________________
– ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) 'ઉપસર્ગના માર્ગે સમતા જે ધરે, મુક્તિપદ પામે...
- ડૉ. સેજલ શાહ
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો ) બોલાતા સૂત્રમાં પ્રારંભે સાગરચંદ્રજીનું નામસ્મરણ કરે છે;
સાગરચંદો કામો ચંદવડીયો સુંદંસણો ધો;
જેસિં પોસહપડિમા, અખંડિયા જીવીયેતેવિ. (સાગરચંદ્ર, કામદેવ, ચંદ્રાવસંતક અને સુદર્શનને ધન્ય છે કે જેમણે ધારણ કરેલી પૌષધપ્રતિમા પ્રાણાંત કષ્ટમાં પણ અખંડ રહી છે.)
સાગરચંદ્ર રાજકુમાર શ્રાવક હતા, શ્રમણોની ઉપાસના કરનારા શ્રમણોપાસક હતા, પરંતુ શ્રમણને સહજ સમતાગુણની એવી અનુપમ સિદ્ધિ કરી હતી કે, જેથી યુગો બાદ પણ તેમનું નામસ્મરણ થઈ રહ્યું છે.
(સંદર્ભ: “મરણ સમાધિ’ પન્નાગ્રંથ)
(ડૉ. સેજલ શાહ મણિબેન નાણાવટી કૉલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ છે. ગુજરાતી સાહિત્યમાં તેઓશ્રીએ પોતાનો શોધ-નિબંધ તૈયાર કરી પ્રકાશિત કર્યો છે. ઉપરાંત “મુઠ્ઠીભીતરની આઝાદી' નામનું ૧૯૪૨ ની ભારત છોડો આંદોલનમાં ભાગ લેનાર સ્વાતંત્ર્યોત્તર સેનાનીઓની મુલાકાત આધારિત પુસ્તક પણ લખ્યું છે, ગુજરાતી ભાષા-સાહિત્ય અને જૈન સ્તવ વિચારમાં તેઓને રસ પડે છે અને તેમાં કાર્યરત રહે છે. સાહિત્ય-સમારોહ અને જ્ઞાનસત્રમાં પોતાના પેપર રજૂ કરે છે.)
ઉપસર્ગ શબ્દ સંસ્કૃત ભાષાનો છે. એના જુદા જુદા અર્થ થાય છે જેમકે વ્યાધિ, દુર્ભાગ્ય,હાનિ, આફત વગેરે. જૈનોમાં ઉપસર્ગ શબ્દ એક વિશિષ્ટ લાક્ષણિક પારિભાષિક અર્થમાં વપરાય છે. સૂત્રકૃતાંગ નામના આગમગ્રંથમાં ‘ઉવસગ્ગ' ઉપર એક અધ્યયન આપેલું છે. જૈન પરંપરાની દૃષ્ટિએ ઉપસર્ગ શબ્દનો અર્થ થાય છે કે આવી પડેલું ભયંકર કષ્ટ, ઉપસર્ગના મુખ્ય ત્રણ પ્રકાર છે, ૧. દેવતાકૃત ૨. મનુષ્યકૃત ૩. તિર્યંચકૃત. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૧ માં અધ્યયનમાં કહ્યું છે કે : दिब्बे य जे उवसग्गे
तहा तिरिच्छ माणुस्से जे भिक्खू सहइ निच्च
से न अच्छइ मण्डले । અર્થાત્ જે ભિક્ષુ દેવતા, તિર્યંચ અને મનુષ્ય કરેલા ઉપસર્ગને નિત્ય સહન કરે છે, તે મંડલમાં રહેતો નથી, અર્થાત્ તેને સંસારરૂપી મંડલમાં
(૫૦)
(૪૯)