________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો -
તિપસ્વી પૂ. જયચંદ્રજી મ.સા. તથા પૂ. તપસ્વી માણેકચંદ્રજી
| મ.સા.ના ઉપસર્ગ અને કૃતઆરાધિકા પૂ. શ્રી લીલમબાઈ મ.સ. નો રોગપરિષહ
- ડૉ. સાધ્વી આરતી
(તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા. તથા વિશાળ પરિવાર ધારકપૂ. મુક્ત-લીલમગુરણીના સુશિયાડૉ. સાધ્વી આરતીએ શ્રીમદ્ દેવચંદ્ર એક અધ્યયન' વિષય પર બોમ્બે યુનિવર્સિટીથી Ph.D. ની પદવી પ્રાપ્ત કરી છે. તેઓ ગુરુપ્રાણ આગમ બત્રીસીના સહ સંપાદક છે. વર્તમાન રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. તથા વડીલ ગુરુભગિની મહાપ્રજ્ઞા પૂ. વીરમતીબાઈ મ.સ. પાવન સાન્નિધ્યમાં ચાતુર્માસક૫ વ્યતીત કરી રહ્યા છે.). मणसा वयसा काएणं सवफाससहे अणगारे । श्री सूयगडांगसूत्र
અધ્ય-૪૨ ૨૧ મન, વચન અને કાયાથી સર્વ પરિષદોને સહન કરે છે, તે જ અણગાર છે.
ઉપરોક્ત શાસ્ત્રોક્ત વચન સાધુતાના માપદંડ માટે સમજણપૂર્વકની સહનશીલતાને પ્રધાન્ય આપે છે.
જૈનધર્મની સમગ્ર સાધના દેહાધ્યાસ છોડીને આત્મભાવમાં સ્થિર થવા માટે છે. જયાં સુધી દેહાધ્યાસ છે, ત્યાં સુધી રાગ-દ્વેષની પરંપરા, તેનાથી સર્જાતી જન્મ-મરણની શૃંખલા અને જન્મ-મરણની વચ્ચેના જીવનમાં આવતી આધિ-વ્યાધિ-ઉપાધિનો ત્રિવિધ તાપ જીવ માત્રને ભોગવવો જ પડે છે. આ વિષચક્ર અનંત જન્મોથી ચાલી રહ્યું છે. જો આ ત્રિવિધ તાપથી મુક્ત થઈ શાશ્વત સમાધિ પ્રાપ્ત કરવી હોય તો આ વિષચક્રના મૂળને છેદવું પડશે અને તેનું મૂળ છે અનાદિકાળનો દેહાધ્યાસ - દેહમાં ‘હું પણા'ની બુદ્ધિ, દેહમાં મમત્વભાવ.
(૩૩)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) અનંત તીર્થકરોએ આ વિષચક્રના મૂળ ઉપર કુઠારાઘાત કરવા માટે પોતાના સાધનાકાળમાં દેહ ઉપર આવતાં અનેક ઉપસર્ગો અને પરિષહોને સંપૂર્ણ સમભાવે આત્મભાવમાં સ્થિર રહીને સહન કર્યા, તેના માધ્યમથી જ કર્મક્ષય કરી આત્મવિશુદ્ધિ કરી, એટલું જ નહીં પરંતુ પોતાના પ્રવચન પ્રવાહમાં પણ તેવુવ મહાપત્ત જેવું અમોઘ સૂત્ર પ્રદાન કરીને સાધકોને ઉપસર્ગ અને પરિષહજન્ય દેહના દુ:ખોને સ્વીકારવા અને સહન કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે.
તેથી જ પરમાત્માની પરંપરાના અનેક સંત-સતીજીઓ શ્રદ્ધાપૂર્વકના વીર્ષોલ્લાસથી પરમાત્માના ભાવોને આત્મસાત્ કરીને ઉપસર્ગો અને પરિષહોને સહન કરી રહ્યા છે.
આપણે અતીતનું અવલોકન કરીએ તો જૈન - ઈતિહાસમાં આવા અનેકાનેક ઉપસર્ગ - પરિષહવિજેતા શૂરવીર, મહાવીર, સંત-સતીજીઓના પુણ્યવંતા નામો સુર્વણાક્ષરે અંક્તિ થયેલા છે, જે જિનશાસનનું ગૌરવ છે. આપણે પ્રસંગનુસાર તેવા એકાદ બે પ્રસંગોને વાગોળીને પરમાત્માની સાધનાને પ્રજવલંત રાખનાર તે વીરપુરુષોને સ્મૃતિપટ લાવીને અહોભાવપૂર્વક તેઓની દેઢ સહનશીલતાને ભાવપૂર્વક વંદન કરીએ..
તપસ્વી પૂ. જયચંદ્રજી મ.સા. ને આવેલો દૈવી ઉપસર્ગ પ્રગટ પ્રભાવી તપસ્વી પૂ. માણેકચંદ્રજી મ.સા. દ્વારા
થયેલું તેનું વિવરણ આજથી લગભગ ૨૨૫ વર્ષ પૂર્વે નિદ્રાવિજેતા આચાર્યપ્રવર પૂજ્યપાદ શ્રી ડુંગરસિંહજી મ.સા. દ્વારા સંસ્થાપિત ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયમાં વિ.સં. ૧૯૪૫ માં ઘટિત થયેલી દૈવી ઉપસર્ગજન્ય ઘટના...
(૩૪)