________________
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) સતી વંદના તથા ચિલાતી પુત્રની કથા
- ડૉ. શોભના ર. શાહ
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો - લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો , અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?”
(શ્રીમદ્ રાજચંદ્રજી) શત્રુ-મિત્ર પ્રત્યે સમભાવ રાખનાર તે શ્રીદત્ત મુનિ અંતે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધલોકને પામ્યા.
ગૃહસ્થ અવસ્થામાં પણ યથાશક્તિ પરિષદોને જીતી શકાય છે તેનું પ્રેરક દૃષ્ટાંત એટલે મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક અને આધ્યાત્મિક જગતની વિરલ વિભૂતિ શ્રીમદ્ રાજચંદ્રજી.
શ્રીમદ્ રાજચંદ્રજી ઝવેરાતનો વેપાર કરતા, છતાં તેઓ એકાંત સાધના અર્થે રાળજ, ખંભાત, ઈડર, ઉત્તરસંડા વગેરે નિવૃત્તિક્ષેત્રોમાં જતા. આવા નિવૃત્તિક્ષેત્રોમાં તળાવને કાંઠે આખી રાત ખુલ્લા ડિલે તેઓ ધ્યાનમાં બેસતા. તે વખતે મચ્છર, ડાંસ વગેરે જંતુઓ તેમને કરડતા તોપણ તેની તેઓ પરવા ન કરતા. ડાંસ વગેરે કરડવાથી તેમના શરીરમાં લોહીના ચાઠાં પડી જતા ! ભેદજ્ઞાનના બળે તેઓ આવા પરિષદો સહી શકતા હતા.
શ્રીમદ્જીને સંગ્રહણીનો રોગ થયો. ઘણા ઉપચાર કરવા છતાં તેમને સારું ન થયું. આવા રોગની પીડામાં તેઓનો સમતાભાવ દાદ માગી લે તેવો હતો. સમભાવે પીડા સહન કરતાં તેઓએ નશ્વર દેહનો ત્યાગ કર્યો.
મહાપુરુષોએ જીતેલા ઉપસર્ગ - પરિષહો પરથી આપણે પણ પ્રેરણા લેવી જોઈએ. આપણે પણ થોડા થોડા ભૂખ-તરસ, ઠંડી-ગરમી, રોગ આદિ સહન કરવાનો અભ્યાસ કેળવવો જોઈએ. ગમે તેવા પ્રસંગોમાં સમભાવ રાખવા પ્રયત્ન કરવો જોઈએ.
“જીવનમાં આવ્યા કરે પાનખર ને વસંત, મનની સમતા ન છૂટે, તો સુખ શાંતિ અનંત.”
(૧૩).
(જૈનદર્શનના અભ્યાસુ શોભનાબહેન ગુજરાત વિધાપીઠ, અમદાવાદના આંતરરાષ્ટ્રીય જૈન અધ્યયન વિધા કેન્દ્ર સાથે સંકળાયેલા છે.)
પરિષહ શ્રમણ જીવનમાં ખૂબ ઉપયોગી છે. કારણ કે શ્રમણ જીવનમાં વિવિધ મુશ્કેલીઓ, પ્રતિકૂળતાઓ તથા ઉપસર્ગાદિ આવતા જ રહે છે, પરંતુ તેને સમતાપૂર્વક સહતા પોતાની લક્ષ્યસિદ્ધિમાં લાગ્યા રહેવું તે પરિષહ જય છે. ધીર-વીર આવા પ્રસંગો પર પોતાના કર્તવ્યપથથી વિચલિત થતા નથી. ઉપસર્ગ અને પરિષહ શ્રમણની તિતિક્ષાની કસોટી છે. જો શ્રમણ તેને સમતપૂર્વક જીતી લે છે તો તે વિજયી થાય છે.
પરિષહ અને ઉપસર્ગમાં બહુ મોટું અંતર છે. પરિષહ મુનિ દ્વારા કર્તવ્ય માર્ગથી ટ્યુત ન થવાને માટે સ્વયં સહન કરવામાં આવે છે, જ્યારે ઉપસર્ગ કોઈ અજ્ઞાની દ્વારા વ્રતથી ત કરાવવા માટેના ઉદ્દેશ્યથી થાય છે. પરિષહ સ્વેચ્છાથી સહન કરવામાં આવે છે, ઉપસર્ગ પરકૃત હોય છે. સતી ચંદના
દધિવાહન નૃપ નગરી ચંપા, શતાનીકે ભાંગી; પદમાવતી પુત્રી વસુમતિ જે, રાજસુતા બંદી લાગી.
ચંપા નગરીમાં દધિવાહન રાજાની ધારિણી નામની રાણીને વસુમતિ નામની પુત્રી હતી. એક દિવસ કોસાંબીના શતાનિક રાજાએ ચંપાનગરીને ઘેરી લીધી. દધિવાહન રાજા તેનાથી ભય પામી નાસી ગયો. સુભટે રાણી ધારિણી અને પુત્રી વસુમતિને પકડી લીધા. સુભટે ધારિણી પર બળાત્કાર કરવાનો
(૧૩૮).