________________
–ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) સાગરચંદ્ર અને કમલમેલા - નિર્મળ જળસરોવરમાં ખેલતા આ પંખીયુગલ સમાન આ જોડીને જોઈ. શ્રીકૃષ્ણ વિચારવા લાગ્યા કે આ તો કોઈ પૂર્વભવના પ્રેમી લાગે છે, આમને છૂટા પાડવા એ યોગ્ય નથી જણાતું. વળી, રાજય વ્યવસ્થા પણ જાળવવી એ મારે માટે કર્તવ્ય છે. શું કરવું? સાંબે વિદ્યાની મદદથી પિતાના મનની મૂંઝવણ જાણી લીધી. પોતે મૂળરૂપે હાજર થયો અને ગદ્ગદ્ થઈ યુદ્ધ કર્યું એ માટે માફી માગી. શ્રીકૃષ્ણ પણ ઉદાર હૃદયે પ્રેમીયુગલને માફી આપી. તેમજ સાંબને પણ ક્ષમા આપી, નભસેનાના પિતા ઉગ્રસેને પણ વિશાલ હૃદયે સાગરચંદ્રને ક્ષમા આપી, પરંતુ નભસેનના હૃદયમાંથી ક્રોધનો અગ્નિ શાંત થયો નહિ.
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) આ ઉત્તમ સમય છે. તેણે એક કંસારા પાસે જઈ તાંબાની સોયો ઘડાવી. એક પર્વની રાત્રિએ સાગરચંદ્ર કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા હતા. સાગરચંદ્રજી દેહ અને આત્માની ભિન્નતા વિષે ચિંતન કરી રહ્યા હતા. ત્યાં નભસેન પહોંચી ગયો. તેમના હાથ-પગના વીસવીસનખો જીવતા ઉખેડી દીધા. આ ઉપસર્ગની પો, આ ભયાનક વેદનાની પળે સાગરચંદ્રજી એમ જ વિચારતા રહ્યા કે, મારો આત્મા અને દેહ ભિન્ન છે. આ પીડા છે તે દેહની પીડા છે. વળી, આ નભસેન મારો મિત્ર છે, ઉપકારી છે કે જે મને કર્મક્ષય કરવાની આવી તક આપે છે. સર્વે જીવો મારા મિત્ર છે. સર્વેને હું ક્ષમા આપું છું. સર્વે મને પણ ક્ષમા આપો.
આ તીવ્ર વેદનાને સમભાવપૂર્વક સહન કરી સાગરચંદ્ર દેવલોકમાં ગયા. સવારે સાગરચંદ્રને મૃત જોઈ બલભદ્રના પરિવારમાં ગાઢ રૂદન થવા માંડ્યું. સાંબ પણ પોતાના પ્રિય મિત્રના વિયોગે અતિશય દુ:ખી બન્યો, જે શૂન્ય ઘરમાં સાગરચંદ્રજી ધ્યાનમાં ઊભા હતા, ત્યાં તપાસ કરતા તાંબાની સોયો મળી આવી. સોય ઘડનારા કંસારાને પૂછવાથી ખ્યાલ આવ્યો કે આ કાર્ય તો નભસેનનું છે. સૌ નભસેનના આ ક્રૂર કાર્ય માટે નભસેનને મારવા તૈયાર થયા. સાંબ અને નભસેન વચ્ચે યુદ્ધ થયું. એ જ સમયે દેવ થયેલ સાગરચંદ્રનો જીવ દિવ્યરૂપે આકાશમાં આવી ઘોષણા કરીને નભસેનને મુક્ત કરવા તેમજ માફી આપવા કહ્યું. કમલમેલાએ સાધ્વીજી પાસે દીક્ષા ધારણ કરી આત્મકલ્યાણનો માર્ગ લીધો. ગૃહસ્થાવસ્થામાં પણ ઉપસર્ગને સમભાવે સહન કરનારા સાગરચંદ્રજીની સર્વત્ર પ્રશંસા થઈ.
આજે પણ શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રાવકો પૌષધ પારવાની વિધિમાં
દ્વારિકાનગરીમાં આજે આનંદ અને ઉત્સાહ ફેલાયો છે. આજે બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ ભગવાન પધાર્યા છે. અહો પ્રભુની મધુરી વાણી ! સૌ નગરજનો પ્રભુની દેશના સાંભળવા જઈ રહ્યા છે. બલભદ્રના સૌ કુટુંબીજનો પણ પ્રભુની દેશના સાંભળવા ગયા. સાગરચંદ્ર પણ તેમાં પ્રભુની દેશના સાંભળવા ગયો. દેશના સાંભળી સાગરચંદ્રનું હૃદય ધર્મમાર્ગે આગળ વધવા તત્પર બન્યું. હાલ મહાવ્રતોને ધારણ કરવા સક્ષમ ન હોવાથી અણુવ્રતો ધારણ કર્યા. વળી, મહાવ્રતની પૂર્વ તૈયારી રૂપે શિક્ષાવ્રતો ધારણ કર્યા. સાગરચંદ્ર આત્માર્થી બની આઠમ-ચૌદસે પૌષધ ધારણ કરી આઠમ-ચૌદસે શૂન્યગૃહમાં કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા રહેવા લાગ્યા.
આ વાત હૃદયમાં દુશ્મનાવટ ધારણ કરતા નભસેનથી છાની ન રહી. તેને વૈર વાળવાનું નિશ્ચિત કર્યું. તેણે વિચાર્યું કે, મારા વૈરની તૃપ્તિ કરવાનો
(૪૦)
(૪૮)