Book Title: Sant Tukaram
Author(s): Sastu Sahityavardhak Karyalay
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 36
________________ 36 સંત તુકારામ ગુરુનું નામ આવતું નથી એ વાત સાચી છે, પણ આ ઉપરથી તુકારામે ગુરુનો ઉપદેશ લીધો નથી પણ પાંડુરંગે જ તેમને સ્વમમાં ઉપદેશ દઈને પોતાનું નામ બાબાજી ચિતન્ય રાખ્યું એવું કેટલાક માને છે, પણ એ બરાબરે લાગતું નથી. ગુરુની આજ્ઞા અને તુકારામની પોતાની સૂઝ એકરૂપ થઈ, ધ્યાનનિષ્ઠા દહતર થઈ, નામાંકનસાધન સ્થિર થયાં. તુકારામને સ્વપ્રમાં ઉપદેશ મળવાથી બીજા સંતની જેમ ગુરુસહવાસ પ્રત્યક્ષ થયે નહિ. એટલે સ્વપ્રમાં ગુએ માગેલું પાશેર ઘી આપવાનું પણ તેમને ભાન ન રહ્યું, તેમ સેવા કરવાનો અવસર મળ્યા નહિ. આ જ કારણે તુકારામના અભંગોમાં ગુરુવર્ણન આવ્યું નહિ, પણ બેચાર ઠેકાણે ફક્ત તેમના નામે લેખ જ થયે છે. પાંડુરંગનું ધ્યાન, સગુણ સાક્ષાત્કાર અને નિર્ગુણ છે. એવા કામે ગુરુ ચીંધેલા માર્ગે તુકારામ જઈ રહ્યા હોવાથી પાંડુરંગમાં જ તુકારામને ગુરુભાવ ભળી ગયે. વળી પાંડુરંગની સેવા કરવાની ગુરુની જ આજ્ઞા હતી, એટલે પાંડુરંગભક્તિમાં જ ગુરુભક્તિ સમાઈ ગઈ. બાબાજી ચેતન્ય તુકારામને સ્વમમાં ઉપદેશ આપ્યો હતો એમ કહેવાય છે, પણ એ વિષે કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. મહા સુદી દશમ ને ગુરુવારે સંવત 1689 માં તુકારામને ગુરુનો ઉપદેશ મળેલો મનાય છે, એટલે આ તિથિને વારફરી મંડળ પવિત્ર માને છે અને તે દિવસે બધે કીર્તન-ભજનો થાય છે. તુકારામના ગુરુ કાણુ હતા, એ ક્યાં રહેતા હતા. તેમણે સમાધિ કયારે લીધી એની પરંપરા પાછળથી કેવી રીતે ચાલી આવી એ વિષે વારકરી મંડળમાં કેઈ નિશ્ચિત માહિતી કે એવો કોઈ ગ્રંથ પણ નથી. તુકારામને સ્વમમાં થોડીવાર માટે જ Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113