________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો)
ઉપસંહાર:
પરિસહ અને ઉપસર્ગ બંને કર્મક્ષયના સાધન હોવા છતાં તે બંને વચ્ચે ઘણો તફાવત છે. પરિષહ સામાન્ય રીતે સ્વયં સ્વીકારેલ પરિસ્થિતિ હોય છે, જે સહન કરી શકાય છે. જયારે ઉપસર્ગ મુખ્યત્વે દેવ, મનુષ્ય કે તિર્યંચકૃત હોય છે, જેમાં કેટલાક તો મરણાંત હોય છે.
પરિષહ અને ઉપસર્ગમાં સમાનતા એ છે કે તે બંનેમાં અસહ્ય પીડાનો, અશાતાનો અનુભવ થાય છે, એ અનુભવાય ત્યારે ચિત્તમાં જો સમતા, માધ્યસ્થતા અને સ્વસ્થતા રહે તો કર્મની ભારે નિર્જરા થાય અને નવા કર્મો બંધાય નહીં.
આમ, પરિષહ અને ઉપસર્ગો દ્વારા ઘોર ઘાતી કર્મોનો ક્ષય થાય છે તેથી સાધક તેમના પ્રત્યે મૈત્રીભાવ રાખી મુક્તિપંથગામી બને છે.
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો સુકુમાલ અને શ્રીદત્તમુનિની કથા
- મિતેશભાઈ એ. શાહ (જૈન દર્શનના અભ્યાસુ મિતેશભાઈ શાહ “દિવ્ય ધ્વનિના તંત્રી છે. પ્રતિવર્ષ દીપાવલી પર્વ પ્રસંગે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, કોબા દ્વારા નાનકડી બોધદાયક અને પ્રેરક પ્રસંગો સહિત પુસ્તિકાનું પ્રકાશન થાય છે તેનું સુંદર સંપાદન કરે છે. જૈન સાહિત્ય સ્ત્રોમાં શોધપત્રો પ્રસ્તુત કરે છે.)
સર્વ આર્ય દર્શનોમાં જૈનદર્શન એક વિશિષ્ટ અને આગવું દર્શન છે. જૈન દર્શન દરેક ભવ્ય જીવ સાધના દ્વારા પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે એમ કહે છે. શ્રાવક એકદેશ સંયમ અને સાધુ સકળ સંયમનું પાલન કરીને અધ્યાત્મના માર્ગે આગળ વધી શકે છે. શ્રી “સાર સમુચ્ચય' ગ્રંથમાં કહ્યું છે,
"नृजन्मन: फलं सारं यदेतद् ज्ञानसेवनम् । अनिगृहित वीर्यस्य संयमस्य च धारणं ॥"
ઉપસર્ગ અને પરિષહ તો ખરા અર્થમાં જૈન સાધુ જીતી શકે છે. કેટલાક જ્ઞાની ગૃહસ્થ ધર્માત્માઓ પણ યથાશક્તિ ઉપસર્ગ - પરિષહને જીતવા પ્રયત્ન કરે છે. જૈન સાધુ કેવા શૂરવીર હોય છે તેનું વર્ણન સુંદરદાસજીએ ‘સુંદરવિલાસ' માં કર્યું છે;
મારે કામ ક્રોધ સબ, લોભ મોહ પીસી ડારે, ઈંદ્રિહુ કતલ કરી કિયો રજપૂતો હૈ, માર્યો મહામત્ત મન, મારે અહંકાર મીર; મારે મદ મછર હુ ઐસો રન રૂતો હૈ; મારી આશા તૃષ્ણા પુનિ પાપિની સાપિની દોઉં, સબકો સંહાર કરિ નિજ પદ પહૂતો હૈ,
(૧૩૦)
સંદર્ભ સૂચિ: - તત્ત્વાર્થાધિગમસૂત્ર આ. રાજશેખરસૂરિજી ઉપસર્ગઃ રમણલાલ શાહ
(૧૨૯)