતાવાયેલો મોક્ષમાર્ગ કેવો હોવો જોઈએ ? તેનો પરમાર્થથી નિર્ણય કરી શકે તેવી બુદ્ધિ વિકસેલી નથી, પરંતુ સંસારથી પર થવા માટે અહિંસા આદિ વ્રતો અને તપાદિ આચરણા કરવી જોઈએ, એવી બુદ્ધિમાત્રથી ધર્મ કરવા માટે સન્મુખ થયેલા છે. તેથી જ્યાં સુધી ઉપાસ્ય દેવતાના સ્વરૂપવિશેષને જાણતા ન હોય ત્યાં સુધી “આ જ દેવતા ઉપાય છે, અન્ય નહિ” એ પ્રકારની વિશેષ પ્રવૃત્તિને માટે હજી યોગ્ય નથી, પરંતુ સામાન્યથી સર્વ દેવતાઓને ઉપાસ્યરૂપે સ્વીકારે તો જ તત્ત્વ પ્રત્યેના પક્ષપાતરૂપ તેઓની મધ્યસ્થ બુદ્ધિ વૃદ્ધિ પામે છે; અને સર્વ દેવોને નમસ્કાર માત્ર કરીને તેઓ સંતોષ પામે તેવા નથી, પરંતુ તત્ત્વની જિજ્ઞાસાથી, તે તે દર્શનના ઉપાસ્ય એવા દેવના સ્વરૂપને અને તે તે દર્શનના દેવતાઓ દ્વારા બનાવાયેલ યોગમાર્ગના સ્વરૂપને જાણવા માટે પણ શક્તિ અનુસાર યત્ન કરે છે. તેથી તે પ્રકારના યત્નથી જ્યારે વીતરાગના ગુણઆધિક્યનું પરિજ્ઞાન થાય ત્યારે સર્વજ્ઞએ બતાવેલા માર્ગ પ્રત્યે તેઓને રુચિ થાય છે, અને શુદ્ધ એવા સર્વજ્ઞ વીતરાગદેવની ભક્તિનો પરિણામ થાય છે,
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૦
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૯-૧૦ અને તેમણે બતાવેલા માર્ગને વિશેષ વિશેષ જાણવા માટે અને સેવવા માટે યત્ન થાય છે. તેથી સર્વદેવોના નમસ્કારના અનુષંગથી આદિધાર્મિક જીવોનો માર્ગમાં પ્રવેશ થાય છે.
આ માર્ગનો પ્રવેશ ચારિસંજીવની ચાર ન્યાયથી થાય છે, એમ કહ્યું. તેથી એ પ્રાપ્ત થાય કે જેમ બળદ ચારો ચરતો હતો અને સંજીવની ચરતો ન હતો, તેવા બળદને ચારો ચરાવનાર સ્ત્રી વિદ્યાધરના વચનથી તે વૃક્ષની નીચે રહેલ સર્વ ચારો ચરાવે છે. તદ્અંતર્ગત સંજીવની પણ પ્રાપ્ત થવાથી બળદ એવો તે પુરુષ પુરુષરૂપે થાય છે. તેમ આઘભૂમિકાવાળા જીવો તત્ત્વજિજ્ઞાસાપૂર્વક સર્વ દેવોને નમસ્કાર કરતા હોય, અને સ્વબોધને અનુસાર તત્ત્વને જાણવા માટે યત્ન કરતા હોય, તો તે તે દર્શનમાં કહેલા તે તે દર્શનના દેવોનું સ્વરૂપ જાણે, તેમ વીતરાગના સ્વરૂપને પણ જાણે, અને પોતાની બુદ્ધિ અનુસાર વીતરાગના સ્વરૂપને જાણીને અને વીતરાગે બતાવેલા અહિંસાદિ ધર્મના પરમાર્થને જાણીને, અન્ય દર્શન કરતાં ભગવાનનું શાસન અણિશુદ્ધ તત્ત્વને બતાવનારું છે તેવો બોધ થાય ત્યારે, શુદ્ધ એવા વીતરાગદેવ પ્રત્યે ભક્તિવાળા થાય છે, અને તેથી અન્ય દેવોની ઉપાસના છોડીને, વીતરાગના પારમાર્થિક સ્વરૂપને જાણીને તેમના પ્રત્યે ભક્તિવાળા થાય છે, અને તેમના વચનઅનુસાર યોગમાર્ગની પ્રવૃત્તિ કરીને તેવા જીવો વીતરાગના શાસનરૂપ માર્ગમાં પ્રવેશ પામે છે. તેથી જેમ ચારો ચરતાં ચરતાં તે બળદને અનુષંગથી સંજીવની પ્રાપ્ત થવાથી તે બળદ મટીને પુરુષ થયો, તેમ આઘભૂમિકાવાળા જીવો સૂક્ષ્મ બોધ નહિ હોવાથી બળદ જેવા હોય છે, પરંતુ સર્વદેવોની ભક્તિ કરવાના અનુષંગથી વીતરાગના ગુણોના આધિક્યનું પરિજ્ઞાન થાય છે ત્યારે બળદભાવનો ત્યાગ કરીને પુરુષભાવને પામે છે. III અવતરણિકા :
શ્લોક-૭માં કહ્યું કે જેઓએ વિશેષનો નિર્ણય કર્યો નથી, તેવા આદિધાર્મિક જીવોએ સર્વદેવોને નમસ્કાર કરવો જોઈએ, અને ત્યારપછી શ્લોક-૮-૯માં કહ્યું કે આદિધાર્મિક જીવોને તે રીતે કરવાથી જ હિતની પ્રાપ્તિ થાય છે. હવે જેઓએ દેવતાના સ્વરૂપનો વિશેષ બોધ કર્યો છે, તેમને શું કરવું ઉચિત છે ? તે બતાવતાં કહે છે –
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૧
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૧૦ બ્લોક :
अधिज्ञातविशेषाणां विशेषेऽप्येतदिष्यते ।
स्वस्य वृत्तविशेषेऽपि परेषु द्वेषवर्जनात् ।।१०।। અન્વયાર્થ :
સ્વીકસ્વનું પોતાનું, વૃત્તવિશેષst=વૃતવિશેષ હોવા છતાં પણ અત્ય દેવો કરતાં પોતાના આચાર અધિક હોવા છતાં પણ, પરેપુ=પરમાં-પોતે જેની ભક્તિ કરે છે તેનાથી અન્ય દેવોમાં, હેપવર્ષના—ષના વર્જનથી
યજ્ઞાતવશેષાનાં અધિજ્ઞાત વિશેષવાળા જીવોએ ઉપાસ્ય દેવનું સ્વરૂપ જેમણે વિશેષથી જાગ્યું છે તેવા જીવોએ, વિશેષ ધ્યેષ્યિતે–વિશેષમાં પણ આ ઈચ્છાય છે-અરિહંત આદિમાં પણ પૂજન ઇચ્છાય છે. ૧૦ શ્લોકાર્થ :
સ્વનું પોતાનું, વૃત્તવિશેષ હોવા છતાં પણ અન્ય દેવો કરતાં પોતાના આચાર અધિક હોવા છતાં પણ, પરમાં પોતે જેની ભક્તિ કરે છે તેનાથી અન્ય દેવોમાં, દ્વેષના વર્જનથી, અધિજ્ઞાત વિશેષવાળા જીવોએ= ઉપાસ્ય દેવનું સ્વરૂપ જેમણે વિશેષથી જાણ્યું છે તેવા જીવોએ, વિશેષમાં પણ-અરિહંત આદિમાં પણ, આ=પૂજન ઈચ્છાય છે. ll૧૦માં ટીકા :
अधीति-अधिज्ञातो विशेषो-गुणाधिक्यं यस्तेषां, विशेषेऽप्यर्हदादौ एतत्= पूजनमिष्यते परेषु-पूज्यमानव्यतिरिक्तेषु, द्वेषस्य-मत्सरस्य वर्जनात्, स्वस्य= आत्मनः, वृत्तविशेषेऽपि-आचाराधिक्येऽपि सति, देवतान्तराणि प्रतीत्य ।।१०।। ટીકાર્ચ -
થિજ્ઞાતો ... પ્રતીત્વ અધિજ્ઞાત છે વિશેષ-ગુણઆધિક્ય જેમના વડે તેઓ અધિજ્ઞાત વિશેષવાળા છે, અને તેવા જીવોનું વિશેષમાં પણ=અરિહંત આદિમાં પણ, આ=પૂજન ઈચ્છાય છે કર્તવ્યરૂપે ઈચ્છાય છે. કેવી રીતે અરિહંત આદિમાં પૂજન કર્તવ્યરૂપે ઇચ્છાય છે, તે સ્પષ્ટ કરે છે –
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૨
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૧૦-૧૧ પોતાનું વૃત્તવિશેષ હોવા છતાં પણ=દેવતાન્તરોને આશ્રયીને પોતાનું આચારનું અધિકપણું હોવા છતાં પણ, પરમ=પૂજ્યમાન એવા અરિહંત આદિ દેવોથી વ્યતિરિક્ત એવા પરમાં, દ્વેષતા=મત્સરના વર્જનથી પૂજન ઇચ્છાય છે, એમ અન્વય છે. [૧૦માં ભાવાર્થ :
શ્લોક-૧માં ગુરુદેવાદિના પૂજનરૂપ પૂર્વસેવાનો પ્રથમ ભેદ બતાવ્યો. શ્લોક-૯માં દેવોનું પૂજન કઈ રીતે કરવું જોઈએ, તે બતાવ્યું. ત્યારપછી પૂર્વસેવા કરનાર આદિધાર્મિક જીવોએ સર્વદેવોનું પૂજન કરવું જોઈએ, તે બતાવ્યું; કેમ કે આદિધાર્મિક જીવો જ્યારે દેવતાવિશેષનું સ્વરૂપ જાણતા ન હોય ત્યારે સર્વદેવોને નમસ્કાર કરે તો તેઓનું ગુરુદેવાદિનું પૂજન યોગમાર્ગની પૂર્વસેવા બને.
હવે પૂર્વસેવા કરનારામાંથી પણ કેટલાક જીવો અન્ય દર્શનના દેવો કરતાં અરિહંત આદિ દેવોના વિશેષ ગુણો કયા છે, તેનું જ્ઞાન ધરાવતા હોય તેવા જીવોએ સર્વદેવોનું પૂજન છોડીને અરિહંત આદિનું પૂજન કરવું ઉચિત છે, અને તે પણ પૂજન અન્ય દેવો પ્રત્યે દ્વેષના વર્જનપૂર્વક કરવું જોઈએ; કેમ કે ભગવાનના શાસનને પામીને અન્ય દેવોના જે આચારોનું વર્ણન, તે તે દર્શનમાં પ્રાપ્ત થાય છે, તેના કરતાં જૈનશાસનને પામીને પોતે ઊંચા આચારો સેવતા હોય, તોપણ પોતાનાથી હીન આચારવાળા એવા અન્ય દર્શનના દેવો પ્રત્યે ષના વર્જનપૂર્વક અરિહંત આદિની ઉપાસના કરવી ઉચિત છે. ૧૦ના અવતરણિકા :
શ્લોક-૧માં ચાર પ્રકારની પૂર્વસેવા બતાવી. તેમાં ગુરુદેવાદિ પૂજનરૂપ પૂર્વસેવાનું અત્યાર સુધી વર્ણન કર્યું. ત્યાં ગુરુદેવાદિ પૂજનરૂપ પૂર્વસેવામાં રહેલ “આદિ' શબ્દથી પ્રાપ્ત અવ્ય પૂજનીયને આશ્રયીને કહે છે –
આ અવતરણિકા યોગબિંદુમાં આ પ્રમાણે છે તેથી તે પ્રમાણે કરેલ છે. શ્લોક :
नातुरापथ्यतुल्यं यद्दानं तदपि चेष्यते । पात्रे दीनादिवर्गे च पोष्यवर्गाविरोधतः ।।११।।
Page #42
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૧૧ અન્વયાર્થ :
૨ અને, યાનં=જે દાન ન માતરાપથ્યનુત્યં આતુરને અપથ્ય તુલ્ય નથી રોગીષ્ટને અપથ્ય આપવા જેવું નથી, તપ તે પણ, પાત્રે લીના િવ = પાત્રમાં અને દીનાદિ વર્ગમાં, પોષવવિરોધત:કપોષ્યવર્ગના અવિરોધથી રૂધ્યતે=ઈચ્છાય છે. ||૧૧|| શ્લોકાર્થ :
અને જે દાન આતુને અપથ્યતુલ્ય નથી રોગીષ્ટને અપથ્ય આપવા જેવું નથી, તે પણ પાત્રમાં અને દીનાદિ વર્ગમાં પોષ્યવર્ગના અવિરોધથી ઈચ્છાય છે. ll૧૧TI ટીકા :
नेति- यत् आतुरापथ्यतुल्यं ज्वरादिरोगविधुरस्य घृतादिदानसदृशं मुशलादिदानं, दायकग्राहकयोरपकारि न भवति तद्दानमपि चेष्यते पात्रे दीनादिवर्गे च-पोष्यवर्गस्य मातापित्रादिपोषणीयलोकस्याविरोधतो=वृत्तेरनुच्छेदात् ।।११।। ટીકાર્ય :
વત્ .... વૃત્તેરનુષ્ઠાત્ આતુરને અપથ્યતુલ્ય જવરાદિરોગથી યુક્તને ઘી આદિના દાન જેવું, દાયક અને ગ્રાહક બંનેને અપકારી એવું જે મુશલાદિદાન નથી, તે દાન પણ પાત્રમાં અને દીનાદિવર્ગમાં પોષ્યવર્ગના માતા-પિતાદિ પોષણીય લોકતા, અવિરોધથી=વૃત્તિના અનુચ્છેદથી = આજીવિકાના અનુચ્છેદથી ઈચ્છાય છે. ૧૧ાા. ભાવાર્થ -
શ્લોક-૧માં કહેલ યોગની પૂર્વસેવા જેમ ગુરુનું પૂજન અને દેવનું પૂજન છે; તેમ સુપાત્રની ભક્તિ અને દીનાદિવર્ગની અનુકંપા પણ છે; અને પાત્રમાં અને દીનાદિવર્ગમાં તે દાન કેવું હોવું જોઈએ, તે પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે.
જેમ રોગીને અપથ્ય વસ્તુ આપવામાં આવે તો તે દાન તેના અહિતનું કારણ છે, તેમ પાત્રમાં કે દીનાદિવર્ગમાં જે દાન આપવામાં આવે તે આરંભ-સમારંભનું સાધન એવું મુશલાદિનું દાન કરવામાં આવે તો આપનાર અને લેનાર બંનેના
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૪
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૧૧-૧૨ અહિતનું કારણ છે, કેમ કે લેનાર વ્યક્તિ તે આરંભ-સમારંભના સાધનના અભાવમાં તે પ્રકારનો આરંભ-સમારંભ ન પણ કરે, અને તે પ્રકારની આરંભસમારંભની સામગ્રી કોઈએ આપેલ હોય તો તેનો આરંભ-સમારંભમાં ઉપયોગ કરે, જેનાથી લેનારને તે આરંભના પ્રવૃત્તિકાળમાં વિશેષ પ્રકારના કર્મબંધની પ્રાપ્તિ થાય, અને આપનાર વ્યક્તિ તે આરંભની સામગ્રી આપીને તેના આરંભમાં સહાયક થવાના કારણે કર્મ બાંધે. તેથી તેવા આરંભ-સમારંભની સામગ્રી પાત્રમાં કે દીનાદિવર્ગમાં આપવી જોઈએ નહિ; પરંતુ પાત્રને ઉચિત પ્રવૃત્તિ કરવામાં સહાયક થાય, અને દીનાદિવર્ગને આજીવિકામાં સહાય થાય તેવું દાન આપવું જોઈએ, જેથી આજીવિકાના અભાવકૃત ક્લેશનું નિવર્તન થાય.
વળી, આ દાન પણ પોતાને પોષણીય એવા લોકોની આજીવિકાનો ઉચ્છેદ ન થાય તે રીતે આપવું જોઈએ. આદ્યભૂમિકાવાળા જીવોનો આ પ્રકારનો દાન આપવા વિષયક ઉચિત વ્યવહાર યોગમાર્ગની પૂર્વભૂમિકાની નિષ્પત્તિનું કારણ છે. /૧૧થી અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે પાત્રમાં અને દીનાદિવર્ગમાં વિવેકપૂર્વકનું દાન પૂર્વસેવારૂપે ઈચ્છાય છે. તેથી હવે તે દાનના વિષયભૂત પાત્ર કોણ છે અને દીનાદિવર્ગ કોણ છે, તેનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે – શ્લોક :
लिङ्गिनः पात्रमपचा विशिष्य स्वक्रियाकृतः ।
दीनान्धकृपणादीनां वर्गः कार्यान्तराक्षमः ।।१२।। અન્વયાર્થ :
નિાિન =લિંગિઓ-સંયમવેશને ધારણ કરનારા,પાત્ર=પાત્ર છે.વિશિષ્ટ સ્વત્રિાવૃતઃ=વિશેષથી સ્વક્રિયાને કરનારા-સ્વશાસ્ત્રમાં કહેવાયેલા અનુષ્ઠાનમાં અપ્રમત્ત, અપચ=અપાચક=આરંભ-સમારંભ નહિ કરનારા પાત્ર છે. જાન્તર ક્ષમ:=કાર્યાન્તરમાં અસમર્થ ભિક્ષાથી અતિરિક્ત આજીવિકાના હેતુ એવા વ્યાપાર કરવામાં અસમર્થ એવો, કિનાન્ચપીનાં =દીન, અંધ અને કૃપણ આદિનો વર્ગ પાત્ર છે. ૧૨
Page #44
--------------------------------------------------------------------------
________________
પ
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૧૨ શ્લોકાર્ચ - લિંગિઓ સંયમવેશને ધારણ કરનારા પાત્ર છે. સ્વક્તિાને કરનારા સ્વશાસ્ત્રમાં કહેવાયેલા અનુષ્ઠાનમાં અપ્રમત, અપાયક=આરંભ-સમારંભ નહિ કરનારા, વિશેષથી પાત્ર છે. કાર્યાન્તરમાં અસમર્થભિક્ષાથી અતિરિક્ત આજીવિકાના હેતુ એવા વ્યાપાર કરવામાં અસમર્થ એવો દીન, અંધ અને કૃપણ આદિનો વર્ગ પાત્ર છે. ll૧ાા ટીકા :
लिङ्गिन इति-लिङ्गिनो-व्रतसूचकतथाविधनेपथ्यवन्तः, सामान्यतः पात्रं आदिधार्मिकस्य, विशिष्य-विशेषतोऽपचाः स्वयमपाचकाः, उपलक्षणात् परैरपाचयितारः पच्यमानाननुमन्तारश्च, स्वक्रियाकृतः स्वशास्त्रोक्तानुष्ठानाપ્રમત્તા, કુt - “व्रतस्था लिङ्गिनः पात्रमपचास्तु विशेषतः ।
સિદ્ધાન્તવરોધેન વર્તન્ત કે સેવ દ" i || (ચો.વિ. ૨૨૨) दीनान्धकृपणादीनां वर्गः समुदायः कार्यान्तराक्षमो-भिक्षातिरिक्तनिर्वाहहेतुव्यापारासमर्थः, यत उक्तं - "दीनान्धकृपणा ये तु व्याधिग्रस्ता विशेषतः । નિ:સ્વા: વિન્તરીશ તો દિ મીત્તલ:” III (ચો.વિં. ૨૨) રૂતિ ! दीनाः क्षीणसकलपुरुषार्थशक्तयः, अन्धाः नयनरहिताः कृपणाः स्वभावत વસતાં પાસ્થાનં વ્યથાસ્તો: =ષ્ટચામૂતા, નિઃસ્વા=નિર્ણના સારા ટીકાર્ય :
નિીિનો .... નિર્ધના: 1 લિંગિઓ=વ્રતના સૂચક એવા તેવા પ્રકારના વસ્ત્રો ધારણ કરનારા સામાન્યથી આદિધાર્મિકને પાત્ર છે. પાકક્રિયા નહિ કરનારા=સ્વયં અપાચક, ઉપલક્ષણથી બીજા વડે પાકક્રિયા નહિ કરાવનારા અને પાકક્રિયાની અનુમોદના નહિ કરનારા, અને સ્વક્રિયાને કરનારા=પોતાના શાસ્ત્રમાં કહેવાયેલા અનુષ્ઠાનમાં અપ્રમત્ત ત્યાગીઓ
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૬
પૂર્વસેવાદ્વાäિશિકા/શ્લોક-૧૨ આદિધાર્મિકને માટે વિષેશથી પાત્ર છે, એમ અત્રય છે. તે કહેવાયું છેઃ આદિધાર્મિકને આશ્રયીને પાત્રનું સ્વરૂપ શ્લોકના પૂર્વાર્ધમાં બતાવ્યું તે યોગબિન્દુ શ્લોક-૧૨૨માં કહેવાયું છે –
વ્રતમાં રહેલા લિગિઓ પાત્ર છે. વળી, પાક નહિ કરનારા જેઓ સ્વસિદ્ધાન્તનાં અવિરોધથી સદા જ વર્તે છે, તેઓ વિશેષથી પાત્ર છે.”
કાર્યાન્તરમાં અસમર્થ=ભિક્ષાથી અતિરિક્ત નિર્વાહના હેતુ એવા વ્યાપારમાં અસમર્થ દીન, અંધ અને કૃણાદિનો વર્ગ છે સમુદાય છે=કૃપણાદિનો વર્ગ અનુકંપાનું પાત્ર છે.
જે કારણથી યોગબિન્દુ શ્લોક-૧૨૩માં કહેવાયું છે – “દીન, અંધ અને કૃપણ. વળી જેઓ વિશેષથી વ્યાધિગ્રસ્ત છે અને નિર્ધન છે. જેઓ ક્રિયાન્તરમાં અસમર્થ છે, એમનો સમુદાય મીલક છે–દીનાદિનો વર્ગ છે.” ‘તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. ઉદ્ધરણમાં આપેલ દિનાદિનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે –
ક્ષીણ સકલ પુરુષાર્થ શક્તિવાળા દીન છે=ધર્મ, અર્થ અને કામ ત્રણે પ્રકારના પુરુષાર્થ સાધવાને અસમર્થ દીન છે. નયનરહિત અંધ છે, સ્વભાવથી જ સંતોને કૃપાનું સ્થાન કૃપણો છે, કુટ્યાદિથી અભિભૂત વ્યાધિગ્રસ્ત છે, નિઃસ્વા=ધન વગરના છે. ૧૨ા ભાવાર્થ :
આદિધાર્મિક જીવો પ્રાય: યોગ માર્ગ વિષયક વિશેષ બોધવાળા હોતા નથી, તોપણ પ્રકૃતિભદ્રકતાના કારણે દાનાદિ ઉચિત આચારો સેવનારા હોય છે. તેવા જીવોને પાત્રાપાત્રનો જ્યાં સુધી વિશેષ બોધ ન હોય ત્યાં સુધી સામાન્યથી ત્યાગને સૂચવનારા વસ્ત્રધારી સાધુઓ, સંન્યાસી વગેરે સર્વ ભક્તિપાત્ર છે; અને જેઓ પોતાના દર્શન અનુસાર આચારો પાળવામાં અપ્રમત્ત હોય, બાહ્ય આરંભ-સમારંભથી નિવૃત્ત હોય, બીજા પાસે આરંભ-સમારંભ કરાવતા ન હોય અને આરંભ-સમારંભની અનુમોદના કરનારા ન હોય તેવા ત્યાગીઓ વિશેષથી ભક્તિને પાત્ર છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાત્રિંશિકા|શ્લોક-૧૨-૧૩
અહીં ‘અપાચક’ કહેવાથી સર્વ આરંભ-સમારંભનું ગ્રહણ છે, અને ઉપલક્ષણથી કરાવણ અને અનુમોદનનું ગ્રહણ છે. તેથી જેઓ આરંભ-સમારંભ વગર જીવનારા હોય તેઓની વિશેષથી ભક્તિ કરીને આદિધાર્મિક જીવો ત્યાગ પ્રત્યેના પક્ષપાતવાળા થાય છે.
વળી, આદિધાર્મિક જીવો પ્રકૃતિથી દયાળુ હોય છે. તેથી દીનાદિ પ્રત્યે અનુકંપાથી દાન આપે છે. તે દીનાદિનો વર્ગ કોણ છે, તે પ્રસ્તુત ગાથામાં બતાવેલ છે.
