Book Title: Sant Tukaram
Author(s): Sastu Sahityavardhak Karyalay
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 104
________________ 104 સંત તુકારામ 13. કાં પાટિલ બાંદવ: લોહળામમાં તુકારામ જાય ત્યારે તેમને ઉતારે આમને ઘેર રહેતા. 14. કશ્વર બંધ : નાનપણમાં ખૂબ રબડી ચૂકેલે આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતા. કેઈએ એને દેહુ જવાનું કહી તેથી તે આવીને તુકારામનો શિષ્ય બની ગયે. 15, બહિણાબાઈ: તુકારામના શિષ્યમંડળમાં બહિણાબાઈનું મહત્વ વિશેષ છે. તુકારામ વિશે અને તેમના ઉપદેશો વિશે બહિશાબાઈએ જે અભંગે લખ્યા છે તેના પરથી તુકારામનું જીવન અને કવન વધુ ખાતરીવાળું મેળવી શકાયું છે. બહિષ્ણુબાઈનું નામ તુકારામના અને રામદાસના એમ બન્નના શિષ્યમંડળમાં છે. બહિણાબાઈને બારમે વરસે સ્વપ્નમાં તુકારામે ઉપદેશ આપ્યો અને હાથમાં ગીતા આપી. બીજી વાર સ્વમમાં તુકારામનાં દર્શન થયા પછી એ તેના પતિ સાથે દેહ આવી અને તુકારામનાં પ્રત્યક્ષ દર્શન થયાં. 16. અંબાજી: તુકારામને દુશ્મન તરીકે ગણત અંબાજી શરૂમાં પરમાર્થ નહિ પણ પરધન ભેગું કરતો. તુકારામના વિઠ્ઠલમંદિરની અડોઅડ જ અંબાજીનું ઘર હતું. એ ઘરમાં મંબાજીએ સુંદર બગીચો બનાવ્યો હતો. એક દિવસ તુકારામની ભેંસ એ બગીચામાં પેઠી ત્યારથી અંબાજીએ ત્યાં કાંટાની વાડ કરી દીધી. અગિયારસને દિવસે લોકોની ખૂબ ભીડ થતી એથી બધાંને કાંટા ન વાગે એટલે તુકારામે એ વાડના બધાં કાંટા કાઢી લીધા. આથી અંબાજીના ગુસ્સાને પાર ન રહ્યો. તેણે એ જ કાંટાના ઝાંખરાંથી તુકારામને મરણતોલ મા, પણ તુકારામ ન Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113