________________
૬૨
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૨૮ ફલથી જેની કલ્પના થઈ શકે એવી યોગ્યતાનું, વાથતે બાધ કરતું નથી. |I૨૮II. શ્લોકાર્ધ :
પૂર્વમાં અબંધને કારણે=મુક્ત આત્મા જે ક્ષણમાં મુક્ત થાય છે તે ક્ષણરૂપ પ્રથમ ક્ષણમાં કર્મનો સંબંધ નહિ હોવાને કારણે, સિદ્ધના જીવોને કર્મબંધ નથી સિદ્ધના જીવોને ઉત્પત્તિની ઉત્તરની ક્ષણોમાં કર્મબંધ નથી, એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે –
તેમાં જરસિદ્ધના આત્માઓ સિદ્ધ થાય છે તે પ્રથમ ક્ષણમાં કર્મનો સંબંધ કેમ નથી ? તેમાં જ, શું નિયામક છે ? અર્થાત્ યોગ્યતાક્ષય સિવાય અન્ય કોઈ નિયામક નથી.
જેમ સંસારી જીવોમાં જીવત્વ છે અને કર્મબંધની યોગ્યતા છે, તેમ સિદ્ધનાં જીવોમાં પણ જીવત્વ છે, છતાં તેમાં કર્મબંધની યોગ્યતા કેમ નથી ? એ પ્રકારનું કોઈ દૂષણ આપે તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે –
વળી, તે દૂષણ=સંસારી જીવોની જેમ સિદ્ધમાં કર્મબંધની યોગ્યતા સ્વીકારવારૂપ દૂષણ, ફલ ઉન્નેય એવી યોગ્યતાનું ફલથી જેની કલ્પના થઈ શકે એવી યોગ્યતાનું બાધ કરતું નથી. ll ટીકા :___प्रागिति-प्राक्-पूर्वम्अबन्धाद्=बन्धाभावाज्जीवत्वरूपऽविशेषेऽपि न बन्धो मुक्तस्य चेत्, किं तत्रैव-प्रागबन्थे एव, नियामकं योग्यताक्षयं विना, योग्यतां तु फलोनेयां=फलबलकल्पनीयां तदुषणं न बाधते 'तत्र कुतो न योग्यता?' इत्यत्र फलाभावस्यैवोत्तरत्वात्, युक्तं चैतत् बन्धस्य बध्यमानयोग्यतापेक्षत्वनियमाद्वस्त्रादीनां मञ्जिजिष्ठादिरागरूपबन्धने तथादर्शनात्, तद्वैचित्र्येण फलभेदोपपत्तेस्तस्या अन्तरङ्गत्वात्तत्परिपाकार्थमेव हेत्वन्तरापेक्षणादित्याचार्याः ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org