Book Title: Upsarg Ane Parishah Pradhan Jain Kathanak
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 102
________________ (ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) અર્જુનમાળીની કથા - રમેશ ગાંધી (મુંબઈ સ્થિત જૈન ધર્મના અભ્યાસુ દેના બેંકના નિવૃત્ત મેનેજર રમેશભાઈએ મુંબઈ યિનુવર્સિટીમાં જૈન ધર્મનો અભ્યાસ કર્યો છે. સાધુસંતોની વૈયાવચ્ચમાં રુચિ ધરાવે છે.) જૈન કથાનુયોગમાં પરિષહ અને ઉપસર્ગ પ્રધાન કથાનકોનો ખજાનો છે. આ ખજાનો ખોલી દૃષ્ટિ કરતાં આપણને આપણા જીવનમાં સમતા અને પ્રેરણા મળે છે. દેવાધિદેવ ભગવાન મહાવીરને ગૌશાલક દ્વારા તેજોવેશ્યાનો પ્રયોગ | પ્રયાસ થયો, જેના ફળસ્વરૂપ ૬ માસ સુધી ‘ખંડરોગ’ સહેવો પડ્યો. આ પ્રસંગે રેવતી શ્રાવિકા પાસેથી ‘બિજોરા પાક' મંગાવી રોગનું નિવારણ (ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) સાથે રહેતો હતો. યક્ષના મંદિરના પરાંગણના બગીચામાં તે ફૂલ ચૂંટી તેની માળા બનાવી યક્ષની પૂજા કરતો. એકદા છ મિત્રો લલિત આદિ મંદિરમાં ત્યાંના બહારના વન વિભાગમાં ક્રીડા માટે આવ્યા અને બંધુમતિથી મોહ પામી, અર્જુનને વૃક્ષ સાથે બાંધ્યો. તેની નજર સમક્ષ તેની સ્ત્રી સાથે ભોગવિલાસ કરતાં જોઈ અર્જુન ક્રોધિત થતાં, પોતાની લાચાર દશામાં યક્ષને ઉપાલંભ આપતા યક્ષે તેના શરીરમાં પ્રવેશ કરી તેના પ્રભાવથી અર્જુનમાળીએ છ મિત્રો અને બંધુમતિ એમ સાત જીવોની મુગળથી ઘાત કરી. એટલેથી ન અટક્તા ૧૬૩ દિવસ સુધી પ્રતિદિન ૬ પુરુષ અને એક સ્ત્રી એમ કુલ ૧૧૪૧ પંચેન્દ્રિય માનવ જીવોની ઘાત કરી. સુદર્શન નામના શ્રાવક વીરપ્રભુના દર્શને જતા અર્જુનમાળીના પ્રદેશમાંથી પસાર થતાં અર્જુનમાળી તેનો વધ કરવા તત્પર થયો, પણ સુદર્શનના સાગારી સંથારા સાથે નવકારમંત્ર સ્મરણ આદિના પ્રભાવથી તે મુદ્ગલ પ્રહાર કરી શક્યો નહીં અને યક્ષ પણ તેના શરીરમાંથી નીકળી જતા અર્જુન બેહોશ બની નિશ્ચેતન બન્યો. સુદર્શનની સારવાર – બોધથી પ્રભુવીરના દર્શનાર્થે ગયો. પ્રભુના બોધથી વૈરાગ્યવાસિત થઈ પ્રવજયા અંગીકાર કરી વિચરવા લાગ્યો. પોતાના ઘોર માનવહત્યાના પાપના પ્રાયશ્ચિત્ત રૂપે જેના જેના ઘરના સ્વજનોની હત્યા કરી ત્યાં ગોચરી માટે જતા. તે લોકો તરફથી અત્યંત ઉપસર્ગો મળ્યા, પરંતુ તેમનો દોષ ન જોતાં વધ ઉપસર્ગ જે તેઓના સ્વજનોને તેણે આપ્યો હતો તેના પરિણામ રૂપ આ બધા ઉપસર્ગ - પરિષદને સહન કરી, સમભાવ કેળવી – આરાધી અર્જુન મુનિ છેવટે છઠ્ઠ છઠ્ઠ ના પારણે તપ કરી કર્મોનો ક્ષય કરી સિદ્ધ બુદ્ધ મુક્ત થયા. કર્યું. ઉપરાંત પ્રભુ આદિનાથને સાધક અવસ્થાની શરૂઆતમાં પ્રાસુક આહાર ન મળતાં ૪% દિવસના ઉપવાસ થયા, જેની સ્મૃતિમાં આજે પણ વરસીતપ આરાધના વિવિધ સ્થળે પ્રત્યેક વર્ષે થઈ રહી છે. પાર્શ્વનાથ પ્રભુ પર પણ સાધક અવસ્થામાં કમઠ તથા મેઘમાળી દેવકૃત ઉપસર્ગ આવ્યા હતા અને ધરણેન્દ્ર - પદ્માવતી એ તેમને ભક્તિભાવે રક્ષણ આપ્યું, પરંતુ સાધક પ્રભુ તો નિઃસ્પૃહ હતા. આમ, જૈન સાહિત્ય, ઉપસર્ગ - પરિષહને આગમના આધારે વિવિધ કથાનકો દ્વારા આલોકિત કરી આપણને જૈન ઈતિહાસની સમૃદ્ધિનું દર્શન કરાવે અર્જુનમાળીનું કથાનક પ્રભુ મહાવીરના શાસનમાં અર્જુન નામે એક માળી તેની સી બંધુમતિ (૨૦૧) (૨૦૨)

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109