Book Title: Swanubhutidarshan
Author(s): Champaben
Publisher: Jagjivan Bavchand Doshi Parivar Songadh

View full book text
Previous | Next

Page 13
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ॐ श्री परमात्मने नमः। સ્વાનુભૂતિદર્શન * બહેનશ્રીની તત્ત્વચર્ચા પ્રશ્ન:- પૂજ્ય ગુરુદેવના વચનામૃતમાં ‘ૐ સહજ ચિદાનંદ ' આવે છે, તો તેમાં શું કહેવું છે ? સમાધાનઃ- ૐ એ ભગવાનની વાણી છે. ૐ ધ્વનિ નિરક્ષી હોય છે. જિનવાણીનો ગુરુદેવને બહુ પ્રેમ હતો એટલે તેમને “ૐ સહજ ચિદાનંદ ” એમ આવતું સહજ ચિસ્વરૂપ આનંદસ્વરૂપ આત્મા છે. સહજ ચિદાનંદ એવા આત્માને તું ઓળખ. તે શેનાથી ઓળખાય ? આ થી ઓળખાય છે–ભગવાનની વાણીથી આત્મા ઓળખાય છે. ગુરુદેવને નો ભાસ પણ થયો હતો. મુમુક્ષુઃ- સહજ ચિદાનંદ આત્મા ૐકાર ધ્વનિ દ્વારા ઓળખાય છે? બહેનશ્રી:- આત્મા સહજ ચિદાનંદ છે તે કાર ધ્વનિ દ્વારા ઓળખાય છે. ભગવાન આત્મા સહજ ચિદાનંદ છે તેને ભગવાનની વાણી ઓળખાવે છે. એવો ઉપાદાન-નિમિત્તનો સંબંધ છે. ૐ ને ઓળખે તે આત્માને ઓળખે. ૐકાર દ્વારા બધું ઓળખાય છે. અનાદિકાળથી જીવ પરિભ્રમણ કરે છે. તેમાં ભગવાન સાક્ષાત્ મળે, ભગવાનની વાણી મળે અથવા ગુરુની વાણી મળે ત્યારે આત્માને ઓળખે. આવો ઉપાદાન-નિમિત્તનો સંબંધ છે અર્થાત્ એવો વાણી સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. ગુરુદેવને જિનવાણીનો કોઈ જુદી જ જાતનો પ્રેમ હતો. તેમને અંદરથી સહજ શ્રુતનો પ્રેમ હતો. મુમુક્ષુ-ગુરુદેવ પૂર્વે સાંભળીને આવ્યા હતા ને ? બહેનશ્રી:- હા, પોતે પૂર્વે સાંભળીને આવ્યા હતા. એક અભીક્ષ્ણ જ્ઞાન ઉપયોગ (શાસ્ત્રમાં) આવે છે, એવું શ્રુતનું જ્ઞાન ગુરુદેવને અંતરમાંથી આવતું હતું. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 371