જેઓ ભિક્ષાની પ્રવૃત્તિથી અન્ય પ્રવૃત્તિ દ્વારા આજીવિકા કરવા માટે અસમર્થ હોય તેઓ દીનાદિનો વર્ગ છે. વળી, ટીંકામાં કૃણનો અર્થ કર્યો કે જેઓ સંતપુરુષોને સ્વભાવથી જ કૃપાનું સ્થાન છે તેઓ કૃપણ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે ઉત્તમ પ્રકૃતિવાળા હોય તેવા સંતપુરુષોને પુણ્યહીન જીવો પ્રત્યે દયાનો પરિણામ થાય છે. અને આદિધાર્મિક જીવો તેવા પુણ્યહીન જીવોને અનુકંપાથી દાન આપે છે. ||૧||
૨૭
અવતરણિકા :
શ્લોક-૧માં યોગની ચાર પ્રકારની પૂર્વસેવા છે તેમ કહ્યું. તેથી શ્લોક-૨થી અત્યાર સુધી તે ચાર પ્રકારની પૂર્વસેવામાંથી ગુરુદેવાદિ પૂજનરૂપ પ્રથમ પૂર્વસેવાનું વર્ણન કર્યું. હવે ક્રમપ્રાપ્ત ‘સદાચાર' રૂપ યોગની પૂર્વસેવા બતાવે છે
શ્લોક ઃ
सुदाक्षिण्यं दयालुत्वं दीनोद्धारः कृतज्ञता । जनापवादभीरुत्वं सदाचाराः प्रकीर्तिताः । । १३ ।।
અન્વયાર્થ :
સુવાક્ષિવૃં=સુદાક્ષિણ્ય, ચાતુરૂં=દયાળુપણું વીનોદ્ધાર:-દીનનો ઉદ્ધાર, નૃતજ્ઞતા=કૃતજ્ઞતા, નનાપવાવમીરુત્યું=જનઅપવાદનું ભીરુપણું સવાપારા:= સદાચાર પ્રીતિતાઃ-કહેવાયા છે. ।।૧૩।
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૮
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૧૩ શ્લોકાર્થ :
સુદાક્ષિણ્ય, દયાળુપણું, દીનનો ઉદ્ધાર, કૃતજ્ઞતા, જનઅપવાદનું ભીરુપણું સદાચાર કહેવાયા છે. ll૧all ટીકા :
सुदाक्षिण्यमिति-सुदाक्षिण्यं गम्भीरधीरचेतसः प्रकृत्यैव परकृत्याभियोगपरता, दयालुत्वं निरुपधिपरदुःखप्रहाणेच्छा, दीनोद्धारो=दीनोपकारयत्नः, कृतज्ञताः= परकृतोपकारपरिज्ञानं, जनापवादान्मरणान्निविशिष्यमाणाद् भीरुत्वं=भीतભાવ: રૂા. ટીકાર્ય :
સુલક્ષણં... મતભાવઃ | સુદાક્ષિણ્ય=ગંભીર, અને ધીર ચિતવાળાની પ્રકૃતિથી જ પરકૃત્યની અભિયોગપરતા અર્થાત્ બીજાના હિતને અનુકૂળ એવાં કૃત્યો કરવામાં તત્પરતા, દયાળુપણું=નિરુપધિ પરદુ:ખના નાશની ઈચ્છા=કોઈપણ જાતના સંબંધરૂપ ઉપાધિ વગર બીજાનાં દુઃખોનો નાશ કરવાની ઇચ્છા, દીનનો ઉદ્ધાર=દીનના ઉપકારમાં યત્ન, કૃતજ્ઞતા પર વડે કરાયેલા ઉપકારનું પરિજ્ઞાન=પર વડે પોતાને થયેલા ઉપકારનું અવિસ્મરણ, લિવિંશિષ્યમાન એવા મરણરૂપ જનઅપવાદથી=મરણતુલ્ય એવા જનઅપવાદથી, ભીરુપણું ભીતભાવ છે. [૧૩ ભાવાર્થ - પ્રસ્તુત શ્લોકમાં પાંચ સદાચારો બતાવેલા છે : (૧) સુદાક્ષિણ્ય :- યોગમાર્ગને પ્રાપ્ત કરી શકે તેવા અભિમુખભાવવાળા જીવો કર્મની લઘુતાથી ઉત્તમ પ્રકૃતિવાળા હોય છે. તેથી દરેક પ્રવૃત્તિ ગંભીરતાપૂર્વક વિચારીને કષાયોથી આકુળ થયા વગર ધીરતાપૂર્વક કરે તેવા ચિત્તવાળા હોય છે, તેવા ચિત્તવાળા જીવો પ્રકૃતિથી જ બીજાનું હિત થાય તેવાં કૃત્યો કરવામાં તત્પર હોય છે. આ તેમનો સુદાક્ષિણ્ય ગુણ છે.
(૨) દયાળુપણું:- યોગમાર્ગની પૂર્વભૂમિકાને પામેલા જીવો પ્રકૃતિથી દયાળુ સ્વભાવવાળા હોય છે. તેથી કોઈપણ જીવનાં કોઈપણ પ્રકારનાં દુઃખો જુએ તો
Page #48
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/બ્લોક-૧૩-૧૪ દુઃખો નાશ કરવાના અભિલાષવાળા થાય છે. આ આદિધાર્મિક જીવોનું દયાળુપણું છે.
(૩) દીનનો ઉદ્ધાર :- જેઓ પુણ્યહીન છે અને સારી ભોગસામગ્રી પામ્યા નથી, અને ધર્મ-અર્થ અને કામ પુરુષાર્થ સાધી શકે તેવા નથી. તેઓ દીન છે. અને તેવા દીનોને ઉપકાર થાય તેવો યત્ન આદિધાર્મિક જીવો કરતા હોય છે.
(૪) કૃતજ્ઞતા ગુણ - પર વડે પોતાને કોઈપણ પ્રકારનો નાનો પણ ઉપકાર થયો હોય તેનું અવિસ્મરણ રહે તેવી ઉત્તમ પ્રકૃતિ એ કૃતજ્ઞતા ગુણ છે, અને આવા કૃતજ્ઞતા ગુણવાળા આદિધાર્મિક જીવો હોય છે.
(૫) જનઅપવાદ ભીરુપણું :- મરણથી વિશેષતા વગરનું એવું જનઅપવાદભીરુપણું છે, એ પ્રકારના માર્ગાનુસારી બોધવાળા આદિધાર્મિક જીવો હોય છે. તેથી લોકોમાં પોતાનું ખરાબ દેખાય તેવી કોઈ પ્રવૃત્તિ કરતા નથી. આ પ્રકારનું જનઅપવાદભીરુપણું આદિધાર્મિક જીવોમાં હોવાથી લોકવિરુદ્ધ એવાં કોઈ કૃત્યો તેઓ કરતા નથી. I૧all અવતરણિકા :
વળી, આદિધાર્મિકતા અવ્ય સદાચારો બતાવે છે – શ્લોક :
रागो गुणिनि सर्वत्र निन्दात्यागस्तथापदि ।
अदैन्यं सत्प्रतिज्ञत्वं सम्पत्तावपि नम्रता ।।१४।। અન્વયાર્થ :
રાજા નિ=ગુણવાન પુરુષમાં રાગ, સર્વત્ર=જઘન્ય, મધ્યમ અને ઉત્તમ જીવો વિષયક નિત્ત્વત્યિા =નિંદાનો ત્યાગ, સાપરિ મયં આપત્તિમાં અદીનપણું, સર્વાતિ વં=સમ્પ્રતિજ્ઞાપણું સ્વીકારાયેલી ક્રિયાનું નિર્વાહપણું નથી અને સત્તાવા નમ્રતા=સંપત્તિમાં પણ નમ્રતા (સદાચારો) છે. ll૧૪ના શ્લોકાર્ચ -
ગુણવાન પુરુષમાં રાગ, સર્વત્ર જઘન્ય, મધ્યમ અને ઉત્તમ જીવો વિષયક નિંદાનો ત્યાગ, આપત્તિમાં અદીનપણું, સત્પતિજ્ઞપણુંક
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૦
પૂર્વસેવાદ્વાત્રિશિકા/શ્લોક-૧૪ સ્વીકારાયેલી ક્રિયાનું નિર્વાહપણું અને સંપત્તિમાં પણ નમ્રતા (સદાચારો) છે. ll૧૪ll ટીકા :
राग इति-गुणिनि-गुणवति पुंसि रागः। सर्वत्र जघन्यमध्यमोत्तमेषु निन्दात्यागः परिवादापनोदः । तथा आपदि-विपत्तौ अदैन्यमदीनभावः । सत्प्रतिज्ञत्वं प्रतिपत्रक्रियानिर्वाहणं । सम्पत्तावपि-विभवसमागमेऽपि नम्रता औचित्येन નમના શત્રતા સારા ટીકાર્ય -
જિનિ... નમનશીલતા ગુણવાન પુરુષમાં રાગ, સર્વત્ર જઘન્ય, મધ્યમ, ઉત્તમ પુરુષો વિષયક નિંદાનો ત્યાગ પરિવારનો ત્યાગ, અને આપત્તિમાં વિપત્તિમાં, અદીનપણું અદીતભાવ, સપ્રતિજ્ઞપણું=સ્વીકારાયેલી ક્રિયાનું નિર્વાહણ, સંપત્તિમાં પણ=વૈભવની પ્રાપ્તિમાં પણ, નમ્રતા
ઔચિત્યથી તમનશીલતા વડીલો આદિ સાથે ઔચિત્યપૂર્વક નમનશીલતા. II૧૪ ભાવાર્થ -
(૧) ગુણવાન પુરુષમાં રાગ:- પૂર્વસેવા કરનારા જીવો માર્ગાનુસારી ભાવવાળા હોય છે. તેથી સહજ રીતે ત્યાગાદિ પ્રવૃત્તિ કરનારા ગુણવાન પુરુષોને જોઈને તેમના પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન થાય છે. તેથી ગુણમાં રાગ એ રૂપ સદાચાર પૂર્વસેવાનો ભેદ છે.
(૨) નિંદાનો ત્યાગ :- માર્ગાનુસારી જીવોની પ્રકૃતિ ખરાબ જીવો, મધ્યમ જીવો કે ઉત્તમ જીવોની નિંદા ન કરે તેવી સુંદર હોય છે. તેથી સર્વત્ર નિંદાનો ત્યાગ એ પણ સદાચારરૂપ પૂર્વસેવા છે.
(૩) આપત્તિમાં અદીનપણું :- માર્ગાનુસારી બુદ્ધિવાળા જીવો કંઈક વિચારશીલ હોય છે. તેથી શુદ્ર જીવોની જેમ આપત્તિ આવે ત્યારે દીનભાવને ધારણ કરતા નથી, પરંતુ વિચારે છે કે મારાં ભૂતકાળનાં તેવા કર્મોથી આ આપત્તિ આવેલ છે. તેથી દીનતા વગર ઉચિત રીતે તે આપત્તિના નિવારણ માટે યત્ન કરે છે. આ પ્રકારની વિવેકવાળી પ્રવૃત્તિ એ પણ સદાચારરૂપ પૂર્વસેવા છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
૩૧
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૧૪-૧૫
(૪) સત્યપ્રતિજ્ઞાપણું - માર્ગાનુસારી જીવો પ્રાયઃ વિચારીને પ્રવૃત્તિ કરનારા હોય છે. તેથી પોતે જે ભૂમિકામાં હોય તેનું સમ્યક સમાલોચન કરીને તેને અનુરૂપ પ્રતિજ્ઞાઓ કરે છે, અને પોતે જે પ્રવૃત્તિ કરવાનું સ્વીકારેલ હોય તે પ્રવૃત્તિનો નિર્વાહ સમ્યફ કરે છે, પરંતુ વિપરીત સંયોગમાં પ્રતિજ્ઞાનો ત્યાગ કરતા નથી.
(૫) સંપત્તિમાં પણ નમ્રતા :- સામાન્ય રીતે જીવોને આપત્તિમાં દીનતા આવે છે અને સંપત્તિમાં ઉત્સુક થાય છે, પરંતુ જેઓ માર્ગાનુસારિતાવાળા છે, તેવા જીવો સંપત્તિની, કે સંપત્તિના અભાવની અસરથી પ્રવૃત્તિ કરનારા હોતા નથી, પરંતુ જેમ આપત્તિમાં અદીનભાવ ધારણ કરે છે, તેમ સંપત્તિમાં પણ સૌની સાથે ઉચિત વર્તન કરનારા હોય છે, આ પ્રકારનું ઉચિત વર્તન યોગમાર્ગની પૂર્વસેવારૂપ સદાચાર છે. ll૧૪ll અવતરણિકા :
વળી, આદિધાર્મિક જીવોના અન્ય સદાચારો બતાવે છે – શ્લોક :
अविरुद्धकुलाचारपालनं मितभाषिता ।
अपि कण्ठगतैः प्राणैरप्रवृत्तिश्च गर्हिते ।।१५।। અન્વયાર્થ :
વિરુદ્ધનાવારપાનનં=અવિરુદ્ધ કુલાચારનું પાલન=ધર્માદિથી અવિરુદ્ધ એવા કુલાચારનું પાલન, મિતષિતા=મિતભાષિતા ચ=અને, ૪તૈઃ પ્રાઃ આપ કંઠગત પ્રાણથી પણ, દંતે ગપ્રવૃત્તિ = હિતમાં અપ્રવૃત્તિ (સદાચારો) છે. ll૧૫ા શ્લોકાર્થ :
અવિરુદ્ધ કુલાચારનું પાલન ધર્માદિથી અવિરુદ્ધ એવા કુલાચારનું પાલન, મિતભાષિતા, અને કંઠગત પ્રાણથી પણ ગહિતમાં અપ્રવૃત્તિ (સદાચારો) છે. ૧પII
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૨
પૂર્વસેવાદ્રાવિંશિકા/શ્લોક-૧૫ ટીકા -
अविरुद्धेति-अविरुद्धस्य धर्माद्यप्रतिपन्थिनः, कुलाचारस्य पालनं अनुवर्तनं । मितभाषिता प्रस्तावे स्तोकहितजल्पनशीलता । कण्ठगतैरपि प्राणैर्गर्हिते= लोकनिन्दिते कर्मण्यप्रवृत्तिश्च ।।१५।। ટીકાર્ય :
વિરુદ્ધી ..... પ્રવૃત્તિબ્ધ અવિરુદ્ધ એવા કુલાચારનું ધર્માદિથી અવિરુદ્ધ એવા કુલાચારનું પાલન= સેવન, મિતભાષિતા=પ્રસ્તાવમાં અર્થાત્ બોલવાના પ્રસંગમાં થોડું હિતકારી બોલવાનું સ્વભાવપણું, કંઠગત પ્રાણથી પણ=મૃત્યુથી પણ, લોકનિંદિત કૃત્યોમાં અપ્રવૃત્તિ. ૧૫
ક “ધર્માવિમાં “ર” પદથી અર્થ, કામનું ગ્રહણ કરવું. ભાવાર્થ :
(૧) અવિરુદ્ધ એવા કુલાચારાદિનું પાલન :- માર્ગાનુસારી જીવો ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે. તેઓ પોતાના કુલના જે ઉચિત આચારો છે, તેનું સમ્યફ પાલન કરે છે અર્થાત્ કેટલાક કુલાચારો આલોકના અને પરલોકના હિતકારી છે, અને વિવેકપૂર્વકના ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થનો બાધ કરે તેવા નથી, તેવા કુલાચારોનું પાલન માર્ગાનુસારી બુદ્ધિવાળા જીવો કરે છે. અહીં ‘ધર્માદિમાં ‘રિ' પદથી અર્થ અને કામનું ગ્રહણ કરવું, અને અર્થ-કામને બાધ કરે તેવા કુલાચારનું પણ પાલન માર્ગાનુસારી જીવો કેમ કરતા નથી ? તેનું તાત્પર્ય શ્લોક-૪માં કરાયેલી સ્પષ્ટતાથી જાણવું.
(૨) મિતભાષિતા:- વળી, માર્ગાનુસારી જીવો બોલવાના પ્રસંગે વિચારીને બોલનારા હોય છે. તેથી થોડું અને હિતકારી બોલે છે.
(૩) લોકનિંદિત કૃત્યોમાં અપ્રવૃત્તિ :- વળી, લોકમાં જે નિંદિત કૃત્યો છે, તેવાં કૃત્યો મૃત્યુનો પ્રસંગ આવે તોપણ કરે નહિ તેવી ઉત્તમ પ્રકૃતિવાળા હોય છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાત્રિંશિકા/બ્લોક-૧૬ અવતરણિકા :
વળી, આદિધાર્મિક જીવોના અન્ય સદાચારો બતાવે છે
શ્લોક ઃ
प्रधानकार्यनिर्बन्धः सद्व्ययोऽसद्व्ययोज्झनम् । लोकानुवृत्तिरुचिता प्रमादस्य च वर्जनम् ।। १६ । ।
-
અન્વયાર્થ :
પ્રથાનાર્થનિર્વન્કઃ=પ્રધાન કાર્યમાં આગ્રહ,સર્વ્યયઃ=સર્વ્યય=પુરુષાર્થને ઉપયોગી એવા ધનનો વ્યય, અમર્ત્યયોાનમ્=અસદ્બયનો ત્યાગ=પુરુષાર્થને ઉપયોગી ન હોય એવા ધનવ્યયનો ત્યાગ. ભોળાનુવૃત્તિરુચિતા=ઉચિત એવી લોકની અનુવૃત્તિ=ધર્મઅવિરુદ્ધ એવી લોકચિત્તની આરાધના, 7=અને, પ્રમાવસ્ય વર્નન=પ્રમાદનું વર્જન=મદ્યપાનાદિનું વર્જન (સદાચારો) છે. ।।૧૬।। શ્લોકાર્થ :
.....
પ્રધાનકાર્યમાં આગ્રહ, સદ્ભય=પુરુષાર્થને ઉપયોગી એવા ધનનો વ્યય, અસદ્બયનો ત્યાગ=પુરુષાર્થને ઉપયોગી ન હોય એવા ધનવ્યયનો ત્યાગ. ઉચિત એવી લોઅનુવૃત્તિ=ધર્મઅવિરુદ્ધ એવી લોકચિત્તની આરાધના, પ્રમાદનું વર્જન=મધપાનાદિનું વર્જન (સદાચારો) છે. ।।૧૬।। ટીકા :
प्रधानेति - प्रधानकार्ये - विशिष्टफलदायिनि प्रयोजने, निर्बन्धः = आग्रहः, =ઞપ્રશ્ન:, सद्व्ययः=पुरुषार्थोपयोगी वित्तविनियोगः, असद्व्ययस्य=तद्विपरीतस्योज्झनं= ત્યા:, ભોળાનુવૃત્તિ:-તોચિત્તારાધના, પિતા=ધર્માવિરુદ્વા, પ્રમાવસ્વ=મદ્યपानादिरूपस्य च वर्जनम् ।।१६।।
ટીકાર્ય :
प्रधानकार्ये વર્નનમ્ ।। પ્રધાનકાર્યમાં=વિશિષ્ટ ફળને આપનારા પ્રયોજનમાં, નિર્બન્ધ=આગ્રહ, સદ્ભય-પુરુષાર્થને ઉપયોગી એવા ધનનો
33
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૪
પૂર્વસેવાદ્વાચિંશિકા/બ્લોક-૧૬ વિનિયોગ, અસદ્વ્યયનો ત્યાગ=તેનાથી વિપરીતનો ત્યાગ=પુરુષાર્થને અનુપયોગી એવા ધનવ્યયનો ત્યાગ, ઉચિત લોકઅનુવૃત્તિ ધર્મઅવિરુદ્ધ એવી લોકચિત્તની આરાધના, પ્રમાદનું મદ્યપાનાદિનું વર્જન. ૧૬. ભાવાર્થ :
(૧) પ્રધાન કાર્યમાં આગ્રહ:- માર્ગાનુસારી બુદ્ધિવાળા જીવો જે કોઈ પ્રવૃત્તિ સ્વીકારશે, તેમાં વિશેષ પ્રવૃત્તિનું ફળ કઈ પ્રવૃત્તિમાં છે, તેનો વિચાર કરીને ઉચિત પ્રવૃત્તિ કરવાના આગ્રહવાળા હોય છે. તેથી માત્ર પોતાને જે રુચે તે પ્રકારની પ્રવૃત્તિ કરવાનો તેમનો આગ્રહ હોતો નથી, પરંતુ જેનાથી પોતાનું, પોતાના સ્વજનઆદિનું એકાંતે હિત થાય, તેની વિચારણા કરીને વિશિષ્ટ ફળવાળી પ્રવૃત્તિ કરવાના આગ્રહવાળા હોય છે.
(૨) સવ્યયઃ- ધર્મ, અર્થાદિ પુરુષાર્થને ઉપયોગી હોય તે પ્રકારે ધનનો વ્યય કરે છે, જેથી આલોકમાં પણ સુખી થાય છે અને પરલોકમાં પણ સુખી થાય છે.
(૩) અસત્રેયનો ત્યાગ:- વળી, પુરુષાર્થને ઉપયોગી ન હોય તેવો ધનનો વ્યય કરીને અનુચિત પ્રવૃત્તિ કરનારા હોતા નથી, જેથી આલોકના અને પરલોકના હિતનો ઘાત થાય તે પ્રકારે ધનનો વ્યય કરતા નથી.
(૪) ઉચિત એવી લોકઅનુવૃત્તિ :- વળી, ધર્મઅવિરુદ્ધ હોય તેવી લોકોના ચિત્તને પ્રસન્નતા પેદા કરાવે તેવી પ્રવૃત્તિ કરે છે, જેથી લોકોને પણ તેમના પ્રત્યે આદરભાવ થાય છે, અને તેમના ધર્મની પ્રશંસા કરીને હિતની પ્રાપ્તિ થાય છે.
(૫) પ્રમાદનું વર્જન - મદ્યપાનાદિ વ્યસનનું વર્જન એ પણ માર્ગાનુસારી જીવોની ઉચિત પ્રવૃત્તિ છે.
શ્લોક-૧૩થી ૧૬ સુધી બતાવેલા સદાચારોનું પાલન કરવાથી યોગમાર્ગની પૂર્વભૂમિકા તૈયાર થાય છે, જેથી ઉત્તરમાં યોગમાર્ગની પ્રાપ્તિ થાય અને સમ્યફ યોગમાર્ગનું પાલન થઈ શકે તેવું ઉત્તમ ચિત્ત પ્રાપ્ત થાય છે. II૧૬ાા
Page #54
--------------------------------------------------------------------------
________________
૩૫
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૧૭ અવતરણિકા -
શ્લોક-૧માં ચાર પ્રકારની પૂર્વસેવા બતાવી. તેમાંથી પ્રથમ બે પ્રકારની પૂર્વસેવાનું વર્ણન અત્યાર સુધી બતાવ્યું. હવે ક્રમ પ્રાપ્ત તારૂપ યોગની પૂર્વસેવાને બતાવે છે – શ્લોક -
तपश्चान्द्रायणं कृच्छ्रे मृत्युघ्नं पापसूदनम् ।
आदिधार्मिकयोग्यं स्यादपि लौकिकमुत्तमम् ।।१७।। અન્વયાર્થ :
મવિધિયોષે=આદિધાર્મિક યોગ્ય, ચાન્દ્રાયui=ચાંદ્રાયણ, છૂટકૃચ્છ, મૃત્યુઝંકમૃત્યધ્વ, પાપભૂવન=પાપસૂદન ૩ત્તમમ્ નોમ્િ પિsઉત્તમ એવું લોકસિદ્ધ પણ તપ: ચા–તપ છે. ll૧૭ના બ્લોકાર્થ :
આદિધાર્મિક યોગ્ય ચાંદ્રાયણ, કૃચ્છ, મૃત્યુઘ્ન, પાપસૂદન ઉત્તમ એવું લોકિક પણ તપ છે. I૧૭ી. ટીકા :
तप इति-लौकिकमपि लोकसिद्धमपि, अपिर्लोकोत्तरं समुच्चिनोति, उत्तमं= स्वभूमिकोचितशुभाध्यवसायपोषकम् ।।१७।। ટીકાર્ય :
નોમિપિ ..... પોષમ્ લૌકિક પણ=લોકસિદ્ધ પણ તપ થાય, એમ અન્વય, છે અને સ્યાત્ પછીનો ‘મણિ' શબ્દ લૌકિક સાથે સંબંધવાળો છે, અને તે દિશબ્દથી લોકોત્તરનો સમુચ્ચ થાય છે અર્થાત્ આદિધાર્મિક લોકોત્તર પણ તપ હોય તેમ સમુચ્ચ થાય છે, અને આ લૌકિક અને લોકોત્તર તપ ઉત્તમ કેમ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – સ્વભૂમિકાને ઉચિત શુભ અધ્યવસાયને પોષક છે માટે ઉત્તમ છે. ૧ાા
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૬.
