SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વસેવાદ્વાત્રિંશિકા/બ્લોક-૨૭-૨૮ ૧ જ્યારે ચ૨માવર્ત બહારના જીવોમાં કે દૂર દૂરના પુદ્ગલ પરાવર્તી જીવોમાં યોગમાર્ગને અભિમુખ લેશ પણ પરિણામ નહિ હોવાને કારણે દીર્ઘ સંસાર ચલાવે તેવા કર્મબંધની યોગ્યતારૂપ મલ અત્યંત છે, તેમ સ્વીકારવું જોઈએ. ||૨|| અવતરણિકા : પૂર્વશ્લોકમાં કહ્યું કે મલ કર્મબંધની યોગ્યતારૂપ છે, અને તેમ ન માનો તો સંસારી જીવોમાં અને મુક્ત જીવોમાં જીવત્વ સમાન હોવાને કારણે મુક્ત જીવોને પણ કર્મબંધ થવાનો અતિપ્રસંગ આવે. તે અતિપ્રસંગના નિવારણ માટે કોઈ યુક્તિ આપે તે યુક્તિ બતાવીને તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે શ્લોક : - प्रागबन्धान्न बन्धश्चेत् किं तत्रैव नियामकम् । योग्यतां तु फलोत्रेयां बाधते दूषणं न तत् ।। २८ ।। અન્વયાર્થ : પ્રાવસ્થા=પૂર્વમાં અબંધને કારણે=મુક્ત આત્મા જે ક્ષણમાં મુક્ત થાય છે, તે ક્ષણરૂપ પ્રથમ ક્ષણમાં કર્મનો સંબંધ નહિ હોવાને કારણે, ન વન્ય:=સિદ્ધના જીવોને કર્મબંધ નથી=સિદ્ધના જીવોને ઉત્પત્તિની ઉત્તરની ક્ષણોમાં કર્મબંધ નથી. ચેએ પ્રમાણે જે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે તત્રેવ=તેમાં જ=સિદ્ધતા આત્માઓ સિદ્ધ થાય છે તે પ્રથમ ક્ષણમાં કર્મનો સંબંધ કેમ નથી ? તેમાં જ, હ્રિ નિયામ=શું નિયામક છે ?=યોગ્યતાક્ષય સિવાય અન્ય કોઈ નિયામક નથી. - જેમ સંસારી જીવોમાં જીવત્વ છે અને કર્મબંધની યોગ્યતા છે, તેમ સિદ્ધના જીવોમાં પણ જીવત્વ છે, છતાં તેમાં કર્મબંધની યોગ્યતા કેમ નથી ? એ પ્રકારનું કોઈ દૂષણ આપે તો તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે તુ=વળી, તત્ દૂષĪ=તે દૂષણ=સંસારી જીવોની જેમ સિદ્ધમાં કર્મબંધની યોગ્યતા સ્વીકારવારૂપ દૂષણ, તોન્નેમાં યોગ્યતાં=ફલ ઉન્નેય એવી યોગ્યતાનું= Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004672
Book TitlePurvaseva Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy