Book Title: Samvigna Sanyamioni Niyamavali
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 218
________________ છે વૈયાવચ્ચ માટે ટ્રસ્ટ બનાવી દીધું. “ભવિષ્યમાં મારી દિકરીને બિલકુલ મુશ્કેલી ન પડે ?” એમ છે જ વિચારીને ! * એક વૃદ્ધ બહેને દીક્ષા લીધી. એના કેટલાંક ચડાવાના પૈસા ભેગા કરીને સમાજના વડીલોએ ૪ જ એમના વૈયાવચ્ચાદિ માટે ફલેટની વ્યવસ્થા કરી દીધી. એક મુહપત્તી પણ જે સંયમીઓથી વધારે ન રખાય તેઓ આખોને આખો ફલેટ પોતાની રે જ માલિકીનો રાખી લે એ કેટલો ભયંકર દોષ કહેવાય? અને આ ફલેટના નુકસાન કેટલા? (૧) કાયમી ત્યાં જ રહેનારા એ સંયમીઓને આજુબાજુ ૪ જ રહેનારા શ્રાવકો ગોચરી-પાણી ક્યાં સુધી વહોરાવશે ? તેઓ કંટાળશે અને ભક્તિ બંધ કરશે. અધર્મ ? જે પામશે. (૨) ગોચરી-પાણીની દુર્લભતા થવાથી કદાચ સંયમીઓ એ ફલેટમાં જ એક બાઈ કે માણસ છું ૪ રાખી રસોડું શરૂ કરાવી દે તો નવાઈ નહિ. (૩) બહાર ઠલ્લે-માત્રુ પરઠવવાની મુશ્કેલીના કારણે કદાચ ફલેટના જ સંડાસનો ઉપયોગ સંયમી શરૂ કરી દેશે તો? આવા પ્રસંગો ય બનતા સાંભળ્યા છે. ? * હવે જો સંયમી પાસે ફલેટ હોય, રસોડું હોય, ટ્રસ્ટાદિ દ્વારા પૈસા હોય તો પછી સંસારી અને ૪ જે સંયમીમાં વેષ સિવાય તો કોઈ ફર્ક જ ન રહ્યો. કેટલાંક સંયમીઓ ગભરાય છે કે “આપણે કોઈ પુણ્ય નથી? આપણે ઘરડા થશું ત્યારે આપણને ૪ જ કોણ સાચવશે? કોણ રાખશે? ક્યા ઉપાશ્રયમાં સ્થિરવાસ કરવા દેશે? આપણો જ પોતાનો ફલેટ હોય ? છે તો પછી કોઈ મુશ્કેલી ન પડે.” અને એ ભયથી પ્રેરાઈને ફલેટ ખરીદે છે. - પણ એ સંયમીઓને શું સાચા સંયમધર્મ ઉપર વિશ્વાસ નથી? જો તેઓ ભગવાનની આજ્ઞાને છે જ વફાદાર રહીને કોઈપણ જાતનો પરિગ્રહ કર્યા વિના જીવશે તો એ જિનાજ્ઞાપાલનના જ પ્રભાવે એમને જ એવું પુણ્ય બંધાશે કે જ્યારે એમને જેની જરૂર પડશે ત્યારે એમને તે મળી જ રહેશે. ઘડપણમાં જ જ સાચવનારા શિષ્યો અને રહેવા માટેનો ઉપાશ્રય પણ મળી જ રહેશે તો હજારો રૂપિયાની દવાઓ પુરી જ ૪ પાડનારા શ્રાવકો પણ સામેથી ધસી આવશે. - જિનાજ્ઞા પર દેઢ શ્રદ્ધા રાખીને જો આ પાપ સમૂળગું ફેંકી દેવામાં આવે તો નક્કી માનજો, કદિ છે જે કોઈ તમે કલ્પેલી મુશ્કેલીઓ નહિ આવી પડે. જ ઉર્દુ જિનાજ્ઞાભંગ કરીને ફલેટો રાખવાની પ્રવૃત્તિમાં પડશું તો એનાથી એવા વિચિત્ર કે જે છે બંધાશે કે કદાચ ફલેટ હશે, બધી વ્યવસ્થા હશે પણ સાચી સમાધિ નહિ હોય. અસમાધિકરણ દ્વારા શી છે જ રીતે સદ્ગતિ પમાશે? ૪ હજી બે જ દિવસ પહેલા સમાચાર જાણ્યા કે સાધ્વીજીએ શ્રાવકો પાસેથી પૈસા ભેગા કરીને ૪ કે ફલેટ તો ખરીદી લીધો અને પછી કેટલાક કાળ બાદ ગમે તે કારણસર સરકારી કાગળો ઉપર સહી કરીને ? છે એ ફલેટ વેંચ્યો અને મળેલા પૈસા પોતે રાખી લીધા. શું આવું અધ:પતન થાય તેવું ઈચ્છો છો? જો ના. તો પછી એના નિમિત્તથી શા માટે છેટા ન ૪ જ રહેવું? શ્રીમંત ભક્તો, સ્વજનો ફલેટ લઈ આપવાની વાત કરે તો પણ સ્પષ્ટ ના પાડીને કહી દેવું ? સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૯૭)

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294