પૂર્વસેવાદ્વાત્રિશિકાશ્લોક-૧૭-૧૮ ભાવાર્થ :
આદિધાર્મિક જીવો પ્રાયઃ જૈનશાસનને પામેલા ન હોય તેવા પણ ઘણા હોય છે, અને જૈનશાસનને પામેલા પણ હોય છે; અને ન પામેલા આદિધાર્મિક જીવો લૌકિક તપ કરનારા હોય છે, અને જૈનશાસનને પામેલા લોકોત્તર તપને કરનારા હોય છે. આ બંને પણ પ્રકારના આદિધાર્મિક જીવો જે તપ કરે છે, તે પોતાની ભૂમિકાને ઉચિત શુભઅધ્યવસાયને પોષક હોય છે, તેથી ઉત્તમ છે; અને તેવો લૌકિક તપ ચાંદ્રાયણ આદિ અનેક ભેદવાળો છે, જેનું સ્વરૂપ ગ્રંથકાર સ્વયં આગળ બતાવે છે. I૧ી . અવતરણિકા :
આદિધાર્મિક જીવો જે લૌકિક તપ કરે છે, તેનું વર્ણન કરતાં પ્રથમ ચાંદ્રાયણ તપની વિધિ કહે છે – શ્લોક :
एकैकं वर्धयेद् ग्रासं शुक्ले कृष्णे च हापयेत् ।
भुजीत नामावास्यायामेष चान्द्रायणो विधिः ।।१८।। અન્વયાર્થ :
શુવન્ને=શુક્લપક્ષમાં, પર્વ પ્રાસં એક એક ગ્રાસ=એક એક કોળિયો, વર્યવધારે, ચ=અને કૃષ્ણ કૃષ્ણપક્ષમાં પ=એક એક કોળિયો ઘટાડે, અમાવાસ્યાયા—અમાવાસ્યામાં, 7 મુશ્મીત=ભોજન કરે નહિ, s= એ વાવ વિધ =ચાંદ્રાયણ તપની વિધિ છે. I૧૮ શ્લોકાર્ચ :
શુક્લપક્ષમાં એક એક ગ્રાસ=એક એક કોળિયો વધારે, અને કૃષ્ણપક્ષમાં એક એકકોળિયો ઘટાડે, અમાવાસ્યામાં ભોજન કરે નહિ, એ ચાંદ્રાયણ તપની વિધિ છે. ૧૮ll ટીકા :
एकैकमिति-एकैकं वर्धयेद् ग्रासं-कवलं, शुक्ले पक्षे प्रतिपत्तिथरारभ्य यावत्
Page #56
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાત્રિંશિકા/બ્લોક-૧૮
૩૭
पौर्णमास्यां पंञ्चदश कवलाः कृष्णे च पक्षे हापयेत् हीनं कुर्यात् एकैकं कवलं ततो भुञ्जीत न अमावास्यायां तस्यां सकलकवलक्षयात्, एष चान्द्रायणः चन्द्रेण वृद्धिभाजा क्षयभाजा च सहेयते गम्यते यत्तच्चन्द्रायणं तस्यायं વિધિ:-પ્રજાર કૃતિ
|
ટીકાર્ય ઃ
एकैकं કૃતિ II એક એક ગ્રાસ=કવલ શુક્લપક્ષમાં વધારે-એકમથી માંડીને યાવત્ પૂનમમાં ૧૫ કવલ આહાર ગ્રહણ કરે, અને કૃષ્ણપક્ષમાં હીત કરે–એક એક કવલ હીન કરે. ત્યારપછી અમાવાસ્યામાં ભોજન કરે નહિ; કેમ કે તેમાં=અમાવાસ્યામાં સકલ કવલનો ક્ષય છે–એક એક કોળિયાના હાસથી અમાવાસ્યામાં સર્વ કોળિયાનો ક્ષય છે. આ ચાંદ્રાયણ, વૃદ્ધિભાજ એવા ચંદ્રની સાથે અને ક્ષયભાજ એવા ચંદ્રની સાથે જે જાય છે=જે જણાય છે, તે ચંદ્રાયણ. તેની આ કરણપ્રકારક વિધિ છે. ‘કૃતિ’ શબ્દ ચાંદ્રાયણ તપની વિધિની સમાપ્તિ માટે છે. ।।૧૮।।
ભાવાર્થ:
.....
આદિધાર્મિક જીવો તપ, ત્યાગ પ્રત્યેની રુચિવાળા હોય છે, અને તેઓ જે લૌકિક એવું ચાંદ્રાયણ તપ કરે છે, તેની વિધિ આ પ્રમાણે છે
ચંદ્ર શુક્લપક્ષમાં વૃદ્ધિ પામે છે, તેથી ચંદ્રની વૃદ્ધિને સામે રાખીને ચાંદ્રાયણ તપ કરનારા આદિધાર્મિક જીવો એક એક કવલની વૃદ્ધિથી એકાસણું કરે છે. તેમાં શુક્લપક્ષના એકમમાં એક કોળિયાથી એકાસણું કરે, અને બીજ-ત્રીજ આદિના ક્રમથી એક એક કવલની વૃદ્ધિ કરે અને પૂર્ણિમાના દિને પંદર કવલથી એકાસણું કરે, અને કૃષ્ણપક્ષમાં એક એક કવલ ઘટાડે, તેથી કૃષ્ણપક્ષની એકમના ૧૪ કવલ ગ્રહણ કરે, અને કૃષ્ણપક્ષની બીજ-ત્રીજ આદિના ક્રમથી એક એક કવલ ઘટાડવાથી કૃષ્ણપક્ષની ચૌદશના એક કવલની પ્રાપ્તિ થાય, અને અમાવાસ્યામાં સર્વ કવલનો ક્ષય થવાથી ઉપવાસ કરે. આ પ્રકારની ચાંદ્રાયણ તપની વિધિ છે. [૧૮]
And
Page #57
--------------------------------------------------------------------------
________________
3८
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૧૯ मवतरsि :
लो-१७मां यार २i as d५ . तमांथी मप्राप्त 'कृच्छ्र' તપની વિધિ બતાવે છે – cs:
सन्तापनादिभेदेन कृच्छ्रमुक्तमनेकधा ।
अकृच्छ्रादतिकृच्छ्रेषु हन्त सन्तारणं परम् ।।१९।। मन्वयार्थ :
अतिकृच्छ्रेषु तिमi=1२ मा ५५६वा सेवा अपराधीमा, अकृच्छ्रात्म रथी=ष्टथी, परम् सन्तारणं=५२ सन्तारए। =प्रष्ट सत्तएको हेतु , कृच्छ्र तप सन्तापनादिभेदेन Alluallथी अनेकधासने प्रारदुं छे. 'हन्त' श६ पपूत माटे छे. ।।१८।। Reोइार्थ :
અતિમાં નરકઆદિપાપળવાળા એવા અપરાધોમાં અછૂથી= અકષ્ટથી, પર સતારણ એવું=પ્રકૃષ્ટ સન્તરણનો હેતુ એવું, કૃષ્ણ કૃષ્કૃતપ સત્તાપનાદિના ભેદથી અનેક પ્રકારનું છે. ll૧૯II टीका :__ सन्तापनादीति-सन्तापनादिभेदेन कृच्छ्रे कृच्छ्रनामकं तपोऽनेकधोक्तं । आदिना पादसम्पूर्णकृच्छ्रग्रहः । तत्र सन्तापनकृच्छ्रे यथा - “त्र्यहमुष्णं पिबेदम्बु त्र्यहमुष्णं घृतं पिबेत् । त्र्यहमुष्णं पिबेन्मूत्रं त्र्यहमुष्णं पिबेत्पयः" ।।१।। इति । पादकृच्छ्रे त्वेतत् - “एकभक्तेन नक्तेन (भुक्तेन)तथैवायाचितेन च । उपवासेन चैकेन पादकृच्छ्रे विधीयते" ।।१।। इति । सम्पूर्णकृच्छ्रे पुनरेतदेव चतुर्गुणितमिति । अकृच्छ्रात्=अकष्टात् अतिकृच्छ्रेषु=
Page #58
--------------------------------------------------------------------------
________________
૩૯
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૧૯ नरकादिपातफलेषु अपराधेषु, हन्तेति प्रत्यवधारणे सन्तारणं संतरणहेतुः પરં પ્રવૃષ્ટ પ્રા નામ્ પારા ટીકાર્ય :
સત્તાપન ... નિનામ્ II સત્તાપનાદિ ભેદથી કૃચ્છ-કૃચ્છુ નામનું તપ અનેક પ્રકારનું કહેવાયું છે. સત્તાપનાદિમાં રહેલા આદિ પદથી પાદપૃચ્છુ અને સંપૂર્ણ કૃચ્છનું ગ્રહણ છે. ત્યાં=સત્તાપનાદિ ત્રણ કૃચ્છના ભેદમાં સત્તાપના કૃઙ્ગ આ પ્રમાણે છે – ત્રણ દિવસ ઉષ્ણ પાણી પીવે, ત્રણ દિવસ ઉષ્ણ ઘી પીવે, ત્રણ દિવસ ઉષ્ણ મૂત્ર પીવે, ત્રણ દિવસ ઉષ્ણ દૂધ પીવે. “તિ” શબ્દ સત્તાપના કૃચ્છની વિધિના ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. વળી, ‘પાદકૃઙ્ગ આ છે=આગળમાં બતાવે છે એ છે.
એક ભક્ત એવા ભોજનથી અને અયાચિત એવા એક ભક્તથી-એકાસણું કરતી વખતે માંગ્યા વગર જે મળે તેનાથી એકાસણું કરવા વડે અને એક ઉપવાસ વડે પાદકછુ કરાય છે.
તિ' શબ્દ પાદપૃચ્છની વિધિના ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. વળી સંપુર્ણ કૃચ્છુ આજ=પાદકૃચ્છુ જ, ચાર ગણું છે. “તિ’ શબ્દ ત્રણ પ્રકારના કૃચ્છુ તપના સમાપ્તિ માટે છે.
પૂર્વમાં ત્રણ પ્રકારના કૃધૃતપ બતાવ્યા. તે તપ કયા ફળવાળા છે, તે બતાવવા અર્થે કહે છે –
અતિકૃચ્છુ એવા નરકાદિપાતના ફળવાળા એવા અપરાધોમાં અકૃચ્છથી અકષ્ટથી, જીવોને પર સંતારણનો હેતુ=પ્રકૃષ્ટ સંતરણનો હેતુ, કૃચ્છત૫ છે, એમ અવય છે. શ્લોકમાં રહેલો ‘ન્ત' શબ્દ પ્રકૃષ્ટ સંતરણનો હેતુ જ છે, એ પ્રકારના પ્રત્યપધારણમાં છે. I૧૯iા
નોંધ:- પાદફચ્છનું સ્વરૂપ બતાવવા માટે જે ઉદ્ધરણ આપેલ છે, તેમાં ‘નર્તન' ના સ્થાને યોગબિન્દુના શ્લોક-૧૩૩ પ્રમાણે ‘અવૉન' એ પ્રમાણે પાઠ જોઈએ. તેથી તે પ્રમાણે અર્થ કરેલ છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૦
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૧૯-૨૦ ભાવાર્થ :
આદિધાર્મિક જીવો પૂર્વસેવારૂપે કુછુતપ કરે છે, તેનું સ્વરૂપ આ પ્રમાણે છે - (૧) સત્તાપના કૃચ્છ, (૨) પાદફચ્છ અને (૩) સંપૂર્ણ કુછુ.
આ ત્રણે તપો આદિધાર્મિક જીવો પોતાના જીવનમાં કરાયેલાં નરકાદિ પાપોનો નાશ કરવા અર્થે કરે છે. તેથી અહીં કહ્યું કે અતિઅનર્થકારી એવાં નરકાદિ ફળોને અકષ્ટથી=અલ્પ એવા કષ્ટથી સંતરણનો હેતુ કછૂતપ છે; કેમ કે નરકાદિમાં ઘણાં કષ્ટો છે. તે સર્વ કષ્ટો અલ્પ એવા કષ્ટરૂપ કચ્છતાથી દૂર થઈ શકે છે, તેવો બોધ થવાથી પાપના ભીરુ એવા આદિધાર્મિક જીવો કૃષ્કૃતપ કરે છે.
(૧) સત્તાપન કૃષ્કૃતપ:• ત્રણ દિવસ ઉષ્ણ પાણી પીવાથી, ત્રણ દિવસ ઉષ્ણ ઘી પીવાથી, ત્રણ દિવસ ઉષ્ણ મૂત્ર પીવાથી, ત્રણ દિવસ ઉષ્ણ દૂધ પીવાથી,
આત્માને કષ્ટ વેઠવારૂપ સત્તાપન કરાય છે, જેના ફળરૂપે કરાયેલાં પાપો પ્રત્યે જુગુપ્સા થવાથી અને તે પાપની શુદ્ધિના ઉપાયરૂપે સત્તાપન કરેલ હોવાથી તે પાપની શુદ્ધિ થાય છે.
(૨) પાદચ્છ તપ અને (૩) સંપૂર્ણ કૃતપ:- પાદચ્છતામાં એક દિવસ એક વખતના ભોજનથી એકાસણું કરવું. વળી, એક દિવસ યાચના વગર જે પીરસાય તેનાથી એકાસણું કરવું, અને એક દિવસ ઉપવાસ કરવો. આ પ્રકારે કષ્ટ વેઠવાની ક્રિયા એ પાદફતપ કહેવાય, અને આ પાદસ્કૃતપ ચારગણું કરવામાં આવે તે સંપૂર્ણ કૃધૃતપ કહેવાય; અને પોતાના થયેલા અપરાધોની શુદ્ધિનો હેતુ આ તપ છે, એવી બુદ્ધિથી કરાયેલું તપ પાપની શુદ્ધિનું કારણ બને છે, માટે પૂર્વસેવારૂપે અભિમત છે. ૧૯ના અવતરણિકા :
શ્લોક-૧૭માં ચાર પ્રકારના ઉત્તમ એવા જે લૌકિક તપ બતાવેલ, તેમાંથી હવે ક્રમ પ્રાપ્ત મૃત્યુધ્ધ તપનું સ્વરૂપ બતાવે છે –
Page #60
--------------------------------------------------------------------------
________________
૪૧
પૂર્વસેવા હાચિંશિકા/શ્લોક-૨૦ શ્લોક :
मासोपवासमित्याहुर्मृत्युघ्नं तु तपोधनाः ।
मृत्युञ्जयजपोपेतं परिशुद्धं विधानतः ।।२०।। અન્વયાર્થ :
તુ વળી, મૃત્યુક્ત પોતે વિઘાનતઃ પરિશુદ્ધ-મૃત્યુંજય જપથી યુક્ત, વિધાનથી પરિશુદ્ધ એવા, માસોપવાસં માસોપવાસ તપને, તપોથના: તપોધન એવા મુનિઓ મૃત્યુઝંકમૃત્યમ્બ નામનું તિ=આ તપ, સાદુ કહે છે. ર૦|| શ્લોકાર્ચ -
મૃત્યુંજય જપથી યુક્ત, વિધાનથી પરિશુદ્ધ=વિધિથી પરિશુદ્ધ એવા માસોપવાસ તપને તપોધન એવા મુનિઓ મૃત્યુઘ્ન નામનું આ તપ, કહે છે. ૨૦ ટીકા :
मासेति-मासं यावदुपवासो यत्र तत्तथा इत्येतदाहुः मृत्युघ्नं तु-मृत्युघ्ननामकं तु, तपोधनाः तपःप्रधाना मुनयः, मृत्युञ्जयजपेन-परमेष्ठिनमस्कारेणोपेतं-सहितं परिशुद्धमिहलोकाशंसादिपरिहारेण, विधानतः कषायनिरोधब्रह्मचर्यदेवપૂજાવિરૂપથિાનાત્ પારા ટીકાર્ય :
મારૂં . પથિાનાત્ / માસ સુધી ઉપવાસ છે જેમાં તે તેવું છે=માસોપવાસ તપ છે. એ=માસોપવાસ તપ, તપોધન=પપ્રધાન એવા મુનિઓ વળી મૃત્યુદ્ધ કહે છેઃમૃત્યુઘ્ન નામનું તપ કહે છે. તે મૃત્યુદ્ધ તપ મૃત્યુંજય જપથી સહિત છે=પંચપરમેષ્ટિ નમસ્કારથી યુક્ત છે. વળી, તે મૃત્યુધ્ધ તપ આલોકઆશંસાદિના પરિહારથી પરિશુદ્ધ છે. વળી તે મૃત્યુધ્ધ તપ વિધાનથી છે=કષાયનો વિરોધ, બ્રહ્મચર્ય, દેવપૂજાદિ રૂપ વિધિથી કરવાનું છે. ૨૦
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૨
પૂર્વસેવાદ્વાચિંશિકા/બ્લોક-૨૦ ભાવાર્થ :
આદિધાર્મિક જીવો પોતાના બોધ અનુસાર સંસારનું સ્વરૂપ વિચારનાર હોય છે, અને આ સંસાર અનંત મૃત્યુની પરંપરાવાળો છે તેવું જણાવાથી મૃત્યુના નાશના અર્થી બને છે. તેથી તેઓ યોગીઓને મૃત્યુના નાશનો ઉપાય પૂછે ત્યારે તપપ્રધાન એવા મુનિઓ તેઓને મૃત્યુના જયના ઉપાથરૂપે માસક્ષમણ તપ બતાવે છે, જે તમને મુનિઓ મૃત્યુઘ્ન નામનું તપ કહે છે. અર્થાત્ મૃત્યુની પરંપરાના નાશને અર્થાત્ જ્યાં મૃત્યુની પરંપરા છે એવા સંસારના નાશને કરનારું આ તપ છે, એમ કહે છે; અને તે તપ આલોક-પરલોકની આશંસાના પરિહારથી, અને ફરી સંસારમાં મૃત્યુ ન થાય એવા એક માત્ર મોક્ષની આશંસાથી કરવાનું કહે છે; અને તેની વિધિ આ પ્રમાણે બતાવે છે : સ્વશક્તિ અનુસાર કષાયનો નિરોધ, બ્રહ્મચર્યનું પાલન, વીતરાગની પૂજા, પાપની શુદ્ધિ અર્થે પ્રતિક્રમણ આદિ અનુષ્ઠાન કરવાનું કહે છે. વળી, તે મૃત્યુદ્ધ તપ મૃત્યુંજય એવા જપથી મુક્ત કરવાનું બતાવે છે અર્થાત્ જેઓએ મૃત્યુનો જય કર્યો છે, એવા પંચપરમેષ્ઠિના નમસ્કારથી યુક્ત કરવાનું બતાવે છે.
વળી તપ કરનારા જીવોની યોગ્યતા અનુસાર તેમને બતાવે છે કે સિદ્ધના આત્માઓ સર્વકર્મરહિત છે, તેથી મૃત્યુને જીતેલા છે અને અરિહંતો ભાવથી સંગ વગરના છે અને વીતરાગ છે. તેથી સંગના પરિણામને કારણે જે કર્મ બંધાતાં હતાં, તેનો બંધ તેઓને નથી. તેથી તેઓનું આ ભવનું મૃત્યુ ચરમ મૃત્યુ છે, તેથી તીર્થકરો પણ મૃત્યુના જયને પામેલા છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ મૃત્યુના જય અર્થે સર્વ ઉદ્યમથી સંગનો ત્યાગ કરીને અસંગભાવમાં જવા માટે યત્ન કરે છે, તેથી તેઓ મૃત્યુને જીતી રહ્યા છે. અને “જેઓ જીતી રહ્યા હોય, તેઓએ જીતી લીધું છે” એ નિયમ પ્રમાણે તેઓ પણ મૃત્યુના જયને પામેલા છે, માટે આ પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરીને મૃત્યુના જયની શક્તિનો સંચય થાય એવા મૃત્યુંજય જપથી યુક્ત મૃત્યુન તપ કરવો જોઈએ, એ પ્રકારનો ઉપદેશ મુનિઓ આપે છે. તેનું પાલન કરીને આદિધાર્મિક જીવો યોગની પૂર્વભૂમિકાને પ્રાપ્ત કરે છે. ll૨૦માં
Page #62
--------------------------------------------------------------------------
________________
૪3
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૨૧ અવતરણિકા -
શ્લોક-૧૭માં ચાર પ્રકારના આદિધાર્મિકને યોગ્ય લૌકિક તપ છે, તેમ બતાવેલ. હવે તેમાંથી ક્રમ પ્રાપ્ત પાપસૂદન નામના તપનું સ્વરૂપ બતાવે છે – શ્લોક :
पापसूदनमप्येवं तत्तत्पापाद्यपेक्षया ।
चित्रमन्त्रजपप्रायं प्रत्यापत्तिविशोधितम् ।।२१।। અન્વયાર્થ -
વિત્રીન્દ્રનાથં ચિત્ર મંત્રજપ છે બહુલ જેમાં એવું, પ્રત્યાત્તિવિશોધિતષ્ક પ્રતિ આપત્તિથી વિશોધિત=જે જે પાપો થયા છે તેનાથી વિરુદ્ધ ભાવો દ્વારા વિશોધિત, તત્પાપાપેક્ષા પાપસૂત્રમ્ =તે તે પાપાદિની અપેક્ષાથી પાપસૂદન પણ, પર્વ એ રીતે=જે રીતે મૃત્યુદ્ધ તપ પરિશુદ્ધ અને વિધાનથી બતાવ્યો, એ રીતે, પરિશુદ્ધ અને વિધાનથી જાણવો. રવા. શ્લોકાર્ય :
ચિત્રમંત્રજપપ્રાય ચિત્ર મંત્રજપ છે બહુલ જેમાં એવું, પ્રતિ આપત્તિથી વિશોધિત જે જે પાપો થયાં છે તેનાથી વિરુદ્ધ ભાવોથી વિશોધિત, તે તે પાપાદિની અપેક્ષાથી પાપસૂદન પણ એ રીતે જે રીતે મૃત્યુક્ત તપ પરિશુદ્ધ અને વિધાનથી બતાવ્યો એ રીતે, પરિશુદ્ધ અને વિધાનથી જાણવો. ર૧ ટીકા :
पापेति-पापसूदनमप्येवं परिशुद्धं विधानतश्च ज्ञेयं, तत्तच्चित्ररूपं यत्पापादि= साधुद्रोहादि तदपेक्षया। यथार्यमुनिराजस्याङ्गीकृतप्रव्रज्यस्य साधुवधस्मरणे तदिनप्रतिपन्नाऽभोजनाभिग्रहस्य षण्मासान् यावज्जातव्रतपर्यायस्य सम्यक्सम्पन्नाરાધનચ વિના ન રદ્દિને મોનન+નનીતિ, ચિત્રો નાનાવિધઃ “(%) હ્રીં असिआउसा नमः" इत्यादिमन्त्रस्मरणरूपो मन्त्रजपः प्रायो=बहुलो यत्र तत्,
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૪
પૂર્વસેવા દ્વાચિંશિકા/શ્લોક-૨૧ प्रत्यापत्तिः तत्तदपराधस्थानान्महता संवेगेन प्रतिक्रान्तिस्तया विशोधितं= વિશુદ્ધિમાનીતમ્ પારા ટીકાર્ચ -
પાપસૂદન .... માનીતમ્ II પાપસૂદન પણ આ રીતે=મૃત્યુષ્ય તપમાં બતાવ્યું એ રીતે, પરિશુદ્ધ અને વિધાનથી તે તે ચિત્રરૂપ જે સાધુદ્રોહાદિ પાપાદિ તેની અપેક્ષાથી જાણવો. જે પ્રમાણે અંગીકૃત પ્રવ્રજયાવાળા સાધુવધતા સ્મરણમાં તે દિવસે સ્વીકારાયેલા અભોજનના અભિગ્રહવાળા છ માસ સુધી વ્રતપર્યાયવાળા અને સમ્યફ સંપન્ન આરાધનાવાળા એવા યમુન મુનિરાજને કોઈ દિવસમાં ભોજન થયું નહિ. “તિ' શબ્દ તે તે પાપાદિની અપેક્ષાથી પાપસૂદન તપના સ્વરૂપની સમાપ્તિ માટે છે. વળી, તે પાપસૂદન તપ ચિત્રકલાના પ્રકારનો “મસિમાડસા નમ:” રૂાદ્રિ મંત્રસ્મરણરૂપ મંત્રજપ બહુલ છે જેમાં તેવો છે. વળી, તે=પાપસૂદન તપ, પ્રતિ આપત્તિeતે તે અપરાધસ્થાનથી મોટા સંવેગ વડે પ્રતિક્રાતિ, તેના વડે વિશોધિત છે=વિશુદ્ધિને પ્રાપ્ત કરાયેલો છે. ll૧.
- આ શ્લોક યોગબિન્દુમાં શ્લોક નં. ૧૩૫ છે, જેની ટીકામાં (કાર્યમુનિરીનચ)ના સ્થાને (યમુનરાગસ્થ) પાઠ છે, તે પ્રમાણે અર્થ કરેલ છે.
યોગબિન્દુ શ્લોક-૧૩પની ટીકામાં “ી Íસ૩૩ નમ:"ની આગળ “૩ઝ' એ પ્રકારનો પાઠ છે. ભાવાર્થ :
પૂર્વસેવા કરનારા ભદ્રક પ્રકૃતિવાળા જીવો પોતાના જીવનમાં જે જે પાપો કર્યા હોય તે તે પાપની અપેક્ષાથી પાપસૂદન તપ કરે છે, અને તે પાપસૂદન તપ આલોક અને પરલોકની આશંસાના પરિહારથી કરે છે અર્થાત્ આ તપ કરીને પોતે જે પાપ કર્યું છે, તેનો નાશ થાય તેવા સંકલ્પથી કરે છે માટે પરિશુદ્ધ છે; અને શાસ્ત્રમાં બતાવેલી વિધિથી કરે છે અર્થાત્ તપકાળમાં કષાયનો નિરોધ કરે છે, બ્રહ્મચર્યનું પાલન કરે છે અને દેવપૂજાદિ કૃત્યો કરે છે, વળી, તપકાળમાં ચિત્ર પ્રકારના મંત્રોનો જાપ કરે છે, અર્થાત્ પંચપરમેષ્ઠિના પ્રથમ અક્ષરને
Page #64
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૨૧-૨૨
૪૫ ગ્રહણ કરીને “ઝ [ીં સારસા નમ:” એ પ્રકારના શબ્દોચ્ચારણપૂર્વક, અને
આ પંચપરમેષ્ઠિને નમસ્કારના બળથી મારું પાપ નાશ પામો' તેવા સંકલ્પથી જપ કરે છે.
