Book Title: Sant Tukaram
Author(s): Sastu Sahityavardhak Karyalay
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 11
________________ મોટા ભાઈ સાવજની પત્ની પણ મોતના મોંમાં ઝડપાઈ ગઈ. આથી તેમને ખૂબ દુખ થયું અને શોકમાં ગરકાવ થઈ ગયા. બીજે વરસે સાવજ પણ જાત્રા કરવા ચાલ્યા ગયો. શરૂથી જ સાવજ સંસાર પ્રત્યે ઉદાસ હતો. તેમાં પત્નીને પાશ છૂટતાં એ વધારે વિરક્ત બની બેઠે. એ વખતે સાવજીની ઉંમર પણ બહું મોટી નહોતી. પૂરાં વીસ વર્ષ પણ નહિ થયાં હોય; તોપણ બીજું લગ્ન કરીને ફરીથી એ જ જાળમાં ફસાવાની એની તૈયારી નહિ હોવાથી હવે શેષ જીવન હરિભજનમાં ગાળવું છે એમ વિચારીને તેણે દેહુ ગામ છોડ્યું. સાત પુરી (નગરી), બાર જ્યોતિલિંગ, પુષ્કર વગેરે તીર્થોની જાત્રા કરતાં કરતાં એ કાશીએ પહોંચ અને ત્યાં સત્સંગમાં અને આત્મચિંતનમાં તેણે બાકીનું જીવન વિતાવ્યું. આ તરફ કેબાને મોટા ભાઈને વિયોગનું ભારે દુઃખ સાલ્યું. પિતાનું અવસાન અને મોટા ભાઈનું ચાલ્યા જવું તેમને અસહ્ય થઈ પડ્યાં. સંસારમાં એમનું ધ્યાન ખૂબ ઓછું થઈ ગયું. તેમની આ ઉદાસીનતાનો ફાયદો લેણદારેએ લીધો અને પૈસા માટે તકાદે કર્યો. જેમને પૈસા ધીરેલા એ બધાંએ દેવાળાં કાચાં એટલે એ પૈસા તે જતા રહ્યા. આમ બાપીકી મિલકત હતી-નહતી થઈ ગઈ. બે પત્ની, એક બાળક, નાનો ભાઈ બહેન વગેરે કુટુંબને પિષવા પિસા તે મેળવવા જ પડે. એટલે ચૌટામાં તુબાએ પરચૂરણ ચીની એક દુકાન ખોલી. મેં વિઠ્ઠલ–વિઠ્ઠલ” બોલ્યા કરવું, જૂઠું બોલવું નહિ, દગાબાજીને વેપાર કરે નહિ, બધા પર દયા રાખીને છૂટે હાથે માલ આપો અને ધંધાની ચિંતા ન કરવી. એ Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113