Book Title: Sant Tukaram
Author(s): Sastu Sahityavardhak Karyalay
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 78
________________ સંત તુકારામ (2) બીજાના ઉપર ઉપકાર કરવો એ જ પુણ્ય છે અને બીજાની નિંદા કરવી તથા પીડવું એ જ પાપ છે. (3) મુખથી ભગવાનનું નામ બોલાય એ જ મટે લાભ છે અને પ્રપંચ તેમ જ લાભ એ જ નુકસાન છે. (4) સંતસમાગમથી સમબુદ્ધિ કેળવાય એ જ સુખ છે અને વિષમ બુદ્ધિ કેળવાય એ જ દુઃખ છે. - (5) જેની વૃત્તિ સ્વાધીન છે એ સાધના કરી શકે છે અને જેની વૃત્તિ વિષયમાં ફસાયેલી છે તે તેમ કરી શકતો નથી. (6) જિતેંદ્રિય મનુષ્ય માન પામે છે અને સ્ત્રીલેપ અપમાનિત થાય છે. (7) દરેક વાતમાંથી સાર ગ્રહણ કરીને સંતોષ પામનાર પંડિત બની શકે છે, પણ વાદવિવાદમાં રાચનાર મૂર્ખ જ રહે છે. (8) ગાય અને અતિથિને જમાડીને જમનાર અને પિતૃઓને તૃપ્ત કરનાર સદાચારી છે અને વ્યસનોમાં તેમ જ ઇંદ્રિયસુખમાં જ ધનનો વ્યય કરે છે એ દુરાચારી છે. (9) બધાં પ્રાણીઓમાં ભગવાન જોવા એ હિત અને અહંભાવ એ અહિત. (10) હરિનો દાસ બંધ છે અને વિષનો દાસ નિંદ્ય છે. (11) જે બધું ઈશ્વરને સમપી દે તે ઉદાર અને જે અંતરમાં મલિનતા રાખે એ મૂજી. (12) વિઠ્ઠલનું નામ મીઠું અને સંસાર કડ. નિષ્કામ ભક્તિને પ્રકાશ કરવા માટે તકારામે અવતાર Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113