વળી, જે જે પાપો પોતે કર્યા છે, તે પાપો પ્રત્યે તીવ્ર જુગુપ્સા પેદા થાય તે પ્રકારના ઉપયોગથી કરે છે, જે મોટા સંવેગપૂર્વક પાપથી પાછા ફરવાની ક્રિયારૂપ છે, અને આ પ્રકારની ક્રિયાથી વિશુદ્ધિને પામેલું પાપસૂદન તપ તે તે પાપના નાશનું કારણ બને છે.
અહીં પ્રશ્ન થાય કે પાપસૂદન તપ કરનારા જીવો કેવા પ્રકારનું તપ કરે છે ? તેથી યમુનમુનિનું દૃષ્ટાંત બતાવે છે –
યમુનરાજા શિકાર કરવા અર્થે ગયેલ, ત્યાં દંડક અણગારને જોઈને આ અપશુકન થયું છે, એમ માનીને તેમની હત્યા કરેલ. તે વખતે દંડક અણગારના કેવળજ્ઞાનનો મહોત્સવ ઇન્દ્ર કરે છે. આ જોઈને રાજા પશ્ચાત્તાપને પામ્યા અને ઇન્દ્રના વચનથી સંયમને ગ્રહણ કરીને અભિગ્રહ ગ્રહણ કર્યો કે સાધુવધનું સ્મરણ થાય તે દિવસે ભોજન કરવું નહિ. આ રીતે છ મહિના સુધી સાધુવધના સ્મરણના કારણે ઉપવાસ કરનારા યમુનરાજા અણગાર સંપન્ન આરાધનાવાળા થયા. આ રીતે જેણે જે પ્રકારનું પાપ કર્યું હોય, તેના નાશના સંકલ્પથી સ્વશક્તિ અનુસાર જે અભિગ્રહ ગ્રહણ કરે તે પાપસૂદન તપ છે. ૨૧ી અવતરણિકા :
ક્રમપ્રાપ્ત પૂર્વસેવાના ચોથા ભેદ મુક્તિઅદ્વેષને કહે છે – શ્લોક :
मोक्षः कर्मक्षयो नाम भोगसंक्लेशवर्जितः ।
तत्र द्वेषो दृढाज्ञानादनिष्टप्रतिपत्तितः ।।२२।। અન્વયાર્થ :
મક્ષ મોસંક્લેશર્વાન =મોક્ષ, ભોગના સંક્લેશથી રહિત વર્મક્ષો નામ કર્મક્ષયરૂપ છે. જ્ઞાના-દઢ અજ્ઞાનને કારણે, તત્ર તેમાં મોક્ષમાં નષ્ટ
Page #65
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાત્રિંશિકા|શ્લોક-૨૨ પ્રતિવૃત્તિતઃ=અનિષ્ટની પ્રતિપત્તિ હોવાથી=અનિષ્ટની બુદ્ધિ થવાથી દ્વેષઃ=દ્વેષ
થાય છે.
વારા
૪૬
શ્લોકાર્થ :
મોક્ષ, ભોગના સંક્લેશથી રહિત કર્મક્ષયરૂપ છે. દૃઢ અજ્ઞાનને કારણે તેમાં=મોક્ષમાં, અનિષ્ટની પ્રતિપત્તિ થવાથી=અનિષ્ટની બુદ્ધિ થવાથી દ્વેષ થાય છે. Iારણા
ટીકા ઃ
मोक्ष इति दृढाज्ञानाद् = अबाध्यमिथ्याज्ञानात्, भवाभिष्वङ्गाभावेनानिष्टाननुबन्धिन्यपि मोक्षेऽनिष्टानुबन्धित्वेनानिष्टप्रतिपत्तेः ||२२||
ટીકાર્ય :
दृढाज्ञाना પ્રતિપત્તેઃ ।। શ્લોકમાં કહ્યું કે દૃઢ અજ્ઞાનને કારણે મોક્ષમાં દ્વેષ થાય છે. તે અંશ સ્પષ્ટ કરે છે
-
દૃઢ અજ્ઞાનને કારણે=અબાધ્ય મિથ્યાજ્ઞાનને કારણે ભવઅભિષ્યંગનો અભાવ હોવાથી અનિષ્ટ અનનુબંધી એવા પણ મોક્ષમાં, અનિષ્ટ અનુબંધીપણાથી અનિષ્ટની પ્રતિપત્તિ હોવાથી=અતિષ્ટતો બોધ હોવાથી, મુક્તિમાં દ્વેષ થાય છે, એમ અન્વય છે. ।૨૨।।
ભાવાર્થ :
મોક્ષ કર્મક્ષયરૂપ છે. તેથી કર્મરહિત, દેહ આદિ સંબંધરહિત, કેવળ શુદ્ધ આત્મસ્વરૂપ મોક્ષ છે; અને મોક્ષમાં શરીર નહિ હોવાથી અને ભોગની સામગ્રી નહિ હોવાથી ભોગના સંક્લેશથી રહિત મોક્ષ છે. આમ છતાં જીવમાં અનાદિકાળથી દઢ અજ્ઞાન હોવાને કા૨ણે અર્થાત્ પ્રયત્નથી બાધ ન પામે તેવું મિથ્યાજ્ઞાન હોવાને કારણે મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિ થાય છે, અને તેથી મોક્ષ પ્રત્યે દ્વેષ થાય છે.
વસ્તુતઃ મોક્ષ અનિષ્ટઅનુબંધી=ઇષ્ટ એવા સુખના નાશના ફળવાળો નથી. કેમ નથી ? તેમાં યુક્તિ આપે છે ભવના અભિષ્યંગનો અભાવ છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૨૨-૨૩
આશય એ છે કે જીવનો દેહ આદિ બાહ્ય પદાર્થોના સંબંધરૂપ ભવ છે; અને તે બાહ્ય પદાર્થોના સંબંધરૂપ ભવમાં સંસારી જીવોને રાગ વર્તે છે, તે ભવનો અભિળંગ છે. જ્યારે મુક્ત આત્માઓને તો દેહ આદિ સાથે સંબંધનો અભાવ છે, અને દેહ આદિના સંબંધ પ્રત્યે રાગનો પણ અભાવ છે. તેથી મુક્ત આત્માને ભવ પ્રત્યેના રાગના અભાવના કારણે કર્મબંધરૂપ અનિષ્ટની પ્રાપ્તિ નથી, અને કર્મબંધના અભાવને કારણે ચારગતિની વિડંબનારૂપ અનિષ્ટની પ્રાપ્તિ પણ નથી. તેથી મોક્ષ અનિષ્ટ અનુબંધી નથી=અનિષ્ટ ફળવાળો નથી, આમ છતાં બાધ ન પામે તેવા મિથ્યાજ્ઞાનને કારણે કેટલાક જીવોને ભોગરહિત એવા મોક્ષમાં અનિષ્ટ અનુબંધીપણાથી અનિષ્ટનો બોધ થાય છે અર્થાત્ મોક્ષમાં ઇષ્ટ એવા ભોગોનો અભાવ હોવાથી મોક્ષ અનિષ્ટ ફળવાળો છે, તેવો વિપરીત બોધ થાય છે. તેથી તેવા જીવોને મોક્ષ પ્રત્યે દ્વેષ થાય છે. રિલા અવતરણિકા :
પૂર્વ શ્લોકમાં કહ્યું કે દઢ અજ્ઞાનને કારણે કેટલાક જીવોને મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિ થવાથી દ્વેષ થાય છે. હવે તે જીવો કેવા છે ? અને તે જીવોને કેમ મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિ થાય છે ? તેની અન્ય યુક્તિ આપે છે – શ્લોક :
भवाभिनन्दिनां सा च भवशर्मोत्कटेच्छया ।
श्रूयन्ते चैतदालापा लोके शास्त्रेऽप्यसुन्दराः ।।२३।। અન્વયાર્થ :
ર=અને, મવમનજિન=ભવાભિનંદી જીવોને, મવશર્મોન્સટેજીયા=ભવના સુખની ઉત્કટ ઈચ્છાથી, સકતે થાય છે=મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિ થાય છે, ર=અને, સુન્દરા: પતવાનાપા=અસુંદર એવા આના આલાપો=મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિના આલાપો, તો શાસ્ત્ર પગલોકમાં અને શાસ્ત્રમાં પણ કૂત્તે સંભળાય છે. ૨૩
Page #67
--------------------------------------------------------------------------
________________
૪૮
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૨૩ શ્લોકાર્ચ -
અને ભવાભિનંદી જીવોને ભવના સુખની ઉત્કટ ઈચ્છાથી તે થાય છે મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિ થાય છે, અને અસુંદર એવા આના આલાપો-મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિના આલાપો, લોકમાં અને શાસ્ત્રમાં પણ સંભળાય છે. ૨૩] ટીકા :
भवेति-सा च-मोक्षेऽनिष्टप्रतिपत्तिश्च भवाभिनन्दिनामुक्तलक्षणानां भवशर्मणो विषयसुखस्योत्कटेच्छया भवति, द्वयोरेकदोषजन्यत्वात् ।।२३।। ટીકાર્ય :
સ ઘ ...કન્યત્વાન્ અને ઉક્ત લક્ષણવાળા=દશમી બત્રીશીના પાંચમા શ્લોકમાં બતાવાયેલા લક્ષણવાળા, એવા ભવાભિનંદી જીવોને, ભવના સુખની ઉત્કટ ઇચ્છાથી= વિષયસુખની ઉત્કટ ઇચ્છાથી, તે મોક્ષમાં અનિષ્ટની પ્રતિપતિ=મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિ થાય છે.
શ્લોક-૨૨માં કહેલ કે દઢ અજ્ઞાનને કારણે મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિ થાય છે. વળી, અહીં કહ્યું કે ભવના સુખની ઉત્કટ ઇચ્છાને કારણે મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિ થાય છે. તેથી પ્રશ્ન થાય કે દઢ અજ્ઞાનને કારણે અનિષ્ટની બુદ્ધિ થાય છે ? કે ભવના સુખની ઉત્કટ ઇચ્છાને કારણે અનિષ્ટની બુદ્ધિ થાય છે ? એ પ્રકારની શંકાના નિવારણ અર્થે હેતુ કહે છે –
બંનેનું મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિ, અને ભવનાસુખની ઉત્કટ ઇચ્છા એ બંનેનું, એકદોષજન્યપણું છે=દઢ અજ્ઞાનરૂપ એકદોષજન્યપણું છે. ll૨૩ાા ભાવાર્થ :
દેહ, કર્મ આદિના સંબંધરૂપ ભવ છે. દેહ, કર્મ આદિના સંબંધરૂપ ભવમાં જેઓને ભોગસામગ્રીની પ્રાપ્તિ થઈ છે, તેમાં જેઓને આનંદ દેખાય છે, પરંતુ દેહ, કર્મ આદિના સંબંધ વગરની આત્માની અવસ્થામાં જેઓને આનંદ દેખાતો નથી, તેવા જીવો ભવાભિનંદી છે. આવા ભવાભિનંદી જીવોને ભવના સુખની ઉત્કટ ઇચ્છા છે અર્થાત્ ખણજના રોગીને ખણવામાં જેવી અનુત્કટ ઇચ્છા છે,
Page #68
--------------------------------------------------------------------------
________________
૪૯
પૂર્વસેવાધાવિંશિકા/શ્લોક-૨૩ તેવી અનુત્કટ ઇચ્છા નથી, પરંતુ ખણજના રોગીને આરોગ્યમાં જેવી ઉત્કટ ઇચ્છા છે, તેવી ભવાભિનંદીને ભવના સુખમાં ઉત્કટ ઇચ્છા છે.
વળી, ભવાભિનંદી જીવોને ભવના સુખમાં ઉત્કટ ઇચ્છા હોવાને કારણે ભોગરહિત એવા મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિ થાય છે. આથી લોકમાં અને શાસ્ત્રમાં પણ મોક્ષની અનિષ્ટની બુદ્ધિના તેમના આલાપો સંભળાય છે, જે ગ્રંથકાર સ્વયં આગળની ગાથામાં બતાવશે.
શ્લોક-૨૨માં કહ્યું કે દઢ અજ્ઞાનને કારણે મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિ થાય છે, અને પ્રસ્તુત ગાથામાં કહ્યું કે વિષયસુખની ઉત્કટ ઇચ્છાથી મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિ થાય છે. તેથી જિજ્ઞાસા થાય કે મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિનું કારણ દઢ અજ્ઞાન છે ? કે વિષયસુખની ઉત્કટ ઇચ્છા છે? કે બંને કારણ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
દઢ અજ્ઞાનને કારણે મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિ થાય છે. અને, દઢ અજ્ઞાનને કારણે વિષયસુખમાં ઉત્કટ ઇચ્છા પણ થાય છે.
આશય એ છે કે મોક્ષ જીવન સુખમય અવસ્થા છે અને સુખ પ્રત્યે, કોઈને દ્વેષ થાય નહિ; છતાં મોક્ષ ભોગરહિત હોવાથી સુખમય નથી, તેવો ભ્રમ દૃઢ અજ્ઞાનને કારણે થાય છે. તેથી જેઓમાં દૃઢ અજ્ઞાન છે તેઓને, સુખરૂપ એવો પણ મોક્ષ સુખરૂપ નથી તેવી બુદ્ધિ થવાને કારણે, મોક્ષ અનિષ્ટરૂપ છે તેવી બુદ્ધિ થાય છે.
વળી, સંસારનાં સુખો ઇચ્છારૂપ આવેગથી યુક્ત છે અને જે પ્રકારનો આવેગ હોય તેને અનુરૂપ શ્રમથી યુક્ત છે; અને ઇચ્છારૂપ આવેગ સ્વયં દુઃખરૂપ છે અને તે આવેગ અનુસાર કરાતો શ્રમ પણ દુઃખરૂપ છે. આમ છતાં, તે શ્રમથી ક્ષણભર ઇચ્છા શમે છે, તેથી તે સુખ છે તેવી જીવને પ્રતીતિ થાય છે. જેમ ખણજના રોગીને ખણજનો આવેગ સુખરૂપ નથી, ખણવાનો શ્રમ પણ સુખરૂપ નથી, છતાં ખણવાની ક્રિયાથી કંઈક આવેગનું શમન થવાથી સુખની પ્રતીતિ થાય છે; તોપણ તે સુખ પરમાર્થથી આરોગ્યના સુખ જેવું નથી. વસ્તુતઃ પરમાર્થથી રોગના અભાવમાં સુખ છે. તેમ વિષયોના સેવનમાં પરમાર્થથી સુખ નથી, પરંતુ વિષયોની વ્યાકુળતા વગરના આત્માના અનાકુળ સ્વભાવમાં પરમાર્થથી
Page #69
--------------------------------------------------------------------------
________________
પ૦
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૨૩-૨૪ સુખ છે. આમ છતાં દઢ અજ્ઞાનના કારણે સંસારી જીવોને વિષયોના સુખમાં ઉત્કટ ઇચ્છા થાય છે.
તેથી એ ફલિત થયું કે દૃઢ અજ્ઞાનને કારણે મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિ થઈ, અને દૃઢ અજ્ઞાનને કારણે વિષયસુખમાં ઉત્કટ ઇચ્છા થઈ, અને વિષયસુખની ઉત્કટ ઇચ્છાને કારણે વિષયસુખ વગરના મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિ થઈ.
અહીં વિશેષ એ છે કે સમ્યગ્દષ્ટિને પણ વિષયસુખની ઇચ્છા થાય છે, પરંતુ સમ્યગુબોધ હોવાને કારણે વિષયસુખની ઉત્કટ ઇચ્છા થતી નથી. જેમ ખણજના રોગીને ખણવાની ઇચ્છા થાય છે, તોપણ સમ્યગુબોધ હોવાને કારણે આરોગ્યની ઇચ્છા જેવી ઉત્કટ ઇચ્છા ખણજમાં થતી નથી. જ્યારે ભવાભિનંદી જીવોમાં દઢ અજ્ઞાન હોવાને કારણે વિષયસુખમાં ઉત્કટ ઇચ્છા થાય છે, અને ભાવઆરોગ્યરૂપ મોક્ષમાં ઇચ્છા તો થતી નથી, પરંતુ દઢ અજ્ઞાનને કારણે અનિષ્ટની બુદ્ધિ થાય છે. તેથી મોક્ષમાં દ્વેષ થાય છે. ર૩ અવતરણિકા :
શ્લોક-૨૩ના ઉત્તરાર્ધમાં કહ્યું કે લોકમાં અને શાસ્ત્રમાં પણ અસુંદર એવા મુક્તિના દ્વેષતા આલાપો સંભળાય છે. તેથી શ્લોક-૨૪માં લોકમાં સંભળાતા મુક્તિદ્વેષના આલાપો અને શ્લોક-૨પમાં શાસ્ત્રમાં સંભળાતા મુક્તિદ્વેષતા આલાપો બતાવે છે – શ્લોક :
मदिराक्षी न यत्रास्ति तारुण्यमदविह्वला ।
जडस्तं मोक्षमाचष्टे प्रिया स इति नो मतम् ।।२४।। અન્વયાર્થ –
વત્ર=જેમાં જે મોક્ષમાં, તાવમવિદ્વત્તા વિરાક્ષી યૌવનના મદથી વિવલ એવી સ્ત્રી ને ગતિ નથી, ન =જડપુરુષ, તંત્રત=સ્ત્રી વગરના સ્થાનને, મોક્ષzમોક્ષ માટે કહે છે. પ્રિયા સતિ નો મત—પ્રિયા મોક્ષ છે, એ પ્રમાણે અમારો મત છે. ૨૪
Page #70
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાત્રિંશિકા/બ્લોક-૨૪
શ્લોકાર્થ :
જેમાં=જે મોક્ષમાં, યૌવનના મદથી વિહ્વલ એવી સ્ત્રી નથી, જડ= જડપુરુષ, તેને=સ્ત્રી વગરના સ્થાનને, મોક્ષ કહે છે. પ્રિયા તે છે=પ્રિયા મોક્ષ છે, એ પ્રમાણે અમારો મત છે. II૨૪ના
ટીકા :
વિરાક્ષીતિ-નોવ્હાલાપોયમ્ ।।૨૪।।
ટીકાર્ય :
મવિરાક્ષીતિ-નોાલાપોડયમ્ ।। આ=શ્લોકમાં કહ્યું એ લોકનો આલાપ છે=મુક્તિ પ્રત્યેના દ્વેષવાળા એવા લોકોનું વચન છે. ||૨૪||
ભાવાર્થ :
ભોગના પ્રધાન સાધનરૂપે સ્ત્રીને જોનારા જીવો સ્ત્રી વગરના મોક્ષ પ્રત્યે દ્વેષ ધરાવે છે. તેથી તેવા મોક્ષને અસાર કહે છે અને પ્રિયાને જ મોક્ષ કહે છે. આ વચનથી અર્થથી ભોગસામગ્રીથી યુક્ત એવો મોક્ષ તેઓને પ્રિય છે.
જેમ સંસારી જીવને રહેવાનું ઉત્તમ સ્થાન હોય, ઉત્તમ ભોગસામગ્રીયુક્ત મનુષ્ય ભવ હોય, તો તે મનુષ્યભવ સુંદર દેખાય છે; અને આ ભોગસામગ્રી ન હોય અને રહેવાનું કોઈ સ્થાન ન હોય તો સંપત્તિ અને ભોગસામગ્રી રહિત એવો મનુષ્ય ભવ અસાર દેખાય છે; તેમ મોક્ષ તેના જેવો છે તેમ માનીને કેટલાક જીવો મોક્ષ પ્રત્યે દ્વેષ કરે છે.
૫૧
વસ્તુતઃ ભોગસામગ્રી આદિની અપેક્ષા દેહધારીને થાય છે. જેને દેહ નથી, કર્મ નથી, કેવળ શુદ્ધ આત્મદ્રવ્ય છે, તેવો મોક્ષવર્તી જીવ પોતાની ગુણસંપત્તિથી જ સુખનો અનુભવ કરે છે. પરંતુ ભોગ પ્રત્યેના અત્યંત આકર્ષણને કારણે આત્માની સ્વસ્થતાના સુખની લેશ પણ કલ્પના જેઓ કરી શકતા નથી, માત્ર ભોગસામગ્રીમાં જ સુખની કલ્પના કરી શકે છે, તેવા જીવોને મોક્ષનું વર્ણન સાંભળવા મળે ત્યારે મોક્ષ પ્રત્યે દ્વેષ થાય છે, અને જ્યારે મોક્ષનું વર્ણન સાંભળવાનો પ્રસંગ ન હોય ત્યારે ભોગસામગ્રી પ્રત્યે ગાઢ રાગ વર્તે છે. તેથી તેવા જીવો ભોગ પ્રત્યેના ગાઢ રાગથી ક્લિષ્ટ અધ્યવસાયવાળા બને છે, અને
Page #71
--------------------------------------------------------------------------
________________
પર
પૂર્વસેવાદ્વાત્રિંશિકા/બ્લોક-૨૪-૨૫
મોક્ષનું વર્ણન સાંભળે ત્યારે મોક્ષ પ્રત્યે દ્વેષ કરીને ક્લિષ્ટ અધ્યવસાયવાળા થાય છે, જેથી બંને રીતે પાપ બાંધીને દુરંત સંસારમાં ભટકે છે. II૨૪॥
શ્લોક ઃ
वरं वृन्दावने रम्ये क्रोष्टुत्वमभिवाञ्छितम् । ન ત્યેવાવિષયો મોક્ષ: વાષિવૃત્તિ ગૌતમ ! ।। ।।
અન્વયાર્થ :
ગૌતમ !=હે ગૌતમ ! રમ્યે વૃન્દ્રાવને=રમ્ય એવા વૃન્દાવનમાં, શ્વેષ્ટત્વમમિવાચ્છિત વરં=શિયાળપણું ઇચ્છાયેલું શ્રેષ્ઠ છે, તુ અવિષય: મોક્ષઃ=પરંતુ અવિષયવાળો મોક્ષ=ભોગસામગ્રી રહિત એવો મોક્ષ, વાચિત્ અપિ નૈવ= ક્યારેય પણ નહિ જ. ।।૨૫॥
શ્લોકાર્થ :
હે ગૌતમ ! રમ્ય એવા વૃંદાવનમાં શિયાળપણું ઇચ્છાયેલું શ્રેષ્ઠ છે, પરંતુ અવિષયવાળો મોક્ષ=ભોગસામગ્રી રહિત એવો મોક્ષ, ક્યારેય પણ નહિ જ, I॥૨૫॥
ટીકા ઃ
वरमिति - गौतमेति गालवस्य शिष्यामन्त्रणं । ऋषिवचनमिदमिति शास्त्राતાપોડયમ્ III
ટીકાર્ય :गौतमेति શાસ્ત્રાનાપોડયમ્ ।। ગૌતમ એ પ્રમાણે ગાલવનું=ગાલવ ઋષિનું શિષ્યને આમંત્રણ છે=સંબોધન છે. ઋષિનું આ વચન છે, એથી આ=પ્રસ્તુત શ્લોકમાં કહ્યું એ, શાસ્ત્રનો આલાપ છે=શાસ્ત્રનું વચન છે, એ પ્રમાણે ગ્રંથકારશ્રી કહે છે. ।।૨૫।।
ભાવાર્થ :
.....
ગાલવ નામના ઋષિ પોતાના શિષ્યને કહે છે : રમ્ય એવા વૃંદાવનમાં શિયાળપણાની પ્રાપ્તિ ઇચ્છાયેલી શ્રેષ્ઠ છે, પરંતુ સર્વ દર્શનકારો જે મોક્ષ કહે છે, તે મોક્ષ તો ભોગની સામગ્રીથી સર્વથા રહિત હોવાને કારણે ક્યારેય શ્રેષ્ઠ
Page #72
--------------------------------------------------------------------------
________________
પ3
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૨૫-૨૬ કહી શકાય નહિ. આ પ્રકારનું ગાલવ ઋષિનું વચન શ્લોક-૨૪માં કહેલ લોકોના આલાપ જેવું અન્ય શબ્દોમાં છે, તેથી તેને લોકવચન જ કહેવું જોઈએ; આમ છતાં, સંસારી લોકો ત્યાગી નથી અને ભોગના રાગી છે, માટે એવા લોકોનું વચન શ્લોક-૨૪માં લોકવચનથી બતાવાયેલું છે. વળી, ગાલવ ઋષિએ તો સંસારનો ત્યાગ કર્યો છે, અને સ્વમતિ અનુસાર દર્શનશાસ્ત્ર ભણ્યા છતાં તે તે દર્શનમાં બતાવેલ મોક્ષનું સ્વરૂપ સાંભળીને મોક્ષ પ્રત્યે દ્વેષ થવાથી પોતાના શિષ્યને કહે છે. તે દૃષ્ટિને સામે રાખીને આ શાસ્ત્રનું વચન છે, તેમ કહેલ છે.
