________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકોને અનેક ઉપસર્ગો સહન કરતી મલયસુંદરી મરવાનો વિચાર કરે છે. કર્મબંધ જાણનાર વિવેકી મલયસુંદરી પણ વિપત્તિમાં વિવેક એકાદવાર ભૂલી જાય છે. દુ:ખમાં ભાન ભૂલવાનું કારણ ધર્મનો અભ્યાસ, વિવેક, વૈરાગ્ય લાંબા અને દેઢતાવાળા ન હોવાથી આવું થાય છે. માટે જ જ્ઞાની પુરુષો કહે છે કે આત્મ ઉપયોગની જાગૃતિ રાખો અને અભ્યાસ કરતાં રહો. મલયસુંદરીનું રૂપ જ દુઃખનું કારણ બને છે, પરંતુ સાથે આપણે એ પણ નોંધવું જોઈએ કે આટલી મુસીબતો વચ્ચે પણ પેલા શ્લોકને કારણે તે પોતાની જાતને અને મનોબળને ટકાવી રાખે છે. આજે એક શ્લોક આખી કૃતિનું સંચાલન કરે અને એક વિચાર આખી કૃતિને આગળ વધારી રસ જાળવી રાખે તેવું ભાગ્યે જ બને છે. મલય સુંદરીની કથા ખૂબ જ લાંબી અને કથામાં -કથાની પરંપરાની કૃતિ છે. ગુટીકાને કારણે ચમત્કારની ઘટના બનતી રહે છે, છૂટા પડેલા પાત્રો ભેગા થાય છે અને વિરોધી બળથી ટકવા માટે ખાસ કરીને જ્યાં મનુષ્ય શક્તિ ઓછી પડે ત્યાં જ ગુટીકાનો ઉપયોગ આવે છે. પાત્રો પોતાના તેજ અને સ્વ-બળથી ઊભા થયા
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) પ્રેમ કથા લાગતી આ કથા મલયસુંદરી અને મહાબળની પ્રેમરસથી ભરપૂર કથા તો છે જ, બંને પાત્રોનો વિકાસ સમાંતરે સમાન કરાયો છે. કોઈપણ એક પાત્રનું મહત્ત્વ સાબિત કરવા અન્ય પાત્રને પાતળું નથી કરાયું. એ જ રીતે સ્ત્રી પાત્રને સક્ષમ જે રીતે બતાવ્યું છે, વીરતાભર્યું પ્રદર્શિત કર્યું છે તે આજે પણ આશ્ચર્ય જન્માવે છે. આજથી આટલા વર્ષો પહેલા જૈન ધર્મમાં સ્ત્રીને સ્વતંત્ર અને નિર્ણાયક ભૂમિકામાં મૂકાતી એવું કહી શકાય. ક્યાંય હાંસિયામાં ધકેલવાનો પ્રયત્ન એ સમયમાં ન થતો. એ જ રીતે વિવિધ ઋતુનું વર્ણન, મનુષ્ય સ્વભાવનું આલેખન જોઈ એમ કહી શકાય કે માનસિક અવસ્થાને એ સમયનો સર્જક બરાબર ઝીલતો હતો. સર્જક સાધુ વેશે હોવા છતાં પ્રજાને ધર્મ પ્રત્યે આકર્ષિત કરવા જીવનના દરેક રંગોને આવરી લઈ ગૃહસ્થધર્મ પણ સમજાવે છે, સ્ત્રીપુરુષને પોતાના કર્તવ્યથી પરિચિત કરે છે, સંબંધની પરિભાષા સ્પષ્ટ કરે છે અને પ્રત્યેક સંબંધની મર્યાદા સમજાવે છે. એમ કરતાં કરતાં તે સંસારને અસાર દર્શાવાનું ચૂકતો નથી.
મલયસુંદરીની કથા આપણને શ્રમણ ધર્મનું પાલન કરતાં તપયોગ, જ્ઞાન અને ધ્યાન વડે ઘણાં કર્મ ખપાવી દીધા, નિર્મળ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, શુભભાવ દ્વારા કેવલજ્ઞાન પ્રાપ્ત કરાયું, એવો સંદેશ આપે છે. આવા ચરિત્રો વાંચવાથી પણ મુક્તિનો પંથ સ્પષ્ટ થતો હોય છે. આત્માની શક્તિ બહાર આવે છે. ચરિત્રોનું કાર્ય જ સંસારમાં આદર્શ નિર્માણ કરવાનું છે, જે અહીં સુપેરે થયું છે. ખૂબજ લાંબુ અને અનેક કથાના ચડાવ-ઉતારની આ કૃતિ છે. અહીં એની કેટલીક રૂપરેખા આપી વાચકને એ પ્રત્યે આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે. જૈન મુનિ કેવો ઉત્તમ સર્જક અને ઉપદેશક છે તે બંનેનો પરિચય સાથે મળે છે. જે ઉપસર્ગને સહી જાય છે તે પરમને પામી જાય છે. સ્વથી, સ્વ-દુઃખથી
(૬૦)
જેમ દરેક જૈન કથામાં બને છે તેમ અહીં પણ અંતમાં શાંતરસને પુરસ્કૃત કરાયો છે. નાયક-નાયિકાની દીક્ષા કૃતિના અંતે ધાર્મિક ધ્યેયને પાર પાડે છે. અનેક મુસીબતો છતાં પાત્રો ખોટા રસ્તે ચડી નથી જતા. લાલચ કરતાં મુક્તિ તેમને વધુ આકર્ષે છે. આવા ચરિત્રો રજૂ કરવાનું કારણ સામાન્ય જનને ઉપદેશ આપવાનો અને એક આદર્શ ઊભો કરવાનો છે. મહાબળ અગ્નિનો ઉપસર્ગ અંતે સહન કરે છે અને મુક્તિ પામે છે. એ જ રીતે મલયસુંદરી પણ દીક્ષા લઈ ઉપદેશ આપી સહુનું કલ્યાણ કરે છે. તેને પડેલા અનેક ઉપસર્ગોનું કારણ તેના આગળના ભવના કર્મો હોય છે અને તે અંગે કથા પણ અપાઈ છે. પ્રથમ નજરે
(૫૯)