________________ મનની શુદ્ધિને ઉપાય 39 બુદ્ધિથી આ ચંચળ મનને શી રીતે સાચવી શકે? કેટલી સાવધાની રાખે? પળવારમાં તે પચાસ ઠેકાણે દડી જનારું મન ભગવાનની કૃપા થાય તો જ સીધું રહે. ધન, સ્ત્રી અને પ્રતિષ્ઠા એ પરમાર્થમાર્ગ વચ્ચે આવતા ત્રણ મોટા ખાડા છે. આમેય એ માર્ગના મુસાફ થોડા. એ બેડામાંથી કેટલાક પહેલા ખાડામાં ફસાઈ જાય છે. એમાંથી બચીને આગળ વધે ત્યાં બીજા ખાડામાં પડે છે. આ બન્નેમાંથી નીકળીને કઈ કદાચ આગળ વધે એટલે ત્રી પ્રતિષ્ઠાનો ખાડો તૈયાર જ હોય. આ ત્રણે ખાડા વટાવી જાય એ જ ભગવાનની કૃપા મેળવવા લાયક હરવાનો સંભવ છે, પણ આવા વીરલા ભાગ્યે જ હોય છે. તુકારામનું મન સંયમ શીખેલું એટલે પહેલા બે ખાડા ! વટાવી ગયું, પણ ત્રીજે પ્રતિષ્ઠાનો ખાડો વટાવતાં થેડી વાર લાગી એવું દેખાય છે. તુકારામ પરમ વૈષ્ણવવીર હતા એટલે પહેલેથી જ ચેતેલા. તેથી બધી લીલાઓમાંથી પાર નીકળી ગયા. ધનનો પહેલો લોભ તેમણે વૈરાગ્યની પ્રથમ દિશામાં જ છોડ્યો. ધનને પથ્થરને બદલે “ગોમાંસ સમાન” માનવાવાનો નિશ્ચય કર્યો. બીજે મોહ સ્ત્રીને કહેવાય પણ એ બાબતમાંય પહેલેથી એ નિર્લેપ રહ્યા. પોતાની પત્ની પણ જેને યાદ નહોતી રહેતી એ પરસ્ત્રીને તે વિચાર પણ શાના કરે? રાતે વિઠ્ઠલમંદિરમાં કીર્તન પૂરું થયા પછી તુકારામ ઘેર જઈને કલાક બે કલાક ઊંઘતા. કેટલીક વાર તો મંદિરમાં જ ઊંઘી જતા. પરોઢિયે ઊઠીને પ્રાતઃક્રિયા કરી તેમાંથી પરવારીને વિઠ્ઠલ ભગવાનની પૂજા કરતા અને Scanned by CamScanner