અહીં વિશેષ એ છે કે મનુષ્યજાતિમાં જે પ્રકારની રાજ્ય વ્યવસ્થા છે, તે પ્રકારની રાજ્યવ્યવસ્થા પશુજાતિમાં નથી, પશુજાતિમાં બળવાન નબળાનો સંહાર કરે છે, અને સર્વ પશુઓમાં સૌથી નબળા પશુ તરીકે શિયાળ છે, જેનો સ્વભાવ જ અત્યંત ડરપોક છે. વળી તે શિયાળ રમ્ય વૃંદાવનમાં ફરતું હોય ત્યારે પણ સિંહાદિ અન્ય પશુઓથી તેને સતત ભય રહે છે. તેવી ભયવાળી અવસ્થામાં પણ ઝરણાનું પાણી પીવાનું કે કોઈ ખાદ્યપદાર્થોને પ્રાપ્ત કરીને ખાવાનું સુખ શિયાળને છે. તેને સામે રાખીને ગાલવ ઋષિ કહે છે કે મનુષ્ય કરતાં પશુજાતિની અવસ્થા ખરાબ છે અને પશુ જાતિમાં પણ શિયાળની અવસ્થા અત્યંત ખરાબ છે. આમ છતાં તેને પણ ઝરણાનું પાણી પીવાનું અને ઇષ્ટ પદાર્થોને ખાવાનું જે સુખ છે, તેવું પણ સુખ મોક્ષમાં નથી. તેથી તેના કરતાં પણ નિઃસાર અવસ્થા મોક્ષની છે. આમ બતાવીને ગાલવ ઋષિ પોતાનો મોક્ષ પ્રત્યેનો દ્વેષ શિષ્ય પાસે અભિવ્યક્ત કર્યો છે. રિપા અવતરણિકા :
શ્લોક-૨૨માં મુક્તિદ્વેષનું સ્વરૂપ બતાવ્યું, અને મુક્તિનો દ્વેષ ભવાભિનંદી જીવોને થાય છે, તેમ શ્લોક-૨૩માં બતાવીને મુક્તિદ્વેષ અંગે લોકોમાં વચન અને શાસ્ત્રના વચન શ્લોક-૨૪/૨પમાં બતાવ્યાં. હવે જીવમાં મુક્તિનો અદ્વેષ શેનાથી પ્રગટે છે ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :
द्वेषोऽयमत्यनर्थाय तदभावस्तु देहिनाम् । भवानुत्कटरागेण सहजाल्पमलत्वतः ।।२६।।
Page #73
--------------------------------------------------------------------------
________________
પ૪
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૨૬ અન્વયાર્થ :
મર્થ :=આ દ્રષ-મુક્તિવિષયક દ્વેષ ત્વના =અતિ અનર્થ માટે છે. તમાવસ્તુ વળી, તેનો અભાવ=મુક્તિદ્વેષનો અભાવ, દિના—જીવોને, સનીન્યમનસ્વતિ =સહજ અલ્પમલપણાને કારણે, મવાનુટરાગ=ભવના અનુત્કટ રાગથી થાય છે. ૨૬ શ્લોકાર્ચ -
આ ડ્રેષ=મુક્તિવિષયક દ્વેષ, અતિ અનર્થ માટે છે. વળી, તેનો અભાવ=મુક્તિદ્વેષનો અભાવ, દિના=જીવોને, સહજ અલ્પમલપણાને કારણે ભવના અનુત્કટ રાગથી થાય છે. ૨૬ll ટીકા :
द्वेष इति-अयं-मुक्तिविषयो द्वेषोऽत्यनर्थाय बहुलसंसारवृद्धये, तदभावस्तु मुक्तिद्वेषाभावः पुनर्देहिनां प्राणिनां, भवानुत्कटरागेण=भवोत्कटेच्छाभावेन, सहजं= स्वाभाविकं, यदल्पमलत्वं ततः, मोक्षरागजनकगुणाभावेन तदभावेऽपि गाढतर-मिथ्यात्वदोषाभावेन तद्वेषाभावो भवतीत्यर्थः ।।२६।। ટીકાર્ચ -
મયં ...... મવતીત્યર્થ | આગમુક્તિવિષયક દ્વેષ અતિ અનર્થ માટે છેઃ બહુલ સંસારની વૃદ્ધિ માટે છે. વળી, તેનો અભાવ=મુક્તિદ્વેષનો અભાવ, જીવોને ભવતા અનુત્કટ રાગથી થાય છે=ભવની ઉત્કટ ઇચ્છાના અભાવથી થાય છે.
ભવની ઉત્કટ ઇચ્છાનો અભાવ શેનાથી થાય છે ? તે બતાવવા અર્થે કહે છે –
સહજ=સ્વાભાવિક એવું જે અલ્પમલપણું તેનાથી ભવની ઉત્કટ ઇચ્છાનો અભાવ થાય છે, એમ અવય છે.
મુક્તિઅદ્વેષ શેનાથી થાય છે, તેનો ફલિતાર્થ બતાવે છે –
મોક્ષના રાગજનક ગુણનો અભાવ હોવાને કારણે તેના અભાવમાં પણ=મોક્ષના રાગના અભાવમાં પણ, ગાઢતર મિથ્યાત્વદોષનો અભાવ
Page #74
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાચિંશિકાશ્લોક-૨૬
પપ હોવાને કારણે તેના દ્વેષનો અભાવ=મોક્ષના દ્વેષનો અભાવ, થાય છે. એ પ્રકારનો અર્થ છે. ૨૬ ભાવાર્થ :
યોગમાર્ગની પ્રવૃત્તિ કરતાં પૂર્વે ચાર પ્રકારની પૂર્વસેવા કરાય છે અને તે પૂર્વસેવારૂપે મુક્તિઅદ્વેષ છે. તે મુક્તિઅદ્દેષ બતાવવા માટે ગ્રંથકારે શ્લોક૨૨થી ૨૫ સુધી મુક્તિષનું સ્વરૂપ બતાવ્યું. તે મુક્તિનો દ્વેષ જીવ માટે અત્યંત અનર્થકારી છે; કેમ કે મુક્તિદ્વેષને કારણે જીવો ઘણા સમય સુધી સંસારમાં ભટકે છે, અને સંસારમાં પણ ઘણા ખરાબ ભવોની પ્રાપ્તિ કરે છે. વળી, કોઈક યોગ્ય જીવોને મુક્તિનો અદ્દેષ પ્રગટે છે.
અહીં પ્રશ્ન થાય કે યોગ્ય જીવોને મુક્તિનો અદ્વેષ શેનાથી પ્રગટે છે ? તેથી કહે છે –
ભવના અનુત્કટ રાગને કારણે જીવોને મુક્તિનો અદ્દેષ પ્રગટે છે અર્થાત્ ભવના કારણભૂત એવા જે ભોગો તેના પ્રત્યેનો રાગ હોવા છતાં ઉત્કટ રાગનો અભાવ છે, તેથી મુક્તિનો અદ્દેષ પ્રગટે છે.
અહીં પ્રશ્ન થાય છે ભવ પ્રત્યે ઉત્કટ રાગનો અભાવ કેમ થયો? તેથી કહે છે –
જીવમાં અનાદિકાળથી સહજમલ વર્તે છે. તે મલ અલ્પ થવાને કારણે ભવના ઉત્કટ રાગનો અભાવ થાય છે અને તેથી યોગ્ય જીવોને મુક્તિનો અદ્વેષ પ્રગટે છે.
સર્વ કથનનો ફલિતાર્થ બતાવતાં કહે છે –
પૂર્વભૂમિકાવાળા જીવોમાં મોક્ષનો રાગ પેદા થાય તેવા ગુણો પ્રગટ્યા નથી, તેથી મોક્ષ પ્રત્યે રાગ થતો નથી, તોપણ મોક્ષ પ્રત્યેના દ્વેષના કારણભૂત એવા ગાઢતર મિથ્યાત્વદોષનો અભાવ હોવાને કારણે મુક્તિ પ્રત્યે દ્વેષ થતો નથી.
આશય એ છે કે જેઓને કંઈક સહજમલ ઓછો થયો છે, તેઓને મુક્તિ પ્રત્યે દ્વેષ થતો નથી, અને જેઓને વિશેષ પ્રકારનો સહજમલ ઘટ્યો નથી,
Page #75
--------------------------------------------------------------------------
________________
પ૬
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૨૬-૨૭ તેઓને મોક્ષ પ્રત્યે રાગ પણ થતો નથી, અને જેઓનો સહજમલ લેશ પણ અલ્પ થયો નથી, તેઓમાં ગાઢતર વિપર્યાસ દોષ વર્તે છે. આવા જીવોને ભોગ પ્રત્યે ગાઢ આકર્ષણ છે, તેથી તેવા જીવોને ભોગસામગ્રી વગરના મોક્ષનું વર્ણન સાંભળીને મોક્ષ પ્રત્યે દ્વેષ થાય છે અને જેઓનો તે પ્રકારનો સહજમલ અલ્પ થયો છે, તેઓને મુક્તિ પ્રત્યે દ્વેષ થતો નથી. ૨૬ અવતરણિકા :
શ્લોક-૨૬માં કહ્યું કે સહજમલના અલ્પપણાને કારણે ભવનો અનુત્કટ રાગ થાય છે, અને ભવના અનુત્કટ રાગના કારણે મુક્તિનો અદ્વેષ પ્રગટે છે. તેથી હવે સહજમલ શું છે ? અને તે સહજમલતા અલ્પપણાથી ભવનો અનુત્કટ રાગ કેમ થાય છે ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :
मलस्तु योग्यता योगकषायाख्यात्मनो मता ।
अन्यथाऽतिप्रसङ्गः स्याज्जीवत्वस्याविशेषतः ।।२७।। અન્વયાર્થ :
મનડુ વળી મલ, ગાત્મનઃ=આત્માની યોષવાધ્યાયોગ્યતા મતિયોગકષાયરૂપ યોગ્યતા કહેવાઈ છે. અન્યથા-કર્મબંધની યોગ્યતારૂપ મલ ન સ્વીકારવામાં આવે તો, નીવર્તસ્યાવિશેષતઃ=જીવત્વનો અવિશેષ હોવાથી= સંસારી જીવોમાં અને સિદ્ધના જીવોમાં જીવત્વનો અવિશેષ હોવાથી, તિપ્રસા ચા=અતિપ્રસંગ થાય=સિદ્ધના જીવોમાં કર્મબંધની પ્રાપ્તિરૂપ અતિપ્રસંગ થાય. ૨૭ના શ્લોકાર્ય :
વળી, મલ આત્માની યોગકષાયરૂપ યોગ્યતા કહેવાઈ છે. અન્યથાર કર્મબંધની યોગ્યતારૂપ મલ ન સ્વીકારવામાં આવે તો જીવત્વનો અવિશેષ હોવાથી=સંસારી જીવોમાં અને સિદ્ધના જીવોમાં જીવત્વનો અવિશેષ હોવાથી, અતિપ્રસંગ થાયરસિદ્ધના જીવોમાં કર્મબંધની પ્રાતિરૂપ અતિપ્રસંગ થાય. ર૭ી.
અc
Page #76
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૨૭ ટીકા :
मलस्त्विति-मलस्तु योगकषायाख्यात्मनो योग्यता मता, तस्या एव बहुत्वाल्पत्वाभ्यां दोषोत्कर्षापकर्षोपपत्तेः, अन्यथा जीवत्वस्याविशेषतः सर्वत्र साधारणत्वादतिप्रसङ्गः मुक्तेष्वपि बन्धापत्तिलक्षणः स्यात् ।।२७।। ટીકાર્ય :
મનડુ .... ચાત્ ! વળી, મલ આત્માની યોગકષાયરૂપ યોગ્યતા કહેવાઈ છે.
અહીં પ્રશ્ન થાય કે આત્મા ઉપર લાગેલાં કર્મોને જ મલ કહીએ, અને તેનાથી અતિરિક્ત કર્મબંધની યોગ્યતારૂપ મલ ન સ્વીકારીએ તો શું વાંધો ? તેના સમાધાન માટે હેતુ કહે છે – તેના જ=કર્મબંધની યોગ્યતાના જ બહુ અને અલ્પત્વ દ્વારા દોષના ઉત્કર્ષ અને અપકર્ષની ઉપપત્તિ છે. અન્યથા–કર્મબંધની યોગ્યતારૂપ ભાવમલ ન સ્વીકારવામાં આવે તો જીવત્વનો અવિશેષ હોવાથી સર્વત્ર સાધારણપણું હોવાથી=સંસારી જીવોમાં અને મુક્ત જીવોમાં જીવત્વરૂપે સમાનપણું હોવાથી અતિપ્રસંગ થાય મુક્ત જીવોમાં પણ બંધની પ્રાપ્તિરૂપ અતિપ્રસંગ થાય. li૨૭શા
ક “મુજેતેશ્ર્વપ'માં ‘પથી એ કહેવું છે કે સંસારી જીવોમાં તો બંધ છે, પરંતુ મુક્તજીવોમાં પણ બંધની આપત્તિ છે. ભાવાર્થ :
આત્માના મૂળ સ્વભાવને જે મિલન કરે=વિષ્ક્રભણ કરે તે મલ કહેવાય એ પ્રકારનો “મલ' શબ્દનો અર્થ યોગબિન્દુ ગાથા-૧૬૮માં કરેલ છે. . આનાથી એ પ્રાપ્ત થાય કે સિદ્ધના આત્માઓની પુદ્ગલમાં પ્રવૃત્તિ નથી, તેથી તેઓનો આત્મામાં સ્થિરભાવ છે અર્થાત્ સિદ્ધના આત્માઓ કોઈ જાતની કંપનની પ્રવૃત્તિ કરતા નથી, પરંતુ તેમના આત્મપ્રદેશો નિષ્પકંપ સ્થિરભાવવાળા છે. વળી, તેમનું જ્ઞાન મોહના સંશ્લેષવાળું નથી, તેથી મોહની આકુળતા વગરનો તેમનો જ્ઞાનનો ઉપયોગ છે, અને આ રીતે સિદ્ધના આત્માઓ સદા
Page #77
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાત્રિંશિકા/બ્લોક-૨૭
જ્ઞાનભાવમાં સ્થિર વર્તે છે, તે રૂપ જીવનો સ્વભાવ છે. તે સ્વભાવને જે અવરોધ કરે તે ‘મલ' કહેવાય. આથી ‘મલ’નો અર્થ કરતાં કહ્યું કે આત્મામાં વર્તતી યોગ અને કષાયની જે પિરણિત છે, તે કર્મબંધને અનુકૂળ એવી યોગ્યતા છે, અને આ યોગ્યતા એ ‘મલ' છે.
૫૮
આનાથી એ પ્રાપ્ત થાય કે સિદ્ધના આત્મામાં વર્તતો નિષ્મકંપભાવ સંસારી અવસ્થામાં યોગની પ્રવૃત્તિથી સકંપ બન્યો અને સિદ્ધના આત્મામાં વર્તતી અસંશ્લેષવાળી જ્ઞાનની પરિણતિ સંસાર અવસ્થામાં કષાયના કારણે સંશ્લેષવાળી બની અને સંસારી જીવમાં વર્તતો સકંપ એવો યોગનો અને સંશ્લેષના પરિણામરૂપ કષાયનો પરિણામ કર્મબંધ પ્રત્યે કારણ છે. આથી સંસારી જીવો યોગ અને કષાયથી કર્મબંધ કરીને ચારગતિમાં પરિભ્રમણ કરે છે.
અહીં પ્રશ્ન થાય કે આત્મામાં યોગકષાયરૂપ યોગ્યતાને ન સ્વીકારીએ તો શું વાંધો ? તેથી કહે છે
યોગકષાયરૂપ યોગ્યતાના બહુત્વ અને અલ્પત્વના કારણે જીવમાં દોષના ઉત્કર્ષ અને અપકર્ષની પ્રાપ્તિ છે. તેથી જો કર્મબંધની યોગ્યતારૂપ મલ સ્વીકારવામાં ન આવે તો સંસારી જીવોમાં દોષનો ઉત્કર્ષ અને અપકર્ષ દેખાય છે, તે સંગત થાય નહિ.
આશય એ છે કે આત્મા અનાદિનો છે અને આત્મામાં યોગકષાયરૂપ કર્મબંધની યોગ્યતા પણ અનાદિની છે, અને અનાદિકાળથી આત્મામાં કર્મબંધની યોગ્યતારૂપ મલ ઘણો છે. તેથી આત્મામાં અબાધ્ય એવું મિથ્યાજ્ઞાન અને ભવના ઉત્કટ રાગરૂપ દોષનો ઉત્કર્ષ વર્તે છે; જોકે દરેક પુદ્દગલ પરાવર્તમાં ભવ્ય જીવનો અનાદિનો મલ કંઈક ઓછો થાય છે. આ રીતે પૂર્વ પૂર્વના પુદ્ગલ પરાવર્તમાં દોષોનો ઉત્કર્ષ અને પછી પછીના પુદ્ગલ પરાવર્તમાં દોષોનો અપકર્ષ ભવ્ય જીવમાં તો જ સંગત થાય કે જીવમાં યોગકષાયરૂપ ભાવમલ સ્વીકારવામાં આવે. આથી ભવ્ય જીવોમાં જેમ જેમ ભાવમલ ઘટે છે, તેમ તેમ દોષોનો અપકર્ષ થાય છે, અને ચરમ પુદ્ગલ પરાવર્તમાં કંઈક વિશેષ પ્રકારનો દોષોનો અપકર્ષ થાય છે. તેથી ભવ પ્રત્યેનો ઉત્કટ રાગ પૂર્વના પુદ્ગલ પરાવર્તમાં હોય, તેવો ચરમ પુદ્ગલ પરાવર્તમાં રહેતો નથી. આ
Page #78
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/બ્લોક-૨૭
પ૯ ભવના ઉત્કટ રાગના અભાવના કારણે ચરમ પુદ્ગલ પરાવર્તમાં જીવને મુક્તિનો અદ્દેષ પ્રગટે છે, અને મુક્તિનો અદ્દેષ પ્રગટ્યા પછી પણ જેમ જેમ કર્મબંધની યોગ્યતારૂપ મેલ દૂર થાય છે, તેમ તેમ સંસાર પ્રત્યેના કારણભૂત એવું મિથ્યાજ્ઞાન અને ભવના અભિવૃંગરૂપ દોષ ઓછો થાય છે. તેથી યોગકષાયરૂપ મલ જો સ્વીકારવામાં ન આવે તો સંસારી જીવોમાં દોષોનો ઉત્કર્ષ અને અપકર્ષ પ્રત્યક્ષથી દેખાય છે, તે સંગત થાય નહિ.
વળી, યોગકષાયરૂપ કર્મબંધની યોગ્યતાને સ્વીકારવામાં અન્ય યુક્તિ શ્લોકના ઉત્તરાર્ધથી આપે છે –
જો આત્મામાં કર્મબંધની યોગ્યતારૂપ મલ ન સ્વીકારવામાં આવે તો સંસારી જીવોમાં અને મુક્ત જીવોમાં જીવત્વ સમાન છે. તેથી જેમ સિદ્ધના જીવોમાં પણ જીવત્વથી અતિરિક્ત કર્મબંધની યોગ્યતારૂપ મલ નથી; તેમ સંસારી જીવોમાં પણ જીવત્વથી અતિરિક્ત કર્મબંધની યોગ્યતારૂપ મલ નથી, એમ પ્રાપ્ત થાય અને તેમ સ્વીકારીએ તો જેમ સંસારી જીવોને કર્મબંધની પ્રાપ્તિ છે, તેમ મુક્ત આત્માઓને પણ કર્મબંધની પ્રાપ્તિ છે, તેમ માનવું પડે. તેથી મુક્ત આત્માઓમાં કર્મબંધ માનવાનો અતિપ્રસંગ હોવાને કારણે પણ સંસારી જીવોમાં કર્મબંધની યોગ્યતારૂપ મલ છે, જેથી સંસારી જીવોને કર્મબંધ થાય છે તેમ સ્વીકારવું જોઈએ. અને મુક્ત આત્માઓમાં કર્મબંધની યોગ્યતારૂપ મલ નથી. માટે મુક્ત આત્માઓને કર્મબંધ થતો નથી, તેમ સ્વીકારવું જોઈએ.
અહીં વિશેષ એ છે કે પંચેન્દ્રિય જીવો જે પ્રકારના યોગ અને કષાયો કરે છે, તે પ્રકારના યોગ અને કષાયો એકેન્દ્રિય જીવો કરી શકતા નથી. તેથી સ્થૂલથી એમ જણાય કે પંચેન્દ્રિય જીવો કરતાં એકેન્દ્રિય જીવોમાં યોગ અને કષાય ઘણા ઓછા છે, આથી પંચેન્દ્રિય જીવો જે પ્રકારની કર્મની સ્થિતિ બાંધી શકે છે, તેવી ઉત્કૃષ્ટ કર્મની સ્થિતિ એકેન્દ્રિય જીવો બાંધી શકતા નથી. પરંતુ આ પ્રકારની કર્મબંધની યોગ્યતાના બહુત અને અલ્પત્વ દ્વારા દોષોનો ઉત્કર્ષ અને અપકર્ષ અહીં ગ્રહણ કરવો નથી; કેમ કે તેમ ગ્રહણ કરીએ તો ટીકામાં કહ્યું. કે “મલ આત્માની યોગકષાયરૂપ યોગ્યતા છે, અને તેને સિદ્ધ કરવા માટે હેતુ કહ્યો કે તે યોગ્યતાના બહુત્વ-અલ્પત્વ દ્વારા દોષના ઉત્કર્ષ-અપકર્ષની ઉપપત્તિ છે” તે હેતુ સંગત થાય નહિ.
Page #79
--------------------------------------------------------------------------
________________
go
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૨૭ વળી, સ્વયં ગ્રંથકાર શ્લોક-૩૦માં કહેવાના છે કે પ્રત્યેક પુદ્ગલ પરાવર્તમાં આ કર્મબંધની યોગ્યતાનો હ્રાસ થાય છે, તે વચન પણ સંગત થાય નહિ. તેથી એમ જ ગ્રહણ કરવું જોઈએ કે દૂર દૂર પુગલ પરાવર્તમાં વર્તતા જીવમાં ભાવમલ ઘણો છે, અને તેના કારણે તે જીવમાં ઉત્કટ ભવનો રાગ છે, અને અબાધ્ય એવું મિથ્યા જ્ઞાન છે, અને તે રૂપ દોષના કારણે તેવા જીવો યોગમાર્ગની પ્રવૃત્તિ કરવા માટે યોગ્ય નથી. જ્યારે તે જ જીવો ચરમ પુગલ પરાવર્તમાં આવે છે ત્યારે ઘણો ભાવમલ ઓછો થાય છે. આથી ગાઢ અજ્ઞાન અને ભવનાં ઉત્કટ રાગરૂપ દોષ દૂર થાય છે.
વસ્તુતઃ અનાદિકાળથી જીવ નિગોદમાં હોય છે ત્યારે તેની ચેતના એકેન્દ્રિય અવસ્થામાં ઘણી અલ્પ હોય છે, અને તે સર્વ ચેતના આત્માના શુદ્ધ ભાવોથી અત્યંત વિમુખ છે. તેથી આત્માના શુદ્ધ ભાવોથી અત્યંત વિમુખભાવરૂપ ભાવમલ ચરમ પુદ્ગલ પરાવર્તથી પૂર્વનાં પુદ્ગલ પરાવર્તામાં ઘણો હતો. જોકે એકેન્દ્રિયપણાને કારણે નષ્ટપ્રાયઃ એવી અલ્પ ચેતના હોવાથી કર્મબંધ અલ્પ થાય છે, તોપણ ચરમ પુદ્ગલ પરાવર્તથી પૂર્વનાં પુદ્ગલ પરાવર્તામાં વર્તતા એકેન્દ્રિયાદિના જીવો ગાઢ મિથ્યાજ્ઞાન અને ગાઢ અનંતાનુબંધી કષાયના કારણે દીર્ઘ સંસાર ચલાવે તેવા કર્મો બાંધે છે; અને તે જીવો પંચેન્દ્રિયમાં આવે ત્યારે ચેતના ઘણી પ્રગટ થાય છે, તોપણ દૂર દૂરના પુદ્ગલ પરાવર્તામાં ગાઢ મલ હોવાના કારણે તે સર્વ ચેતના કર્મબંધને અનુકૂળ પરિણામવાળી હોય છે, અને તે જીવો ચરમાવર્તમાં આવે ત્યારે દીર્ઘ સંસાર ચલાવે તેવા અનંતાનુબંધી કષાયો કંઈક શિથિલ થયા છે, અને ચરમ પુદ્ગલ પરાવર્તથી પૂર્વના પુદ્ગલ પરાવર્તામાં અનાત્મભાવમાં અત્યંત રહેનારો એવો વીર્યવ્યાપારરૂપ જે યોગનો પરિણામ હતો, તે ચરમાવર્તમાં કંઈક આત્મભાવને અભિમુખ થાય છે. તેથી ચરમાવર્તવર્તી જીવો પંચેન્દ્રિય હોવાને કારણે એકેન્દ્રિય કરતાં અધિક યોગવાળા અને વ્યક્ત કષાયવાળા હોવા છતાં, અને એકેન્દ્રિય કરતાં ઘણો કર્મબંધ કરનારા હોવા છતાં, તત્ત્વથી સંસારની પરંપરાના ઉચ્છેદના કારણભૂત એવા અલ્પ મલવાળા છે. આથી ચરમાવર્તવત જીવોનો મન-વચન-કાયાનો યોગ કંઈક ઉચિત પ્રવૃત્તિ કરાવનારો હોય છે, અને અનંતાનુબંધી કષાયો પણ શિથિલ મૂળવાળા થયેલા હોવાને કારણે ચરમાવર્તી જીવોમાં યોગની દૃષ્ટિઓ ક્રમસર પ્રગટ થાય છે;
Page #80
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાત્રિંશિકા/બ્લોક-૨૭-૨૮
૧
જ્યારે ચ૨માવર્ત બહારના જીવોમાં કે દૂર દૂરના પુદ્ગલ પરાવર્તી જીવોમાં યોગમાર્ગને અભિમુખ લેશ પણ પરિણામ નહિ હોવાને કારણે દીર્ઘ સંસાર ચલાવે તેવા કર્મબંધની યોગ્યતારૂપ મલ અત્યંત છે, તેમ સ્વીકારવું જોઈએ.
||૨||
અવતરણિકા :
પૂર્વશ્લોકમાં કહ્યું કે મલ કર્મબંધની યોગ્યતારૂપ છે, અને તેમ ન માનો તો સંસારી જીવોમાં અને મુક્ત જીવોમાં જીવત્વ સમાન હોવાને કારણે મુક્ત જીવોને પણ કર્મબંધ થવાનો અતિપ્રસંગ આવે. તે અતિપ્રસંગના નિવારણ માટે કોઈ યુક્તિ આપે તે યુક્તિ બતાવીને તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે
શ્લોક :
-
प्रागबन्धान्न बन्धश्चेत् किं तत्रैव नियामकम् । योग्यतां तु फलोत्रेयां बाधते दूषणं न तत् ।। २८ ।।
અન્વયાર્થ :
પ્રાવસ્થા=પૂર્વમાં અબંધને કારણે=મુક્ત આત્મા જે ક્ષણમાં મુક્ત થાય છે, તે ક્ષણરૂપ પ્રથમ ક્ષણમાં કર્મનો સંબંધ નહિ હોવાને કારણે, ન વન્ય:=સિદ્ધના જીવોને કર્મબંધ નથી=સિદ્ધના જીવોને ઉત્પત્તિની ઉત્તરની ક્ષણોમાં કર્મબંધ નથી. ચેએ પ્રમાણે જે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે તત્રેવ=તેમાં જ=સિદ્ધતા આત્માઓ સિદ્ધ થાય છે તે પ્રથમ ક્ષણમાં કર્મનો સંબંધ કેમ નથી ? તેમાં જ, હ્રિ નિયામ=શું નિયામક છે ?=યોગ્યતાક્ષય સિવાય અન્ય કોઈ નિયામક નથી.
