Book Title: Sant Tukaram
Author(s): Sastu Sahityavardhak Karyalay
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 84
________________ સંત તુકારામ થયા વિના રાષ્ટ્રને અસ્પૃદય અને ધર્મોદય થતો નથી, આવું બેવડું સામર્થ્ય જ્યારે રાષ્ટ્રને મળે છે, ત્યારે જ રાષ્ટ્રધર્મને વિજય થાય છે. તુકારામે ધર્મોદયનું કાર્ય સ્વીકારી લીધું અને તે સારી રીતે પાર પડયું. છેવટનાં ચાર-પાંચ વર્ષમાં સ્વરાજ્ય માટે લડનારા ક્ષત્રિયવીરોને તુકારામે પોતાની આંખે જોયા. શિવાજીને ધર્મ જેટલો જ ધર્મ પ્રચારક સાધુસંતે માટે પ્રેમ હતો. સાધુસંતોની કૃપા અને આશીર્વાદની ઓથ મળ્યા વિના તું રાજકારણમાં સફળ નહિ થાય એ માતા જીજાબાઈનો અને દાદા કેડદેવનો તેમને આદેશ હતો. રામાયણ-મહાભારતના વીરો અને ભક્તોની કથાઓ સાંભળવી શિવાજીને બહુ ગમતી. સાધુસંતોને મળવાનું, આદરપૂર્વક બોલાવી તેમના સમાગમને લાભ લેવો એ શિવાજીની ધર્મશીલ પ્રકૃતિ બની રહી હતી. શિવાજીને સમર્થ રામદાસનો સંપર્ક થવાથી તેમની પાસેથી ઉપદેશ મેળવ્યો એ વાત તો જાણીતી છે. આવા સંતસમાગમ–પ્રેમી શિવાજી તુકારામને મળ્યા વિના રહે જ નહિ. તુકારામ જ્યારે લોહગામમાં હતા ત્યારે સૌ પ્રથમ શિવાજીએ તેમના કર્મચારીઓ સાથે છત્ર, ઘોડા અને જવાહિર મોકલીને તુકારામને પૃના બેલાવ્યા, પણ તુકારામ તો હતા વિરાગી. હવે થાય શું? તુકારામે એ બધું સ્વીકાર્યા વિના જ પાછું મે કહ્યું અને શિવાજીને નવ અભંવાળા એક પત્ર લખીને મોકલ્યો. તેમાં આ ભાવાર્થનું લખ્યું હતું - હે નારાયણ! હવે મને આમાં શું કામ સંડે છે? આમાં તો પરમાર્થની પાયમાલી થવાની છે. મનથી જેને મેં ત્યાજ્ય ગયું છે એની તને ખબર નથી? તે પછી Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113