-
જેમ સંસારી જીવોમાં જીવત્વ છે અને કર્મબંધની યોગ્યતા છે, તેમ સિદ્ધના જીવોમાં પણ જીવત્વ છે, છતાં તેમાં કર્મબંધની યોગ્યતા કેમ નથી ? એ પ્રકારનું કોઈ દૂષણ આપે તો તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે
તુ=વળી, તત્ દૂષĪ=તે દૂષણ=સંસારી જીવોની જેમ સિદ્ધમાં કર્મબંધની યોગ્યતા સ્વીકારવારૂપ દૂષણ, તોન્નેમાં યોગ્યતાં=ફલ ઉન્નેય એવી યોગ્યતાનું=
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૨
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૨૮ ફલથી જેની કલ્પના થઈ શકે એવી યોગ્યતાનું, વાથતે બાધ કરતું નથી. |I૨૮II. શ્લોકાર્ધ :
પૂર્વમાં અબંધને કારણે=મુક્ત આત્મા જે ક્ષણમાં મુક્ત થાય છે તે ક્ષણરૂપ પ્રથમ ક્ષણમાં કર્મનો સંબંધ નહિ હોવાને કારણે, સિદ્ધના જીવોને કર્મબંધ નથી સિદ્ધના જીવોને ઉત્પત્તિની ઉત્તરની ક્ષણોમાં કર્મબંધ નથી, એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે –
તેમાં જરસિદ્ધના આત્માઓ સિદ્ધ થાય છે તે પ્રથમ ક્ષણમાં કર્મનો સંબંધ કેમ નથી ? તેમાં જ, શું નિયામક છે ? અર્થાત્ યોગ્યતાક્ષય સિવાય અન્ય કોઈ નિયામક નથી.
જેમ સંસારી જીવોમાં જીવત્વ છે અને કર્મબંધની યોગ્યતા છે, તેમ સિદ્ધનાં જીવોમાં પણ જીવત્વ છે, છતાં તેમાં કર્મબંધની યોગ્યતા કેમ નથી ? એ પ્રકારનું કોઈ દૂષણ આપે તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે –
વળી, તે દૂષણ=સંસારી જીવોની જેમ સિદ્ધમાં કર્મબંધની યોગ્યતા સ્વીકારવારૂપ દૂષણ, ફલ ઉન્નેય એવી યોગ્યતાનું ફલથી જેની કલ્પના થઈ શકે એવી યોગ્યતાનું બાધ કરતું નથી. ll ટીકા :___प्रागिति-प्राक्-पूर्वम्अबन्धाद्=बन्धाभावाज्जीवत्वरूपऽविशेषेऽपि न बन्धो मुक्तस्य चेत्, किं तत्रैव-प्रागबन्थे एव, नियामकं योग्यताक्षयं विना, योग्यतां तु फलोनेयां=फलबलकल्पनीयां तदुषणं न बाधते 'तत्र कुतो न योग्यता?' इत्यत्र फलाभावस्यैवोत्तरत्वात्, युक्तं चैतत् बन्धस्य बध्यमानयोग्यतापेक्षत्वनियमाद्वस्त्रादीनां मञ्जिजिष्ठादिरागरूपबन्धने तथादर्शनात्, तद्वैचित्र्येण फलभेदोपपत्तेस्तस्या अन्तरङ्गत्वात्तत्परिपाकार्थमेव हेत्वन्तरापेक्षणादित्याचार्याः ૨૮
Page #82
--------------------------------------------------------------------------
________________
૬૩
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૨૮ ટીકાર્ય :
પ્ર.િ...... વિત્યા || પૂર્વમાં અબંધને કારણે=કર્મના સંબંધના અભાવને કારણે, જીવત્વરૂપ અવિશેષ હોવા છતાં પણ=સંસારી જીવોમાં અને સિદ્ધના જીવોમાં જીવત્વ સ્વરૂપ સમાન હોવા છતાં પણ, મુક્તને બંધ નથી; એ પ્રમાણે પૂર્વપક્ષી કહે, તો ગ્રંથકાર કહે છે –
તેમાં જ=પૂર્વના અબંધમાં જ=મુક્તજીવોને મુક્તક્ષણમાં કર્મના અસંબંધમાં જ, શું નિયામક છે? અર્થાત્ યોગ્યતાક્ષય વગર શું નિયામક છે? અર્થાત્ યોગ્યતાક્ષય જ નિયામક છે.
વળી, તે દૂષણ=જેમ સંસારી જીવોમાં કર્મબંધની યોગ્યતા છે તેમ સિદ્ધના જીવોમાં પણ કર્મબંધની યોગ્યતા સ્વીકારવારૂપ દૂષણ, ફલ ઉન્નેય એવી યોગ્યતાને કુલના બલથી કલ્પના કરી શકાય એવી યોગ્યતાને, બાધ કરતું નથી, કેમ કે ત્યાં મુક્તજીવોમાં કેમ યોગ્યતા નથી ? એ પ્રકારના પ્રશ્નમાં ફલાભાવનું જ ઉત્તરપણું છે.
સંસારી જીવોમાં કર્મબંધની યોગ્યતા છે, તેમ પૂર્વમાં ગ્રંથકારે યુક્તિથી સ્થાપન કર્યું તે સંગત છે, તેમ બતાવવા અર્થે કહે છે –
અને આ=સંસારી જીવોમાં કર્મબંધની યોગ્યતા છે એમ પૂર્વમાં સ્થાપન કર્યું એ, યુક્ત છે; કેમ કે બંધનો બધ્ધમાનની યોગ્યતાના અપેક્ષત્વનો નિયમ છે=બધ્યમાન એવી વસ્તુની યોગ્યતાની અપેક્ષાએ બંધ થાય છે, એવો નિયમ છે.
અહીં પ્રશ્ન થાય કે બધ્યમાન વસ્તુની યોગ્યતા હોય તો જ બંધ થાય એવો નિયમ કેમ સ્વીકારી શકાય ? તેથી અન્ય હેતુ કહે છે – વસ્ત્રાદિનાં મજીઠ આદિ શગરૂપ બંધનમાં તે પ્રકારે દર્શન છે.
અહીં પ્રશ્ન થાય કે વસ્ત્રાદિમાં મજીઠ આદિના રંગની યોગ્યતા હોય, તેથી રંગ લાગે છે તેમ સ્વીકારીએ તો વસ્ત્રાદિમાં મજીઠ આદિનો રંગ સમાન રીતે સદા લાગે છે, તેમ આત્મામાં પણ કર્મબંધની યોગ્યતા સ્વીકારીએ તો સદા સમાનરૂપે કર્મબંધની પ્રાપ્તિ થવી જોઈએ. તે પ્રકારની શંકાના નિવારણ માટે અન્ય હેતુ કહે છે –
Page #83
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાત્રિંશિકા/બ્લોક-૨૮
૪
તેના વૈચિત્ર્યથી=કર્મબંધની યોગ્યતાના વૈચિત્ર્યથી, ફલભેદની ઉપપત્તિ છે=પૂર્વ પૂર્વના પુદ્ગલ પરાવર્તોમાં પ્રચુર કર્મબંધ હતો, અને ઉત્તર ઉત્તરના પુદ્ગલ પરાવર્તોમાં અલ્પ અલ્પ કર્મબંધ થાય છે, અને ચરમપુદ્ગલપરાવર્તમાં વિશેષ પ્રકારનો અલ્પ કર્મબંધ થાય છે, એ પ્રકારના ફલભેદની ઉપપત્તિ છે.
અહીં પ્રશ્ન થાય કે કર્મબંધની યોગ્યતાના વૈચિત્ર્યથી ફલભેદની ઉપપત્તિ છે, એમ સ્વીકારવામાં આવે તો શાસ્ત્રમાં સર્વ કાર્યો પ્રત્યે કાલાદિ પાંચ કારણો કહ્યાં, તેની સંગતિ કઈ રીતે થઈ શકે ? અર્થાત્ થાય નહિ; કેમ કે કર્મબંધની યોગ્યતાના વૈચિત્ર્યથી ફલભેદની ઉપપત્તિ હોય તો ફલભેદની પ્રાપ્તિ પ્રત્યે કાલાદિને કારણ માનવાની આવશ્યકતા રહે નહિ. તેથી અન્ય હેતુ કહે છે
તેનું=કર્મબંધની યોગ્યતાનું અંતરંગપણું હોવાથી=લભેદ પ્રત્યે ઉપાદાન કારણપણું હોવાથી, તેના પરિપાક માટે જ=કર્મબંધની યોગ્યતાના પરિપાક માટે જ અન્ય હેતુની અપેક્ષા છે, એ પ્રમાણે આચાર્ય કહે છે=એ પ્રમાણે પૂ. હરિભદ્રસૂરિ કહે છે. ।।૨૮।।
* ‘નીવત્વરૂપવિશેષેઽપિ’માં ‘પિ’થી એ કહેવું છે કે મુક્ત અને સંસારી જીવોમાં જીવત્વરૂપ અવિશેષ ન હોય તો તો મુક્ત જીવોને બંધ ન થાય, પરંતુ જીવત્વરૂપ અવિશેષ હોવા છતાં પણ પૂર્વમાં બંધનો અભાવ હોવાને કારણે મુક્ત જીવોને બંધ નથી.
4
* આ શ્લોકનો અર્થ ‘યોગબિન્દુ’નાં શ્લોક-૧૬૭, ૧૯૭ અને ૧૯૮ સાથે સંબંધિત છે. તેથી તેને સામે રાખીને આ અર્થ કરેલ છે.
ભાવાર્થ :--
પૂર્વશ્લોકમાં ગ્રંથકારે કહ્યું કે મુક્ત જીવોમાં અને સંસારી જીવોમાં જીવત્વ સમાન છે, આમ છતાં સંસારી જીવોમાં કર્મબંધની યોગ્યતારૂપ મલ છે, તેથી તેઓ કર્મ બાંધે છે; અને જો તેવું ન સ્વીકારવામાં આવે તો મુક્ત જીવોમાં પણ કર્મબંધ માનવાનો પ્રસંગ આવે. આ પ્રકારની ગ્રંથકાર દ્વારા અપાયેલી અતિપ્રસંગની આપત્તિનું નિવા૨ણ ક૨વા માટે પૂર્વપક્ષી કહે છે કે મુક્ત જીવો જે ક્ષણે કર્મથી મુક્ત થાય છે, તે ક્ષણમાં કર્મનો સંબંધ નથી, તેથી મુક્ત જીવો કર્મબંધ કરતા
Page #84
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાત્રિંશિકા/બ્લોક-૨૮
૬૫
નથી; અને સંસારી જીવોમાં પૂર્વનું બંધાયેલું કર્મ છે, તેથી ઉત્તરમાં કર્મબંધ થાય છે. માટે સંસારી જીવોમાં કર્મબંધની યોગ્યતા ન માનીએ તોપણ મુક્ત જીવોને કર્મબંધ માનવાની આપત્તિ આવશે નહિ.
ત્યાં ગ્રંથકાર કહે છે કે મુક્ત જીવોમાં પ્રથમ કર્મનો સંબંધ નથી, તેમાં નિયામક શું છે ? અર્થાત્ મુક્ત જીવોમાં કર્મબંધની યોગ્યતાનો ક્ષય થયો છે, માટે જ મુક્ત જીવો કર્મબંધ વગરના છે. જો કર્મબંધની યોગ્યતાનો ક્ષય તેઓમાં ન હોય તો સંસારી જીવોની જેમ તેઓને પણ કર્મબંધ થવો જોઈએ.
અહીં પૂર્વપક્ષી કહે કે જેમ સંસારી જીવોમાં જીવત્વ છે માટે તેઓમાં કર્મબંધની યોગ્યતા છે, એમ તમે સ્વીકારો છો તેમ મુક્ત જીવોમાં પણ જીવત્વ છે માટે તેઓમાં પણ કર્મબંધની યોગ્યતા છે, તેમ સ્વીકારવાની તમને આપત્તિ આવશે. આ પ્રકારનું પૂર્વપક્ષી દ્વારા અપાયેલું દૂષણ સંસારી જીવોમાં કર્મબંધરૂપ ફલના બળથી કલ્પના કરાયેલી એવી કર્મબંધની યોગ્યતાનો બાધ કરતું નથી.
આશય એ છે કે પૂર્વપક્ષીને મુક્ત જીવોમાં કે સંસારી જીવોમાં કર્મબંધની યોગ્યતા માન્ય નથી, પરંતુ મુક્ત જીવો કર્મબંધ રહિત છે, માટે કર્મબંધ કરતા નથી. અને સંસારી જીવો પૂર્વમાં કર્મથી બંધાયેલા છે, માટે ઉત્તરમાં કર્મબંધ કરે છે. આ સિવાય મુક્ત જીવોમાં અને સંસારી જીવોમાં અન્ય કોઈ ભેદ નથી; અને તેથી પૂર્વપક્ષી કહે છે કે “જો તમે સંસારી જીવોમાં કર્મનો સંબંધ છે” તેમ સ્વીકારીને કર્મના સંબંધથી અતિરિક્ત કર્મબંધની યોગ્યતા સંસારી જીવોમાં છે, તેમ સ્વીકારો છો, તો મુક્ત જીવો પણ સંસારી જીવો જેવા જ છે. તેથી તેઓમાં પણ કર્મબંધની યોગ્યતા સ્વીકારવી જોઈએ. આ પ્રકારનું દૂષણ પૂર્વપક્ષી ગ્રંથકારને આપે છે. તે દૂષણ સંસારી જીવોમાં કર્મબંધરૂપ ફલના બલથી કલ્પના કરાતી એવી કર્મબંધની યોગ્યતાને બાધ કરતું નથી.
કેમ બાધ કરતું નથી ? તેથી ગ્રંથકારશ્રી કહે છે કે મોક્ષમાં કેમ કર્મબંધની યોગ્યતા નથી ? એ પ્રકારના પ્રશ્નનો જવાબ મોક્ષમાં કર્મબંધરૂપ ફળનો અભાવ છે, તે જ ઉત્તર છે.
તાત્પર્ય એ છે કે કાર્યના બળથી જ કારણનું અનુમાન થાય છે. સંસારી જીવોમાં કર્મબંધરૂપ કાર્ય છે, તેથી તેનું કારણ સંસારી જીવોમાં કર્મબંધની
Page #85
--------------------------------------------------------------------------
________________
૬૬
પૂર્વસેવાદ્વાચિંશિકા/બ્લોક-૨૮ યોગ્યતા છે; તેવી કલ્પના કરાય છે અને મુક્તજીવોમાં કર્મબંધ નથી, તેથી કલ્પના કરાય છે કે તેઓમાં કર્મબંધની યોગ્યતા નથી.
પૂર્વમાં કહ્યું કે સંસારી જીવોમાં કર્મબંધની યોગ્યતા છે, માટે કર્મ બાંધે છે, તે કથન યુક્ત છે. કેમ યુક્ત છે ? તે બતાવતાં કહે છે કે બધ્યમાન એવા કર્મબંધની આત્મામાં યોગ્યતાની અપેક્ષા રાખીને કર્મબંધ થાય છે. એ પ્રકારનો નિયમ છે.
અહીં કોઈને પ્રશ્ન થાય કે બધ્યમાન એવા કર્મબંધની આત્મામાં યોગ્યતાની અપેક્ષા રાખીને કર્મબંધ થાય છે, એવો નિયમ કેમ સ્વીકારી શકાય ? તેથી અન્ય હેતુ કહે છે –
મજીષ્ઠ આદિનો રંગ વસ્ત્રમાં લાગે છે, અને વસ્ત્ર સિવાય અન્ય કોઈ તેવી વસ્તુ હોય કે જેના ઉપર મજીષ્ઠનો રંગ લાગતો નથી, તેમ પ્રત્યક્ષથી દેખાય છે. તેથી નક્કી થાય છે કે મજીષ્ઠ આદિનો રંગ સર્વ પદાર્થોમાં લાગતો નથી, પરંતુ તે રંગ લાગે તેવી યોગ્યતાવાળાં વસ્ત્રાદિમાં જ લાગે છે. તેમ આત્મામાં પણ કર્મના બંધની યોગ્યતા છે, માટે આત્મા ઉપર કર્મ લાગે છે તેમ સ્વીકારી શકાય છે.
અહીં પ્રશ્ન થાય કે વસ્ત્રમાં મજીષ્ઠ આદિના રંગની યોગ્યતા છે, તેથી જ્યારે જ્યારે મજીષ્ઠ આદિ રંગની પ્રાપ્તિ થાય ત્યારે ત્યારે મજીષ્ઠ આદિ રંગ લાગે છે, પરંતુ મજીષ્ઠ આદિ રંગની પ્રાપ્તિમાં કોઈ ફેલભેદની પ્રાપ્તિ નથી.
જ્યારે સંસારી જીવોને તો દૂરના પુદ્ગલ પરાવર્તમાં પ્રચુર કર્મબંધ હતો, અને ચરમાવર્તમાં અલ્પ કર્મબંધ થાય છે તેથી ફલભેદની પ્રાપ્તિ છે. તે કઈ રીતે સંગત થાય ? તે બતાવવા અર્થે અન્ય હેતુ કહે છે –
તેના વૈચિયથી કર્મબંધની યોગ્યતાના વૈચિત્ર્યથી ફલભેદની ઉપપત્તિ છેઃ કર્મબંધની યોગ્યતાના કારણે કર્મ બંધાય છે, અને તે યોગ્યતાના વૈચિત્ર્યને કારણે ક્યારેક નારક પર્યાયની પ્રાપ્તિ થાય છે, અને ક્યારેક નર પર્યાયની પ્રાપ્તિ થાય છે, ક્યારેક દેવ પર્યાયની પ્રાપ્તિ થાય છે તો ક્યારેક તિર્યંચા પર્યાયની પ્રાપ્તિ થાય છે, ઇત્યાદિરૂપ ફલભેદની પ્રાપ્તિ થાય છે. વળી, જેમ કર્મબંધની યોગ્યતાના વૈચિત્ર્યને કારણે કર્મબંધની પ્રાપ્તિ દ્વારા નર-નારકાદિ
Page #86
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૨૮
ઉ૭ પર્યાયની પ્રાપ્તિરૂપ ફેલભેદની પ્રાપ્તિ થાય છે, તેમ કર્મબંધની યોગ્યતાના વૈચિત્ર્યને કારણે ભવ્ય જીવોને પૂર્વ પૂર્વના પુદ્ગલ પરાવર્ત કરતાં ઉત્તર ઉત્તરના પુદ્ગલ પરાવર્તમાં ચરમાવર્તના આભિમુખ્ય ભાવરૂપ ફલભેદની પ્રાપ્તિ થાય છે, અને ચરમાવર્તમાં પણ જેમ જેમ કર્મબંધની યોગ્યતા ક્ષીણ ક્ષીણતર થાય છે, તેમ તેમ ગુણસ્થાનકની વૃદ્ધિરૂપ ફલભેદની પ્રાપ્તિ થાય છે.
અહીં પ્રશ્ન થાય કે શાસ્ત્રમાં કાર્યમાત્ર પ્રત્યે પાંચ કારણો પ્રસિદ્ધ છે. તેથી જો કર્મબંધની યોગ્યતાના વૈચિત્ર્યથી ફલભેદ સ્વીકારવામાં આવે તો, ફલભેદની પ્રાપ્તિ પ્રત્યે પાંચ કારણો છે, તેમ કહી શકાય નહિ; તેના નિવારણ માટે કહે છે –
કર્મબંધની યોગ્યતા ફેલભેદ પ્રત્યે અંતરંગ કારણ છેઃઉપાદાન કારણ છે, અને તેના પરિપાક માટે જ અન્ય હેતુની અપેક્ષા છે, એમ આચાર્ય કહે છે –
આશય એ છે કે જેમ માટી ઘટ પ્રત્યે ઉપાદાન કારણ છે, તેથી માટી જ ઘટરૂપે પરિણમન પામે છે. આમ છતાં માટીને ઘટરૂપે પરિણમન પમાડવા માટે દંડ, ચક્ર આદિ સામગ્રીની અપેક્ષા છે; કેમ કે દંડ, ચક્ર આદિ સામગ્રીને પામ્યા વગર માટી સ્વયં ઘટરૂપે પરિણમન પામતી નથી. તેમ જીવમાં કર્મબંધની યોગ્યતા પૂર્વમાં ઘણી હતી, તે ઉત્તર ઉત્તરની અલ્પ યોગ્યતા પ્રત્યે ઉપાદાન કારણ છે. તો પણ પૂર્વમાં રહેલી કર્મબંધની યોગ્યતા ઉત્તર ઉત્તરની અલ્પયોગ્યતારૂપે પરિણમન પમાડવા સ્વરૂપ ફલ અર્થે કાલાદિ પાંચ કારણોની અપેક્ષા છે, એ પ્રકારે આચાર્ય કહે છે.
તાત્પર્ય એ છે કે આત્મામાં રહેલી અનાદિકાળની કર્મબંધની યોગ્યતાનાં બે કાર્યો છે :
(૧) આત્મામાં રહેલી અનાદિકાળની કર્મબંધની યોગ્યતા કર્મબંધ કરાવીને જીવને નર-નારકાદિ પર્યાયોની પ્રાપ્તિ કરાવે છે, તેથી આ કર્મબંધની યોગ્યતા નર-નારકાદિ પર્યાયોની પ્રાપ્તિ પ્રત્યે કારણ છે, ત્યાં પણ તે તે કાલાદિ ચાર કારણોની અપેક્ષા છે. (૨) ભવ્ય જીવોની પૂર્વ પૂર્વની કર્મબંધની યોગ્યતા પ્રતિપુદ્ગલ પરાવર્તનમાં ક્ષીણ ક્ષીણતર થાય છે, જેથી પૂર્વ પૂર્વની કર્મબંધની
Page #87
--------------------------------------------------------------------------
________________
૬.
પૂર્વસેવાદ્વાત્રિંશિકા/બ્લોક-૨૮
યોગ્યતા ઉત્તર ઉત્તરનાં પુદ્ગલપરાવર્તોમાં અલ્પ અલ્પતર બને છે. તેથી ઉત્તર ઉત્તરનાં પુદ્ગલ પરાવર્તોમાં જે અલ્પ અલ્પત૨ કર્મબંધની યોગ્યતા થાય છે, તેના પ્રત્યે પણ કાલાદિ પાંચ કારણો કારણ છે.
અનાદિકાળથી કર્મબંધની યોગ્યતારૂપ ભાવમલ જીવમાં છે, જેના કારણે જીવ કર્મબંધ કરીને ચારગતિનું પરિભ્રમણ કરે છે. આ ભાવમલ ક્રમસર ઘટે છે અને ચ૨માવર્તમાં કંઈક અલ્પ થયા પછી યોગમાર્ગની પ્રવૃત્તિ દ્વારા જીવ આ ભાવમલનો નાશ કરવાનો પ્રારંભ કરે છે, અને તેરમા ગુણસ્થાનકે આ ભાવમલની અત્યંત અલ્પતાની પ્રાપ્તિ છે અને ચૌદમા ગુણસ્થાનકે જીવ સર્વથા ભાવમલ રહિત બને છે.
દરેક ભવ્ય જીવનો ભાવમલનો ક્રમિક હ્રાસ કાલાદિ પાંચ કારણોથી થાય છે. વળી, તે ક્રમિક હ્રાસ સર્વ જીવોનો સમાન રીતે થતો નથી, પરંતુ તરતમતાથી થાય છે. આથી દરેક જીવનો ચરમાવર્ત ભિન્ન ભિન્ન કાળમાં પ્રાપ્ત થાય છે. તેથી જેનો ભાવમલ અધિક અધિક હ્રાસ પામે છે, તેનું ચરમ પુદ્ગલપરાવર્ત શીઘ્ર આવે છે, અને જેનો ભાવમલ અલ્પ અલ્પ નાશ પામે છે, તેનું ચરમ પુદ્ગલપરાવર્ત વિલંબનથી આવે છે. તેથી ચરમ પુદ્ગલપરાવર્તની પ્રાપ્તિ પાંચ કારણોથી થયેલી હોવા છતાં મુખ્યરૂપે ‘કાળના પરિપાક’થી થયેલ છે તેમ કહેવાય છે. વળી, ચરમ પુદ્ગલપરાવર્તમાં આવેલા જીવોમાં ભાવમલ એટલો અલ્પ થયો છે કે જેથી ઉપદેશઆદિની સામગ્રીને પામીને યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે તો ભાવમલનો નાશ શીઘ્ર કરી શકે છે. તેથી મોક્ષરૂપ કાર્ય પણ ચ૨માવર્તની પ્રાપ્તિ પછી પાંચ કારણથી થાય છે છતા પુરુષાર્થ આદિ અન્ય કારણો યથાયોગ્ય મોક્ષરૂપ ફળ પ્રત્યે પ્રધાન બને છે.
શાસ્ત્રમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ કર્મબંધનાં કારણો તરીકે પ્રસિદ્ધ છે. તેને જ અહીં યોગ અને કષાયરૂપે સંગ્રહ કરીને ભાવમલ કહેલ છે. વળી, કેટલાક સ્થાને યોગને જ ભાવમલ કહેવામાં આવે છે, ત્યારે કષાયનો પણ યોગમાં જ સંગ્રહ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે કર્મબંધને અનુકૂળ એવો જે યોગ છે, તે જ કષાયના પરિણામવાળો હોય છે. ત્યારે અધિક કર્મબંધનું
Page #88
--------------------------------------------------------------------------
________________
૬૯
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૨૮-૨૯ કારણ છે. વળી અવિરતિના પરિણામવાળો હોય છે ત્યારે તેનાથી પણ અધિક કર્મબંધનું કારણ બને છે અને મિથ્યાત્વના પરિણામવાળો હોય ત્યારે તેનાથી પણ અધિક કર્મબંધનું કારણ બને છે. આ મિથ્યાત્વ જેમ જેમ અધિક અધિક તેમ તેમ અધિક અધિક કર્મબંધનું કારણ બને છે. માટે મિથ્યાત્વના અનિવર્તનીય ભાવને સામે રાખીને દૂર દૂરના પુદ્ગલ પરાવર્તામાં અધિક અધિક ભાવમલ કહેલ છે. [૨૮ અવતરણિકા -
શ્લોક-૨૭માં કહ્યું કે આત્માની યોગકષાયરૂપ કર્મબંધની યોગ્યતા ભાવમલ છે. હવે તે ભાવમલને અવ્ય દર્શનકારો પણ જુદા જુદા નામોથી સ્વીકારે છે, તે બતાવવા અર્થે કહે છે – બ્લોક :
दिदृक्षा भवबीजं चाविद्या चानादिवासना ।
भङ्ग्येषैवाश्रिता सांख्यशैववेदान्तिसौगतैः ।।२९।। અન્વયાર્થ :
વિક્ષ જોવાની ઇચ્છા, મવવનંભવનું બીજ, વિદ્યા અવિદ્યા, અને, અનાવિલાસના=અનાદિવાસના, મા =ભંગીથી વિકલ્પથી, વંકઆ જ= કર્મબંધની યોગ્યતા જ, સાંવવેકાન્તિાન્ત =સાંખ્ય, શૈવ, વેદાન્તી અને સૌગત વડે મશ્રિતા=આશ્રય કરાયેલ છે. ૨૯ શ્લોકાર્ચ -
દિદક્ષા, ભવનું બીજ, અવિધા અને અનાદિવાસના ભંગીથી વિકલ્પથી, આ જ=કર્મબંધની યોગ્યતા જ, સાંખ્ય, શૈવ, વેદાન્તી અને સોગત વડે આશ્રય કરાયેલ છે. l૨૯ll ટીકા :
दिदृक्षेति-पुरुषस्य प्रकृतिविकारान् द्रष्टुमिच्छा दिदृक्षा सैवेयमिति सांख्याः, भवबीजमिति शैवाः, अविद्येति वेदान्तिकाः, अनादिवासनेति सौगताः ।।२९।।
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૦
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૨૯-૩૦ ટીકાર્ય :
પુરુષસ્ય ... સાત: L પ્રકૃતિના વિકારોને જોવાની પુરુષની ઈચ્છા દિદક્ષા છે. તે જ=દિક્ષા જ, આ છે કર્મબંધની યોગ્યતા છે, એ પ્રકારે સાંખ્યદર્શનકારો કહે છે. ભવનું બીજ છે, એ પ્રકારે શેવદર્શનકારો કહે છે.
અવિદ્યા એ પ્રમાણે વેદાન્તીઓ કહે છે. અનાદિ વાસના એ પ્રમાણે બૌદ્ધ દર્શનકારો કહે છે. જરા ભાવાર્થ -
સાંખ્યદર્શનકારો પુરુષ અને પ્રકૃતિ એમ બે તત્ત્વો માને છે, અને પ્રકૃતિના વિકારરૂપ આ દૃષ્ટ જગત છે અને પ્રકૃતિના વિકારને જોવાની જે પુરુષની ઇચ્છા છે તે દિક્ષા છે અને આ દિદક્ષાના કારણે જ પુરુષનો આ સંસાર નિષ્પન્ન થયેલો છે એમ સાંખ્યદર્શન સ્વીકારે છે. તેથી જૈન દર્શનકારો જે યોગકષાયરૂપ કર્મબંધની યોગ્યતાને સ્વીકારે છે, તેને જ સાંખ્ય દર્શનકારો દિક્ષા શબ્દથી કહે છે. વળી, શૈવ દર્શનકારો તેને જ ભવબીજ કહે છે. તેથી એ ફલિત થાય કે જે ભવની પ્રાપ્તિનું કારણ છે, તે ભવબીજ છે, અને તે ભવબીજ એટલે કર્મબંધની યોગ્યતા.
વળી, વેદાન્ત દર્શનકારો તેને અવિદ્યા કહે છે અર્થાત્ જીવને પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે, અને આ અજ્ઞાનને કારણે જ જીવ કર્મ બાંધે છે. માટે કર્મબંધની યોગ્યતાને જ વેદાન્તીઓ અવિદ્યા શબ્દથી કહે છે.
વળી, બૌદ્ધ દર્શનકારો કર્મબંધની યોગ્યતાને અનાદિની વાસના કહે છે; કેમ કે બૌદ્ધ દર્શનકારોના મતે અનાદિની વાસનાથી સંસાર છે, અને તે વાસનાના ઉચ્છેદથી સંસારનો ઉચ્છેદ છે. ll૨૯માં અવતરણિકા -
શ્લોક-૨૬માં કહ્યું કે સહજમલના અભ્યપણાને કારણે ભવનો અનુત્કટ રાગ થાય છે અને ભાવના અનુત્કટ રાગના કારણે મુક્તિનો અદ્વેષ પ્રગટે છે. ત્યારપછી સહજમલ શું છે, તે શ્લોક-૨૭માં બતાવ્યું. હવે તે સહજમલ કઈ રીતે પ્રતિ પુદ્ગલપરાવર્તમાં ઘટે છે ? જેથી યોગમાર્ગની પ્રાપ્તિના બીજભૂત મુક્તિઅદ્વેષ પ્રગટે છે ? તે બતાવવા અર્થે કહે છે –
Page #90
--------------------------------------------------------------------------
________________
पूर्व सेवाद्वात्रिंशिका / श्लोड- 30
श्लोड :
प्रत्यावर्तं व्ययोऽप्यस्यास्तदल्पत्वेऽस्य संभवः । अतोऽपि श्रेयसां श्रेणी किं पुनर्मुक्तिरागतः ।। ३० ।।
अन्वयार्थ :
प्रत्यावर्त-रे भावर्तने आश्रयीने, अस्याः = खानो=ऽर्भजंधनी योग्यतानो, व्ययोऽपि नाश भए छे, तदल्पत्वे तेना अल्पपगामां = दुर्भजंघनी योग्यताना अल्पपगामां, अस्य=आनो मुक्ति द्वेषनो सम्भवः = संभव छे भुक्तिखद्वेषनी उपपत्ति छे. अतोऽपि=खानाथी पाएग= भुक्ति द्वेषथी पए, श्रेयसां श्रेणी = श्रेयनी श्रेणी छे. किं पुनर्मुक्तिरागतः = भुक्तिरागथी तो शुं आहे ? ||30|| श्लोकार्थ :
-
દરેક આવર્તને આશ્રયીને આનો=કર્મબંધની યોગ્યતાનો નાશ પણ છે, તેના અલ્પપણામાં=કર્મબંધની યોગ્યતાના અલ્પપણામાં આનો= મુક્તિઅદ્વેષનો સંભવ છે=મુક્તિઅદ્વેષની ઉપપત્તિ છે. આનાથી પણ=મુક્તિઅદ્વેષથી પણ, શ્રેયની શ્રેણી છે. વળી, મુક્તિરાગથી તો શું sèq? 113011
टीडा :
प्रत्यावर्तमिति - प्रत्यावर्तं प्रतिपुद्गलावर्तं व्ययोऽपि अपगमोऽपि अस्याः योग्यतायाः, दोषाणां क्रमह्रासं विना भव्यस्य मुक्तिगमनाद्यनुपपत्तेः । तदल्पत्वे= योग्यताल्पत्वे, अस्य-मुक्त्यद्वेषस्य, सम्भवः = उपपत्तिः । तदुक्तं
૭૧
“एवं चापगमोऽप्यस्याः प्रत्यावर्तं सुनीतितः ।
स्थित एव तदल्पत्वे भावशुद्धिरपि ध्रुवा " ।। १ ।।
अतोऽपि मुक्त्यद्वेषादपि, श्रेयसां श्रेणी = कुशलानुबन्धसन्ततिः, किं पुनर्वाच्यं
मुक्तिरागतस्तदुपपत्तौ ।। ३० ।।
Page #91
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૩૦ ટીકાર્ચ -
પ્રત્યાવર્ત ..... કુપત્તી | પ્રતિ આવર્તકપ્રતિ પુદ્ગલપરાવર્ત, આનોર યોગ્યતાનો કર્મબંધની યોગ્યતાનો, વ્યય પણ છેઃઅપગમ પણ છે; કેમ કે દોષોના ક્રમહાસ વગર ભવ્યની મુક્તિગમત આદિની અનુપપત્તિ છે. તેના અલ્પપણામાં યોગ્યતાના અલ્પપણામાં કર્મબંધની યોગ્યતાના અલ્પપણામાં, આનો મુક્તિઅદ્વેષનો સંભવ છે ઉપપત્તિ છે. તે શ્લોકના પૂર્વાર્ધમાં જે કહેવાયું તે, યોગબિન્દુમાં કહેવાયું છે.
અને આ રીતે યોગબિન્દુની પૂર્વગાથામાં કહ્યું એ પ્રકારે કર્મબંધની યોગ્યતા હોતે છતે, યોગ્યતાનો અપગમ પણ સુનીતિથી પ્રતિઆવર્ત રહેલો જ છે. મલના અલ્પપણામાં ભાવશુદ્ધિ પણ નિશ્ચિત છે.” [૧]
આનાથી પણ=મુક્તિઅદ્વેષથી પણ, શ્રેયની શ્રેણી છે કુશલ અનુબંધની સંતતિ છે=સંસારના ઉચ્છેદને અનુકૂળ આત્મકલ્યાણની પરંપરાની પ્રાપ્તિ છે. વળી, મુક્તિરાગથી તેની ઉપપત્તિમાં કુશલ ફળની સંતતિની પ્રાપ્તિમાં શું કહેવું ? અર્થાત્ અવશ્ય કુશલ ફળની સંતતિની પ્રાપ્તિ છે. ll૩૦ ||
“વ્યયોપિ=3પ1મોડપિ'માં ‘પથી એ કહેવું છે કે પ્રતિ પુદ્ગલપરાવર્ત કર્મબંધની યોગ્યતા તો છે, પરંતુ યોગ્યતાનો અપગમ પણ=વ્યય પણ, સુનીતિથી છે.
‘મતોડપિ' અને “મુનત્યપાપ'માં ‘પ'થી એ કહેવું છે કે મુક્તિના રાગથી તો કલ્યાણની પરંપરા છે, પરંતુ મુક્તિના અષથી પણ કલ્યાણની પરંપરા છે. ભાવાર્થ -
આત્મા અનાદિનો છે અને કર્મબંધની યોગ્યતારૂપ ભાવમલ પણ આત્મામાં અનાદિથી છે અને ભવ્ય જીવોનાં ભાવમલનો પ્રતિ પુદ્ગલપરાવર્તમાં અપગમ પણ થાય છે. ત્યાં જિજ્ઞાસા થાય કે પ્રત્યેક પુદ્ગલપરાવર્તમાં કર્મબંધની યોગ્યતાનો અપગમ થાય છે, તે કઈ રીતે નક્કી થાય ? તેથી ગંથકારશ્રી યુક્તિ આપે છે કે ભવ્ય જીવો મોક્ષમાં જાય છે અને મોક્ષને અનુકૂળ એવા ગુણસ્થાનકની પ્રાપ્તિ કરે છે, તે સર્વ તો સંગત થાય કે આત્મામાં રહેલા કર્મબંધની યોગ્યતારૂપ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ દોષોનો ક્રમસર હ્રાસ થતો હોય. અર્થાત્ દૂર દૂરના પુદ્ગલપરાવર્તમાં જે જે દોષો હતા તે દરેક પુદ્ગલપરાવર્તમાં
Page #92
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/બ્લોક-૩૦-૩૧ ક્રમસર ઘટતા ઘટતા ચરમ પુદ્ગલપરાવર્તમાં ઘણા અલ્પ થતા હોય અને તેમ સ્વીકારીએ તો ચરમાવર્તિમાં દોષો ઘણા અલ્પ થવાથી ભવ્ય જીવ મોક્ષમાર્ગને પામીને ગુણસ્થાનકો પ્રાપ્ત કરે છે અને ક્રમસર મોક્ષને પ્રાપ્ત કરે છે એ શાસ્ત્રવચન સંગત થાય.
વળી, કર્મબંધની યોગ્યતા અલ્પ થયે છતે મુક્તિઅષનો સંભવ છે. આશય એ છે કે પ્રત્યેક પગલપરાવર્તમાં મિથ્યાત્વાદિ દોષો ક્રમસર ઘટતા ઘટતા ચરમ પુદ્ગલપરાવર્તમાં તે દોષો યોગમાર્ગનો પ્રારંભ થાય તેટલા પ્રમાણમાં અલ્પ થયા. તેથી કર્મબંધની યોગ્યતારૂપ દોષોનું અપગમ થવાને કારણે ભોગસામગ્રી વગરના મોક્ષ પ્રત્યે અદ્વેષ પ્રગટે છે. જ્યારે પૂર્વમાં, તો દોષોની ઉત્કટતાના કારણે ભોગસામગ્રી પ્રત્યે ઉત્કટ રાગ હતો. તેથી ભોગસામગ્રી રહિત એવા મોક્ષનું વર્ણન સાંભળીને દ્વેષ થતો હતો. હવે કર્મબંધની યોગ્યતા અલ્પ થવાને કારણે દ્વેષ થતો નથી.
વળી, આ મુક્તિઅષથી પણ કુશલ ફળની સંતતિ પ્રાપ્ત થાય છે, તો વળી મુક્તિરાગથી કુશલ ફળની સંતતિ પ્રાપ્ત થાય છે એ નિઃશંક છે. આશય એ છે કે પ્રસ્તુત બત્રીશીમાં ચાર પ્રકારની પૂર્વસેવા બતાવવાનો પ્રારંભ કરેલ છે. તેમાં ચોથા પ્રકારની મુક્તિઅદ્વેષરૂપ પૂર્વસેવાનું અત્યાર સુધી વર્ણન કર્યું અને તે કેવી રીતે પ્રાપ્ત થાય છે ? તેની સ્પષ્ટતા કરી. હવે તે મુક્તિઅદ્વેષથી શું હિત પ્રાપ્ત થાય, તે બતાવતાં કહે છે –
ભવ્ય જીવો ઉપદેશાદિને સાંભળીને મુક્તિઅષને કારણે સદ્અનુષ્ઠાન કરવાના અર્થી બને છે અને મુક્તિઅષથી યુક્ત એવું તેમનું અનુષ્ઠાન યોગમાર્ગને અનુકૂળ ભવોની પ્રાપ્તિ કરાવીને કુશલ ફળની સંતતિને પ્રાપ્ત કરાવે છે. વળી, જેઓને મુક્તિ પ્રત્યે રાગ થયો છે, તેઓને મુક્તિઅષવાળા જીવો કરતાં પણ વિશેષ પ્રકારની કુશલ ફળની પરંપરાની પ્રાપ્તિ થાય છે. IT3 | અવતરણિકા :
પૂર્વમાં મુક્તિઅદ્વેષનું સ્વરૂપ બતાવ્યું અને તે કઈ રીતે પ્રાપ્ત થાય છે? તે બતાવ્યું, અને તેનાથી કુશલ ફળની સંતતિ પ્રાપ્ત થાય છે તે બતાવ્યું અને કહ્યું કે મુક્તિરાગથી તો તેનાથી પણ વિશેષ કુશલ ફળની સંતતિ
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૪
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૩૧ પ્રાપ્ત થાય છે. ત્યાં કોઈને શંકા થાય કે “કુશલ ફળની પ્રાપ્તિના કારણભૂત એવો મુક્તિઅદ્વેષ મુક્તિરાગરૂપ જ છે" તેના નિરાકરણ અર્થે કહે છે – શ્લોક :
न चायमेव रागः स्यान्मृदुमध्याधिकत्वतः ।
तत्रोपाये च नवधा योगिभेदप्रदर्शनात् ।।३१।। અન્વયાર્થ :
૨માં અને આ જગમુક્તિઅદ્વેષ જ, રાજ ચા=રાગ છે= મુક્તિનો રાગ છે, એમ ન કહેવું. મૃદુમથ્યાધિસત્વતઃ=કેમ કે મૃદુ, મધ્ય, અધિકપણું છે=મુક્તિરાગમાં જઘન્યપણું, મધ્યમપણું, ઉત્કૃષ્ટપણું છે.
અહીં પ્રશ્ન થાય કે મુક્તિરાગમાં જધન્યપણું, મધ્યમપણું અને ઉત્કૃષ્ટપણું છે, તે કેમ નક્કી થાય ? તેમાં હેતુ કહે છે –
તત્રોપાવે તેમાં અને ઉપાયમાં મુક્તિરાગમાં અને મુક્તિના ઉપાયમાં, નવઘા =નવ પ્રકારના, યોગેન્દ્રપ્રર્શન–યોગીભેદનું પ્રદર્શન છે-નવ પ્રકારના યોગીભેદનું શાસ્ત્રમાં વર્ણન છે. ૩૧ શ્લોકાર્થ :
અને આ જગમુક્તિઅદ્વેષ જ, રાગ છે મુક્તિનો રાગ છે, એમ ન કહેવું; કેમ કે મૃદુ, મધ્ય, અધિકપણું છે મુક્તિરાગમાં જઘન્યપણું, મધ્યમપણું, ઉત્કૃષ્ટપણું છે.
અહીં પ્રશ્ન થાય કે મુક્તિરાગમાં જઘન્યપણું, મધ્યમપણું અને ઉત્કૃષ્ટપણું છે, તે કેમ નક્કી થાય ? તેમાં હેતુ કહે છે –
તેમાં અને ઉપાયમાં=મુક્તિરાગમાં અને મુક્તિના ઉપાયમાં, નવ પ્રકારના યોગીભેદનું પ્રદર્શન છે નવ પ્રકારના યોગીભેદનું શાસ્ત્રમાં વર્ણન છે. I.૩૧ ટીકા :__ न चेति- न चायमेवमुक्त्यद्वेष एव रागः स्यात् मुक्तिरागो भवेदिति वाच्यं, मृदुमध्याधिकत्वतो जघन्यमध्यमोत्कृष्टभावात्, तत्र-मुक्तिरागे उपाये
Page #94
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાત્રિંશિકા/શ્લોક-૩૧
૭૫
च नवधा = नवभिः प्रकारैर्योगिभेदस्य प्रदर्शनादुपवर्णनात्, तथाहि मृदूपायो मृदुसंवेगः, मध्योपायो मृदुसंवेगः, अध्युपायो मृदुसंवेगः, मृदूपायो मध्यसंवेगः, मध्योपायो मध्यसंवेगः, अध्युपायो मध्यसंवेगः, मृदूपायो अधिसंवेगः, मध्योपायोऽधिसंवेगः, अध्युपायोऽधिसंवेगश्चेति नवधा योगिन इति योगाचार्याः
||૨||
ટીકાર્ય :
न चायमेव થોળાવાઃ: ।। અને આ જ=મુક્તિઅદ્વેષ જ રાગ છે=મુક્તિરાગ છે એમ ન કહેવું; કેમ કે મૃદુ, મધ્ય, અધિકપણું છે=મુક્તિરાગમાં જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ભાવ છે.
—
મુક્તિ૨ાગમાં ત્રણ ભેદો કેમ છે ? તે બતાવવા અર્થે હેતુ કહે છે -
.....
',
ત્યાં=મુક્તિરાગમાં અને ઉપાયમાં=મુક્તિરાગના ઉપાયમાં નવ પ્રકારના યોગીભેદનું પ્રદર્શન છે=વર્ણન છે. તે આ પ્રમાણે.
૧. મૃદુ ઉપાય –મૃદુ સંવેગ. ૨. મધ્ય ઉપાય-મૃદુ સંવેગ. ૩. ઉત્કૃષ્ટ ઉપાયમૃદુ સંવેગ. ૪. મૃદુ ઉપાય-મધ્ય સંવેગ. ૫. મધ્ય ઉપાય-મધ્ય સંવેગ. ૬. ઉત્કૃષ્ટ ઉપાય-મધ્ય સંવેગ. ૭. મૃદુ ઉપાય-ઉત્કૃષ્ટ સંવેગ. ૮. મધ્ય ઉપાયઉત્કૃષ્ટ સંવેગ, અને ૯. ઉત્કૃષ્ટ ઉપાય-ઉત્કૃષ્ટ સંવેગ. એ પ્રકારે નવ પ્રકારના યોગીઓ છે, એમ યોગાચાર્યો કહે છે. ।।૩૧।।
ભાવાર્થ :
પૂર્વમાં મુક્તિઅદ્વેષનું સ્વરૂપ બતાવ્યું અને કહ્યું કે મુક્તિદ્વેષથી કુશળ ફળની સંતતિ થાય છે. ત્યાં કોઈકને શંકા થાય કે કુશળ ફળની સંતતિ તો મુક્તિરાગથી થઈ શકે. માટે જેને તમે મુક્તિઅદ્વેષ કહો છો, તે જ મુક્તિરાગ છે. તેને ગ્રંથકાર કહે છે કે મુક્તિઅદ્વેષ જ મુક્તિરાગ છે એમ ન કહેવું; કેમ કે મુક્તિરાગમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ત્રણ ભેદોની પ્રાપ્તિ છે, જ્યારે મુક્તિઅદ્વેષમાં કોઈ ભેદની પ્રાપ્તિ નથી; મુક્તિદ્વેષમાં કેમ કોઈ ભેદની પ્રાપ્તિ નથી ? તે ગ્રંથકાર સ્વયં આગળના શ્લોકમાં બતાવશે.
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૬
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૩૧ વળી, રાગ વસ્તુ ભાવાત્મક પદાર્થ છે અને ભાવાત્મક પદાર્થમાં તરતમતા પ્રાપ્ત થાય છે. તેથી મોક્ષનો રાગ કોઈકને જઘન્ય હોય છે, કોઈકને મધ્યમ હોય છે અને કોઈકને ઉત્કૃષ્ટ હોય છે. માટે મુક્તિનો રાગ જ મુક્તિઅદ્વેષ છે, એમ કહી શકાય નહિ.
ત્યાં કોઈને પ્રશ્ન થાય કે મુક્તિરાગના જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદો ન સ્વીકારીએ, અને રાગ એકરૂપ સ્વીકારીને જેને તમે કુશળ પરંપરાનું કારણ મુક્તિઅદ્વેષ કહો છો, તે મુક્તિરાગ જ છે, તેમ સ્વીકારીએ તો શું વાંધો ? તેથી મુક્તિરાગના ત્રણ ભેદો સ્વીકારવા માટે યોગાચાર્યના વચનની સાક્ષી આપે છે અને કહે છે કે મુક્તિના રાગને અને મુક્તિના ઉપાયને આશ્રયીને પ્રવૃત્તિ કરનાર નવ પ્રકારના યોગીઓ છે, એ પ્રકારનું યોગાચાર્યનું કથન છે. તેથી યોગાચાર્યના વચનથી સિદ્ધ થાય છે કે મુક્તિરાગમાં તરતમતા છે. માટે મુક્તિરાગ જ મુક્તિઅદ્વેષ છે તેમ કહી શકાય નહિ; કેમ કે મુક્તિઅષમાં તરતમતા હોઈ શકે નહિ.
મુક્તિનો રાગ અને મુક્તિના ઉપાયને આશ્રયીને નવ પ્રકારના ભેદોની પ્રાપ્તિ : (૧) મૃદુ ઉપાય-મૃદુ સંવેગ -
મૃદુ ઉપાય=જઘન્ય કોટીના મોક્ષના ઉપાયોનું સેવન. મૃદુ સંવેગ=જઘન્ય કોટીની મોક્ષની ઇચ્છા.
ભાવમલના વિગમનને કારણે મુક્તિઅદ્દેષ પ્રગટ થયા પછી ઉપદેશ આદિની સામગ્રીને પામીને કોઈક યોગ્ય જીવોને મોક્ષનું વર્ણન કંઈક રોચક લાગે છે; જેથી મોક્ષની કંઈક ઇચ્છા થાય છે, અને મોક્ષના અર્થી થઈને મોક્ષના ઉપાયોનું કંઈક સેવન કરે છે. તેવા યોગીમાં મોક્ષનો મૂદુ ઉપાય છે અને મૃદુ સંવેગ છે. (૨) મધ્ય ઉપાય-મૃદુ સંવેગ:
ભાવમલના વિગમનને કારણે મુક્તિઅદ્દેષ પ્રગટ થયા પછી યોગ્ય જીવોને ઉપદેશ આદિની સામગ્રીથી મોક્ષમાર્ગમાં યત્ન કરવાનો ઉલ્લાસ થાય છે જે ઉલ્લાસ કેટલાક જીવોને મધ્યમ કક્ષાનો હોય છે. તેથી મધ્યમ કક્ષાના ઉલ્લાસથી યત્ન કરનારા યોગીઓ મધ્ય ઉપાય સેવનારા છે આ બીજા પ્રકારના યોગીઓ
Page #96
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવા દ્વાચિંશિકાશ્લોક-૩૧ મૃદુ ઉપાય સેવનારા કરતાં વિશેષ રીતે ધર્મઅનુષ્ઠાનમાં ઉદ્યમ કરનારા હોય છે; આમ છતાં મોક્ષના પરમાર્થને જોવાની નિર્મળ ચક્ષુ હજી આદ્યભૂમિકાની જ પ્રાપ્ત થયેલ હોવાથી પ્રથમ પ્રકારના યોગીઓની જેમ આ યોગીઓ પણ મૃદુ સંવેગવાળા હોય છે. (૩) ઉત્કૃષ્ટ ઉપાય-મૃદુ સંવેગ:
ભાવમલના વિગમનને કારણે મુક્તિઅદ્વેષ પ્રગટ થયા પછી યોગ્ય જીવોને ઉપદેશ આદિની સામગ્રીથી મોક્ષમાર્ગમાં યત્ન કરવાનો ઉલ્લાસ થાય છે, અને તે ઉલ્લાસ કેટલાક જીવોને ઉત્કૃષ્ટ કક્ષાનો હોય છે. તેથી ઉત્કૃષ્ટ ઉપાય સેવનારા આ ત્રીજા પ્રકારના યોગીઓ મધ્ય ઉપાય સેવનારા કરતાં વિશેષ રીતે ધર્મઅનુષ્ઠાનમાં ઉદ્યમ કરનારા હોય છે; આમ છતાં મોક્ષના પરમાર્થને જોવાની નિર્મળ ચક્ષુ પ્રથમ પ્રકારના યોગીઓની જેમ હજી આદ્યભૂમિકાની જ પ્રાપ્ત થયેલ હોવાથી આ યોગીઓ પણ મૃદુસંવેગવાળા હોય છે.
આ ત્રણ પ્રકારના યોગીઓ મંદસંવેગવાળા છે તેથી યોગની બીજી દૃષ્ટિવર્તી છે તેમ જણાય છે; કેમ કે પહેલી દૃષ્ટિમાં અદ્વેષ હોય છે અને બીજી દૃષ્ટિથી મુક્તિનો થોડોક રાગ પ્રગટે છે. (૪) મૃદુ ઉપાય-મધ્ય સંવેગ :
મૃદુ સંવેગકાળમાં મોક્ષના પરમાર્થનો કંઈક બોધ થાય છે, તેના કરતાં વિશેષ પ્રકારનો બોધ મધ્યમ સંવેગવાળા જીવોને થાય છે, જેના કારણે મોક્ષપ્રાપ્તિને અનુકૂળ એવા અસંગભાવને અનુકૂળ મૃદુ સંવેગવાળા જીવો કરતાં કંઈક અધિક ઇચ્છા ઉલ્લસિત થાય છે, તે મધ્યમ સંવેગ છે. આવા મધ્યમ સંવેગવાળા જીવો જે કોઈ ધર્મઅનુષ્ઠાન કરે છે, તે અનુષ્ઠાનમાં અર્થપ્રયોગમાત્રની પ્રીતિ વર્તે છે અર્થાત્ આ અનુષ્ઠાન જે રીતે શાંતરસની નિષ્પત્તિનું કારણ બને તે પ્રકારના પરિણામની નિષ્પત્તિમાત્રમાં તેમની પ્રીતિ વર્તે છે. તેથી મોક્ષને અનુકૂળ ભાવોમાં યત્નલેશ થાય છે. આથી મૃદુ સંવેગવાળા ઉત્કૃષ્ટ ઉપાય સેવનારા યોગી કરતાં પણ મૃદુ જઘન્ય ઉપાય સેવનારા એવા પણ મધ્યમ સંવેગવાળા યોગી યોગની ઊંચી ભૂમિકામાં છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
૭.
પૂર્વસેવાદ્વાત્રિંશિકા/બ્લોક-૩૧
(૫) મધ્યમ ઉપાય-મધ્યમ સંવેગ :
ચોથા પ્રકારના યોગીઓ જેવો મધ્યમ સંવેગ આ પાંચમા પ્રકારના યોગીઓને છે; આમ છતાં યોગમાર્ગનાં અનુષ્ઠાનો ચોથા પ્રકારના યોગીઓ અલ્પ માત્રામાં સેવે છે, તેના કરતાં આ પાંચમા પ્રકારના યોગીઓ અધિક સેવે છે, તેથી મધ્યમ ઉપાય અને મધ્યમ સંવેગવાળા છે. આથી ચોથા પ્રકારના યોગીઓ કરતાં આ યોગીઓ ઊંચી ભૂમિકામાં છે.
(૬) ઉત્કૃષ્ટ ઉપાય-મધ્યમ સંવેગ :
ચોથા અને પાંચમા પ્રકારના યોગીઓને જેવો સંવેગ છે, તેવો સંવેગ આ છઠ્ઠા પ્રકારના યોગીઓને છે, તોપણ યોગમાર્ગનાં અનુષ્ઠાનો પોતાની શક્તિના ઉત્કર્ષથી સેવનારા છે. તેથી સંવેગની અપેક્ષાએ ચોથા અને પાંચમા પ્રકારના યોગીઓની તુલ્ય હોવા છતાં યોગમાર્ગના અનુષ્ઠાનના સેવનના ઉત્કર્ષથી ચોથા અને પાંચમા પ્રકારના યોગીઓ કરતાં આ યોગીઓ ઊંચી ભૂમિકામાં છે.
* આ ત્રણ પ્રકારના યોગીઓ મધ્યમ સંવેગવાળા છે તેથી યોગની ત્રીજી-ચોથી દૃષ્ટિવર્તી છે તેમ જણાય છે; કેમ કે સમ્યક્ દૃષ્ટિને ઉત્કૃષ્ટ મોક્ષની ઇચ્છા હોય છે તેથી તેઓ ઉત્કૃષ્ટ સંવેગવાળા છે. તેનાથી ન્યુન અને બીજી દૃષ્ટિવાળાથી અધિક સંવેગનો પરિણામ છે.
(૭) મૃદુ ઉપાય-ઉત્કૃષ્ટ સંવેગ :
સંસારના સ્વરૂપના સમ્યગ્ સમાલોચનને કારણે સંસારને નિર્ગુણ જાણીને સંસાર પ્રત્યે જેઓને ઉત્કટ દ્વેષ છે, અને સંસારથી ૫૨ એવી મુક્ત અવસ્થા સર્વ સંક્લેશરહિત એવી આત્માની અવસ્થા છે, એ પ્રકારના સૂક્ષ્મ બોધને કારણે સંસા૨થી ૫૨ અવસ્થા પ્રત્યે જેઓને અત્યંત રાગ છે, તેઓ ઉત્કૃષ્ટ સંવેગવાળા છે.
આ સાતમા પ્રકારના યોગીઓ ઉત્કૃષ્ટ સંવેગવાળા હોવા છતાં ચારિત્રમોહનીય બળવાન હોવાથી મોક્ષના ઉપાયો અલ્પમાત્રામાં સેવે છે, તોપણ પૂર્વના છએ પ્રકારના યોગીઓ કરતાં યોગની ઊંચી ભૂમિકામાં છે. જોકે આચરણાથી ત્રીજા પ્રકારના અને છઠ્ઠા પ્રકારના યોગીઓ ઉત્કૃષ્ટ યોગમાર્ગને સેવનારા છે, તેની અપેક્ષાએ આ સાતમા પ્રકારના યોગીઓ નહિવત્ એવા યોગમાર્ગને સેવનારા
Page #98
--------------------------------------------------------------------------
________________
૭૯
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૩૧ છે, તોપણ ઉત્કૃષ્ટ સંવેગને કારણે પૂર્વના સર્વ યોગીઓ કરતાં આ સાતમા પ્રકારના યોગીઓ ઘણી નિર્જરા કરે છે. માટે યોગની ઊંચી ભૂમિકામાં છે.
ક અવિરતીના તીવ્ર ઉદયને કારણે સંસારની પ્રવૃત્તિ કરનારા અવિરત સમ્યદૃષ્ટિ એવા શ્રેણિકાદિ જીવો આ ભેદમાં આવે છે તેમ જણાય છે, કેમ કે તેઓને તીવ્ર સંવેગ હોવા છતાં તેઓ ભગવદ્ ભક્તિ આદિ રૂપ મૃદુ ઉપાયો જ સેવે છે. (૮) મધ્યમ ઉપાય-ઉત્કૃષ્ટ સંવેગ :સાતમાં પ્રકારના યોગીઓ જેવો ઉત્કૃષ્ટ સંવેગ આ આઠમા પ્રકારના યોગીઓને છે. તેથી સાતમા પ્રકારના યોગીઓની જેમ આ યોગીઓ પણ ભવના ઉચ્છેદના અત્યંત અર્થી છે. આમ છતાં સાતમા પ્રકારના યોગીઓ જેવું ચારિત્રમોહનીય બળવાન નહિ હોવાથી સાતમાં પ્રકારના યોગીઓ જે અલ્પમાત્રામાં યોગ સેવે છે, તેના કરતાં મધ્યમ પ્રકારનાં યોગનાં અનુષ્ઠાનો આ યોગીઓ સેવે છે. તેથી સાતમા પ્રકારના યોગીઓ કરતાં આ યોગીઓ યોગની ઊંચી ભૂમિકામાં છે.
દેશવિરતવાળા અને સાતિચાર સર્વવિરતવાળા યોગીઓ આ આઠમાં ભેદમાં પ્રાપ્ત થાય છે તેમ જણાય છે; કેમ કે મોક્ષની ઉત્કટ ઇચ્છા હોવા છતાં સર્વ પ્રકારે અપ્રમત્ત અવસ્થામાં યત્ન કરી શકતા નથી. (૯) ઉત્કૃષ્ટ ઉપાય-ઉત્કૃષ્ટ સંવેગ :
સાતમા અને આઠમા પ્રકારના યોગીઓને જેવો ઉત્કૃષ્ટ સંવેગ છે, તેવો ઉત્કૃષ્ટ સંવેગ આ નવમાં પ્રકારના યોગીઓને પણ છે. તેથી ભવને નિર્ગુણ જાણીને ભવથી અતીત અવસ્થામાં અત્યંત રાગ ધરાવે છે, અને આ યોગીઓનું ચારિત્રમોહનીયકર્મ પણ અત્યંત સોપક્રમ છે. તેથી સાતમા અને આઠમા પ્રકારના યોગીઓ કરતાં મહાપરાક્રમને ફોરવીને ભવના ઉચ્છેદના ઉપાયને સેવે છે. તેથી ઉત્કૃષ્ટ ઉપાય સેવનારા અને ઉત્કૃષ્ટ સંવેગને ધારણ કરનારા આ યોગીઓ પૂર્વના સર્વ યોગીઓ કરતાં ઘણી નિર્જરા કરે છે. માટે સર્વ યોગીઓમાં શ્રેષ્ઠ યોગી છે.
* અપ્રમત્તભાવમાં યત્ન કરનારા મુનિઓ આ નવમા ભેદમાં પ્રાપ્ત થાય છે તેમ જણાય છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૩૧-૩૨ અહીં વિશેષ એ છે કે યોગની પહેલી દૃષ્ટિમાં મુક્તિઅદ્વેષ પ્રગટે છે, અને યોગની બીજી દૃષ્ટિમાં અલ્પ માત્રામાં મુક્તિનો રાગ થાય છે, જે મૃદુ સંવેગ છે, યોગની ત્રીજી-ચોથી દૃષ્ટિમાં કે ગ્રંથિભેદકાળમાં મધ્યમ સંવેગ છે, અને સમ્યકત્વના પ્રાપ્તિકાળમાં ઉત્કૃષ્ટ સંવેગ છે; અને ઉત્કૃષ્ટ સંવેગવાળા એવા સમ્યગ્દષ્ટિ જીવો પણ બલવાન ચારિત્રમોહનીય હોય તો અવિરતિના ઉદયને ધરાવે છે. તેથી સ્વસંયોગો અનુસાર અને સ્વશક્તિ અનુસાર સલ્લાસ્ત્રોનું અધ્યયન અને દેવ-ગુરુની ભક્તિ કરે છે, છતાં અવિરતિવાળા હોવાથી તેઓ મૃદુ ઉપાય સેવનારા છે. અને જેઓનું ચારિત્રમોહનીય કાંઈક શિથિલ છે, અને જેઓ દેશવિરતિના અભ્યાસ દ્વારા સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે, અથવા સર્વવિરતીવાળા હોવા છતાં અપ્રમાદથી ઉદ્યમ કરી શકતા નથી. તેઓ મધ્યમ ઉપાય સેવનારા છે, અને જેઓનું ચારિત્રમોહનીય શિથિલ છે, અને જેઓ સર્વ પરાક્રમ ફોરવીને મોહના ઉન્મેલન માટે ઉદ્યમ કરનારા છે, તેઓ ઉત્કૃષ્ટ ઉપાય સેવનારા અને ઉત્કૃષ્ટ સંવેગવાળા શ્રેષ્ઠ યોગીઓ છે.
આનાથી એ ફલિત થાય કે શાસ્ત્રમાં નવ પ્રકારના યોગીઓ કહ્યા છે, તે પ્રકારના વચનના બળથી મુક્તિના ઉપાયના રાગમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદ પડે છે અર્થાત્ જઘન્ય રાગ એટલે મૃદુ સંવેગ, મધ્યમ રાગ એટલે મધ્યમ સંવેગ અને ઉત્કૃષ્ટ રાગ એટલે અધિસંવેગ; એમ ત્રણ ભેદ પડે છે. તેથી રાગ એક ભેદવાળો નથી, જ્યારે મુક્તિઅષના ભેદ નથી. માટે મુક્તિઅદ્વેષ એ જ મુક્તિરાગ છે, એમ જે પૂર્વપક્ષી કહે છે, તે વચન યુક્ત નથી. II૩૧ અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે મુક્તિઅદ્વેષ જ મુક્તિરાગ નથી. કેમ મુક્તિઅદ્વેષ મુક્તિરાગ નથી ? તેને જ સ્પષ્ટ કરવા અર્થે અન્ય યુક્તિ આપે છે – શ્લોક :
द्वेषस्याभावरूपत्वादद्वेषश्चैक एव हि ।। रागात् क्षिप्रं क्रमाच्चातः परमानन्दसम्भवः ।।३२।।।
Page #100
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્ધાત્રિશિકા/શ્લોક-૩૨ અન્વયાર્થ -
તેષામવરૂપવૈ=Àષનું અભાવરૂપપણું હોવાથી=મુક્તિના અદ્વેષમાં રહેલા દ્વેષનું અભાવરૂપપણું હોવાથી, ગs: વ પર્વ દિ=અદ્વેષ એક જ છે જઘન્ય, મધ્યમ આદિ ભેઘવાળો નથી. રાfક્ષv=રાગથી મુક્તિરાગથી શીધ્ર ૨ ૩ ત =અને આનાથી મુક્તિઅદ્વેષથી, મન્ત્રિક્રમથી, પરમાનન્દસMવ = પરમાનંદનો સંભવ છે. (માટે મુક્તિઅદ્વેષ એ જ મુક્તિરાગ નથી, એમ ગાથા-૩૧ સાથે સંબંધ છે.) ૩૨ાા શ્લોકાર્ચ -
દ્વેષનું અભાવરૂપપણું હોવાથી મુક્તિનાં-અદ્વેષમાં રહેલા દ્વેષનું અભાવરૂપપણું હોવાથી, અદ્વેષ એક જ છે અષ જઘન્ય, મધ્યમ આદિ ભેટવાળો નથી. રાગથી મુક્તિરાગથી, ક્ષિપ્ત અને આનાથીમુક્તિઅદ્વેષથી. ક્રમથી પરમાનંદનો સંભવ છે. માટે મુક્તિઅદ્વેષ એ જ મુક્તિરાગ નથી, એમ શ્લોક-૩૧ સાથે સંબંધ છે. 13ના ટીકા -
द्वेषस्येति-अद्वेषश्च द्वेषस्याभावरूपत्वादेक एव हि, अतो न तेन योगिभेदोपपत्तिरित्यर्थः, फलभेदेनापि भेदमुपपादयति ततो-मुक्तिरागात् क्षिप्रं=अतिव्यवधानेन,अतो-मुक्त्यद्वेषात् क्रमेण-मुक्तिरागापेक्षया बहुद्वारपरम्परालक्षणेन, परमानन्दस्य निर्वाणसुखस्य सम्भवः ।।३२।। ટીકાર્ય :
પડ્યું.....સન્મઃ || અને અદ્વેષનું દ્વેષના અભાવરૂપપણું હોવાથી એક જ છે. આથી મુક્તિનો અદ્વેષ એક જ છે અનેક ભેદવાળો નથી આથી, તેના વડે મુક્તિઅદ્વેષ વડે, યોગીના ભેદની ઉપપતિ નથી, એ પ્રકારનો અર્થ છે-ગાથાના પૂર્વાર્ધનો અર્થ છે. ફળના ભેદથી પણ મુક્તિઅદ્વેષતા અને મુક્તિરાગના ફળતા ભેદથી પણ, ભેદને મુક્તિઅદ્વેષ અને મુક્તિરાગ વચ્ચેના ભેદને, ઉપપાદન કરે છે શ્લોકના ઉત્તરાર્ધમાં બતાવે છે. તેનાથી=મુક્તિરાગથી, શીઘ=અતિવ્યવધાનથી મુક્તિઅદ્વેષની જેમ અતિ
Page #101
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૩૨ વ્યવધાનથી નહિ પરંતુ અલ્પ વ્યવધાનથી, અને આનાથી=મુક્તિઅદ્વેષથી, ક્રમ વડે મુક્તિરાગની અપેક્ષાએ બહુદ્વારપરંપરારૂપ ક્રમ વડે, પરમાનંદતોઃ નિર્વાણસુખનો સંભવ છે. ૩૨ાા
- “નમેન'માં ‘મથી એ કહેવું છે કે સ્વરૂપના ભેદથી તો મુક્તિઅદ્વેષ અને મુક્તિરાગનો ભેદ પૂર્વમાં બતાવ્યો, પરંતુ ફળના ભેદથી પણ મુક્તિઅદ્વેષ અને મુક્તિરાગના ભેદને બતાવે છે. ભાવાર્થ -
શ્લોક-૩૧માં કહેલ કે આ મુક્તિઅદ્વેષ જ મુક્તિરાગ નથી. તેમાં યુક્તિ આપેલ કે મુક્તિરાગના જઘન્ય આદિ ત્રણ ભેદો છે. ત્યાં કોઈકને પ્રશ્ન થાય કે મુક્તિરાગના જઘન્ય આદિ ત્રણ ભેદો હોય તો પણ તે મુક્તિરાગને જ મુક્તિઅદ્વેષ સ્વીકારીએ તો શું વાંધો ? તેથી શ્લોકના પૂર્વાર્ધથી યુક્તિ આપતાં કહે છે કે અદ્વેષ અભાવરૂપ છે. જે વસ્તુ અભાવરૂપ હોય તેમાં ભેદ સંભવે નહિ. જેમ ઘટ ભાવરૂપ છે, તેથી ઘટ નાનો છે, મોટો છે ઇત્યાદિ ભેદ સંભવે; તેમ દ્વેષ ભાવરૂપ છે, માટે દ્વેષ જઘન્ય છે, ઉત્કટ છે ઇત્યાદિ ભેદ સંભવે. પરંતુ ઘટનો અભાવ કોઈપણ સ્થાનમાં હોય તો તે ઘટનો અભાવ નાનો છે, મોટો છે ઇત્યાદિ ભેદ સંભવે નહિ. તેમ મુક્તિ પ્રત્યેના દ્વેષનો અભાવ પણ જઘન્ય છે, ઉત્કૃષ્ટ છે ઇત્યાદિ ભેદવાળો સંભવે નહિ. માટે મુક્તિનો અદ્વેષ અભાવરૂપ હોવાથી એક જ છે. આથી મુક્તિઅષવાળા યોગીમાં ભેદની પ્રાપ્તિ નથી,
જ્યારે મુક્તિરાગવાળા યોગીમાં ભેદની પ્રાપ્તિ છે. તેથી મુક્તિરાગને મુક્તિઅદ્વેષ કહી શકાય નહિ.
આ રીતે મુક્તિના અષના અને મુક્તિના રાગના સ્વરૂપનો ભેદ બતાવીને મુક્તિનો અદ્વેષ અને મુક્તિનો રાગ એક નથી, તેમ બતાવ્યું. હવે મુક્તિના અષથી જે મોક્ષરૂપ ફળ મળે છે, અને મુક્તિના રાગથી જે મોક્ષરૂપ ફળ મળે છે, તે બંનેના ફળમાં અતિવ્યવધાન અને અલ્પવ્યવધાનરૂપ ફળનો ભેદ છે. તેથી પણ મુક્તિઅદ્વેષ અને મુક્તિરાગનો ભેદ છે, તેમ શ્લોકના ઉત્તરાર્ધથી બતાવે છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૩૨
મોક્ષનો રાગ થવાથી આત્મા કંઈક અંશે આત્મભાવમાં નિવેશ પામે છે. તેથી તે મુક્તિરાગ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને આત્મભાવમાં વિશ્રાંત થવાનો વ્યાપાર કરાવવા દ્વારા મોક્ષસુખનું કારણ બને છે, અને મુક્તિનો અદ્દેષ મુક્તિરાગની અપેક્ષાએ ઘણા વ્યવધાનથી મોક્ષનું કારણ બને છે, કેમ કે મુક્તિના રાગની જેમ મુક્તિ અષવાળા જીવો આત્મભાવમાં લેશ પણ નિવેશ પામ્યા નથી પરંતુ જેમ મુક્તિ ષવાળા જીવો આત્મભાવથી અત્યંત વિમુખ છે તેમ મુક્તિ અષવાળા જીવો આત્મભાવથી અત્યંત વિમુખ નથી. પરંતુ મુક્તિ પ્રત્યેના અદ્વેષને કારણે આત્મભાવમાં નિવેશને સન્મુખભાવવાળા છે અને સામગ્રીને પામીને તેમને મુક્તિનો રાગ પ્રગટશે ત્યારે તેઓ કંઈક કંઈક આત્મભાવમાં નિર્વેશ પામીને ક્રમશઃ મોક્ષમાં જશે. તેથી મોક્ષ પ્રત્યે મુક્તિઅદ્વેષ અને મુક્તિરાગ કારણ હોવા છતાં મુક્તિરાગ જ મુક્તિઅદ્વેષ નથી, તેમ સિદ્ધ થાય છે. ૩રશા
| રૂતિ પૂર્વસેવા ક્ષત્રિશિરા જા૨ાા
Page #103
--------------------------------------------------------------------------
________________
Page #104
--------------------------------------------------------------------------
________________ મોક્ષઃ શર્મક્ષો નામ મોનસંવત્સંશવંનતઃ | तत्र द्वेषो दृढाज्ञानादनिष्टप्रतिपत्तितः॥" મોક્ષ, ભોગના સંશથી રહિત કર્મક્ષયરૂપ છે. દિઢ અજ્ઞાનને કારણે તેમાં મોક્ષમાં, 'અનિષ્ટની પ્રતિપત્તિ થવાથી=અનિષ્ટની 'બુદ્ધિ થવાથી દ્વેષ થાય છે.” : પ્રકાશક : આપવાથી LLP. DESIGN BY 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. 'ટેલિ./ફેક્સ: (079) 26604911, ફોન : (079) 32911401 'E-mail : gitarthganga@yahoo.co.in 9824048680.